The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 199

ભરૂચ-અંકલેશ્વરના વિવિધ વિસ્તારોને કૉવીડ-૧૯ Containment Area જાહેર કરાયા

ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.૨૧/૧૨/ર૦ર૧ તથા તા.૨૭/૧૨/૨૦૨૧ થી કોરોનાના સંકમણને રોકવા અધ્યતન સુચનાઓ આપવામાં આવેલ છે. ગૃહ વિભાગના તા.૭/૧/ર૦રર ના હુકમથી નોવેલ કોરોના વાયરસના સંકમણને અટકાવવા જરૂરી નિયંત્રણો મુકવા આવશ્યક પગલાંઓ લેવા જણાવવામાં આવતાં અને ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ હોય, આ વાયરસનો વધુ ફેલાવતો અટકાવવા મારે તકેદારીના પગલારૂપે લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાતા

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલ ભરૂચ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-ર૬(ર) મુજ્બ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ક્લમ-ર અન્વયે મને મળેલ સત્તાની રૂએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ ભરૂચ-અંકલેશ્વરના વિવિધ વિસ્તારોને કૉવીડ-૧૯ Containment Area તરીકે જાહેર કરાયા છે.

જેમાં
•ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં મંગલ દર્શન સોસાયટીના મકાન નં.૩૯નો વિસ્તાર,આર.કે. કાઉન્ટ્રીના w/1/1/22 થી w/1/1/24નો વિસ્તાર,રંગ ટાઉનશીપના મકાન નં. ૧૭૫થી ૧૮૦ સુધીનો વિસ્તાર

•ભોલાવના અવધુત-2માં મકાન નં. એ-૬૦ થી એ-૭૧ સુધીનો વિસ્તાર,સોમેશ્વર બંગ્લોઝમાં મકાન નં. બી-૪૫ થી મકાન નંબર. બી- ૫૩નો વિસ્તાર,પાવન પુરી સોસાયટીમાં મકાન નં એ-૫ થી એ-૧૪નો વિસ્તાર,આર.કે.હેબીટેટના બ્લોક બી ત્રીજા માળનો તમામ વિસ્તાર

•ભરૂચ શહેરના વોર્ડનં.૩માં બી-૧૨ ભારતી રો-હાઉસનો વિસ્તાર, ઘર નં. ૧૯ કલ્પતરૂ સોસાયટીનો વિસ્તાર

•ભરૂચના વોર્ડ નં. ૪માં ડી/૧/૮ ન્યાયાધીશ નિવાસ કલેકટર ઓફીસ સામેનો વિસ્તાર,ઘર નં. ૨૯૭૭ અયોધ્યા નગર સોસાયટીનો વિસ્તાર

•ભરૂચના વોર્ડ નં. ૫માં ૧૧ સત્યમ સોસાયટી, આંગન ફ્લેટ કસકનો વિસ્તાર, ઘર નં. એ-૮ પ્રીતમ-૨ સોસાયટીનો વિસ્તાર, ઘર નં. એ-૧૯ પુષ્પમ બંગ્લોઝનો વિસ્તાર,ઘર નં-૬ મહાદેવ નગર સોસાયટી,જેપી કોલેજ સામેનો વિસ્તાર,ઘર નં. ૩૮ વૈકુંઠ સોસાયટીનો વિસ્તાર

•ભરૂચના વોર્ડ નં. ૭માં ઘર નં. ૫૬૪ ધોળીકુઇનો વિસ્તાર

•અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં શાંતિવિલા રેસીડન્સી મકાન નં.૫ થી ૭, સીટી સેન્ટર, કેન્ડલ લકઝીરીયા રેસીડન્સી મકાન નં.બી-૪૦૧ થી બી-૪૦૪ , પ્લોટ નં.૮૪, જી.આઇ.ડી.સી.યુ.પી.એલ.કોલોની પાસે, રીધ્ધી રેસીડન્સી મકાન નં.૩૦૨ થી ૩૦૩, માતૃકૃપા બંગલોઝ, પ્લોટ નં.૩૦/૮/૩, સાંઇનાથ સોસાયટી, મકાન નં. એકસ-૫૮ થી એકસ -૬૦ સુધી.

