The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 242

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021 થયો સમાપ્ત:યોજાયો સમાપન સમારોહ

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021નો ભવ્ય સમાપન સમારોહ 27મી ઓક્ટોબર, 2021 ના રોજ બપોરે 3:30 કલાકે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરિકે દુષ્યંતભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય-ભરૂચ અતિથિ વિશેષ તરીકે મારૂતિસિંહ અટોદરીયા – પ્રમુખ ભાજપ, ભરૂચ જીલ્લા અને બળદેવભાઈ પ્રજાપતિ – પ્રમુખ અખિલ ભારતીય કાર્ય સમિતિ લઘુ ઉદ્યોગ ભારતી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધર્મેશ મિસ્ત્રી, જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અને વિવિધ ઉદ્યોગો, DIA, દહેજ – SEZ સહિત ના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021 નું 25મી ઓક્ટોબર 2021 થી 27મી ઓક્ટોબર 2021 દરમિયાન દહેજ, ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઔદ્યોગિક એક્સ્પો દહેજ ઔદ્યોગિક વિસ્તાર મા આ પ્રકારનો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એકસપો હતો. દેશના વિવિધ ભાગોમાંથી લગભગ 450 સપ્લાયર્સ/વિક્રેતાઓએ આ એક્સ્પોમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિવિલ વિગેરે સેગમેન્ટ ના તેમના ઉત્પાદનો અને સાધનો નુ પ્રદર્શન કર્યુ હતુ. આ ઔદ્યોગિક એક્સ્પોને અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો અને દેશભરમાંથી 15,000 થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓએ આ એક્સ્પોની મુલાકાત લીધી હતી. આ એક્સ્પો દ્વારા વિવિધ સપ્લાયર્સ અને ખરીદદારો એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા અને તમામ હિતધારકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી. આ એક્સ્પોનું આયોજન દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એડી’સ પેજ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર દહેજ વિસ્તાર મા ફેલાયેલા વિવિધ ઉદ્યોગોની લાંબા સમયથી પડતર માંગણી હતી કે બિઝનેસમાં સરળતા માટે અને તેમના ડિમાન્ડ-સપ્લાય ઑપરેશન્સના લાંબા ગાળાના સોલ્યુશન માટે સપ્લાયર્સ અને ઉદ્યોગો ને એક મંચ પર લાવવા માટે આવા એક્સ્પોનું આયોજન કરવામાં આવે. આ એક્સ્પોની ભવ્ય સફળતાથી દહેજ-ભરૂચ વિસ્તાર ના હાલના તેમજ આવનારા ઉદ્યોગોને લાભ મળશે. આ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન રઘુનંદન ભદોરિયા અને ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.
•જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, ન્યુઝ લાઇન.ડીજીટલ,ભરૂચ

ભરૂચ સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ તથા નવા સ્મારક રાષ્ટ્રધ્વજનું કરાયું લોકાર્પણ

પશ્ચિમ રેલવ ના વડોદરા વિભાગના ભરૂચ રેલવે સ્ટેશન પર નવ વિસ્તરેલ ફુટ ઓવર બ્રિજ અને નવા સ્મારક રાષ્ટ્રધ્વજ નુ લોકાર્પણ ભરૂચના માનનીય સાંસદ મનસુખ વસાવા દ્વારા માનનીય ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા ડીઆરએમ અમિત ગુપ્તા અને ડીઆરયૂસીસી મેમ્બર જીતેન્દ્રસિંહ રાજપૂત સહિત અન્ય મહાનુભવો, નાગરીકો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ડો. જિનિયા ગુપ્તાએ જણાવ્યુ હતુ કે વડોદરાની બાજુ સ્થિત આ ફુટ ઓવર બ્રિજ પ્લેટફોર્મ એક, બે અને ત્રણ તથા ચાર અને પાંચને પશ્ચિમ વિસ્તારને રેમ્પની સુવિધા સાથે જોડે છે. જેને પરિભ્રમણ સાથે પૂર્વ વિસ્તાર સુધી લંબાવવામાં આવ્યો છે. જેના થી મુસાફરો સ્ટેશનના કોઇપણ પ્લેટફોર્મ પરથી સીધા જ પૂર્વ ઝોનના ફરતા વિસ્તારમાં પહોચી શકે છે.
આ ફુટ ઓવર બ્રિજ પર રેલવે દ્વારા ૧.૭૫ કરોડ રૂપિયાનો ખર્ચ થી વિસ્તારીકરણ કરવામાં આવ્યો છે. તે ૨૮.૬૦ મીટર લાબો અને ૩ મીટર પહોળો છે. માત્ર વરિષ્ઠ નાગરિકો જ નહી પરંતુ વિકલાંગ લોકોને પણ આ સુવિધાનો લાભ મળશે.
ભરૂચ સ્ટેશન ના પશ્ચિમ છેડે અને ફરતા વિસ્તારમાં સ્મારક ધ્વજ (મોન્યુમેન્ટ નેશનલ ફલેગ) સ્થાપિત કરવામાં આવ્યો છે. જે રેલવે સ્ટેશનની સુંદરતામાં વધારો કરશે તેમજ રેલવે મુસાફરોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીને પ્રોત્સાહન આપશે.
હાલમાં, ભારતીય રેલવે સ્ટેશનો પર અત્યાર સુધીમાં ૧૦૦ સ્મારક રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં તેને વડોદરા વિભાગના ૧૧ સ્ટેશનો પર સ્થાપિત કરવાનું આયોજન છે. જેમાથી વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નડિયાદ, ગોધરા, કેવડિયા, ચાપાનેર રોડ, ડેરોલ, ભરૂચ, ડાકોર તથા અલીરાજપુરમાંથી આ આઠમો સ્મારક રાષ્ટ્રધ્વજ છે જે ભરૂચમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તે ૧૦૦ ફુટની ઊંચાઇએ છે અને રાષ્ટ્રધ્વજ ૩૦ ફુટ લાંબો અને ૨૦ ફુટ પહોળો હશે. આના પર લગભગ રૂ।. ૧૦ લાખ ખાર્ચ આવ્યો છે.

શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ દ્વારા સરપંચ મંજુલાબેન વસાવાને પ્રશસ્તિપત્ર કરાયું એનાયત

શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ સમસ્ત કારોબારી દ્વારા સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાનું સમસ્ત ગામ શુકલતીર્થ અને ભરૂચ જિલ્લાનું કોરાના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રીમાળી બ્રાહમણ સમાજ વડોદરાના પ્રમુખ દુષ્યંત ઓઝા અને મંત્રી વિજયભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, શુકલતીર્થ – ભરૂચ જિલ્લાનું અહોભાગ્ય છે કે, સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાએ સમસ્ત ગામ શુકલતીર્થ અને ભરૂચ જિલ્લાનું કોરાના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી ગુજરાત સરકારની સુચના પ્રમાણે કરીને પ્રશસ્તિ બહુમાન મુખ્યમંત્રી દ્વારા મેળવ્યું છે. તે બદલ બરકાલ -શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ તેમજ સમસ્ત કારોબારી દ્વારા હર્ષોલ્લસાથી એમનું અભિવાદન કરીએ છીએ.
સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાનું સંસ્કારી અને ચેતા ભેખધારી પરીવારનું યોગદાન શુકલતીર્થ માટે અનન્ય રહયું છે. તે અમે ન બિરદાવીએ તો નગુણા કહેવાઈએ. સ્વ.શ્રી ચંદુભાઈ વસાવા દેશપ્રેમી હતા અને અમે સૌ એમની શહાદતને બિરદાવીએ છીએ. શુક્લતીર્થ આપનું આ રૂણ અવશ્ય સ્વીકારે છે. પ્રભુ આપને વધુ સક્ષમતા અર્પે એવી ભાવના પ્રગટ કરી હતી.
આ અભિવાદનમાં કમલેશભાઈ જયંતીલાલ ઘ્યાની શુકલતીર્થ અને દત્તુભાઈ ઓઝા, બરકાલ આપની સેવાની ખૂબ પ્રસંસા કરી અને તેમને ભાવિ સુખાકારી અને સેવા કૃપા પ્રાપ્ત થાય તેવી કામના કરી હતી.

ભરૂચ:CNG પંપ ઉપર ગેસ રિફીલીંગ દરમિયાન કારમાં થયો બ્લાસ્ટ

ભરૂચ નર્મદા ચોકડી સ્થીત સી.એન.જી પંપ ઉપર ગેસ રિફીલિંગ દરમિયાન એક કારમાં સી.એન.જી ટેન્ક બ્લાસ્ટ થતા કારના ફૂડચા ઉડી જવા પામ્યા હતા.જો કે આ ધટનામાં કોઇ આન હાની કે પંપ ઉપર અન્ય કોઇ નુકશાન નોંધાયું ન હતું.
ભરૂચ નર્મદા ચોકડી ઉપર આવેલ સી.એન.જી. પંપ ઉપર આજે સવારે હોન્ડાની કાર નં, GJ-01-RX-3964 ગેસ રિફીલીંગ કરાવવા આવી હતી.સી.એન.જી. સ્ટેશન ઉપર જયારે કારમાં ગેસ રીફીલીંગ કરાઇ રહ્યો હતો ત્યારે અચાનક જ કારમાં રહેલ સી.એન.જી. ટેન્ક અચાનક બ્લાસ્ટ થતાં કારના ફૂડચા ઉડી જવા પામ્યા હતા. જોકે ગેસ રિફીલીંગ દરમિયાન તકેદારી અને સાવચેતીને પગલે આ ઘટનામાં કોઇ જાનહાની નોંધાવા પામી ન હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
* અવી સૈયદ,ન્યુઝલાઇન, ભરૂચ

