The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 198

ઝઘડીયા : નર્મદા ક્લિનટેક લીમી.કંપનીમાંથી સળીયા અને પાવર કેબલ મળી રૂ. ૯,૮૬,૫૯૩/-ની ચોરી

ઝધડીયા જી.આઇ.ડી.સીની નર્મદા ક્લિનટેક લીમીટેડ કંપનીમાંથી લોખંડના સળીયા અને પાવર કેબલ મળી કુલ રૂપિયા ૯,૮૬,૫૯૩/-ની ચોરી થયાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ઝઘડીયા જી.આઈ.ડી.સી પ્લોટ નંબર ૯૦૪/૧ માં આવેલ નર્મદા ક્લિનટેક લીમી.કંપનીમાં ફરીયાદીની ઇફવા ઇન્ફ્રા એન્ડ રિસર્ચ પ્રા.લીમી. નામની કંપની દ્વારા બાંધકામનો કૉન્ટ્રાકટ આપવામાં આવેલ હોય બાંધકામને લગતો સામાન સળિયા- પાવર કેબલ ડ્રમો ખુલ્લા પ્લોટમાં મુકેલા હતા. તે જગ્યાએ થી તા.૦૫/૦૧/ર૦ર૨૨ થી તા.૦૬/૦૧/૨૦૨૨ દરમ્યાન કોઇચોર ઇસમોએ કંપનીના કંમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ત્યાંથી પાવર કેબલ ડ્રમ અને બાંધકામ માટે રખાયેલા લોખંડના સળીયાની ચોરી કરાયાની પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે.

જે અંગે ઝધડીયા પોલીસ મથકમાં નર્મદા ક્લિન્ટેક લીમીટેડ વૉટર પ્યુરિફાઇ પ્લાન્ટના આસિસ્ટન્ટ મેનેજર ચંન્દ્રકાન્ત મહાજને કંપની કંમ્પાઉન્ડમાંથી પાવર કેબલ જેની લંબાઇ ૧૪રપ મીટર જેની કિં,રૂ,૪,૮૬,૫૯૩/- તથા લોખંડના સળિયા આશરે ૫,૪૯૫ મેટ્રિક ટન જેની આશરે કિં.3. ૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે- ૯,૮૬,૫૯૩/-ની ચોરી થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથધરી છે.

અંકલેશ્વર : પાનોલી મહનસરીયા કંપનીમાં થયેલ રૂ.૫.૭૩ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

પાનોલી જીઆઇડીસીમાં મહનસરીયા ટાર્યર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલી ૫.૭૩ લાખની ચોરીનો ભેદ તાલુકા પોલીસ ને ઉકેલવામાં સફળતા મળી હતી. બે દિવસ પૂર્વે પાનોલી બ્રિજ ની પ્લેટ ચોરી માં ઝડપાયેલ ભંગાર ચોરો એ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ૫,૭૩ લાખ રૂપિયાની ચોરી નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે રાજપીપળા ચોકડી પર આવેલ ઝુબેરનગર ભંગારના ગોડાઉન માંથી છુપાવેલો ચોરી સરસામાન રિકવર કર્યો હતો.

અંકલેશ્વર માં સંજાલી નવ નિર્માણ પામી રહેલા બ્રિજ સાઈડ પર થી ૨૦ હજાર રૂપિયા ની પ્લેટ ચોરી માં રાજપીપલા ચોકડી ઝુબેર નગર ખાતે ભંગાર ચોર સુનિલ કુમાર નારાયણ સહાની તેમજ સરદાર પાર્ક ખાતે આવેલ શાંતિ તીર્થ સોસાયટી ખાતે રહેતા અજયપાલ સીંગ દીપચંદ્ર ગુર્જર ની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા મહનસરીયા ટાર્યર પ્રાઇવેટ લિમિટેડ કંપની કરેલ ચોરીની કબૂલાત કરી હતી.

પોલીસે વધુ સઘન પૂછપરછ કરતા તેઓ ચોરી ની વિવિધ ૧૬ જેટલી આઈટમ મળી કુલ ૫.૭૩.૩૭૨ રૂપિયા નો મુદ્દામાલ ઝુબેરનગર ભંગારના ગોડાઉન પાછળ છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગોડાઉન માં સર્ચ કરતા ચોરી નો નો સર સમાન મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકે લઇ આવી હતી અને અન્ય ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ હાથધરી હતી.

