The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog

ભરૂચ સબજેલ પાછળ આવેલું મેદાન ખુલ્લું રાખવા બે સગી બહેનો વડોદરાથી સાયકલિંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

0

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સબજેલ પાછળ આવેલું એકમાત્ર રમત-ગમતનું ખુલ્લું મેદાન ફક્ત રમત-ગમત માટે ખુલ્લું રાખવાના વિરોધમાં બે નેશનલ લેવલની ભરૂચની ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમની સાથે સ્થાનિક રહીશો પણ જોડાયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે,ભરૂચ સબજેલની આવેલી ખુલ્લા મેદાનનો વિવાદે સપાટી પર ફરી માથુ ઉચક્યું છે. આ મેદાનમાં સબજેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો હતો. જેને લઈને સ્થાનિકોએ અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી. તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા ભરૂચના સંતોષી વસાહતના હબીબ પાર્કમાં રહેતી અને હાલમાં વડોદરામાં સ્થાયી થયેલી નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી ખેલાડી લાયબખાન પઠાણ અને લારૈબખાન પઠાણ બે સગી બહેનો પણ આજ મેદાન પર રમીને આજે નેશનલ લેવલ પર રમી રહી છે, પરતું જિલ્લામાં રમત ગમત માટે કોઈ સુવિધાઓ ન હોવાથી હાલમાં વડોદરામાં રહીને રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રહી છે.

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

0

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ઢોલ-નગારા-તાંસા અને ડી.જેના સથવારે “જય જગન્નાથ”ના નારા સાથે ભરૂચ શહેરમાં બે સ્થળોએથી દબદબાભેર કાઢવામાં આવી હતી.

ભગવાન જગન્નાથજી તેઓના જયેષ્ઠ ભ્રાતા બલરામ તથા બહેન સુભદ્રા આજે રથ ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા.ગુજરાતમાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે તેમ દબદબાભેર ભરૂચ શહેરમાં અપનાઘર સોસાયટી નજીકની આશ્રય સોસાયટી સ્થીત જગન્નાથ મંદિરેથી ભરૂચમાં વસતા ઉડિયા સમાજ દ્વારા તો ફૂરજારોડ પર આવેલ પૌરાણિક જગન્નાથ મંદિરેથી ભોઇ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. જે ભરૂચ શહેરના વિવિધ માર્ગો પર ‘જય જગન્નાથ’ના નારા સાથે ફરી હતી. નગરચર્યાએ નીકળેલ ભગવાન જગન્નાથજીના શ્રધ્ધાળુઓ દ્વારા ઠેરઠેર વધામણા સાથે ફૂલોથી સ્વાગત કરાયું હતું.ભગવાન જગન્નાથજીને વધાવવા તેમજ તેમનો રથ ખેંચવા ભક્તોમાં ભારે હોડ જામી હતી.

ભરૂચ અપનાઘર સ્થીત જગન્નાથજી મંદિરેથી ભવ્ય રથમાં ત્રણેવ પ્રતિમાઓને વાજતેગાજતે આરૂઢ કરાયા બાદ ભગવાનના શણગાર પછી મહાનુભવો દ્વારા ભગવાનની આરતી બાદ રથયાત્રા બપોરે શરૂ કરાઇ હતી.તો ભરૂચના ફૂરજા વિસ્તારના પૌરાણિક જગનાથજી મંદિરે સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દબદબાભેર ૩ રથમાં કાઢવામાં આવી હતી.ભગવાન જયારે શહેરના વિવિધ માર્ગો પર નગરચર્યાએ નીકળ્યા ત્યારે વાતાવરણ અલ્હાદક બન્યું હતું. સમગ્ર ભરૂચ શહેરના માર્ગો ભક્તોથી ઉભરાયા હતા. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જિલ્લા પ્રશાસન તરફથી ગોઠવાયો હતો. ભાવિક ભક્તોએ આસ્થાભેર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભરૂચ જિલ્લાવાસીઓ આજે જગન્નાથ મય બની ‘જય જગન્નાથ’ના નારા સાથે ઝુમી ઉઠી ભગવાનના વધામણા લીધા હતા.

ભરૂચમાં ૧૭મી સદીમાં નર્મદાના પવિત્ર કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથજીનાં મંદિરનું નિર્માણ કરાયું હતું. મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરી તથા અન્ય કામ કરતા હતા. અહી વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો.

