The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 198

અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતી ઉજવણી તથા મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ઈ.એન. જીનવાલા કેમ્પસ ,અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતી ઉજવણી તથા મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમની પ્રાસ્તાવિક ભૂમિકા એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો.જયશ્રી ચૌધરી એ બાંધી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કોલેજના કાર્યકારી આચાર્ય ડો. કે. એસ. ચાવડા એ કરતા કહ્યું હતું કે, ” શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ આ વિસ્તારના યુવા વિદ્યાર્થી ભાઈ બહેનોના વ્યક્તિત્વ વિકાસ માટેના વિવિધ આયામો પર ખાસ ભાર મૂકીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તત્પર છે. સ્વામી વિવેકાનંદના વિચારો યુવા ઘડતર માટે ખૂબ જ જરૂરી છે.” યુવા આયામ વિભાગના સંયોજક મુખ્ય વક્તા નીરવ પટેલે સ્વામી વિવેકાનંદના જીવનમાં મહત્વના પાસાઓને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, ” સ્વામી વિવેકાનંદે એક મંત્ર આપ્યો: દરિદ્ર નારાયણ ભવ. આ જ સાચી દેશભક્તિ છે. આજે ભારત દેશમાં ભારતમાતાનું ક્યાંય મંદિર નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભારત માતાની ઉપાસના કરો તો તમે વિશ્વમાં શ્રેષ્ઠ બનશો.

સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણીમાં યુવાઓ બે મિનિટ ભારત દેશ માટે વિચાર કરે : દેશભક્તિ માત્ર બોર્ડર પર જઈને યુદ્ધમાં સહભાગી થવા માટે જ નથી. પરંતુ નાના નાના કામથી તમે તમારી દેશભક્તિને અભિવ્યક્ત કરી શકો છો. જેમ કે, ગરીબ બાળકોને શિક્ષણ આપીને, તેમની કાળજી કરીને, બર્થ ડે હોય ત્યારે જરૂરતમંદ ગરીબ બાળકોને ચોકલેટ કે કેક આપીને, ગરીબ પરિવારોને ધાબળા આપીને , સોશિયલ મીડિયામાં સેલ્ફી વિથ વિવેકાનંદ અથવા સેલ્ફી વિથ નેશનલ હીરો કે જે દેશના હીરો છે જેમણે તન, મન, ધનથી સમર્પણ કર્યું છે. ” કાર્યક્રમની આભારવિધિ આઝાદીનો અમૃત મહોત્સવના કન્વીનર પ્રા.પ્રવીણકુમાર બી.પટેલે કરી હતી.

મતદાર જાગૃતિનો કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીલાબેન પટેલ તથા નાયબ મામલતદાર મતદાર વિભાગ ઉર્વશીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. કાર્યકારી આચાર્ય ડો. કે.એસ. ચાવડાએ મતદાર જાગૃતિના મહત્વને સમજાવ્યું હતું. વક્તવ્ય આપતા સિનિયર અધ્યાપક ડો.જી.કે.નંદાએ કહ્યું હતું કે” દેશ નિર્માણમાં સાચી દેશભક્તિ આપણે યોગ્ય વોટર બનીને યોગ્ય વોટ આપીને નિભાવી શકીએ છીએ. ” કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ વસાવા, રાહુલ પટેલ, અંકિત પરમાર, તલ્હા , અયાઝ વગેરેએ ભૂમિકા ભજવી હતી.

ભરૂચ : કસક સર્કલ પાસે સાંઇ સીઝનલ સ્ટોર્સમાંથી ચાઇનીઝ દોરી સાથે મહિલા ઝડપાઇ

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માહીતી મળેલ કે “કસક સર્કલ પાસે આવેલ “સાંઈ સીઝનલ સ્ટોરમાં” એક બહેન ચાઇનીજ દોરીનુ વેચાણ કરે છે” જે માહીતી આધારે દુકાનમાં તપાસ હાથધરી હતી.