રાજપારડી: વિવિધ વિસ્તારોમાંથી અંદાજે રૂ.૨૦ લાખની વીજચોરી ઝડપાઇ

ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મંગળવારે સાંજના સમયે વીજ કંપનીની ગુજરાત રાજ્યની જી.યુ.વી.એન.એલની વિજીલન્સની ટીમોએ ચેકિંગ હાથધરી કેટલાક ગેરકાયદેસરના જોડાણોમાંથી અંદાજે રૂ.૨૦ લાખની વીજચોરી ઝડપી પાડી છે.જેના પગલે વિજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

રાજપારડીના વિવિધ નવા નવા પ્રકારે વીજચોરી કરતા ગ્રાહકોના કેબલો,લંગરીયાઓની સામગ્રી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી છે. રાજપારડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક વિજ જોડાણોમાં વિવિધ પ્રકારની નવીનવી તરકીબો વાપરી વીજચોરી કરાતી હોવાનુ વીજ ચેકિંગની ટીમને દેખાઇ આવ્યુ હતું.

જી.યુ.વી.એન.એલ.ની ટીમો દ્વારા વીજચોરી કરતા ગ્રાહકોને અંદાજે ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવા આવ્યો હતો ગુજરાત રાજ્યની જી.યુ.વી.એન.એલ.ની ટીમોએ મંગળાવરે સાંજે આકસ્મિક પોલીસ કાફલાના બંદોબસ્ત સાથે વિજ ચેકિંગ હાથ ધરતા વિજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ભરૂચ : ધારાસભ્ય દુષ્યંત પટેલ આવ્યા શ્રમજીવી ગરીબ પરિવારની દીકરીની વ્હારે

•કમરના મણકાની સર્જરી માટે આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ કઢાવી આપી ઓપરેશન માટે કરી વ્યવસ્થા

ભરૂચમાં મજૂરી કરી પેટયું રળતા દેવીપૂજક પરિવારની ૬ વર્ષીય દીકરી ૩ મહિના પહેલા પડી જતા કમરના ભાગે ઇજા થતાં મણકામાં ગંભીર નુકશાન થયું હતું. જેના કારણે અસહ્ય વેદના સાથે બાળકીનું હલનચલન અને રોજિંદી જીવનક્રિયા કરવામાં પણ અસમર્થતા આવી ગઈ હતી.

ત્રણ સંતાનના ગરીબ પિતાએ પોતાની મોટી દીકરીની સારવાર માટે ભરૂચથી લઈ અમદાવાદ સિવિલ સુધી ધક્કાખાવા છતાં નિદાન અને સારવાર થઈ શકી ન હતી. અંતે વિધાન સભાના ઉપદંડક અને ભરૂચના ધારાસભ્યના ધ્યાને આવતા તેઓએ જરૂરી તમામ કાર્યવાહી કરાવી આપી સ્પાઇન સર્જન પાસે આયુષ્યમાન કાર્ડ હેઠળ દીકરીના ઓપરેશનની વ્યવસ્થા તાત્કાલિક ઉપલબ્ધ કરાવી છે.

ભરૂચમાં ગરીબ પરિવારની ૬ વર્ષની દીકરીની વહારે આવી ધારાસભ્ય દુષ્યંત પટેલે મણકાની સર્જરીની વ્યવસ્થા કરી આપી છે. ભરૂચ શહેરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લાખા દેવીપૂજક મજૂરી કામ કરે છે. તેઓને 3 સંતાનો છે. જેમાં સૌથી મોટી દીકરી ૬ વર્ષની પ્રિયંકા 3 મહિના પહેલા પડી જતા કમરના મણકામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તે પોતાની રોજિંદી ક્રિયા કરવા કે હલનચલનમાં અસ્વસ્થ બની હતી.

ભરૂચથી અમદાવાદ સિવિલ સુધી અને અન્ય હોસ્પિટલોમાં નિદાન કરાવવા છતાં પુત્રીની પીડા દૂર થઈ ન હતી. આર્થિક રીતે પણ દોડી દોડીને પડી ભાંગેલા પરિવારે અંતે ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો.

ધારાસભ્ય દુષ્યંત પટેલને સમગ્ર સ્થિતિથી વાકેફ કરાતા તેઓએ તાત્કાલિક દીકરીનું નામ રેશન કાર્ડમાં ઉમેરાવી, આવકનો દાખલો અને આયુષ્યમાન કઢાવી આપ્યું હતું. બાળકીના રિપોર્ટ વડોદરાના નિષ્ણાંત સ્પાઇન સર્જનને બતાવી હવે આ ગરીબ બાળકીને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવવા સર્જરીની તજવીજ હાથ ધરવામાં આવનાર છે. ઓપરેશન બાદ મણકામાં ઇજાના કારણે સર્જાયેલી ખામી દૂર કરાતા પ્રિયંકા પેહલાની જેમ હરી ફરી શકવા સાથે પોતાની રોજિંદી કામગીરી કરી શકશે.