અમદાવાદની યાત્રા માટે ભરૂચનાં ખલાસીઓએ રથ બનાવ્યા હતા.દેશ–વિદેશ ના મોટા મોટા વાહનો અહી લાંગરતા હતા. ફુરજા બંદરે ભોઈ લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જયાં જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજુરો તથા વેપારીઓ ભરૂચ આવતા હતા. તેઓના સંપર્ક માં ભોઈ સમાજનાં લોકો પણ આવ્યા. શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે, આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું જેથી સવારે અહીં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગી જાય.

ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના લોકોએ અહી  મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ ( માટી) ઉચા પ્રકારનો હતો. અહી નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા (રેસા) ના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી. ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની  પ્રતિમા  તૈયાર થઇ અને પછી ત્યાં મંદિર બનાવવા માં આવ્યું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.

આદિવાસી પટ્ટાના વિવિધ પ્રશ્નો અંગે ભરૂચ આમ આદમી પાર્ટીએ કરી રજૂઆત, સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી

0

ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા ઉપર શિડયુલ વિસ્તારમાં 73એએની જમીનો પર ગેરકાયદેસર ચાલતા સ્ટોન,કવોરી-કસર રેતીની લીઝો,રેતીના સ્ટોકના ઢગલાઓ,સિલિકા પ્લાન્ટોની તપાસ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી સાત દિવસનો કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ઝઘડીયા, નેત્રંગ, તાલુકો શિડયુલ વિસ્તારમાં આવે છે. અહી 73 એએની જમીનો ટ્રાન્સફરો, NA કે ભાડા પેટે કરીને પચાવી પાડી,ગેરકાયદેસર રીતે સ્ટોન કવોરી,કસરો ચલાવવામાં આવે છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની પરવાનગી કે એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટીફીકેટો પણ ન હોવા છતા ગેરકાયદેસર પરવાનગી ની જગ્યા છોડી,સરકારી પડતર ગૌચરો, જંગલની જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવે છે.જેના કારણે પાણીના સ્તર ઊંડા જાય છે.ખેતીના પાકો થતા નથી, લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે.જેને તાત્કાલિક અસરથી બંધ કરાવવુ જોઈએ.

સાથે ઝઘડીયા તાલુકામાં 73 એએની જમીનો પર ચાલતા સિલિકા પ્લાન્ટ,રેતી લીઝો અને રેતી સ્ટોરેજના ઢગલાઓ કરવામાં આવેલા છે.જેના કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડે છે.રોયલ્ટીની ચોરી થતી હોવાથી સરકારને પણ નુકશાન થાય છે.ભરૂચ જિલ્લાની ઝઘડીયા,અંકલેશ્વર,પાનોલી, દહેજ GIDCની કંપનીઓમાં સરકારની ઔદ્યોગિક નીતિ પ્રમાણે 80% જેટલા સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે તેમ છતાંય સ્થાનિકો નોકરી નહિ લેવામાં આવતા અથવા જો લેવામાં આવે તો સારી જગ્યા પર મુકવામાં આવતા નથી એમનું શોષણ કરવામાં આવે છે.

ભૂસ્તર, ખાણ-ખનીજ વિભાગ, સ્ટોન કવોરી, ફર્સર, રેતી લીઝ ધારકો પાસેથી મોટી રકમની ઉંઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જ બે-રોક ટોક આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ચાલી રહેલા છે.જેમાં સરકાર અને અહીના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂ માફિયાઓના પાપે, નિર્દોષ લોકોએ જીવ ગુમાવે છે.જેથી આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરી અને જો કાર્યવાહી કરવામાં ન આવે તો, દિન-7 પછી, આ તમામ જગ્યાએ જનતા રેડ કરીને જવાબદાર લોકોને ખૂલ્લા પાડવાના કામ જનતા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

0

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને જેમના મકાનો તૂટે છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.તો કલેકટર ઓફિસ તરફથી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની બાહેધરી પણ આપવામાં આવી છે.

 

બનાવની વિગત એવી છે કે ગઈકાલે તારીખ ૨૦/૦૬/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યાના સોમવારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ મહંમદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલા ભરૂચ નગર યોજના નંબર-૩ ના અંતિમ ખંડ નંબર ૯૪-૯૫ ઉપર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવામાં આવેલ. તે સમયે લાઈન દોરી કરતી વખતે સંતોષી વસાહતના મકાન નંબર ૧૫૪/૨ થી ૬૫/૧ સુધીના ૧૦-મકાનોને એવી ધમકી આપવામાં આવી કે તમારા મકાનો નો અમુક હિસ્સો અમે બુલડોઝર લઈને તોડવા આવીશું તો તમો ઘર ખાલી કરી આપજો.