ભરૂચ મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરક જતી ખાનગી લકઝરી બસમાં લાગી આગ

અંકલેશ્વર નેશનલ હાઇવે પર મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરક જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ભરૂચ-અંકલેશ્વરના ત્રણથી વધુ ફાયર ટેન્ડરોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
સુરત ખાતેથી 50થી વધુ મુસાકરોને લઇ ખાનગી લકઝરી બસ અમરેલી તરક જઈ રહી હતી.તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ મુલદ ચોકડી પાસેથી જ્યારે બસ પસાર થઇ રહી હતી. ત્યારે બસમાં અચાનક જ આગ લાગતા ચાલકે સમય સુચકતા વાપરી બસ થંભાવી દીધી હતી.આ આગને પગલે મુસાકરોએ ગભરાઇને ચીચીયારીઓ મચાવી હતી.
જો કે આગને કારણે બસમાં સવાર તમામ મુસાકરો સમય સુચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા.આગ અંગે અંકલેશ્વર ડી.પી.એમ.સી. અને ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી અડધો કલાકમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આ આગની ઘટનામાં કોઇ પણ જાનહાની નહીં થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો. બસમાં લાગેલ આગને કારણે હાઇવે પર ટ્રાકિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંન્નિધ્યમાં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળો ના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે.

કચ્‍છના લખપતથી નીકળેલી બાઈક રેલી ભરૂચ પહોંચતા ઠેર-ઠેર રેલીનું ભવ્ય સ્વાગત કરાયું

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલી બાઇક રેલી આજે સોમવારે ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે રાજ્યના પોલીસ જવાનો દ્વારા લખપતથી કેવડીયા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાઇક રેલીમાં 25 બાઈક સવાર સાથે કુલ 75 પોલીસ કર્મીઓ જોડાયા છે. આ રેલી આજે સોમવારે ભરૂચના પાલેજ ખાતેથી પ્રવેશી હતી. જ્યાં તેનું સ્વાગત કાર્ય બાદ ભરૂચ શહેરમાં આવી પહોંચી હતી. ઝાડેશ્વર ખાતે સાઈ બાબાના મંદિર ખાતે ભવ્ય સ્વાગત બાદ આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જ્યાં પોલીસ જવાનોઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા જવાનો દ્વારા સ્ટેચ્યૂ પાર્ક ખાતે પણ તમામ પ્રતિમાઓને ફૂલહાર કરી સુતરની આંટી પહેરાવી હતી.
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે એક સંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઇન્ચાર્જ પોલીસ વડા વિકાસ સુંડા, કમાન્ડન્ટ હેતલ પટેલ, ડી.વાયા.એસ.પી. એમ.પી.ભોજાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ આ રેલી અંકલેશ્વર ખાતે રવાના થઇ હતી.

દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા ૧૪ શાળામાં ઉત્થાન પ્રોજેકટ શરૂ કરાયો

ઉત્થાન પ્રોજેક્ટથી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે
દહેજ અદાણી ફાઉન્ડેશન દ્ધારા પ્રાથમિક શિક્ષણમાં નબળા છાત્રો માટે ઉત્થાન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.વાગરા તાલુકાના ૧૨ ગામોની ૧૪ પ્રાથમિક શાળાઓને ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ આવરી લઈ કામગીરી હાથ ધરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.
દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શિક્ષણમાં નબળા વિધાર્થીઓ,જેને ઉત્થાન પ્રોજેક્ટમાં “પ્રિય વિધાર્થી” તરીકે સંબોધવામા આવે છે.તેના ઉપર વિશેષ ધ્યાન આપવા વાગરા તાલુકાના ૧૨ ગામોની કુલ ૧૪ પ્રાથમિક શાળાઓમા ઉત્થાન પ્રોજેક્ટ ની શરૂઆત કરવામા આવી રહી છે.આ પ્રોજેક્ટનો શુભારંભ તાજેતરમાં જ લખીગામ પ્રાથમિક શાળામાં યોજાએલ કાર્યક્રમ થી કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!