રાજપારડીમાં પતંગના દોરાથી બચવા પોલીસે બાઇક ચાલકોને ગાર્ડનું કરાયું વિતરણ

•રાજપારડી પોલીસે કુલ ૨૦૦ સુરક્ષા ગાર્ડ બાઇક ચાલકોને આપી લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો

•પી.એસ.આઇ.એ બાઇક ચાલકોને ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જાગૃત કર્યા

ભરૂચ શહેર ખાતે થોડા દિવસો પેહલા પતંગના દોરાથી એક મહિલાનુ ગળુ કપાઇ જતા કરૂણ મોત નિપજ્યુ હતુ ત્યારબાદ ભરૂચ જીલ્લામાં અન્ય બે બાઇક ચાલકોને પતંગના દોરાથી ગંભીર ઇજાઓ પહોચવાના બનાવો બનતા પોલીસ સતર્ક બની હતી અને લોકોની સલામતી અને સુરક્ષા વધારવા તાકીદે બાઇક ચાલકોને એલ્યુમિનિયમ તાર વડે બનેલા સુરક્ષા ગાર્ડનુ વિતરણ કર્યુ હતું.

રાજપારડી પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. જયદિપસિંહ જાદવે બાઇક ચાલકોને ઉત્તરાયના તહેવાર દરમિયાન બાઇકો ધીમે હંકારવી,બને ત્યા સુધી નાના બાળકો આગળ બેસાડવા નહિ,પતંગનો દોરો જો બાઇક હંકારતી વખતે આગળ આવેતો બાઇક ઉભી રાખી દોરો તોડીનેજ આગળ વધવુ જોઇએ જેથી પાછળ આવતા અન્ય બાઇકો ચાલકોને કોઇ નુકશાન ના થાય.

તેમજ ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન પ્રતિબંધિત દોરા નહિ ખરીદવા,તેમજ કોરોના મહામારીને ધ્યાને રાખી તમામ લોકોએ માસ્ક,સામાજિક અંતર,સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. પતંગના દોરાથી બચવા રાજપારડી પોલીસે સેફ્ટી ગાર્ડ આપતા બાઇક ચાલકોએ ખુશી વ્યકત કરી હતી અને પોલીસનો આભાર માન્યો હતો.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

ભરૂચ: વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામી વિવેકાનંદની ૧૫૯ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ માં પ્રાથમિક વિભાગમાં સ્વામી વિવેકાનંદની ૧૫૯મી જન્મ જયંતીનિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.

જેમાં વિદ્યાર્થીઓએ સ્વામીજીના બાળપણના પ્રસંગો યુવા અવસ્થા ના પ્રસંગો તથા તેમના જીવન પ્રસંગો નો ચાર્ટ બનાવી તેમાં ખુબ સુંદર વર્ણન કર્યું તથા વિદ્યાર્થીઓએ વિવેકાનંદના જીવન પ્રસંગોની પોતાની આગવી વાક્છટા દ્વારા પોતાની વાણીમાં ખૂબ સારી રીતે વર્ણન કરી આપી.

આ પ્રસંગે શાળાના શિક્ષેકા વર્ષાબેન પટેલ દ્વારા પણ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ વિશે વચ્યુંઅલ માધ્યમ દ્વારા આપવામાં આવી શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને યુવાદિન નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી.

ભરૂચ : ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પાલિકા પ્રમુખે કરી પ્રજાજોગ અપીલ

ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી પાલિકાની હદમાં આવતા તમામ વિજ પોલ ઉપર બાઇન્ડીંગ વાયરો લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. સાથે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ પ્રજાની સલામતીની ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે બને ત્યાં સુધી ઉત્તરાયણ દરમિયાન મોપેડ અને ફોનનો ઉપયોગ ન કરવા સુચવ્યું હતું. સાથે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ થોડા દિવસ પૂર્વે દોરી વડે ગળુ કપાવાથી એક મહિલાના મોત અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું સાથે પ્રજાને નમ્ર અપીલ કરી હતી કે બને ત્યાં સુધી તમામ સેફ્ટીનું ધ્યાન રાખી વાહન ચલાવે.

