The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 168

ભરૂચ : રામની સરકારમાં જ રામજી હટાવાતા દેત્રાલના ગ્રામજનોએ આપ્યું આવેદન!

  • દેત્રાલ ગામે રામજીની મૂર્તી હટાવી ટ્રસ્ટની મિલ્કત પચાવનાર સામે કાર્યવાહીની માંગ કરતા ગ્રામજનો

ભરૂચના દેત્રાલ ગામે રામજી મંદિર હટાવી પોતાનું રેનબસેરા બાંધનાર મહંત પરિવાર પાસે ટ્રસ્ટની મિલ્કત પુન: પરત મેળવી ભગવાન રામજીની મુર્તિ યથાસ્થાને સ્થાપિત કરવા સાથે આવું કૃત્ય આચરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે દેત્રાલના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યાનુસાર ૨૦૧૦ ના અરસામાં મહંત ગજાનંદ ચતુરદાસ કે જેઓ તથા તેમના પત્ની દેત્રાલ ગામના માજી સરપંચ રહી ચૂકેલ છે. તથા છેલ્લા ૨પ વર્ષથી તેમનો. પરિવાર સરપંચ પદે યથાવત હતો અને મહંત ગજાનંદ હાલ ભારતીય જનતા પાર્ટી ભરૂચ. તાલુકાના મહામંત્રી હોય તેઓની આ ટ્રસ્ટની મિલકતો પર દાનત બગડેલી હતી. જેમણે ભગવાનની મિલકતો પચાવી પાડવા માટે તેઓએ પોતાના સરપંચ પતિ તરીકે હોદ્દાનો દુરપયોગ કરીને બોગસ કાગળો ઊભા કરીને ગ્રામસભામાં પોતાની તરફેણમાં ઠરાવો પસાર કરી, બોગસ કાગળો ઊભા કરીને તેનો સાચા તરીકે સરકારી દફ્તરમાં ઉપયોગ કરીને આ ટ્રસ્ટની મિલકતો પોતાની વ્યક્તિગત હેસિયતે પોતાના નામે દાખલ કરી અને ટ્રસ્ટના પણ પોતાના કુટુંબના મળતીયા સભ્યોને ટ્રસ્ટીઓ બનાવી દીધેલાં છે.આ રીતે ભગવાનશ્રી રામની મિલક્તો પચાવી પાડનાર મહંત ગજાનંદ ચતુરદાસ ભાજપના ભરૂચ તાલુકા મહામંત્રી હોય અને તેઓની રાજકીય લાગવગને કારણે તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાથી ડરી રહી હોય, તેવા આક્ષેપો સાથે ગ્રામજનોએ આવેદનપત્ર આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો ન હોવાથી ફરી એક વાર આવેદનપત્ર કલેકટર સમક્ષ રજૂ કર્યું હતું.

ભગવાનશ્રી રામની જન્મ ભુમિ માટે ભારત દેશ લાખો લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. અને આપી રહ્યા છે. અને તેનો ગેરલાભ ઉઠાવીને સત્તામાં બેઠેલી ભાજપ સરકારના નેતા અને ભરૂચ તાલુકા મહામંત્રી મહંત ગજાનંદ ચતુરદાસે તો ભગવાનશ્રી રામનું મંદિર હતું તેમાથી ભગવાનથી રામને હટાવી લોકોની ધાર્મિક લાગણીઓ સાથે છેડતી કરી છે. જેથી દેત્રાલ ગામના ગામજનો આ આવેદનપત્ર આપી ભગવાનશ્રી રામની મુર્તિને મંદિરમાંથી ખસેડીને શ્રી રામ મંદિર તોડીને મહંત ગજાનંદ ચતુરદાસે બનાવી દીધેલાં પોતાના ઘરને તોડીને ત્યાં ભગવાનશ્રી રામનું મંદિર સ્થાપિત કરવામાં આવે અને મંદિરમાથી ખસેડેલ ભગવાનશ્રી રામની મુર્તિની સ્થાપના કરવામાં આવેની માંગ કરી હતી.સાથે ગ્રામજનો દ્વારા તેમની તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે પુરી ‘કરવામાં આવે નહીંતો નાછુટકે દેત્રાલ ગામના લોકો અને ભરૂચ જિલ્લાના લોકો દ્વારા ભેગા મળીને ન્યાય મેળવવા માટે આંદોલન કરવાની ફરજ પડશે તેની ગંભીર નોંધ લેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

