ભારત ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો ૧૨૬મો જન્મદિને સતત તેમના સમાધીસ્થળ અમદાવાદના અભયઘાટ ખાતે માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા પ્રાર્થના સભામાં સોમવારે હાજરી આપી હતી.

ભારત દેશમાં સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની આત્મકથામાં મેરાજીવન વૃતાંત ખુમાનસિંહ વાંસિયા માટે આદર્શરૂપ હોવાથી સતત 26 વર્ષથી આજે પણ તેમના જન્મદિન નિમિત્તે હાજરી આપતા હોય છે.

સોમવારે પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની ૧૨૬મો જન્મદિને તેમનું જીવન દિશારૂપ હોવાથી તેમને યાદ કરવું ખુબ જ જરૂરી છે.ભારત દેશના ભલે બે વર્ષ મોરારજીભાઈ વડાપ્રધાનપદે રહ્યા પણ તેમના કાર્યકાળમાં વડાપ્રધાન તરીકે શ્રેષ્ઠત્તમ સાબિત થયા હતા.સોમવારે મોરારજીભાઈ દેસાઈના જન્મદિને સમાધી સ્થળ અભયઘાટ ખાતે ભરૂચથી માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા વહેલી સવારે પ્રાર્થના સભામાં આવ્યા હતા.મોરારજીભાઈનું જીવન તેમના માટે આદર્શરૂપ હોવાથી છેલ્લા 26 વર્ષથી સળંગ નિયમિત સમાધી સ્થળે આવે છે.

ઉલ્લેખનીય બાબતએ છે કે માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા જન્મદિને મોરારજીભાઈ દેસાઈ સાથેના જુના સંસ્મરણો તાજા થતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here