ભરૂચના ઝઘડિયામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના લાફાકાંડના મામલામાં તેઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જોકે આ ઘટનામાં પોલીસે સૂચક મૌન ધારણ કરી લીધું છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલી Metropolitan Eximchem Pvt Ltd માં 23 એપ્રિલે થયેલી આગની દુર્ઘટનામાં કુલ 14 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 2 કામદારોના મોત નિપજ્યા હતા.આ દુર્ઘટના બાદ 27 એપ્રિલે ધારાસભ્ય ચૈતર વસાવા મરતક કામદારોના પરિવારજનોને યોગ્ય વળતર સહિતની માંગ સાથે કંપનીમાં પહોંચ્યા હતા,જ્યાં તેમની સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થળ પર હાજર લોકો અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ સર્જાતાં મામલો વધુ ગરમાયો હતો.આ મામલે ઝઘડિયા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ ત્રણ અલગ અલગ ગુનાઓ નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં ટ્રેસપાસિંગ અને મારામારી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર આ FIR “સેન્સિટિવ” કેટેગરીમાં રાખીને હાઈડ કરવામાં આવી છે.હાલ સુધી આ ફરિયાદોને લઈને પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ ચૈતર વસાવા તરફથી પણ આ સમગ્ર ઘટનાને લઈને જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો ઝીંકી દેતા ઉહાપોહ મચ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો,ત્યારે હવે આ મામલામાં પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
લાફાકાંડમાં MLA ચૈતર વસાવા વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ
ભરૂચ નગર પાલિકાની ચૂંટણીમાં પુનઃ ભારતીય જનતા પક્ષ નું શાસન.
ભરૂચ નગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી યોજાતા ભારતીય જનતા પાર્ટી એ 29 બેઠક પર વિજય મેળવી સત્તા જાળવી રાખી છે .જયારે કોંગ્રેસ ને માત્ર 10 બેઠકો થી સંતોષ માનવો પડ્યો છે .AIMIM ની આખે આખી પેનલ પ્રથમ વખત વિજેતા થતા તેઓની સભ્ય સંખ્યા ચાર થઈ છે. ઉમેદવારને વિજય પ્રાપ્ત થતા AIMIM નૉ ભરૂચ નગરના રાજકારણમાં પ્રવેશ થયો હતો અને અપક્ષને એક બેઠક મળી હતી.

ભરૂચ નગર પાલિકાની સત્તા ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખી હતી પૂર્વ પ્રમુખો, વિભૂતિ બા યાદવ, સુરભિબેન તબાકુવાળા, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય મુખ્ય નેતાઓ ફરી ચૂંટાઈ આવ્યા હતા . ભરૂચ પાલિકા ની ચૂંટણી ની મતગણતરી કે જે પોલીટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે થઈ હતી.જેમાં પ્રથમ કોંગ્રેસ ના ગઢ સમા વવોર્ડ નંબર 1અને 2માં કોંગ્રેસના ઉમેદવાર ફરી એકવાર જીત્યા હતા.
જે બાદ ભાજપ ના ગઢ સમા વોર્ડ નંબર ત્રણ થી સાત સુધી સતત ભાજપ ની પેનલ વિજેતા થતા કેસરિયા છાવણી માં ઉત્સાહ નો સંચાર થયો હતો.ચર્ચાસ્પદ બનેલ વોર્ડ નંબર આઠ નું પરિણામ જાહેર થતા ભાજપ ની પેનલ તૂટી હતી પણ ધનજી ગોહિલ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.વોર્ડ નંબર નવમાં માં અપક્ષ સતીશ મિસ્ત્રી એ ભાજપ પેનલ ને ટક્કર આપી વિજય મેળવતા ભાજપે ત્રણ બેઠક થી સંતોષ માનવો પડ્યો હતો.દસમા વોર્ડમાં AIMIM ની આખે આખી પેનલ વિજેતા થતા કોંગ્રેસ પણ હાથ ઘસતી રહીં ગઈ હતી અને અંતિમ વોર્ડ નંબર 11 માં ભાજપ ના ગઢ માં ગાબડું પડવાની કોંગ્રેસ ની કોશિશ સફળ ના થતા ભાજપ ના ચિરાગ ભટ્ટ, ગણેશ કાયસ્થ તેમજ સ્વાતિ જાદવ અને કાજલ વસાવા ની પેનલ વિજેતા થતા ભાજપ ની સભ્ય સંખ્યા 29 પર પોહચી હતી.જે સાથે 44 બેઠકો ધરાવતી ભરૂચ પાલિકા માં પુનઃ ભાજપ ના ભગવો લહેરાયો છે.
