The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 237

EIL બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક, ઇન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે ઉદ્યોગપતિ અને પત્રકાર હરીશ જોષી નિમાયા

ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટે મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય દ્વારા 3 વર્ષના સમયગાળા માટે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) ના બોર્ડમાં બિન-સત્તાવાર સ્વતંત્ર નિર્દેશક , ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે મેનેજમેન્ટ સલાહકાર, ઉદ્યોગપતિ અને ગુજરાતના ભરૂચ – અંકલેશ્વરના સામાજિક સ્વપ્નદ્રષ્ટા હરીશ જોશી સહીત અન્ય પાંચ પ્રબુદ્ધ લોકો ની નિમણૂંક કરી છે.
EIL એ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના વહીવટી અધિકારક્ષેત્ર સાથે ‘A’ કેટેગરી માં આવતું નવ-રત્ન કેન્દ્ર જાહેર ક્ષેત્રનું એન્ટરપ્રાઇઝ છે. EIL એ ભારત અને વિદેશમાં હાઇડ્રોકાર્બન અને પ્રોસેસિંગ ઉદ્યોગ પ્લાન્ટ સ્થાપવા માટે ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી સેવા તરીકે ઉભરી આવેલી એક ખૂબ મહત્વની કંપની છે. હાઇડ્રોકાર્બન અને પેટ્રોલિયમ, પેટ્રોલિયમ રિફાઇનિંગ, પાઇપલાઇન્સ, ઓન એન્ડ ઓફશોર ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ, વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન, પાવર – થર્મલ, સોલર અને ન્યૂક્લિયર ક્ષેત્રે સેવાઓ પહોંચાડવી એ એનું મુખ્ય કાર્યક્ષેત્ર છે.

ભરૂચના હરીશ જોશી Science અનુ સ્નાતક ડીગ્રી અને માસ કમ્યુનિકેશનમાં અનુસ્નાતક ડીગ્રી ધરાવે છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ છે અને વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સિલ, ભારતીય વિચાર મંચ, રોટરી ક્લબ અને અન્ય મેનેજમેન્ટ, ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. વ્યવસાયિક રીતે, તેઓ ગુજરાતના અનેક અગ્રણી કોર્પોરેટ ગૃહોના મેનેજમેન્ટ સલાહકાર છે. એક પત્રકાર તરીકે તેમને લખવાનો તેમનો જુસ્સો ચાલુ રાખ્યો છે અને તે એક જાણીતા ફ્રીલાન્સર પત્રકાર છે. તેઓ ગુજરાતમાં ભરૂચ સ્થિત પિગમેન્ટ ડિસ્પરશન પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીના ડિરેકટર પણ છે.

ઝઘડીયા: વણાકપોર ગામે જુગાર રમતા ૬ ખેલી ઝડપાયા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.

રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે વણાકપોર ગામના તળાવની પાછળ ખુલ્લી જગ્યામાં મોબાઇલની લાઇટના અજવાળામાં બેસીને કેટલાક ઇસમો જુગાર રમે છે.પોલીસે બાતમી મુજબની જગ્યાએ છાપો મારતા ત્યાં ટોળુ વળીને કેટલાક ઇસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા જણાયા હતા.

જેથી પોલીસે ઘટના સ્થળેથી વિજયભાઇ કાનજીભાઇ વસાવા,રમેશભાઈ રસીયાભાઇ વસાવા, ઝહિરભાઇ નિશારભાઇ સોલંકી,રણજીતભાઇ રતિલાલ વસાવા,સંજયભાઇ સોમાભાઇ વસાવા અને જાવેદભાઇ નિશારભાઇ સોલંકી તમામ રહે.ગામ વણાકપોર તા.ઝઘડીયા જિ.ભરૂચને જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે ઘટના સ્થળેથી મોબાઇલ નંગ ૪ તેમજ રોકડા રૂપિયા મળીને કુલ રૂ.૨૮૩૪૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.કોરોના સંક્રમણ ફેલાય એ રીતે સોસિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના ટોળુ વળીને જુગાર રમતા ઝડપાયેલા આ ઇસમો વિરુધ્ધ રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

ભરૂચ: વરેડિયા નજીક અજાણ્યાં વાહને કારને અડફેટે લેતા સર્જાયો અકસ્માત,૪ થી વધુને ઇજા

દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો

જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરી રહેલા મોહમ્મદ ખાન લતીફ ખાન પઠાણ ઉર્ફે સફી ભાઈના પરિવારની કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો.

