The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 236

ભરૂચ: પેરોલ જમ્પ કરી નાસતો ફરતો કાચા કામનો કેદી ઝડપાયો

ભરૂચ સબજેલમાંથી વચગાળાના જામીન પરથી નાસતો ફરતો ફરાર કેદીને ઝડપી પાડવામાં પેરોલ ફ્લો સ્કોર્ડને સફળતા મળી છે.

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો નાસતા-ફરતા આરોપી તથા પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાના જામીન પરથી ફરાર કેદી પકડવા સારૂ પાલેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત મળેલ કે ઝગડીયા પોલીસ મથકના ગુનાનાનો આરોપી કિશનભાઇ શનીયાભાઇ વસાવા રહે – ઉમરખેડા, જુની નિશાળ ફળીયું, તા-નેત્રંગ જી.ભરૂચનો કાચા કામના આરોપી તરીકે સબ જેલ ખાતે હતો.
જે આરોપીને કોવીડ-૧૯ કોરોના વાયરસ સામે સાવચેતી સબબ નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા વૈશ્વિક મહામારીને ધ્યાને રાખીને જેલમાં રહેલ કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડાયેકરેક્શન મુજબ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ નામદાર ચીફ જ્યુડી મેજી કોર્ટ ભરૂચનાઓના હુકમ મુજબ તા.૧૩/૦૫/ર૦ર૧ના રોજ ત્રણ મહિનાના ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવેલ હતો.
જે વચગાળા જામીનનો સમયગાળો પુર્ણ થતા આરોપીને તા.૧૩/૦૮/૨૦૨૧ નારોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતું હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ. જે આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા તા.૦૯/૧૧/૨૦૨૧ નારોજ ગામ ઘોડી ખાતેથી હસ્તગત કરવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી કરવા પાલેજ પોલીસ મથકે સુપ્રત કર્યો છે.

ભરૂચ શહેરમાં રીલીફ ટોકીઝ સામે ધોળે દીવસે લૂટ કરનાર ૩ લૂટારૂ ઝડપાયા

ભરૂચ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં ધોળે દહાડે એક યુવકને લૂંટી લેવાની ઘટના બનવા પામી હતી. જે ગુનામાં પોલીસે ૩ આરોપીઓની અટક કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કરેલ છે.

ગત રોજ ભર બપોરે પાંચબત્તી નજીકની રિલિફ ટોકીઝ સામે લૂંટનો ભોગ બનનાર તિલક ગુપ્તા પાસેથી રૂ. બે હજાર રોકડા તેમજ એમ.આઇ. કંપનીનો મોબાઈલ મળી કુલ રૂ. પાંચ હજારની મત્તાની લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ ડી.પી. ઉનડકટેએ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતાં ગણતરીના સમયમાં ત્રણ આરોપીઓ કે જેમાં શૈલેષ અરવિંદ વસાવા વિજય સોમાભાઇ વસાવા દિવ્યેશ અનિલ વસાવા, તમામ રહે. વસંત મિલની ચાલની અટક કરી હતી. તેમજ લૂંટના બનાવમાં ગયેલ રૂ. બે હજાર રોકડા તેમજ એમ.આઇ. કંપનીનો મોબાઈલ કિં.રૂ. ત્રણ હજાર મળી કુલ રૂ. પાંચ હજારનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

હરસિધ્ધિ માતાજીને ઉજ્જૈનથી રાજપીપળા લાવનાર મહારાજા વેરીસાલજી ગોહિલની પ્રતિમાનું કરાયું અનાવરણ