ભરૂચના સાત વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. જે પૈકી ભરૂચના સાત વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન થયેલ છે. સંતાનો સાથે સુખદ પુન:મિલન થતાં વાલીઓના આનંદની કોઈ સીમા ન રહી હતી. સંતાનો પરત ફરતા જ પરિવારજનોને હાશકારો થયો હતો, અને સૌ વાલીઓએ ભારત પરત આવવાની વિમાની વ્યવસ્થા ગોઠવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

પરત આવેલા સાત વિદ્યાર્થીઓ પૈકી બે દીકરીઓ ચૌહાણ સંજનાબેન વિરેન્દ્ર, પારેખ હનીબેન કમલેશભાઈ તેમજ અગાઉ આવેલા રાજ અબરાકને આવકારવા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલ્કેટર તુષાર સુમેરા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત મહાનુભાવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સૌએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ વેળાએ નાયબ મુખ્યદંડ દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય સતત સંપર્કમાં રહી યુક્રેનથી ભારતના નાગરિકો-વિદ્યાર્થીઓને પરત લાવવાનું કપરૂ કાર્ય ચાલી રહ્યું છે. મુંબઈ અને દિલ્હી એમ બે ફલાઈટોમાં નાગરિકોને લઈને સલામત રીતે આવી ચૂકી છે. હજુ પણ જે વિદ્યાર્થીઓ યુક્રેનથી આવવાના બાકી છે, તેમને ઝડપથી ભારત લાવવા માટે સરકાર પ્રયાસરત હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આ તકે ભારત સરકાર અને કેન્દ્ર સરકારનો હદયપૂર્વક આભાર માન્યો હતો.

તે જ રીતે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયાએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિદેશનીતિ અને કુટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપશી માટે રશિયા અને યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે. જેના પરિણામે આપણે આપણા વિદ્યાર્થીઓને પરત લાવી શક્યા છે. બન્ને દેશોમાં ભારતનો ધ્વજ બતાવી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એ ભારતની તાકાત અને વૈશ્વિક ઓળખને પરિણામે શક્ય બન્યુ છે.

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભારત સરકાર ધ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે કાર્યવાહી કરેલ છે જે સરાહનીય હોવાનું જણાવી નાગરિક તરીકે ગર્વ લેવા જેવી બાબત છે તેમ જણાવ્યું હતું.

યુક્રેનથી ભરૂચ આવેલ વિદ્યાર્થીઓમાં પટેલ રીયા ચંદ્રકાંત, ચૌહાણ સંજના વિરેન્દ્ર, પારેખ હનિબેન કમલેશભાઈ, પંચાલ શ્વનિ જીગનેશભાઈ, શાહ અંગી દીનેશભાઈ, પટેલ મોનાલી, શાહ અંશી આશિષકુમારનો સમાવેશ થાય છે.

પારેખ હનિબેન કમલેશભાઈ અને ચૌહાણ સંજના વિરેન્દ્રએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા તે સ્થિતિની આપવિતી વર્ણવી હતી. તા.૨૮મીએ સોમવારે ભરૂચના સાત વિદ્યાર્થીઓને ભરૂચમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હતી.

ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો ૧૨૬મા જન્મદિને માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ પ્રાર્થના સભામાં હાજરી આપી

ભારત ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો ૧૨૬મો જન્મદિને સતત તેમના સમાધીસ્થળ અમદાવાદના અભયઘાટ ખાતે માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા પ્રાર્થના સભામાં સોમવારે હાજરી આપી હતી.

ભારત દેશમાં સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની આત્મકથામાં મેરાજીવન વૃતાંત ખુમાનસિંહ વાંસિયા માટે આદર્શરૂપ હોવાથી સતત 26 વર્ષથી આજે પણ તેમના જન્મદિન નિમિત્તે હાજરી આપતા હોય છે.

