ભરૂચના મનુબર ખાતે ગ્રામપંચાયત કચેરીમાં જ મહિલા તલાટી ઉપર કેટલાક ઇસમો દ્વારા હૂમલો કરી મારમારવા મામલે ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તથા ડીએસપીને આવેદન પાઠવાયું હતું.

આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ભરૂચ તાલુકાના મનુબર ગામપંચાયતમા ફરજ બજાવતા મહિલા તલાટીને ફરજ દરમિયાન ગામપંચાયત મનુબર કચેરીમાં ઈસમો દ્વારા હૂમલો કરી માર મારવાના ના બનાવમાં ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા હુમલો કરનાર ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને ફરી થી આ પ્રકાર ની ઘટના નુ પુનરાવર્તન ન થાય તે માટે સરકારી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર તથા ડીએસપીને આવેદનપત્ર ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here