The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized અંકલેશ્વર: રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉપર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, ૩નાં મોત

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉપર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, ૩નાં મોત

0

• કન્ટેનરનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો

અંકલેશ્વર ખાતે આવેલી રાજપીપળા ચોકડી હાઈવે ઉપરના ફ્લાય ઓવરબ્રિજ પર કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારની બે મહિલા અને ૧ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં એક જ પરિવારના ૩ સદસ્યોના મોતના પગલે ગમગીની છવાઇ હતી. આ ઘટનામાં ઘટના બાદ કન્ટેનરનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની શાંતિ તીર્થ સોસાયટીમાં રહેતો અખિલેશ સિંઘ ઉ.વર્ષ તેની ભાભી પ્રિયંકા અજીત સિંઘ અને ભાભીની પિતરાઈ બહેન નિધિ વિલાસ ચૌધરીને બાઇક નંબર જીજે ૧૬.એ.સી.૧૩૮૦ ઉપર બેસાડી કીમ કોઠવા દરગાહ ખાતે ગયો હતો. જયાંથી પરત આવતી વેળા રાજપીપળા ચોકડી પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેનર નંબર – એ.પી.૧૨.એચ.૯૨૭૭ના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ઉપર સવાર ત્રણેય નીચે પટકાયા હતા.

નીચે પટકાયેલા બાઈકસવારો ઉપરથી કન્ટેનર ફરી વળતાં ત્રણેય કચડાઈ જવા પામ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં દિયર-ભાભી સહીત ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. અકસ્માત અંગેની જાણ શહેર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!