જેમાં પોલીસને દુકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીજ દોરી વેલીન જર્મન ટેકનોલોજીના માર્કાવાળા ચાઈનીઝ દોરીની રીલ(ફીરકા) નંગ ૦૨ મળી આવેલ જેની ઉપર ઈન્ડસ્ટ્રીયલ યુઝ ઓન્લી લખેલ હોવા છતા દીપ્તીબેન મનીષભાઈ મીસ્ત્રી ઉ.વ-૪૧ રહે-કસક જલારામ મંદીર સામે,મોજમપુર મીસ્ત્રીવાડ, કસકનાએ ઉત્તરાયણના તહેવાર માટે ગ્રાહકોને વેચાણ કરવા પોતાની દુકાનમાં ચાઈનીઝ દોરીના રીલ (ફીરકા) રાખેલ હોય જે ચાઈનીઝ દોરીના રીલ (ફીરકા) નંગ-૦૨ કીંમત રૂપીયા ૮૦૦/- નો મુદામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરી દીપ્તીબેન મીસ્ત્રી વિરૂધ્ધ ઈપીકો કલમ -૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી.

ભરૂચ: ચાઇનીઝ દોરીના જથ્થા સાથે મયુર પતંગ સ્ટોરનો માલીક રાજેશ ચણાવાલા ઝડપાયો

ભરૂચ એસ.ઓ.જી.ના સ્ટાફના પોલીસ માણસો ભરૂચ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માહીતી મળેલ કે “મયુર પતંગ સ્ટોરનો માલીક રાજેશ નટવરલાલ ચણાવાલા તેના રહેણાંક ઘરમાં પ્રતિબંધીત ચાઇનીજ દોરીનુ વેચાણ કરે છે” જે આધારે એસ.ઓ.જી. પોલીસે રાજેશના ઘરમાં તપાસ હાથધરી હતી.

જ્યાં એસ.ઓ.જી પોલીસ ટીમને ઘરમાં રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફીરકા નંગ-૩૮ મળી આવેલ જે દોરી ઉપર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખેલ હોવા છતા રાજેશ નટવરલાલ ચણાવાલા, ઉ.વ.૫૫, રહે. ગુ.હા.બોર્ડ, શિવશક્તિ એપાર્ટમેન્ટ, રૂમ નં-૧, બ્લોક નં-૧, શક્તિનાથ મહાદેવ મંદિરની બાજુમાં ઉત્તરાયણના તહેવાર માટે પતંગ ઉડાડવા માટે ગ્રાહકોને વેચાણ કરવા રાખેલ હોય જે ચાઇનીઝ દોરીનો જથ્થો કુલ ૩૮ ફિરકા દોરીની કી.રૂ. ૧૧,૪૦૦/- નો મુદ્દામાલ જ્પ્ત કરી રાજેશ ચણાવાલા વિરૂધ્ધ ઇ.પી.કો કલમ ૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી.

સુરત: માંડવી તાલુકાનાં આંબલી ડેમમાં નાવડી પલટી, ૧૦ ડૂબ્યા,૨ ના મૃતદેહ મળ્યા

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ આંબલી ડેમમાં નાવડી પલટી જતા 10 લોકો ડૂબી જવાની દુર્ઘટના બની હતી. જેમાં બે ના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણ નો બચાવ કરાયો હતો. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ની શોધખોળ શરૂ કરાઇ હતી.

સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકા માં આ ગોઝારી ઘટના બનવા પામી હતી. માંડવી ના દેવગીરી ગામની ૬ મહિલા સહિત ૧૦ વ્યક્તિ આજરોજ સવારના સમયે પશુઓ માટે ઘાસચારો લેવા નાવડીમાં બેસી આમલી ડેમના સરોવરમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક નાવડી પલટી જતા અંદર બેસેલા લોકો પણ ડેમના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. નાવડી પલ્ટી જતા ૧૦ પૈકી ૩ મહિલાઓ તરીને સુરક્ષિત કિનારે આવી ગઇ હતી. જ્યારે ૭ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં બે મહિલા ના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે સાંસદ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર તેમજ માંડવી નગરપાલિકા, બારડોલી નગરપાલીકા અને સુરત મહાનગર પાલિકાની ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. અને બોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ દેવગીરી ગામ નિજ દેવનીબેન વસાવા અને ગિમલીબેન વસાવા નામની બે મહિલા ના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય પાંચની શોધખોળ હજી ચાલી રહી છે. ડૂબનારાઓમાં ૪ મહિલા અને ૩ પુરૂષનો સમાવેશ થાય છે અને તે તમામની ઉંમર ૫૫ થી ૬૫ વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ: ડમ્પર સાથેના અક્સ્માતમાં શુકલતીર્થના ૧૯ વર્ષીય યુવાનનું મોત

ભરૂચ રાજપીપળા ચોકડી પર નોકરી પરથી બાઇક લઇ પરત આવતા ૧૯ વર્ષીય યુવાન ડમ્પરના પાછળના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળેજ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું.