સોમવારે પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની ૧૨૬મો જન્મદિને તેમનું જીવન દિશારૂપ હોવાથી તેમને યાદ કરવું ખુબ જ જરૂરી છે.ભારત દેશના ભલે બે વર્ષ મોરારજીભાઈ વડાપ્રધાનપદે રહ્યા પણ તેમના કાર્યકાળમાં વડાપ્રધાન તરીકે શ્રેષ્ઠત્તમ સાબિત થયા હતા.સોમવારે મોરારજીભાઈ દેસાઈના જન્મદિને સમાધી સ્થળ અભયઘાટ ખાતે ભરૂચથી માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા વહેલી સવારે પ્રાર્થના સભામાં આવ્યા હતા.મોરારજીભાઈનું જીવન તેમના માટે આદર્શરૂપ હોવાથી છેલ્લા 26 વર્ષથી સળંગ નિયમિત સમાધી સ્થળે આવે છે.

ઉલ્લેખનીય બાબતએ છે કે માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા જન્મદિને મોરારજીભાઈ દેસાઈ સાથેના જુના સંસ્મરણો તાજા થતા હોય છે.

ભાજપની આંતરીક લડાઈબાજુમાં મુકી ભરૂચની જનતાનું અને ભરૂચનું હિત વિચારો : વિપક્ષે કરી અપીલ

  • ભાજપ ની આંતરીક રાજકીય લડાઈના પાપે ભરૂચને ઉકરડો બનાવવાનું બંધ કરો

ભરૂચમાં સર્જાયેલા કચરા સંકટ મુદ્દે ભાજપની આંતરીક રાજકીય લડાઇને બાજુ પર મુકી પ્રજાનું હિત જોવા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે ભાજપા પાંખને અપીલ કરી હતી

તેમના જણાવ્યાનુસાર છેલ્લા 15 દિવસની અંદર ફરીવાર ભરૂચ શહેરમાં કચરાનું સંકટ સર્જાયુ છે. શનિવારથી બીજી વાર ડોર ટુ ડોર સેવા બંધ થઈ ગઈ છે. ઠેર ઠેર ગંદકીના ઢગ્લા થઈ ગયા છે. આ તમામ સ્થિતિ સર્જાવા પાછળ ભરૂચ નગર પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની અણઆવડત તો જવાબદાર છે જ પરંતુ એનાથી પણ મોટુ કારણ ભાજપની આંતરીક લડાઈ છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાયખા જી.આઈ.ડી.સીમાં ભરૂચ નગર પાલિકાને ડમ્પીંગ સાઈટ માટે જગ્યાની ફાળવણી કરાઈ હતી. નગરપાલીકાએ આ માટે 0000 કર્યા હતાં, આ ડમ્પીંગ સાઈટ શરૂ કરાવવા માટે પાલિકાએ પહેલેથી જ ઘણો વિલંબ કર્યો હતો. અને એમાંય સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા ન હોવાથી સાઈટ કરવાની સાથે જ બંધ કરવી પડી છે. સ્થાનિક લોકો સાયખામાં ડમ્પીંગ સાઈટનો વિરોધ કરી રહ્યા છે. સાયખા વિસ્તારમાં આવેલી આ ડમ્પીંગ સાઈટ પરનો વિરોધ રાજકારણથી પ્રેરીત છે. ભાજપની આંતરીક લડાઈના કારણે ભરૂચ શહેરમાં ઠેર ઠેર ઉકરડા બની ગયા છે.

આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાના બદલે પાલિકા હંગામી ઉકેલ શોધવાના હવાતીયા કરી રહ્યુ છે.જ્યારે મૂળ ડમ્પીંગ સાઈટ પર કચરો ઠાલવવાના વાંધા છે ત્યારે પાલિકાએ મોદી ગાર્ડન પાસે નગરપાલિકા ના ગેરેજ માં તેમજ થામ ગામમાં પ્રાયમરી ડમ્પીંગ સાઈટ શરૂ કરી, આ રીતે પ્રાયમરી ડમ્પીંગ સાઈટ જ મૂળ ડમ્પીંગ સાઈટ બની ગઈ. અને ત્યાં પણ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. આજે પાલિકાએ અમરતપૂરા ગામમાં પણ ખાડામાં કચરો ઠાલલવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ લોકોએ વિરોધ દર્શાવ્યો છે. આમ પાલિકાએ જ્યાં મનફાવે ત્યાં હંગામી અને કામપૂરતી ડમ્પીંગ સાઈટ ઉભી કરી દેવાના બદલે કાયમી ઉકેલ તરફ ધ્યાન આપવું જોઈએ. ભાજપ પક્ષને પણ અમે અપીલ કરીએ છે કે તમારી આંતરીક લડાઈને અત્યારે બાજુમાં મુકી ભરૂચની જનતાનું અને ભરૂચનું હિત વિચારો.

ભરૂચ : બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ ઉપરથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે બે ઝડપાયા,બે ફરાર

ભરૂચ તાલુકાના મનુબર ગામ થી કંથારીયા ગામ જવાના રોડ ઉપર અમાદાવાદ થીમુંબઇ સુધીના ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ ઉપરથી ચોરીમાં ગયેલ સ્પેલન્ડર જેક, TMT સળીયા તથા લોખંડની ટાવર જાળીના ગુનાનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી ગુનામાં વપારયેલ ગાડી તથા મુદ્દામાલ સાથે બે આરોપીઓને ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે.

ગઇ કાલ તા.૨૭/૦૨/૨૦૨૨ ના રોજ ભરૂચ તાલુકાના મનુબર ગામ થી કંથારીયા જવાના રોડ ઉપર અમદાવાદ થી મુંબઇ સુધીના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ ચાલતી હોય દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ફોરવ્હીલ ગાડી નં. GJ 21 M  3650 માં સ્પેલંન્ડર જેક, TMT સળીયા તથા લોખંડની ટાવર જાળીની ચોરી કરી નાશી ગયેલ જે અનુસંધાને ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.

જે ગુના સંબંધે ભરૂચ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળેલ કે “ ઉપરોક્ત ગાડી નંબર GJ 21 M  3650 ની મનુબર રોડ ઉપર આવેલ રહેમતપાર્ક સામે રોડની સાઇડમાં ઉભેલ છે. જે આધારે એલ.સી.બી.ટીમ દ્વારા સેન્ટ્રો ગાડી સાથે બે ઇસમો સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક યુસુફ પટેલ રહેવાસી. ઇલાહી પાર્ક ડોક્ટર સફીક કંથારીયાવાળાના મકાનમાં ભાડેથી મનુબર રોડ તા.જી.ભરૂચ,અસ્ફાક સુલેમાન ગાયન (પટેલ) મુળ રહેવાસી.દેવલા પાછલી ખડકી તા.જંબુસર જી.ભરૂચ હાલ રહેવાસી. લુકમાન પાર્ક દાઉદભાઇના મકાનમાં ભાડેથી જંબુસર બાયપાસ ચોકડી નજીક તા.જી.ભરૂચને ઝડપી પાડી ક્રોસ પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને ગુના કર્યાની કબુલાત કરતા ચોરીમાં ગયેલ ગુનાનો TMT લોખંડના U આકારના સળીયા નંગ-૧૯ કિ.રૂ.૧૧,૪૦૦/-, લોખંડના સ્પેલન્ડર જેક નંગ-૧૩ કિં.રૂ.૨૨,૧૦૦/-, લોખંડની ટાવર જાળી નંગ- ૦૪ કિ રૂ.૧૨,૦૦૦/-, સેન્ટ્રો ગાડી નં GJ 21 M  3650 કિ રૂ.૧,૫૦,૦૦૦/-, મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૮,૦૦૦/-, અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧૫૦૦/-મળી કુલ રૂ.૨,૦૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ મોહસીન ઉર્ફે સુલતાન અલ્લારખા દિવાન રહેવાસી.કંથારીયા તા.જી.ભરૂચ,શેરપુરા ખાતે ભંગારનો ડેલો ચલાવતો સાદ જેનુ પુરૂ નામ કે સરનામું મળી આવેલ નથી તેમને વોંટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.