•અંકલેશ્વર શહેરના ર્વોર્ડ નં. ૧ની ધનલક્ષ્મી સોસાયટી મકાન નં.સી-૫૭ થી સી-૬૨ સુધી.

•વોર્ડ નં.૨,ગજાનંદ સોસાયટી મકાન નં.૨૪ થી ૨૭

•વોર્ડ નં.૩ની આદર્શ સોસાયટી મકાન નં.૩૧ થી ૩૩ સુધી

•અંકલેશ્વરના કોસમડીની અંબેગ્રીન સોસાયટી, એ-૨૯ થી એ-૩૮, મુસા ઇબ્રાહીમ પટેલ થી જાવુદ્દીન ઇસ્માઇલ પટેલના ઘર સુધી

•અંકલેશ્વરના જીતાલીમાં ગાર્ડનસીટીના ડી/૩/૬૦ થી ડી/૩/૬૪ સુધી અને ડી/૩/૭૭ થી ડી/૩/૮૨ સુધીનો વિસ્તાર

•અંકલેશ્વરના ભડકોદ્રાના પટેલ પાર્કમાં મકાન. નં. એ-૧ થી એ-૧૦ સુધીના વિસ્તારોને કૉવીડ-૧૯ Containment Area તરીકે જાહેર કરાયા છે.

ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ આપવાનો કરાયો પ્રારંભ

સમગ્ર રાજયમાં ફન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને કોરોના વેકિસનનો પ્રિક્રોશન ડોઝ આપવાનો રાજયવ્યાપી આજથી શુભારંભ કરાયો છે.

ભરૂચ જિલ્લામાં ૨૫૦૦૦ પ્રિકોશન ડોઝના લાભાર્થીઓ, ૧૫-૧૮ વર્ષની ઉંમરના ૧૨૦૧૫ લાભાર્થીઓ, તથા ૧૮ થી વધુ ઉંમરના બીજા ડોઝના બાકી લાભાર્થીને ૨૨૦૨૫નું રસીકરણ જે નિયત થયેલ ૨૨૫ વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેકસીનની રસી જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે આજે જિલ્લામાં ૨૨૫ વેકસીન સેન્ટર પરથી તા.૧૦/૦૧/૨૦૨૨ને બપોરે ૦૪:૩૦ વાગ્યા સુધીમાં ફન્ટલાઇન વર્કર-૧૩૯૪, હેલ્થ વર્કર-૧૪૪૯ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારી ધરાવતા વ્યસકો-૧૩૪૧ મળી કુલ ૪૧૮૪ લોકોએ કોરોના વેકસીન પિક્રોશન ડોઝનો લાભ લીધો હતો.

ભરૂચ: નંદેલાવ ગામના ૩૦ જેટલાં લાભાર્થીઓને રેશનકાર્ડનું કરાયું વિતરણ

•નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે કરાયું વિતરણ

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામના ૩૦ જેટલાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને રેશનકાર્ડ(NFSA)નું વિતરણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના સદસ્યો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજપારડી: રૂપિયા ૨૦,૫૦૦ની લૂંટનો ભેદ ઉકેલાયો,૧ ઝડપાયો, બે ફરાર

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વણઉકલ્યા ગુનાઓ ઉકેલવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજપારડી પોલીસ મથકમાં ગત તા .૧૩ મી ડિસેમ્બર ના રોજ ફરીયાદી પોતાની બાઇક લઇને રાજપારડીથી અંક્લેશ્વર જવા માટે નિકળેલા હતા,દરમિયાન સદર કામના આરોપીઓએ ફરીયાદીના મોબાઈલ ઉપર જણાવેલ કે હું મનુભાઈ બોલુ છું અને મારે ખુરશીઓ વેચાતી જોઈએ છે. તમે અવિધા જવાના રોડ ઉપર આવો હું તમને રસ્તામાં મળીશ. ત્યારબાદ આરોપીઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને ફરીયાદીની મોટર સાયકલ ઉભી રખાવી હતી.