આ બનાવ અંગે હજી પોલીસ ફરિયાદ નોંધી રહી છે પરંતું મળતી માહિતી મુજબ અંકલેશ્વરના પઠાણ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા હતાં. જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતાં ત્યારે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લીધી હતી.

જોકે અજાણ્યા વાહનનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં શેખ પરિવારના ચારથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

દહેજ : જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ ઓઢી આગની ચાદર કર્યો આપઘાતનો પ્રયાસ

દહેજના પણીયાદરા ગામ ખાતે જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ આગચંપી કરી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
દહેજના પણીયાદરા ગામના ઊંડા ફળિયામાં રહેતી પરિણીતાના લગ્ન ગત તારીખ 13 મે, 2013ના રોજ રાજેશ ગોહિલ સાથે થયા હતા. જેમને આઠ વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનોનું સુખ પ્રાપ્ત થયું હતું. ગત તારીખ 4 નવેમ્બર, 2021ને દિવાળીના દિવસે તેઓ પોતાના પતિ, બાળકો, સાસુ પાર્વતીબેન ગોહિલ અને સસરા અમરસંગ ગોહિલ સાથે સહ પરિવાર ઘરે હતા. તે દરમિયાન રહીયાદ ખાતે રહેતો તેણીનો દિયર મહેશ ગોહિલ તેની પત્ની સાથે આવ્યો હતો અને દિયર અને સાસુએ રેશમાબેન સાથે વડીલો પારજીત જમીનના ભાગ મુદ્દે તકરાર કરી હતી.
વધુમાં સાસુ અને દિયરે ભાભીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ બંને તેણીને છેલ્લા બે વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપી અવાર નવાર ઝઘડો કરતા હતા, જે ઝઘડાનું લાગી આવતાં પરિણીતાએ ઘરમાં રહેલ કેરોસીન પોતાના શરીરે છાંટી આગ લગાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને પ્રથમ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે દહેજ પોલીસે સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

ભરૂચ: નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર પુનઃ એકવાર છઠપૂજા કરાઇ રદ્દ

ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં ઉજવણીની મંજૂરી મળતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર ઉજવણી રદ કરવાનો નિર્ણય દિનકર સેવા સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

આજથી ચાર દિવસીય ચાલનારા લોક આસ્થાના મહાપર્વ છઠપર્વની શરૂઆત થઈ ગઈ છે. છઠને લઈને નદીઓ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. છઠ પૂજાનું મહત્વ સૌથી વધુ ઉત્તર ભારતમાં જોવા મળે છે. ભરૂચમાં પણ નિલકઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ પર દર વર્ષે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
આ છઠપૂજામાં આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાનો વિશેષ મહાત્મ્ય છે અને છઠપૂજા દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય નાગરિકો નિલકઠેશ્વર મહાદેવ મંદીર ખાતે ઉમટી પડતા હોય છે.
જો કે ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં ઉજવણીની મંજૂરી મળતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર ઉજવણી રદ કરવાનો નિર્ણય દિનકર સેવા સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

દિનકર સેવા સમિતિના જીતેન્દ્ર રાજપુત પાસેથી મળતી માહિતી અનુસાર નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા ઘાટ પર દિનકર સેવા સમિતિ દર વર્ષે મહાપર્વ છઠપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.પણ વૈશ્વિક મહામારી કોરોનાકાળના પગલે છઠપૂજા અગાવ પણ રદ્દ કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા મર્યાદિત સંખ્યામાં છૂટછાટ આપતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવાતા છઠપર્વ પૂજાની ઉજવણી રદ કરવામાં આવી છે.જેનો ખેદ વ્યક્ત કરતા જીતેન્દ્ર રાજપુતે વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે મહાપર્વની ઉજવણી ઘર પાસે ખુલ્લા પ્લોટ કે જમીનમાં ખાડો ખોદી સૂર્યદેવ ને અર્ધ્ય આપી ઉજવણી કરવામાં આવે સાથે આજથી શરૂ થતાં છઠપર્વની ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી.