કોઈપણ જાતની નોટીસ વગર આ મકાનો ના રહીશોને મકાનો તોડવાનું અલ્ટીમેટમ અપાતા સંતોષી વસાહતના મકાન ધારકો હતપ્રભ થઈ ગયા છે, ડરી ગયા છે અને કલેક્ટર પાસે એમના તૂટતા મકાનો બચાવવાની ગુહાર લઈને પહોંચ્યા હતા.જ્યાં કલેક્ટર ઓફિસમાં આર.ડી.સી. ધાંધલે તેઓને શાંતિથી સાંભળ્યા અને યોગ્ય તપાસ કરી ઘટતું કરવા બાહેધરી આપતા હાલા મામલો થાળે પડયો છે.

૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઝઘડિયા કોર્ટ સંકુલમાં ઉજવણી કરવામાં આવી

0

૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને ઠેર ઠેર તેની ઉજવણી થાય છે, યોગ દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થતી હોય છે, આજે માનવીનું જીવન ઘડિયાળના ટકોરા મુજબ સમયબદ્ધ ચાલી રહ્યું છે અને તેને લઈને જીવનમાં મોટો સમય વ્યસ્ત રહેતો માનવી માનસિક શાંતિ ઈચ્છતો હોય છે, ત્યારે આ માનસિક શાંતિ યોગ દ્વારા મેળવી શકાતી હોય છે, આપણો ઇતિહાસ પણ કહે છે કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ પણ જીવનમાં યોગને મહત્વ આપતા હતા.

ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયાની કોર્ટ ખાતે પણ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણી પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ પટેલ તથા જ્યુડિશિયલ ફ.ક મેજિસ્ટ્રેટ જે.ટી પટેલ, ઝઘડિયા કોર્ટનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વકીલ મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ખુબ ઉત્સાહ પૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં સગા બાપેજ દીકરીને બનાવી હવસનો શિકાર…!

0

ભરૂચ જિલ્લાના એક પોલીસ મથકમાં સગી દીકરી ભોગ બનનારે સગા બાપ ઉપર ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેમાં સગા બાપે જ પોતાની જ દીકરી ઉપર વારંવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ કરી ગર્ભપાત પણ પડાવી નાની ઉંમરમાં જ કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના બીજે છોકરા સાથે રવાના કરી દેતા અને સગીરા પરત આવતા સગા બાપે ફરી વારંવાર બળાત્કાર ગુજારતા અને સગા બાપ થકી સગી દીકરી ગર્ભવતી બનતા આખરે સાવકી માતાની હિંમતથી પીડિતાએ ભરૂચ પોલીસ મથકમાં સગા બાપ સામે બળાત્કાર અપહરણ પોકસો અને બાળ લગ્ન એક્ટ હેઠળ સગા બાપ સહીત પત્ની બનાવીને રાખનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

ભરૂચના પોલીસ મથકમાં ભોગ બનનાર પીડીતાએ નોંધાવેલ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ગત વર્ષ 2022 ના 10મા મહિનામાં ફરિયાદીને તેના પિતા પાલક માતા સાથે બનતું ન હોય અને તે સમયે ફરિયાદીને હવસખોર પિતા તેના મૂળ વતન મધ્યપ્રદેશ રહેતા જ્યાંથી તેમની સાથે ફરિયાદી તેણીની પાલક માતા ભરૂચ ખાતે રહેતી હતી અને ફરિયાદીના પિતાના બીજા બાળકો અટાલી ખાતે અભ્યાસ કરતા હતા.

દરમિયાન પિતા નરાધમ ફરિયાદીને અમદાવાદથી મહેસાણા વચ્ચે કોઈ જગ્યાએ કડિયા કામની મજૂરી માટે લઈ ગયેલા અને ત્યાં એક મહિના જેટલો સમય પતરાના ઝૂંપડામાં રોકાયા હતા અને તે સમયે સગા પિતાએ જ રાત્રિના સમયે સગી દીકરી ફરિયાદી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેણીને ધમકી આપી હતી કે તું કોઈને આ બાબતે કહીશ તો તને જીવતી નહીં રહેવા દઉં જેથી સગી દીકરી ડરી ગઈ હતી અને સતત અલગ અલગ રાત્રીએ સગા પિતાએ ૮ થી ૧૦ વખત સગી દીકરી ઉપર દુષ્કર્મ આચરી દીકરીને ગર્ભવતી કરી હતી.જ્યારે નરાધમ પિતાને ખબર પડી કે દીકરીના પેટમાં ગર્ભ રહી ગયો છે તો તેણે પુરાવાનો નાશ કરવા માટે નજીકમાંથી દેશી ઝાડના મૂળિયાની દવા પીવડાવી દીકરીનો ગર્ભ પડાવ્યો હતો.