ભરૂચના શુકલતીર્થ ગામે જૂની બેંક ફળીયામાં રહેતા જયદત્તસિંહ હરેન્દ્રસિંહ ડોડિયા ઉ.19 આજ્રરોજ અંકલેશ્વર ખાતેની ડેક્કન કંપનીમાં એપ્રેન્ટીસ તરીકે નોકરી હોય ગયો હતો. જ્યાંથી ઘરે પરત પોતાની બાઇક નં. GJ-16-CG-4286 લઈને આવી રહ્યો હતો. ત્યારે રાજપીપળા ચોકડી નજીક એક ડમ્પરની પાછળના ભાગમાં બાઇક સાથે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કમ્મર થી નીચેનો ભાગ ઉપર ડમ્પરનું તોતીંગ વ્હીલ ફરી વળતા ગંભીર ઇજાઓના પગલે કોઇ સારવાર મળે તે પહેલા જ જયદત્તસિંહનું કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ વાયુવેગે શુકતીર્થ ગામે થતાં જ તેના સ્નેહીજનો અને મિત્રો ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.એકાએક આશાસ્પદ નવયુવાનના મોતના પગલે મિત્રવર્તુળ સહિતનાઓમાં ગમગીની ફેલાઇ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ધટના સ્થળની મુલાકાત સાથે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની શોધ આરંભી અને ભરૂચ સિવિલ આવી મૃતકની લાશને પી.એમ. કરાવવા જરૂરી કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

ભરૂચનું ગૌરવ: કલાકાર ગોરી યુસુફ હુશેનની કૃતિને મળ્યું વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિયમમાં સ્થાન

યુનાઈટડ આરબ અમિરાત, અબુધાબીના ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમ માં ભરૂચના કલા સાધક કલાકાર ગોરી યુસુફ હુશેન કૃતિ કાયમ માટે આ વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. જે માત્ર ભરૂચ જ નહિ પણ ગુજરાત અને આખા ભારત વર્ષ માટે ગૌરવની બાબત છે.

ડો. લમિશ અલ કૈશ કે જેઓ ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમ ના ડાયરેકટર જનરલ છે જેઓની નિગરાની હેઠળ વિશ્વસ્તરીય કક્ષાની અરેબિક કેલીગ્રાફી આર્ટ વર્ક નું સિલેક્ટ કરવાની કામગીરી હતી તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં સાધક કલાકાર ગોરી યુસુફ હુશેનજી દ્વારા પ્રસ્તુત કલાકૃતિ સ્થાન પામી છે. જે માટે તેઓની ૨૨ વર્ષની કલા સાધનાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ગોરી યુસુફ હુશેનજીની કલા વિશેષતા એ છે કે તેઓ પહેલાં તો એક ઉમદા વ્યક્તિ છે. મિલનસાર સ્વભાવના તેઓ પુરાતન કેલિગ્રાફિ કળામાં નિપુણ છે. તેઓની કલશૈલીમાં પ્રાચીન કેલિગ્રાફિની બેનમૂન ઝલકના દર્શન થાય છે. તેઓ તેમની હાથ બનાવટના કાગળનો ઉપયોગ કરે છે. અને જે રંગો ઉપયોગમાં લે છે તે હર્બલ રંગો હોય છે. આમ તેઓ બીજી રીતે પ્રાકૃતિક પ્રેમી પણ છે. કુદરતી રંગોથી કેલીગ્રાફિ કાર્ય કરવું એ મહેનત અને ધીરજ માંગી લે છે.

ગોરી યુસુફ હુશેનજી દેશ વિદેશના આર્ટ એન્ડ કલ્ચર વિભાગ દ્વારા યોજાતા કેલીગ્રાફી પ્રદર્શનોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

દુનિયા આખી જ્યારે કોરોના મહામારીથી ઝઝૂમતી હતી ત્યારે લોકડાઉન દરમિયાન કલાકારોનું મનોબળ વધે એ માટે તેઓએ ઓનલાઇન કલા પ્રદર્શનો યોજી દેશ વિદેશના કલાકારોને સંકલિત કરી તેઓનો ઉત્સાહ વધાર્યો છે અને તેઓની કલાને વિશ્વ ફલક ( મંચ) પર લાવવા માટે પ્રયત્ન કર્યો છે જે હજુ પણ ચાલુ જ છે.