ભરૂચમાં બાદલપુર ખાડી પર બ્રીજની કામગીરીને પગલે આમોદ-મુલેર રોડ 90 દિવસ માટે બંધ
ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી, ચાંચવેલથી મુલેર સુધીનો માર્ગ 2 એપ્રિલ 2026થી 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. ભારે વાહનો માટે ચાંચવેલ-બદલપુરા-ઓચ્છણ-મુલેર થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, અને તંત્ર દ્વારા વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી, ચાંચવેલથી મુલેર સુધીનો માર્ગ 2 એપ્રિલ 2026થી 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. ભારે વાહનો માટે ચાંચવેલ-બદલપુરા-ઓચ્છણ-મુલેર થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, અને તંત્ર દ્વારા વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી
ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ 26મીના રોજ ચૂંટણી યોજાશે. બુધવારના રોજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ હતી. આ પહેલાં સવારથી રાજયભરમાં ભાજપ તરફથી ઉમેદવારો નકકી કરવા નિરિક્ષકો દરેક જિલ્લામાં પહોંચ્યાં હતાં.ભરૂચ જિલ્લામાં ભાજપના 2 હજાર કરતાં વધારે કાર્યકરોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે. સ્ટેશન રોડ પર આવેલી હોટલમાં પ્રદેશમાંથી આવેલાં પૂર્વ પ્રદેશ મંત્રી ડૉ. જીવરાજ ચૌહાણ, ગુજરાત ભાજપના આઈટી સેલ કન્વીનર નિખિલ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમા પરમારે ઉમેદવારોના સેન્સ લેવાની કાર્યવાહી હાથધરી હતી.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણી લડવા માગતા કાર્યકરોના નામોને વિવિધ શ્રેણીમાં અલગ તારવવામાં આવશે. સ્વચ્છ છબી અને લોકપ્રિયતા ધરાવતાં કાર્યકરોની યાદીમાંથી ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં જયારેનિરિક્ષકોએ ચૂંટણી લડવા માગતા દાવેદારોને તમારે ચૂંટણી કેમ લડવી છે અને જીત્યા પછી શું કરવા માગો છો સહિતના સવાલો પૂછયાં હતાં.જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણી લડવા માગતા કાર્યકરોના નામોને વિવિધ શ્રેણીમાં અલગ તારવવામાં આવશે. સ્વચ્છ છબી અને લોકપ્રિયતા ધરાવતાં કાર્યકરોની યાદીમાંથી ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં જયારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં પેનલમાંથી નામોની પસંદગી કરી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!
ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25 હજાર જેટલા વાહનચાલકોને ટોલટેકસનું વધારાનું 5 થી 10 રૂપિયાનું ભારણ આવશે. મુંબઇ અને દિલ્હીને જોડતાં નેશનલ હાઇવે પર મુલદ પાસે ટોલપ્લાઝા આવેલું છે અને ત્યાં વાહનચાલકો પાસેથી ટોલ લેવામાં આવે છે.

ટોલનાકાનું સંચાલન કરતી કંપનીએ ટોલમાં વધારો કરવા સંદર્ભમાં નેશનલ હાઇવે ઓથોરીટીમાં દરખાસ્ત કરી હતી. નવા ટોલ દરોમાં કાર, જીપ અને વાન સહિતના લાઇટ મોટર વ્હીકલ કેટેગરીમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. બસ, ટ્રક, ડબલ એકસેલ, ત્રિપલ એકસેલ અને હેવી વ્હિકલના ટોલ ટેકસમાં વધારો કરવામાં આવ્યો છે.
જો કે કાર, જીપ અને વાનનો માસિક પાસના ભાવમાં 20 રૂપિયા વધારવામાં આવ્યાં છે. પહેલી એપ્રિલથી ટોલના નવા દર અમલમાં આવી ચુકયાં છે. નેશનલ હાઇવે -48 પરથી રોજના 25 હજાર જેટલા નાના- મોટા વાહનો પસાર થાય છે જેના માટે આ ભાવવધારો લાગુ પડશે
અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા
અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. બારમાની વિધિ માટે ગામના સ્મશાન પાસે વિધિમાં ભાગ લેવા ગયેલા વ્યક્તિ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.પ્રેમ સંબંધને ઉજાગર કરવા અને અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખી બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે બે હુમલાખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના મંદિર ફળિયામાં રહેતા રમણ રામજીભાઈ વસાવા ગામના અર્જુન વસાવાના પરિવારમાં થયેલા મરણની બારમાની વિધિ માટે ગામના અન્ય લોકો સાથે સ્મશાન પાસે ગયા હતા. દરમિયાન ગામના હસમુખ વસાવા અને તેનો ભાણેજ ગણપત વસાવા ત્યાં આવ્યા હતા. આરોપીઓએ રમણભાઈ પર હસમુખના દીકરા ગણેશ વસાવાના પ્રેમ સંબંધને ઉજાગર કરવા અને અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખી બોલાચાલી કરી હતી.બોલાચાલી ઉગ્ર બનતા મામા-ભાણેજે કમરના ભાગેથી ચપ્પુ કાઢી રમણભાઈ તરફ દોડ્યા હતા. રમણભાઈ પોતાના ઘર તરફ ભાગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે રસ્તામાં બાઈક પર આવેલા ગણેશ વસાવા અને પ્રદ્યુમ્ન વસાવાએ તેમને રોક્યા હતા.