પિડિતાની ફરિયાદમાં એવા પણ આક્ષેપ કરાયા છે કે, તેના બળાત્કારી સગા પિતા મજૂરી કામ કરવા માટે વડોદરા ખાતે એકલા જતા રહેલ અને તેના થોડા દિવસ પછી તેના પિતા પાલક માતા સાથે જામદા ખાતે ફરિયાદી તથા તેની સાવકી માતાને લેવા માટે આવતા ફરિયાદી વડોદરા ખાતે આવી હતી.જ્યાં તેઓ વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી સરકારી મકાનમાં વડોદરા ખાતે ભાડેથી રહેતા હોય ત્યાં પણ ૧૫થી વધુ દિવસ સુધી ફરિયાદી રોકાયેલ અને તે સમયે પણ પાલક માતા રસોડાના કામ કરવા માટે રાત્રીએ બહાર જતા જ સગી દીકરીનો એકલતાનો લાભ લઇ હવસખર પિતાએ સગી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધતા ફરી દીકરીને ગભૅ રહી ગયો હતો.જે વાત છુપાવવા માટે સગા બાપે સગીર વયની દીકરી હોવા છતાં તેને દાહોદના સતીશ નરપત મેડાને બોલાવી સગી દીકરીની સાથે કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના જ પત્ની તરીકે રવાના કરી હતી અને સતીશ મેડા પણ સગીર વયની દીકરીને પત્ની બનાવીને રાખતો હતો.

સમગ્ર પ્રકરણનો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે મધ્યપ્રદેશ ખાતે ફોઈના છોકરાના લગ્નમાં ફરિયાદી આવી હતી.દરમિયાન લગ્નમાં પિડિતાને તેની પાલક માતા સાથે ભેટો થયો અને ભોગ બનનાર ફરિયાદીએ સગા બાપે કરેલું કૃત્ય સાવકી માતાને કહેતા જ સૌપ્રથમ સાવકી માતાની પગ તળેની જમીન ખસી ગઈ હતી અને તેઓ અનુભવ કર્યો હતો.જે બાદ ફરિયાદી થોડા દિવસ માટે સાવકી માતાના ઘરે ભરૂચ આવી હતી અને ત્યારેપણ સતત અલગ અલગ દિવસે સગા બાપે જ દીકરી ઉપર બળાત્કાર કર્યો હતો.

સાવકી માતા ભરૂચની હોસ્પિટલમાંથી નોકરી કરી પરત ઘરે આવી તે દરમિયાન ભોગ બનનાર ઘરમાં રડી રહી હતી અને રડતી દીકરીને સાવકી માતાએ પૂછ્યું શું થયું કેમ રડે છે અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો. જેમાં સગો બાપ જ પોતાની હવસ પોતાની સગી દીકરી ઉપર સંતોષી રહ્યો હોવાની વાત સાવકી માતા અને દીકરીએ પોતાના નરાધમ બાપને કહેતા જ ઉશ્કેરાયેલા બાપે સાવકી માતા અને ભોગ બનનાર દીકરીને ઢોર માર મારી અને અંતે સગીરાના પેટમાં જે ગર્ભ છે તે પણ તેના બાપ થકી જ હોવાનો ખુલાસો થતા આખરે સાવકી માતાની હિંમતથી સગી દીકરીએ ભરૂચના પોલીસ મથકમાં પહોંચી નરાધમ સગા બાપ સામે તથા જે યુવકે ભોગ બનનારને નાની ઉંમરે લગ્ન વિના પત્ની બનાવી હતી તેની તથા સગા બાપ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ બંન્નેવ નરાધમો સામે બળાત્કાર પોકસો અપહરણ અને બાળ લગ્ન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ જિલ્લો બન્યો યોગમય

0

ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંમ સેવકો, સંસ્થાઓ, એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જોડાઈને યોગ કર્યા હતા.


આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતાં ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય,યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. ભરૂચમાં આજ ઉદ્દેશ્ય સાથે જિલ્લાકક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગર પાલિકાકક્ષાઓ,તાલુકાકક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરાઇ હતી.
આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા,જિલ્લા પ્રાયોજના વહીવટદાર યોગેશ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા,R.A.C એન. આર. ધાંધલ,અને વિવિધ સંસ્થાઓ,શાળાઓના યોગ સાધકો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વટ સાવિત્રીના વ્રતની ભરૂચમાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી

0

ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી.
શાસ્ત્રો મુજબ, વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિ ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે.