વાગરા ભારતીય કિસાન સંઘે ખેડૂતોની સમસ્યાઓ ના નિરાકરણ મામલે રાજ્યપાલ ને સંબોધી આવેદન પાઠવ્યું

• વાગરા તાલુકામાં ખેતીમાં કુદરતી અને માનવસર્જિત થયેલ નુકશાની વળતર ચૂકવે સરકાર

•ઔદ્યોગિક પ્રદુષણનો કાયમી નિકાલ ઝંખતા ખેડૂતો

•વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું રજીસ્ટ્રેશન ચાલુ કરી ખરીદી કરવા ની માંગ

વાગરા તાલુકા ના ખેડૂતો ખેતીની સમસ્યાઓના કાયમી નિકાલ અર્થે ભારતીય કિસાન સંઘ ના ધ્વાર ખટખટાવ્યા છે.કિસાન સંગઠને રાજ્યપાલ મહોદય ને સંબોધી ખેડૂતો ના પ્રશ્નો ને વાંચા આપતુ આવેદન વાગરા મામલતદાર ને પાઠવ્યુ હતુ.

વાગરા તાલુકામાં ઉદ્યોગ નગરી તરીકે સુવિખ્યાત બન્યો છે.જેને પગલે તાલુકાને ફાયદો તો થયો છે.પરંતુ તેના ગેરલાભની અસર સ્થાનિકો સાથે ખેતી ઉપર પણ થઈ રહી છે.તો બીજી તરફ સરકાર ખેડૂતો ની વિવિધ સમસ્યાઓનો જળમૂળમાંથી નિકાલ કરે એ તરફ ખેડૂતો આશ રાખી ને બેઠા છે.અનેક તકલીફો થી ઘેરાયેલા જગતના તાતે ભારતીય કિસાન સંઘ ના માધ્યમ થી રાજ્યપાલ ને સંબોધી વાગરા નાયબ મામલતદાર પુરવઠા ને ગતરોજ આવેદન પાઠવ્યુ હતુ.આવેદનમાં જણાવ્યા અનુસાર સમાન સિંચાઈ દૂર કરવામાં આવે.વિજળીમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરી હોર્સપાવર આધારિત વીજળી આપવામાં આવે.રિસર્વે માં ખેડૂતો ને થતી હેરાનગતિ નો નિકાલ ત્વરિત કરવામાં આવે.વાગરા તાલુકામાં કુદરતી અને માનવ સર્જિત આફત થી થયેલ નુકસાની વળતર ને ચૂકવવા તેમજ વાગરા ખાતે મબલક પ્રમાણમાં ઉત્પાદન થતા અર્ધ શિયાળુ મગનું રજીસ્ટ્રેશન ચાલુ કરી ખરીદી કરવાની આવેદનમાં માંગ કરવામાં આવી છે.તાલુકામાં આવેલ ઉદ્યોગો ના પ્રદુષણ ને નાથી ખેડૂતો ને ઉગારવા ની માંગ કરતુ આવેદન ભારતીય કિસાન સંઘ દ્ધારા આપવામાં આવ્યુ હતુ.

ભારતીય કિસાન સંઘ ના જિલ્લા સંયોજક અજિતસિંહ રાજે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર ખેડૂતો ના હિત ને ધ્યાને લઇ સમસ્યાઓનું વેરાસર નિકાલ લાવે અન્યથા અમારે છેવટે આંદોલન નો માર્ગ અપનાવવો પડશે.ખેડૂતોના પ્રાણ પ્રશ્નનો ઉકેલ ના આવે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ તેમની પડખે ઉભુ રહેશે.રાજ્ય સરકાર ખેડૂતો ને હલકામાં ના લઈ જગતના તાત ની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ કરે એવી અમારી માંગ છે.