RSS પુર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના હસ્તે મગોબ ખાતે નવનિર્મિત નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસરનું લોકાર્પણ

સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના વરદ્દહસ્તે સુરત જિલ્લાના મગોબમાં ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ‘નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસર’નું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, શહેરી ગૃહ નિર્માણ શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે, આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, ત્યારે સરકાર પ્રજાને ઉત્તમ સુવિધાઓ આપી શકે, પરંતુ સમાજ સુધારણા અને સર્વાંગી પરિવર્તનની જવાબદારી આપણી સહિયારી છે. દેશના વિકાસ અને સેવાકાર્યોમાં તમામ લોકોના સાથસહકારની અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

ટેકનોલોજી દ્વારા વિશ્વ સાથે જોડતા દેશના વૈજ્ઞાનિકોના આપણે અભારી છીએ એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, સરકારની અનેકવિધ કલ્યાણ યોજનાઓથી ગરીબ-વંચિત અને પીડિત લોકોને લાભો મળી રહે છે, ત્યારે સારા વિચારો અને પરિવર્તનથી દેશને શિખરે પહોંચાડવા જવાબદારી નિભાવીએ.

પ્રસંગે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સામાજિક અગ્રણી લવજીભાઇ બાદશાહ, પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પૂર્વ મેયર ડો.જગદીશભાઇ પટેલ સહિત મહાનુભાવો અને RSS કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુક્રેનની યુદ્ધભૂમિથી હેમખેમ પરત ફરેલ જંબુસરની રિયા પટેલની હાલ દિલ્હીથી વતન વાપસી

ભારત સરકારની વ્યવસ્થા હેઠળ હવાઈ માર્ગે યુક્રેનથી હેમખેમ પરત ફરેલ અને દિલ્હી હવાઇ મથકે ઉતરે જંબુસર શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ ની સુપુત્રી  રિયા પટેલ નો સમાવેશ થયો હતો.મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારે દિલ્હીથી રીયા પટેલની સાથે આવેલા  ૩૨વિદ્યાર્થી ઓ તમામ માટે ગુજરાતના પ્રવાસને સુવિધાજનક વ્યવસ્થા કરી આરામદાયક વોલ્વો બસ તેમના માટે ફાળવી હતી. રિયા પટેલ દિલ્હીથી અમદાવાદ જંબુસર વતન ખાતે આવવા રવાના થઈ છે અને રિયા પટેલે વોલ્વો બસની મુસાફરી દરમ્યાન ભારત પરત આવવાની વીમાની વ્યવસ્થા ગોઠવવા બદલ  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. અને અન્ય બીજા ભારતીયો હેમખેમ પોતાના વતન પહોંચે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી.

યુક્રેનથી ગુજરાત વાપસી થઈ વિદ્યાર્થીઓમાં ભરુચની ચાર વિદ્યાર્થિનીઓ જેમાં સંજના ચૌહાણ હની કમલેશ પારેખ અને ધ્વનિ જિગ્નેશ પંચાલ સહિત  જંબુસરની રિયા ચંદ્રકાન્ત પટેલ આ ચારેય વિદ્યાર્થિનીઓ સાથે જ અભ્યાસ કરતી હતી  અને તેમની વતન વાપસી પણ એકસાથે થતાં તેમના ચહેરા ઉપર આનંદ છવાયેલો જોવા મળતો હતો   અને તેમના પરિવારજનો પણ દીકરીઓ સુરક્ષિત ઘરે આવી રહી હોઇ પુલકિત થઈ ઊઠ્યા હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

જંબુસર : નર્મદા નહેર લીકેજને કારણે કોટેશ્વરના ખેડુતો ની ખેતી નિષ્ફળ..!

જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ હલકી ગુણવત્તાની બનેલ હોય ઠેર ઠેર લીકેજ તૂટી જવાના બનાવો બનતા હોઈ જેને લઈ ખેડૂતોની ખેતી નિષ્ફળ જવાના બનાવો બને છે.કોટેશ્વરના ખેડુતો પણ નર્મદા નહેરનો ભોગ બનતા કપાસ તુવેરની ખેતી નિષ્ફળ જવા પામી છે.