એ જણાવતા આનંદ થાય છે કે તેઓએ અત્યાર સુધી ૧૨ થી વધુ દેશો સાથે ભારતનું કોલોબ્રશન કરી સંયુક્ત રીતે ઓનલાઇન કલા પ્રદર્શનો કરી ચૂક્યા છે. જેમાં દેશ વિદેશના થઈને ૨૦૦૦ થી વધુ કલાકારોનો અને તેમની કલાનો પરિચય કરાવી તેઓએ ભારત અને વિશ્વના દેશોની કલાને એક મંચ પર લાવવાની નિઃસ્વાર્થ કામગીરી કરી છે.

બીજું મહત્વનું એ છે કે તેઓ આવા પ્રદર્શન નિ:શુલ્ક યોજે છે. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી કેલિગ્રાફી કલા સાધના કરે છે. તેઓની આગવી પ્રાચીન કલા શૈલી દ્વારા તેઓએ બેનમૂન કેલિગ્રાફી કલાને વિશ્વ મંચ પર પ્રસ્તુત કરતાં આવ્યા છે. પ્રાચીન કલાને તેઓએ જીવંત રાખવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેઓ એક ઉમદા ગુરૂ પણ છે. તેઓ કલાકારોને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડે છે. નિસ્વાર્થભાવે તેઓ આ કલાને સતત જીવંત રાખવા માટે પ્રયત્નો કરતા આવ્યા છે. નિખાલસતા તેઓના આચરણમાં છલકાય છે.

ખાલવા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબી દ્વારા સંચાલિત આ વિશ્વકક્ષાના મ્યુઝિયમમાં સ્થાન પામવા માટે સમસ્ત વિશ્વમાંથી કેલિગ્રાફી વિષય આધારિત કલાકૃતિઓ પસંદ કરવામાં આવી જેમાં ભારતમાંથી ભરૂચના ગોરી યુસુફ હુશેન દ્વારા પ્રસ્તુત ઉત્કૃષ્ઠ કૃતિ જે હાથ બનાવટના કાગળ પર પ્રાકૃતિક રંગો અને પ્રાચીન શૈલીથી તૈયાર કરવામાં આવી હતી તે સ્થાન પામી છે. જે ખરેખર ભરૂચ અને ગુજરાતનું ગૌરવ છે.

ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા લક્ષી પ્રચાર-પ્રસાર માટે ઓટોરીક્ષાને લીલીઝંડી અપાઈ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- ભરૂચના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા ભરૂચ જિલ્લાના સ્વચ્છતાના સ્તરને શ્રેષ્ઠ બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. જે અન્વયે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)ની ટીમ ભરૂચે આજ રોજ ગ્રામ પંચાયત- ઝાડેશ્વર ખાતેથી સ્વચ્છતાલક્ષી પ્રચાર-પ્રસાર માટે સરપંચ અશોકભાઇ પટેલ હસ્તે પ્રચાર-પ્રસારના માધ્યમ તરીકે ઓટો રીક્ષાને લીલીઝંડી આપી હતી. આ વેળાએ ગ્રામ પંચાયતના સભ્યશ્રી કૌશિકભાઇ પટેલ તથા અન્ય સભ્યો, ડીઆરડીએ કચેરી જયેશભાઇ પટેલ, તલાટી કમ મંત્રી, આશાવર્કર બહેનો, ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહયા હતા.

જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ ગામોને આવરી લઈ આ ઓટો રીક્ષા ગામે-ગામે ઓડિયો પ્રસારણ તેમજ બેનરના માધ્યમથી ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવશે. આ પહેલનો હેતુ ખુલ્લામાં શૌચમુક્ત ગામો તૈયાર કરવા, ODF પ્લસ ગામો તૈયાર કરવા, વ્યક્તિગત અને સામુહિક શૌચાલયના નિર્માણ તેમજ ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત કરવાનો છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) સહિત મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)ના મહત્વના કામો તેમજ વિવિધ યોજનાકીય લાભોની માહિતી પણ આ પહેલ થકી લોકોને આપી સરકારી યોજનાઓના લાભ લેવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ભરૂચ :નારાયણ નગર-૦૧ માંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ૧ ઝડપાયો

આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન “સ્કાય લેન્ડર્સ” (ચાઇનીઝ તુક્કલ) તેમજ સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ (ઝેરી તત્વો) અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે ચાઈનીઝ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય, જે બાબતે આવા નુકશાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું કલેક્ટર તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાંના તરફથી સુચના મળતા ભરૂચ વિભાગ, મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ના માર્ગદર્શન આધારે,પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

દરમીયાન ચોક્ક્સ બાતમી મળેલ કે નારયણ નગર-૧ ના મકાન નં. ૧૪ માં રહેતા પવનકુમાર દિનેશચંદ્ર મહેતા નાઓ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય, જે આધારે ઉપરોક્ત સરનામાં વાળા મકાનમાં તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફિરકા નંગ-૧૦ મળી આવેલ જે દરેકની અંદાજીત કીંમત રૂ.૩૦૦/- લેખે ગણતા કુલ કિંમત રૂ.૩૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ અત્રેના ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ખાતે ઇ.પી.કો. કલમ. ૧૮૮ મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે.

ભરૂચ કલેક્ટર કચેરી ના મુખ્ય માર્ગ ઉપર રખડતા ગૌધનના પગલે હાલાકી

એક તરફ ભરૂચ પાલિકા રસ્તા ઉપર રખડતા મુંગા પશુઓને પકડવાની કવાયત કરતી હોવાના દાવા કરે છે. તો બોજી તરફ આ મુંગા પશુઓ સરેઆમ શહેરના મુખ્ય માર્ગો ઉપર બેફામ વિચરતા આવન જાવન કરતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ગાયને માતા સમજી તેની તરફેણ કરનાર અનેક સંસ્થાઓ છે. જે ગૌ પાલનાના મોટા દાવા પણ કરી તેના નામે મોટો ફાળો પણ ઉઘરાવે છે છતાં આપણે ત્યાં આ ગૌમાતા ખુલ્લે આમ રખડતી જોવા મળે છે. આ કહેવાતી સંસ્થાઓની કહેની અને કરણી માં અંતર જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારીતાની ખોખલી વાતો કરતા અને ધર્મની કોઈ પણ વાત ઉપર ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદો ઉઠાવી રોડ ઉપર ઉતરી આવી દેકારો મચાવનાર કહેવાતા દંભી હિંદુઓ અને હિન્દૂ સંસ્થાઓ ભારતીય સંસ્કૃતિની અને હિન્દૂ સમાજની જીવતી જાગતી માતા એટલે ગૌ માતાને રખડતી રિબાતી રસ્તા પરનો કચરો અને પ્લાસ્ટિક ખાઈ બીમારીનો ભોગ બનતી ગૌ માતાને જોવા છતાં પણ અંધ બની રહ્યા છે.

ભરૂચ: માસ્ક અને સેનેટાઇઝર સહિત કોરોના ગાઇડ લાઇન ભંગ કરનાર વેપારી પાલિકાના હાથે હવે દંડાશે

ભરૂચ શહેરમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક અને સેનેટાઇઝર સહિત કોરોનાની ગાઈડ લાઇનનો ભંગ કરનાર વેપારી સામે નગર પાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરી પગલાં લેવાશે

હાલ કોરોનાની ત્રીજી લહેરને પગલે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જીલ્લામાં ગતરોજ નવા કોરોના પોઝિટિવના 50 કેસ નોંધાયા છે ત્યારે ભરુચ નગર પાલિકા પણ કોરોનાની ગાઈડ લાઇનનું ઉલ્લંઘન કરતાં વેપારી સામે હરકતમાં આવી ગયું છે અને મોલ,દુકાન હોટલ અને વિવિધ સંસ્થાઓના સંચાલકો માસ્ક ,સેનેટાઇઝર તેમજ કોરોનાની ગાઈડ લાઇનનું પાલન નહીં કરતાં દેખાય તો તેઓ સામે પગલાં ભરવા ઝુંબેસ હાથ ધરશે.અને કોરોનાની ગાઈડ લાઇનનો ભંગ કરનાર વેપારી સામે દંડનીય કાર્યવાહી હાથ ધરશે.

error: Content is protected !!