•ઝફર ગડીમલ,ન્યુઝલાઇન,વાગરા

અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતી ઉજવણી તથા મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ઈ.એન. જીનવાલા કેમ્પસ ,અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતી ઉજવણી તથા મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમની પ્રાસ્તાવિક ભૂમિકા એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો.જયશ્રી ચૌધરી એ બાંધી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કોલેજના કાર્યકારી આચાર્ય ડો. કે. એસ. ચાવડા એ કરતા કહ્યું હતું કે, ” શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ આ વિસ્તારના યુવા વિદ્યાર્થી ભાઈ બહેનોના વ્યક્તિત્વ વિકાસ માટેના વિવિધ આયામો પર ખાસ ભાર મૂકીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તત્પર છે. સ્વામી વિવેકાનંદના વિચારો યુવા ઘડતર માટે ખૂબ જ જરૂરી છે.” યુવા આયામ વિભાગના સંયોજક મુખ્ય વક્તા નીરવ પટેલે સ્વામી વિવેકાનંદના જીવનમાં મહત્વના પાસાઓને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, ” સ્વામી વિવેકાનંદે એક મંત્ર આપ્યો: દરિદ્ર નારાયણ ભવ. આ જ સાચી દેશભક્તિ છે. આજે ભારત દેશમાં ભારતમાતાનું ક્યાંય મંદિર નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભારત માતાની ઉપાસના કરો તો તમે વિશ્વમાં શ્રેષ્ઠ બનશો.

સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણીમાં યુવાઓ બે મિનિટ ભારત દેશ માટે વિચાર કરે : દેશભક્તિ માત્ર બોર્ડર પર જઈને યુદ્ધમાં સહભાગી થવા માટે જ નથી. પરંતુ નાના નાના કામથી તમે તમારી દેશભક્તિને અભિવ્યક્ત કરી શકો છો. જેમ કે, ગરીબ બાળકોને શિક્ષણ આપીને, તેમની કાળજી કરીને, બર્થ ડે હોય ત્યારે જરૂરતમંદ ગરીબ બાળકોને ચોકલેટ કે કેક આપીને, ગરીબ પરિવારોને ધાબળા આપીને , સોશિયલ મીડિયામાં સેલ્ફી વિથ વિવેકાનંદ અથવા સેલ્ફી વિથ નેશનલ હીરો કે જે દેશના હીરો છે જેમણે તન, મન, ધનથી સમર્પણ કર્યું છે. ” કાર્યક્રમની આભારવિધિ આઝાદીનો અમૃત મહોત્સવના કન્વીનર પ્રા.પ્રવીણકુમાર બી.પટેલે કરી હતી.

મતદાર જાગૃતિનો કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીલાબેન પટેલ તથા નાયબ મામલતદાર મતદાર વિભાગ ઉર્વશીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. કાર્યકારી આચાર્ય ડો. કે.એસ. ચાવડાએ મતદાર જાગૃતિના મહત્વને સમજાવ્યું હતું. વક્તવ્ય આપતા સિનિયર અધ્યાપક ડો.જી.કે.નંદાએ કહ્યું હતું કે” દેશ નિર્માણમાં સાચી દેશભક્તિ આપણે યોગ્ય વોટર બનીને યોગ્ય વોટ આપીને નિભાવી શકીએ છીએ. ” કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ વસાવા, રાહુલ પટેલ, અંકિત પરમાર, તલ્હા , અયાઝ વગેરેએ ભૂમિકા ભજવી હતી.

ભરૂચ : કસક સર્કલ પાસે સાંઇ સીઝનલ સ્ટોર્સમાંથી ચાઇનીઝ દોરી સાથે મહિલા ઝડપાઇ

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માહીતી મળેલ કે “કસક સર્કલ પાસે આવેલ “સાંઈ સીઝનલ સ્ટોરમાં” એક બહેન ચાઇનીજ દોરીનુ વેચાણ કરે છે” જે માહીતી આધારે દુકાનમાં તપાસ હાથધરી હતી.

જેમાં પોલીસને દુકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીજ દોરી વેલીન જર્મન ટેકનોલોજીના માર્કાવાળા ચાઈનીઝ દોરીની રીલ(ફીરકા) નંગ ૦૨ મળી આવેલ જેની ઉપર ઈન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી લખેલ હોવા છતા દીપ્તીબેન મનીષભાઈ મીસ્ત્રી ઉ.વ-૪૧ રહે-કસક જલારામ મંદીર સામે,મોજમપુર મીસ્ત્રીવાડ, કસકનાએ ઉત્તરાયણના તહેવાર માટે ગ્રાહકોને વેચાણ કરવા પોતાની દુકાનમાં ચાઈનીઝ દોરીના રીલ (ફીરકા) રાખેલ હોય જે ચાઈનીઝ દોરીના રીલ (ફીરકા) નંગ-૦૨ કીંમત રૂપીયા ૮૦૦/- નો મુદામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરી દીપ્તીબેન મીસ્ત્રી વિરૂધ્ધ ઈપીકો કલમ -૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!