રજવાડી નગરી રાજપીપળામાં ગોહેલ વંશનું શાસન હતું, ગોહિલ વંશના કુળદેવી હરસિધ્ધિ માતાજી હતા. મહારાણા વેરીસાલજી મહારાજ હરસિધ્ધિ માતાજીની આરાધના કરવા વારંવાર ઉજ્જૈન જતા હતા. એક દિવસ મહારાણા વેરીસાલજી મહારાજની ભક્તિ પ્રસન્ન થય વરદાન માંગવાની વાત કરતા વેરીસાલ મહારાજે રાજપીપલા આવવાની વાત કરી અને માતાજી તેમની સાથે રાજપીપલા આવવા નીકળ્યા જે વાતને લગભગ 419 વર્ષ થયા રાજપીપલા આવતા માતાજીનું મંદિર બનાવ્યું હતું.આજે પણ રાજપીપલામાં હરસિધ્ધિ માતાજી હાજરાહાજુર છે.
અનેકવાર માતાજીના મંદિરને રીનોવેશન કરવામાં આવ્યું પરંતુ માતાજીનું મંદિર બનાવનાર મહારાજના આકાર્યને માતાજીના ઇતિહાસને આજની પેઢી જુએ તે માટે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા હરસિધ્ધિ માતાનાજી ના પટાંગણ માં મહારાણા વેરીસાલજી મહારાજની પ્રતિમા મુકવામાં આવી, મહારાજા રઘુવીરસિંહ અને યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા પૂજન કરી ને પ્રતિમા મુકવામાં આવી છે.
સમસ્ત રાજપૂત સમાજ અને રાજવી પરિવાર દ્વારા રાજવંત પેલેસ ખાતે થી શોભાયાત્રા નીકળી ને સીધા હરસિધ્ધિ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને મહારાણા વેરીસાલજી મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. જેમાં મહારાણી રુક્મણિ દેવી, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ અને આગેવાનો હાજર રહ્યા હતા. હવે મંદિર પરિસરમાં માતાજીના દર્શન માટે જનારા તમામ ભક્તો મહારાણા વેરીસાલજીના પણ દર્શન કરશે તેમના ઇતિહાસ ને યાદ કરશે.

ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં એક યુવક લૂંટાયો

ભરૂચ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં ધોળે દહાડે એક યુવકને લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ શહેરના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં તિલક રામરાજ કુમાર ગુપ્તા પોતાના કામ અર્થે આવ્યા હતા.દરમિયાન રિલીફ ટોકીઝ પાસે કોઈક અજાણ્યા ઈસમ દ્વારા તેઓ પાસે પહોંચી જઇ માસ્કના નામે તેઓને ધમકીઓ આપી તિલક ગુપ્તા પાસે રહેલ રોકડ રકમ રૂપિયા બે હજાર તેમજ ત્રણ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન તેને ધાક ધમકીઓ આપી લૂંટ કરી સ્થળ પરથી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.
જો કે ઘટના બાદ તિલક ગુપ્તાએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઈસમ સામે લૂંટ અંગેનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં ગત બપોરના સમયે બનેલ ઘટનાના પગલે સમગ્ર મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

ભરૂચ સહિત જિલ્લામાં આજથી ધંધા-રોજગારના કરાયા શ્રીગણેશ

આજે ભરૂચ સહિત જિલ્લાના નાના મોટા વેપારીઓ ઘરની લક્ષ્મી દીકરી અથવા પુત્રવધૂના હાથે વેપાર-ધંધાનું મૂહર્ત કર્યા છે. કુમકુમ તિલક અને સ્વસ્તિક કરી દુકાનના શટર ખોલવામાં આવ્યા છે અને સમગ્ર વર્ષ વેપાર ધંધો સારો ચાલે તે રીતની પ્રાર્થના કરવામાં આવી છે આજથી ફરી એકવાર ભરૂચ સહિત જિલ્લાના બજારો ખુલી ગયા છે.
આજે લાભ પાંચમનો પાવન દિવસ છે. જેને સૌભાગ્ય પાંચમ પણ કહેવામાં આવે છે. વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી પછીનો આ દિવસ ખાસ એટલે માટે છે, કારણ કે આજથી વેપારીઓ પોતાના વેપાર-ધંધાની શરૂઆત કરે છે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા સુખ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. નવા વર્ષની રજાઓ માણ્યા બાદ આજથી વેપાર-ધંધા શરૂ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. લાભ પાંચમના પાવન પર્વ પર દરેક લોકો પોતાનો વેપાર ધંધો ફરી શરૂ કરતા હોય છે, દિવાળીના દિવસે ચોપડા પૂજન કર્યા બાદ વેપાર-ધંધા બંધ કરવામાં આવ્યા હોય છે. તહેવારને લઈને તે આજે ફરી શુભ મુહૂર્ત કરીને વેપાર- ધંધા ખોલ્યા છે. આજે ભરૂચના નાના મોટા વેપારીઓ ઘરની લક્ષ્મી દીકરી અથવા પુત્રવધૂના હાથે વેપાર-ધંધાનું મૂહર્ત કર્યા છે. કુમકુમ તિલક અને સ્વસ્તિક કરી દુકાનના શટર ખોલવામાં આવ્યા છે અને સમગ્ર વર્ષ વેપાર ધંધો સારો ચાલે તે રીતની પ્રાર્થના કરવામાં આવી છે આજથી ફરી એકવાર ભરૂચ સહિત જિલ્લાના બજારો ખુલી ગયા છે.