ગુજરાત સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે નર્મદાના નીર ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ બને તે માટે નર્મદા નહેર યોજના અમલમાં આવી  અને ઠેર ઠેર ગામડે ગામડે નર્મદાનાં પાણી પહોંચાડવા કટિબદ્ધ બન્યા પરંતુ  નહેર વિભાગ ના અધિકારીઓ ની અણઆવડત ગણો કે પછી આળસુ પ્રવૃત્તિ  જેનો ભોગ ધરતીપુત્રો બનતા હોય છે  જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ હલકી ગુણવત્તાની બનેલ હોય ઠેર ઠેર લીકેજ તૂટી જવાના બનાવો બનતા હોય  જે અંગે તાલુકાના ખેડુતો દ્વારા વારંવાર રજુઆતો કચેરી ખાતે કરવામાં આવતી હોય છે  પરંતુ તેનો કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી  હાલમાં જ કોટેશ્વરના ખેડુતો નહેરના લીકેજ પાણીનો ભોગ બન્યા હોઈ ધરતીપુત્રોના માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

કોટેશ્વર ખાતે આવેલ અરવિંદભાઈ ઉદેસંગભાઈ ચૌહાણ નાસર્વે નં ૯૦૮ અ સોમાભાઈ વાલજીભાઈ માયાવંશી સર્વે નં ૯૮૯/૯૧૦ અ  ભરતભાઇ મફતભાઇ દરબાર સર્વે નં ૯૧૧અ રાજુભાઈ ચંદુભાઈ દરબાર સર્વે નં ૯૧૨ અ આ તમામ જમીનોની બાજુમાં ફીગર માટે ઝીરો કેનાલ પસાર થાય છે જે કેનાલ લીકેજને કારણે ઘણા સમયથી ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હોય અને હાલ પણ લીકેજના પાણી ખેતરોમાં વહી રહ્યા હોય જે અંગે  અગાઉ એક વર્ષ પહેલાં પણ આ બાબતની લેખિત મૌખિક રજુઆતો ધરતીપુત્રો દ્વારા કરવામાં આવી હતી અને નહેરના લીકેજ દૂર કરવા જણાવેલ  તેમ છતાંય નહેર ખાતાના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને ગત માસમાં ફરી આ પ્રશ્ન અંગે રજુઆતો કરવામાં આવી હોવા છતાંય  લીકેજ રીપેરીંગ કરાયું નથી.

જેને લઇ આ ધરતીપુત્રોના ખેતરોમાં તુવેર કપાસના પાકને નુકશાન થયેલ હોય  ધરતીપુત્રોને અધિકારીઓના પાપે માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે  આ સહિત નજીકમાં આવેલ માઇનોર કેનાલમાં પણ સાફ સફાઈ કરવામાં આવી નથી ખુબજ ઝાડી ઝાંખરા જોવા મળી રહ્યાં છે કોટેશ્વરના ખેડુતો નો નહેર લીકેજનો પ્રશ્ન વહેલી તકે  દુર કરવામા આવે તેવી ધરતીપુત્રોની માંગ છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

તિલકવાડા સરકારી હોસ્પિટલના ડોક્ટરોની વધુ એક નિષ્કાળજી આવી સામે !

  • ગરીબ મહિલા ની કલાકો સુધી ટ્રીટમેન્ટ ન થતા પ્રાઇવેટ માં પૈસા ખર્ચી ને ઈલાજ કરાવવા માટે મજબુર