ગણેશ અને પ્રદ્યુમ્ને રમણભાઈને હાથમાં પહેરેલા કડા વડે માર માર્યો હતો, જ્યારે હસમુખ વસાવાએ કમરના ભાગે પથ્થર મારી ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ રમણભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલામાં ગણપત વસાવા અને ગણેશ વસાવા નામના બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચમાં વસતા વ્હોરા સમાજના પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર એકઠા થયા હતા. ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી.
આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમજ હોમગાર્ડ્સ સ્થળ પર તૈનાત રહ્યા હતા. પોલીસની તકેદારીને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે મોબાઇલ ચોરીની ઘટના!
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે ચોરીની ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં રહેતી શિક્ષિકા ગીતાબેન કમલેશભાઈ પટેલનો મોબાઇલ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરી લેવાયો હોવાનો બનાવ નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, ગીતાબેન પટેલ તા. 15 માર્ચ 2026ના રોજ વહેલી સવારે અંકલેશ્વરથી વડોદરા જવા માટે રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી. સવારે અંદાજે 6:40 વાગ્યે ટ્રેન નં. 19033 ગુજરાત ક્વીન એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પર આવતા તેઓ જનરલ ડબ્બામાં ચડતી વખતે ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રેન શરૂ થયા બાદ જ્યારે તેમણે પોતાના પર્સમાંથી મોબાઇલ કાઢવા પ્રયાસ કર્યો ત્યારે મોબાઇલ મળ્યો નહોતો. તપાસ કરતા જાણવા મળ્યું કે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા ચોરે તેમનો સેમસંગ કંપનીનો M32 મોડેલનો અંદાજે ₹13,000 કિંમતનો મોબાઇલ ચોરી કરી લીધો હતો.
આ બનાવ અંગે ગીતાબેન પટેલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેલ્વે સ્ટેશન જેવા વ્યસ્ત સ્થળોએ વધતી ચોરીની ઘટનાઓને લઈ મુસાફરોમાં ચિંતા વ્યાપી છે.
વાગરાની સાયખા GIDCમાં પશુપાલકો માટે ગૂઢ જાહેરનામું!પશુ ચરાવવા પર પ્રતિબંધ?
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા સાયખા GIDC વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લાગેલા રહસ્યમય હોર્ડિંગ્સે સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ઉત્તેજના અને મડાગાંઠ ઉભી કરી છે. સાયખા GIDC વિસ્તાર અને તેની આસપાસના પશુપાલકોને સંબોધીને લગાવવામાં આવેલા આ મોટા હોર્ડિંગ્સમાં પશુ ચરાવવા તેમજ પશુપાલન સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર કડક શબ્દોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ હોર્ડિંગ્સ ખાસ કરીને સાયખા GIDC માં આવેલ APL કંપનીના ગેટ બહાર, ભેરસમ ચોકડી તેમજ અન્ય મુખ્ય માર્ગો પર લગાડવામાં આવ્યા છે, જે આવતા-જતા લોકોમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યા છે.

હોર્ડિંગ્સમાં જણાવવામાં આવ્યું છે કે સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ અને હેવી એન્જિનિયરિંગ જેવા જોખમી ઉદ્યોગો કાર્યરત હોવાથી પશુઓ માટે આ વિસ્તાર સુરક્ષિત નથી. જો પશુપાલકો આ સૂચનાનું ઉલ્લંઘન કરી પશુ ચરાવશે અને તે દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પશુપાલકની રહેશે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ લખાણમાં સ્પષ્ટપણે ચીમકી આપવામાં આવી છે કે આવી કોઈ પણ ઘટનામાં GIDC નિગમ, ઉદ્યોગ એકમો કે તેના કોઈ પણ અધિકારીની કોઈ જ વ્યક્તિગત કે કાયદેસરની જવાબદારી રહેશે નહીં.