શાસ્ત્રો મુજબ, વટના(વડ) વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ(વડ)ના વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટ(વડ)ના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે ,તેવી પણ માન્યતા છે.આથી અત્યંત ભાવપૂર્વક આ પૂજન સૌભાગ્યવંતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.

NEETની પરીક્ષા ફરીથી લેવાની માંગ સાથે ભરૂચ કલેકટરને અપાયું આવેદન

0

આમ આદમી પાર્ટી ભરૂચ ના પ્રમુખ પીયુષ પટેલ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને NEETની પરીક્ષા ફરીથી લેવાની માંગ સાથે આવેદન પાઠવાયું હતું.

જેમાં ઉલ્લેખાયા મુજબ જે દિવસે NEETની  પરીક્ષા હતી એ જ દિવસે બિહારમાં NEETનું પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી અને FIR માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પટનાની એક હોસ્ટેલમાં અનેક વિધાર્થીઓને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હતું. આ પ્રશ્નપત્ર આ ટોળકી પાસે કેવી રીતે પહોંચ્યું ? એક સાથે 67 વિધાર્થીઓને 720 માંથી 720 માર્ક્સ કેવી રીતે મળી શકે ? આ 67 માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તો એક જ સેંન્ટરના છે. આ પરીક્ષામાં સાચા જવાબ બદલ 4 ગુણ મળે છે અને ખોટા જવાબ બદલ 1 ગુણ કાપી લેવામાં આવે છે.તો કોઈ વિદ્યાર્થીને 718 કે 719 ગુણ કેવી રીતે મળી શકે ?

ગોધરામાં આનાથી પણ વધુ આશ્ચર્યજનક ઘટના બની છે. અહીં વ્યવસ્થા એવી હતી કે પૈસાના આધારે. આખું સેન્ટર વેચાઈ ગયું. NEETનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું. આ સેન્ટરમાં 30 વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા આપવામાં આવી રહી હતી. અહીં માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા હતા.

હવે કોઈ પણ વિદ્યાર્થી પોતાનું રાજ્ય છોડીને ગુજરાતના ગોધરામાં આવેલા આ કેન્દ્ર પર જઈને પરીક્ષા શા માટે આપવા આવે ? જો ગોધરાના એક સેન્ટર પર આ સેટિંગ થઈ શકે, તો આ સેટિંગ દેશના કોઈ પણ સેન્ટરમાં થઈ શકે.આવા તો અસંખ્ય વ્યાજબી અને તાર્કિક સવાલો આ પરીક્ષાના આયોજન અને પરિણામ ઉપર ઉભા થઇ રહ્યા છે.

આ ઉપરાંત, NTA દ્વારા જેટલી પરીક્ષાઓ લેવાય છે એમાં પણ દર વર્ષે કઈ ને કઈ ગેરરીતિઓ સામે આવે જ છે. ટેકનીકલ એરર, છેલ્લી ઘડીએ પરીક્ષાનું સેંન્ટર બદલી નાખવું, પરીક્ષા અલગ વિષયની અને એમાં પેપર અલગ વિષયનું આવવું, વગેરે જેવી ગેરરીતિઓ હવે જગજાહેર છે જે બતાવે છે કે આટલી ગંભીર અને મોટી પરીક્ષાઓનું આયોજન કરવા માટે NTA સક્ષમ નથી.

અંકલેશ્વર અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર લોકોને બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ

0

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની બુમો ઉઠવા પામી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ નિકાલના ભૂતિયા કનેક્શન બાદ ગેસ ગળતરની અવાર નવાર ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે ગતરોજ મોડી રાતે અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં દોડધામ મચી જવા પામી હતી.

ગેસ ગળતરને પગલે લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠવા પામી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગ અને જીપીસીબીને થતાં બંને ટીમો સ્થળ પર દોડી આવી હતી અને ફાયર ફાયટરોએ ગેસ લીકેજ બંધ કરવાની તજવીજ હાથધરી હતી.જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.હાલમાં તો સલ્ફર ટ્રાયોકસાઈડ ગેસ SO3 લીક થયો હોવાનું પ્રાથમીક અનુમાન સેવાઈ રહ્યું છે.

error: Content is protected !!