બાદમાં ફરીયાદીને મોઢાના ભાગે લાફો મારી પૈસા આપ નહીતર બહુત માર પડેગા, એમ જણાવ્યુ હતું.અને બીજાને કહેલ કે ચપ્પુ નિકાલ ઓર ઉસકો માર ,આ જોઇને ફરીયાદી ઇસમે ગાડી ઉભી રાખી પોતાની મોટર સાયકલની ચાવી સાઈડમાં ફેકી દઈ સીમોદરા ગામના રોડ તરફ ભાગવા લાગ્યા હતા. ફરીયાદીની પાછળ દોડીને આરોપીઓેએ તેમને પકડીને માર માર્યો હતો. તેમજ રોકડા રૂપીયા તથા મોબાઇલ મળીને કુલ રૂ .૨૦,૫૦૦ / -ની લુટ કરી નાશી છુટ્યા હતા.

લુંટનો ભોગ બનનારની ફરીયાદના આધારે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોબાઇલ પોકેટકોપ તેમજ ઇ ગુજકોપની મદદથી સદર આરોપીઓની મોટરસાયકલના નંબર મુજબ તપાસ કરીને ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં લૂંટના ગુનાને અંજામ આપનાર વર્ણનવાળા ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવેલ. મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબરના આધારે લૂંટનો ગુનો કરનારા ઇસમો રામપરા ( જબુગામ ) તા.વાલીયા વિસ્તારમાં રહેતા હોવાની જાણ થઇ હતી. આરોપી ચિરાગભાઇ ગણપતભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયા જી , ભરૂચના પોતાના ઘરે આવેલ હોવાની બાતમી મળતા રાત્રીના સમયે છાપો મારી તેને પોતાના ઘરેથી ઝડપી લીધો હતો. લૂંટના મુદ્દામાલ અંગે કડકાઇથી પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરી હતી. આ ગુના બાબતે અન્ય આરોપીઓ ધર્મેશભાઇ દિનેશભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયા અને દિપેશભાઇ દિનેશભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયાનાને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

આમોદ: કોરોનામાં મરણ ગયેલાને ૪લાખના વાળતર ની માંગ સાથે કોંગ્રેસે આપ્યું આવેદન

આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે તેમજ કાર્યકર્તાઓએ આજ રોજ આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપી કોરોના મૃતકના પરિવારજનોને સરકાર દ્વારા ચાર લાખની સહાય ચૂકવે તેવી માંગણી કરી હતી.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં ગુજરાત સરકારના બેદરકારી અને અણઘડ વહીવટને કારણે હોસ્પિટલમાં બેડ,દવાઓ,ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે ગુજરાતમાં ત્રણ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતાં.ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારના નામે લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી.સરકાર દ્વારા મોતના આંકડા છુપાવી મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી.ત્યારે આમોદ શહેર કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯ થી અવસાન પામેલા દરેક મૃતકના પરિવાર માટે ચાર લાખના વળતરની માંગણી કરવામાં આવી હતી.તેમજ ભાજપ સરકાર દ્વારા પશુ તેમજ માનવી માટે ૫૦,૦૦૦ વળતરના એકસમાન ધારાધોરણ જાહેર કરી અસંવેદનશીલ હોવાનું પુરવાર કરી માનવજાતની પણ ક્રુર મજાક કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ મજીદ પટેલઉર્ફે બાબુભાઇ બરફવાલા,સાજીદ રાણા,સલીમ રાણા,હીરાભાઈ સોલંકી,ત્રિભોવન સોલંકી,અરવિંદ સોલંકી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતાં.

ભરૂચ: મહિલા તલાટીને ફરજ દરમિયાન કચેરીમાં જ હૂમલો કરી મારમારવા મામલે અપાયું આવેદન

ભરૂચના મનુબર ખાતે ગ્રામપંચાયત કચેરીમાં જ મહિલા તલાટી ઉપર કેટલાક ઇસમો દ્વારા હૂમલો કરી મારમારવા મામલે ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તથા ડીએસપીને આવેદન પાઠવાયું હતું.

આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ભરૂચ તાલુકાના મનુબર ગામપંચાયતમા ફરજ બજાવતા મહિલા તલાટીને ફરજ દરમિયાન ગામપંચાયત મનુબર કચેરીમાં ઈસમો દ્વારા હૂમલો કરી માર મારવાના ના બનાવમાં ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા હુમલો કરનાર ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને ફરી થી આ પ્રકાર ની ઘટના નુ પુનરાવર્તન ન થાય તે માટે સરકારી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર તથા ડીએસપીને આવેદનપત્ર ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી હતી.

ભરૂચ: જલારામ સિઝનલ સ્ટોલમાંથી ચાઇનીઝ દોરીનો વેપલો કરતો ૧ ઝડપાયો

•શક્તિનાથ સર્કલ ખાતેથી પ્રતિબંધીત ચાઇનીજ દોરીનું વેચાણ કરતા ઇસમને પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ

આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન “સ્કાય લેન્ડર્સ”(ચાઇનીઝ તુક્કલ) તેમજ સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ (ઝેરી તત્વો) અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે ચાઈનીઝ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય, જે બાબતે આવા નુકશાન કારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું કલેક્ટર કચેરી થી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
જે જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાં તરફથી સુચના મળતા ભરૂચ વિભાગ, મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ના માર્ગદર્શન આધારે, પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ મથક તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન ચોક્કસ બાતમી મળેલ કે શક્તિનાથ સર્કલ ખાતે આવેલ જલારામ સીઝનલ પતંગ સ્ટોરમાં રૂપેશભાઈ રાજુભાઈ કાયસ્થ ઉ.વ ૩૪ ધંધો-વેપાર રહે. બી/૬૩, સ્વતીક સોસાયટી, જે.બી.મોદી પાર્ક સામે તા.જી ભરૂચ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય,

જે આધારે જલારામ સીઝનલ સ્ટોલ ખાતે તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફિરકા નંગ-૧૧ મળી આવેલ જે દરેકની અંદાજીત કીંમત રૂ.૨૫૦/- લેખે કુલ કિંમત રૂ.૨૭૫૦/- નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ખાતે કલમ. ૧૮૮ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમા ભરૂચ શહેર “એ” ડોવી. પો.સ્ટે. આવી પ્રતિબંધીત વસ્તુઓના વેચાણ તથા ઉપયોગ કરતાઓને શોધી કાઢવા કટીબધ્ધ બની છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ કરવા સાથે અંકલેશ્વરમાં ત્રિદિવસીય AIA ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનો પ્રારંભ

વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે, વડાપ્રધાનએ શરૂ કરેલા વાયબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતના વ્યવસાય – વેપારને નવી દિશા મળી છે તેમ રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે અંકલેશ્વર ખાતે 12 માં એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદધાટન કરતાં જણાવ્યું હતું.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ધ્વારા આયોજિત 12મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો 2022 ના ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલ , અંકલેશ્વર – હાંસોટના ધારાસભ્ય ઇશ્વર પટેલ, AIA પ્રમુખ રમેશ ગાભાણી, પ્રવીણ તેરૈયા સહિતના ઉપસ્થિત રહયા હતા. મંત્રી જગદીશ પંચાલે ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશન રિબીન કાપીને ખુલ્લું મૂકયા બાદ એકસ્પો પ્રદર્શનને રસપૂર્વક નિહાળયું હતું.