જોકે, આ આખા મામલે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આટલું કડક લખાણ અને ગંભીર સૂચનાઓ હોવા છતાં, આ જાહેરનામું બહાર પાડનાર સત્તાધિકારી કે સંસ્થાનું નામ હોર્ડિંગ પર ક્યાંય પણ ઉલ્લેખિત નથી. સામાન્ય રીતે કોઈ પણ સરકારી કે અર્ધ-સરકારી જાહેરનામામાં જે-તે વિભાગ કે અધિકારીની મહોર અથવા નામ હોય છે, પરંતુ અહીં તેની ગેરહાજરી અનેક સવાલો ઉભા કરી રહી છે. શું આ હોર્ડિંગ્સ GIDC તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે કે પછી કોઈ ખાનગી કંપનીએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આ રસ્તો અપનાવ્યો છે? તે અત્યારે એક મોટો યક્ષપ્રશ્ન છે. સ્થાનિક પશુપાલકોમાં આ બાબતે રોષ અને મુંઝવણ જોવા મળી રહી છે, કારણ કે વર્ષોથી આ પંથકમાં પશુઓ ખુલ્લેઆમ ચરતા જોવા મળે છે. ત્યારે અચાનક અનામી રીતે લાગેલા આ પ્રતિબંધાત્મક બોર્ડ કોના ઈશારે અને કયા કાયદા હેઠળ લગાવવામાં આવ્યા છે, તેની તપાસ થવી જરૂરી બની છે. હાલ તો આ વિસ્તારમાં આ બિનવારસી જાહેરનામાને લીધે પશુપાલકો અને ઉદ્યોગો વચ્ચેના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
સાયખા GIDC વિસ્તારમાં લાગેલા આ હોર્ડિંગ્સ માત્ર સૂચના નથી, પરંતુ તંત્રની અસ્પષ્ટ નીતિઓનો પુરાવો પણ છે. સૌથી ગંભીર અને ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ઔદ્યોગિક વસાહતની સીમાઓ રહેણાંક વિસ્તારોને બિલકુલ અડીને આવેલી છે, જ્યાં દાયકાઓથી પશુપાલન એ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. આટલું જ નહીં, ખુદ GIDCની હદમાં જ કેટલીક જગ્યાએ હજુ પણ ખેતીવાડી થઈ રહી છે, ત્યારે પશુ ચરાવવા પર પ્રતિબંધનું આ બોર્ડ વાસ્તવમાં શું કહેવા માંગે છે તે સ્થાનિકો માટે એક વણઉકેલ્યો કોયડો બની ગયો છે. જો આ વિસ્તાર પશુઓ માટે જોખમી હોય, તો ત્યાં અડીને આવેલા રહેણાંક વિસ્તારોમાં વસતા માનવ સમુદાય અને ખેતરોમાં ઉભા પાક પર થતી અસરો માટે જવાબદાર કોણ? રહેણાંક અને ખેતીની જમીન વચ્ચે આવા કડક શબ્દોમાં લાદવામાં આવેલો પ્રતિબંધ શું ઉદ્યોગપતિઓને રક્ષણ આપવા માટે છે કે પછી સ્થાનિકોને તેમની જ જમીન પર પરાયા કરવા માટેનો પેંતરો? કોઈપણ સત્તાવાર સહી-સિક્કા વગરનું આ બોર્ડ તંત્રની જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ અને સ્થાનિક ભૌગોલિક સ્થિતિ પ્રત્યેની તેમની અજ્ઞાનતાને છતી કરે છે.
વાગરાના ભેરસમ ગામના મંદિર પાસે ચાલુ મોપેડમાં અચાનક લાગી આગ!
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. વધતા તાપમાનના કારણે સૂકું વાતાવરણ અને ટેકનિકલ ખામીઓ અગ્નિકાંડનું કારણ બની રહી છે. હજુ બે દિવસ પહેલા જ વહિયાલ નજીક પસાર થતી પાઇપલાઇનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ભેરસમ પાસે મોપેડ સળગી જવાની ઘટનાએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. ગરમીના કારણે વાહનો અને ઇન્ડસ્ટ્રિયલ લાઈનોમાં ઘર્ષણ કે શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જતી હોય જેથી તકેદારી રાખવી અનિવાર્ય બની છે.

વાગરા તાલુકાના ભેરસમ ગામ પાસે આજે એકાએક ચાલુ મોપેડમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. ભેરસમ ગામના મંદિર નજીકથી પસાર થઈ રહેલા એક મોપેડ સવારના વાહનમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખું મોપેડ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.ઘટના સમયે હાજર લોકો અને વાહન ચાલકે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગનું રૌદ્ર સ્વરૂપ એટલું હતું કે થોડી જ ક્ષણોમાં મોપેડ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયું હતું. સદ્દનસીબે, આગ લાગવાની જાણ થતા જ ચાલક સમયસૂચકતા વાપરી મોપેડ પરથી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. મંદિર જેવા ગીચ વિસ્તાર પાસે આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી હતી, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