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા મથકે  આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અવાર નવાર ડોક્ટરોની નિષ્કાળજીના કિસ્સા સામે આવતા હોય છે, જેમાં વધુ એક કિસ્સો સામે આવતા તાલુકા વાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે દેશ- વિદેશ થી લાખો પ્રવાસીઓ આવતા હોય છે, સરકાર તરફથી આ વિસ્તારમાં વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવા માં આવે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક આવેલા તિલકવાડા તાલુકા મથક નું ગામ છે. તાલુકાના લોકો અહીં સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ડોકટરો ની લાપરવાહી ને લીધે ઘણીવાર લોકોને હાલાકી નો સામનો કરવો પડે છે, આરોગ્યલક્ષી સુવિધા માટે સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ડોક્ટરોને  પગાર પણ સારા પ્રમાણ માં આપવામાં આવે છે, તેમ છતાં ઘણી વાર આ ડોક્ટરો ગરીબ આદિવાસી જનતાના જીવન સાથે ખેલવાડ કરતાં હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, હાલ થોડા સમય અગાઉ જ તિલકવાડા આરોગ્ય વિભાગની એક મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં નિષ્કાળજી ની ઘટના ને હજી સમય પણ નથી થયો, ત્યારે વધુ એક કિસ્સો તિલકવાડા સરકારી હોસ્પિટલનો સામે આવ્યો છે.

તિલકવાડા તાલુકાના દેવલ્યા ગામે રહેતા રાજુભાઇ વાળંદ ના જણાવ્યા મુજબ ગત તારીખ 16 ના રોજ તેમની પત્ની ને લઈ ડિલિવરી માટે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા, હોસ્પિટલમાં કલાકો સુધી તેમની પત્નીને કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગર બેસાડી રાખવામાં આવ્યા પછી કલાકો બાદ રાજુભાઇ વાળંદે ડોકટરો ને ટ્રીટમેન્ટ માટે કહેતા આરોગ્ય કર્મચારીએ ઉદ્ધત વર્તન કરતા મહિલાને આગળ ની હોસ્પિટલ માં લઇ જવા માટે જણાવ્યુ હતું અને છેલ્લે રાજપીપળા ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને મહિલાની ડિલિવરી કરવા માટે મજબૂર થવું પડ્યું હતું, આરોગ્ય સુવિધા માટે સરકાર તરફ થી લાખોની ગ્રાન્ટ ફાળવવા છતાં ગરીબ ભોળી જનતા ને પૈસા ખર્ચીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા મજબૂર થવુ પડે છે, આવા કિસ્સા ઘણી વાર સામે આવતા હોય છે, છેલ્લા ઘણા વર્ષોથી આ ડોકટરો તિલકવાડા આરોગ્ય કેન્દ્ર માં હોવા છતાં તેમની બદલી કરવામાં આવતી નથી, ઉપલા અધિકારીઓ આ ડોકટરોને સેવી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે, તો શું આ ડોકટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તે પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

અંકલેશ્વર: બાકરોલ બ્રિજ નીચેથી નશાના 3 સોદાગરો 2.73 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયા

ભરૂચમાં અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂપિયા 2.73 લાખના મ્યાઉ મ્યાઉ એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 5 લાખના મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી છે.

ભરૂચ SOG પોલીસે જયારે ઇકો કારને કોર્ડન કરી રોકી ત્યારે તેમાં અંકલેશ્વરના પીર પારડીનું શેખ દંપતી પણ કારમાં બેઠેલું હતું. પોલીસે તેમની ઉલટ તપાસ કરતા તેઓ મુસાફર તરીકે એરપોર્ટ પરથી કારમાં બેઠા હોવાનું જણાવ્યું હતું. પોલીસે દંપતીની વિગતો પણ મેળવી હતી. તેમના નિવેદનો લઇ પ્રાથમિક તેમની પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તેમને જવા દેવામાં આવ્યા હતા.

ભરૂચ SOGને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાર્ટી ડ્રગ્સના સપ્લાયર અને કેરિયર ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા ઇકો કારમા ડિલિવરી આપવા આવેલા બે આરોપી અને ડિલિવરી લેનાર કેરિયરને SOGએ પકડી પાડ્યો હતો.

કાર નંબર જીજે 5 આર.ઇ. 6509 માં દઢાલના મદનીનગરના રિઝવાન અબ્દુલ સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો. એસ.ઓ.જી. એ ત્રણે ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડી રૂ.2.73 લાખનું એમ.ડી.ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

error: Content is protected !!