એક તરફ વધતા જતા કોરોના ઓમિક્રોન ના પગલે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ રદ્દ જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ સરકારના જ મંત્રીના હસ્તે અંકલેશ્વર ખાતે AIA આયોજીત ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો આરંભ કરવામાં આવ્યો છે.જેમાં સોશ્યલ ડિસ્ટન્સ ની વાત તો દૂર પરંતુ ભાજપના નેતાઓ સહિત ઉદ્યોગપતિઓ પણ વગર માસ્કે જોવા મળ્યા હતા.વળી આ 3 દિવસ ચાલનાર એક્સપોમાં કોરોના સંક્રમણ રહિત રહેશે કે પછી વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતનું ગ્રોથ એન્જીન બનેલ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2022 ગુજરાતના કેસોમાં વધારો કરવાની સિદ્ધિ હાંસલ કરશે તે તો આવનારા દિવસોજ બતાવશે.પરંતુ હાલ તો માસ્ક વિના પણ સામાન્ય માણસ જ દંડાતો જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉપર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, ૩નાં મોત

• કન્ટેનરનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો

અંકલેશ્વર ખાતે આવેલી રાજપીપળા ચોકડી હાઈવે ઉપરના ફ્લાય ઓવરબ્રિજ પર કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારની બે મહિલા અને ૧ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં એક જ પરિવારના ૩ સદસ્યોના મોતના પગલે ગમગીની છવાઇ હતી. આ ઘટનામાં ઘટના બાદ કન્ટેનરનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની શાંતિ તીર્થ સોસાયટીમાં રહેતો અખિલેશ સિંઘ ઉ.વર્ષ તેની ભાભી પ્રિયંકા અજીત સિંઘ અને ભાભીની પિતરાઈ બહેન નિધિ વિલાસ ચૌધરીને બાઇક નંબર જીજે ૧૬.એ.સી.૧૩૮૦ ઉપર બેસાડી કીમ કોઠવા દરગાહ ખાતે ગયો હતો. જયાંથી પરત આવતી વેળા રાજપીપળા ચોકડી પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેનર નંબર – એ.પી.૧૨.એચ.૯૨૭૭ના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ઉપર સવાર ત્રણેય નીચે પટકાયા હતા.

નીચે પટકાયેલા બાઈકસવારો ઉપરથી કન્ટેનર ફરી વળતાં ત્રણેય કચડાઈ જવા પામ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં દિયર-ભાભી સહીત ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. અકસ્માત અંગેની જાણ શહેર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

ભરૂચ : બાઇક ઉપર હથિયારો સાથે સ્ટન્ટ કરી ભય ફેલાવનાર ૪ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન મુજબ તા- ૦૪/૦૧/ર૦રર ના રોજ ભરૂચ જીલ્લામાં હાથમાં ધારીયા જેવા પ્રાણઘાતક હથિયારો લઈ મોટર સાયકલો ઉપર જાહેરમાં યુવાનોએ કેબલ બ્રીજ ઉપર સ્ટન્ટ કર્યા અંગેનો વિડીયો વાયરલ થયો હતો.

જે વાયરલ વિડીયોના આધારે ભરૂચ જીલ્લાના પોલીસ માણસોની ટીમો બનાવી સ્ટન્ટ કરનાર ચારેવ ઇસમો અસ્ફાક યાકુબ માલા રહે- સીતપોણ લીમડી ચોક સ્ટ્રીટ તા.જી.ભરૂચ, ડે્‌યાઝ હનીફ સીંધી રહે- કંબોલી નવી નગરી તા.જી. ભરૂચ, મુબારક સફીક સીંધી રહે- કંબોલી નવી નગરી તા.જી. ભરૂચના તથા ઇર્ષાદ જુસબ સિંધી હાલ રહે- વરેડીયા કાસીમ પાર્ક તા.જી.ભરૂચ મુળ રહે- સુરા સામળ તા. કરજણ જી. વડોદરાને બે બાઇક તથા હાથમાં ધારણ કરેલ ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા તમામને નસીયત કરવામાં આવે છે કે, જો કોઇ પણ ઇસમ દ્વારા આ રીતે જાહેરમાં હથિયારો ધારણ કરી લોકોમાં ભય ફેલાય તેવુ કૃત્ય કરવામાં આવશે તો તેઓના વિરૂધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેની નોધ લેવા પણ જનતાને જણાવાયું છે.

error: Content is protected !!