•કેતન રાણા, ન્યુઝલાઇન, ભરૂચ

ભરૂચ: લગ્ન ન થતાં સિતપોણના યુવાને ફાંસો ખાઇ કરી આત્મહત્યા

ભરૂચ તાલુકાના સીતપોણ ગામના ઍક યુવકે ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
સીતપોણ ગામના મંદિર ફળિયામાં રહેતા મંગલ ભાઈ છીતુભાઈ વસાવા ઉ. વ. ૨૯ પોતાના લગ્ન ન થવાના કારણે ચિંતામાં હતા. ચિંતામાં ડૂબેલા મંગલ નામના યુવાને પોતાના ઘરમાં લાકડા સાથે ઓઢણી બાંધી ગળા ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.
ઘટનાની જાણ થતા નબીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો મેળવી પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટના સંદર્ભે વધુ તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે. યુવકે જીવનલીલા સંકેલી લેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

•હરેશ પુરોહિત, ન્યુઝલાઇન,ભરૂચ

અંકલેશ્વરમાં : ગડખોલ અને ભડકોદ્રા ગામના ખેતરમાં લાગી આગ

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા પર આવેલ સામ્રાજ્ય સોસાયટી અને ઐય્યાપ્પા ટેમ્પલ વચ્ચેના ખેતરમાં ફટાકડાના તણખા પડતા આગ ભભૂકી ઉઠી હતી. જેમા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખેતર ચપેટમાં આવી ભડકે બળ્યું હતું.
આગનું વિકરાળ સ્વરૂપને લઇ આજુબાજુ સોસાયટીમાં ભય ફેલાયો હતો. અંકલેશ્વર પાલિકા ફાયર ટીમને જાણ છતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમતે ખેત મજૂરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઉપરાંત ભડકોદ્રા ગામ ખેતર માં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ખેતર નજીક ઓ.એન.જી.સી વેલ હોવા ને લઇ એક તબક્કે મોટી હોનારત નો ભય ઉભો થયો હતો. જો કે ડી.પી.એમ.સી અને ઓ.એન.જી.સી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. શેરડી ના ઉભા પાક માં લાગેલી આગ ને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ આગ ઊપર કલાક ઉપરાંત ની જહેમતે ત્રણ સ્થળે પાણી મારો ચલાવી કાબુ મેળવાયો હતો.

આજથી માર્કેટ યાર્ડમાં શરૂ થશે મગફળીની ખરીદી

આજે લાભ પાંચમ.દીપાવલીના શુભ તહેવારો પછી આજથી નવા વહેવારનો દિવસ.ધંધા -રોજગારને કોરોના કાળ પછી આ વખતે તેજીનો ટકોરો વાગ્યો છે .આજથી રાબેતા મુજબ ધંધા-રોજગાર પૂર્વવત થશે .ત્યારે, જે ઘડીની રાહ જોવાઈ રહી છે એ ટેકાના ભાવની મગફળી આજથી સરકાર ખરીદ કરશે. વર્ષ 2021-22 માં પ્રતિ ક્વિન્ટલ રૂ.5,550 ના ભાવે ખરીદી કરાઈ હતી . જે વર્ષ 2020-21 માં પ્રતિ ક્વિન્ટલ રૂ.5,275ના ભાવે ખરીદી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 57,579 રાજકોટ જિલ્લામાં નોંધણી થઇ છે. અને નોંધાયેલા ખેડૂત દીઠ 2500 કિલો મગફળીની ખરીદી થશે.
રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં કુલ 7.03 લાખ મેટ્રિક ટન મગફળી સરકારે ખરીદી છે તો જમીનના પ્રમાણમાં 500 કિલો બીજી વખત ખરીદીની સરકારની તૈયારી પણ છે. ટેકાના ભાવની મગફળીની પ્રક્રિયા અંદાજે ત્રણ માસ સુધી રહી શકે છે. રાજ્યના 2.65 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે.
મગફળી ખરીદી અંતર્ગત જિલ્લાઓમાં કલેક્ટરની આગેવાનીમાં ટીમ પણ બનાવવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં કુલ 7,03,137 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન થયું હતું. 1 ઑક્ટોબરથી ચાલુ થયેલા આ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં 1 લાખ 10 હજાર 243 થી વધુ ખેડૂતોએ મગફળી ખરીદીના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 26 હજાર 998 રજિસ્ટ્રેશન ખેડૂતો જ્યારે તે બાદ ગીર સોમનાથ જિલ્લામાં 23 હજાર 745 થી વધુ રજિસ્ટ્રેશન થયા છે.
રાજ્ય સરકારે મગફળી ખરીદીને લઇને મહત્વનો નિર્ણય કરતા લાભપાંચમથી મગફળી ખરીદી શરૂ થશે ત્યારે મગફળી ખરીદી માટે સરકાર વીડિયોગ્રાફીની મદદ લેશે આ ઉપરાંત CCTV કેમેરાના નિરીક્ષણ હેઠળ મગફળીની ખરીદી કરાશે.રાજ્યના 155 APMC કેન્દ્રો પર મગફળીની ખરીદી થવાની છે ત્યારે સરકારે વિડીયો ગ્રાફી અને CCTVની નિગરાનીમાં આ ખરીદી થાય તેવો નિર્ણય લીધો છે.મગફળી ખરીદી વેળા કૃષિ યુનિવર્સિટીના 150 અધિકારીઓ પણ સુપરવિઝનનાં કામમાં જોડાશે. સાથોસાથ 450 કરતાં વધુ કર્મચારીઓનો સ્ટાફ ખરીદીના કામમાં લાગશે. કેટલીક વધારાની જવાબદારી અંતર્ગત એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત વધારાના 120 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

સુરત: આખરે અઢી વર્ષીય માસુમનો દુષ્કર્મી હત્યારો પોલીસના હાથે ઝડપાયો

સુરતના પાંડેસરામાં દિવાળીના દિવસે થયેલ અપહરણ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ગુડડું મધેશ યાદવ મૂળ બિહારનો વતની છે અને સુરતના પાંડેસરામાં ભગવતી નગરમાં રહી ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપીને ઝડપભેર સજા મળે તે માટે પોલીસ ઝડપી ચાર્જશીટ દાખલ કરશે અને કડક સજા થાય તે માટે કામગીરી હાથધરી છે.
100 પોલીસ કર્મીની ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને માસુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં આરોપી ગુડડું માસુમને લઈ જતા નજરે પડ્યો હતો.
આરોપી ગુડડું યાદવે અપહરણ દુષ્કર્મ અને હત્યાને અંજામ આપી સુરતમાં જ પોતાના મિત્રના ઘરે સંતાઈ ગયો હતો. જોકે પોલીસ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચી હતી. આરોપીની અટકાયત કર્યા બાદ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.
આ કેસમાં ઝડપાયેલ આરોપીએ પોલીસને શરૂઆતમાં ગેરમાર્ગે દોર્યા હતા. જોકે કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા આરોપીએ ગુનો કબુલ્યો હતો.પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીના મોબાઈલમાં પોર્ન ફિલ્મ મળી આવી છે. જેને પુરાવા તરીકે કબ્જે કરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું છે કે ચાર્જશીટ ઝડપથી થાય તે માટે કામગીરી કરવામાં આવશે. ઝડપથી કેસ ચાલે તે માટે પ્રયત્ન કરાશે. બાળકી સાથે અઘટિત ઘટના ઘટી છે કે કેમ તે માટે PM કરવામાં આવ્યું હતું. જેમાં બાળકી સાથે બર્બરતા આચરવામાં આવી છે. બાળકી સાથે દુષ્કર્મ આચારી તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું PM રિપોર્ટમાં સામે આવ્યું છે.

રાજ્યની 6 ઔદ્યોગિક વસાહતોમાં અંકલેશ્વરની હવાની ગુણવત્તા સૌથી વધુ બગડી

દિવાળીના તહેવારો, ખરાબ રસ્તા, વાહનોના ધુમાડા, ફટાકડા અને ઉદ્યોગોના લીધે અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા અત્યંત કથળી હતી. જીપીસીબી અને સીપીસીબીએ હવાની ગુણવત્તા જાણવા મુકેલા પોઈન્ટ ઉપર અંકલેશ્વરનો એર ક્વોલિટી ઇન્ડેકસ રાજ્યમાંથી સૌથી વધુ 292 એ પહોંચી ગયો હતો.ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં હવા પ્રદૂષણે માઝા મૂકી હતી. રાજ્યની 6 ઔદ્યોગિક વસાહતોમાં અંકલેશ્વરની હવાની ગુણવત્તા સૌથી વધુ બગડી હતી.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડના 6 ઔદ્યોગિક વિસ્તારોમાં 16 સ્થળે હવાની નોંધાયેલી ગુણવત્તા પૈકી અંકલેશ્વરમાં સૌથી ઊંચું હવા પ્રદૂષણ રહ્યા બાદ અમદાવાદ 256 AQI સાથે બીજા સ્થાને, વાપી 207 સાથે ત્રીજા સ્થાને, ગાંધીનગર 177 સાથે ચોથા સ્થાને અને વટવા 171 AQI સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. જ્યારે નંદેસરીમાં 73 AQI સાથે હવા પ્રદુષણનું પ્રમાણ નોંધાયું ન હતું.

error: Content is protected !!