•હરેશ પુરોહિત, ન્યુઝ લાઇન,ભરૂચ

જંબુસર : વેડજમાં ગેંગ રેપ થયાની ફરીયાદ, બે ઝડપાયા

જંબુસર તાલુકા ના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર મા ગેંગ રેપ અંગે ની ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

જંબુસર તાલુકા ના એક ગામના ના એક મહિલા સાથે વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર ની હદમાં આવેલ એક ખેતરમા એક મહિલા જેઓ બપોર ના સમયે કપાસના ના ખેતર મા વાંદરાઓના ત્રાસ ને કારણે કપાસ ના પાકને સાચવવા ગયેલ તે સમયે કારીયો ર્ઉર્ફે કાલિદાસ ગેમલ પઢીયાર અને યોગેશ રણજિત પરમાર એ આવી ભોગ બનનાર મહિલાને ખેતરમાં બનાવેલ માંચડા પરથી નીચે પાડીને કપાસના ખેતરમા ઢસડી જઈ તેની સાથે દુષ્કર્મ આચારેલ.જે અંગે ફરિયાદ કરાતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આ મામલે વેડચ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. આર. પટેલે સઘન તપાસ કરી ગણતરી ના કલાકોમાં જ આરોપીઓને શોધી કાઢી અને તેમની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. હાલમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ બાદ આગળની કાર્યવાહી ના ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

•મોહમ્મદ ખત્રી ન્યુઝલાઇન, આમોદ

મેચ પૂર્વે જ અબુ ધાબી ગ્રાઉન્ડના ભારતીય પીચ ક્યુરેટર મોહન સિંહનું શંકાસ્પદ મોત

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રવિવારે બપોરે અબુ ધાબી ગ્રાઉન્ડ પર મેચ રમાઈ હતી. મેચ શરૂ થાય તેની ગણતરીના કલાકો અગાઉ આ ગ્રાઉન્ડના ચીફ પીચ ક્યુરેટર અને ભારતીય એવા મોહન સિંહનું શંકાસ્પદ મોત થતા ખળભળાટ મચી ગયો છે. યુએઈ ક્રિકેટના સૂત્રોના મતે મોહન સિંહનું દુઃખદ નિધન થયું છે. મોત પાછળનું કારણ જાણી શકાયું નથી. આ અંગે વિસ્તૃત માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મહત્વપૂર્ણ મેચ અગાઉ જ અબુ ધાબી ગ્રાઉન્ડના મુખ્ય પીચ ક્યુરેટરના મોતથી અનેક સવાલો ઉભા થયા છે.

મોહન સિંહ ગઢવાલના વતની હતા અને તેઓ અગાઉ બીસીસીઆઈના ચીફ ક્યુરેટર દલજીત સિંહ સાથે મોહાલીમાં કામ પણ કરી ચુક્યા છે. તેઓ 2000માં યુએઈમાં સ્થાયી થયા હતા અને અબુ ધાબી ગ્રાઉન્ડના મુખ્ય પીચ ક્યુરેટર તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે તેનું શંકાસ્પદ મોત થયું હતું. આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું સૂત્રએ જણાવ્યંન હતું.

બોર્ડના મુખ્ય પીચ ક્યુરેટર દલજીત સિંહ 22 વર્ષથી સેવામાં છે અને તેમણે મોહનના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, તે એક હોશિયાર વ્યક્તિ હતો. મોહન સખત મહેનતું અને કુશળતા ધરાવતો યુવક હતો. કેટલાક સૂત્રના મતે આ આત્મહત્યા હોવાની આશંકા છે પરંતુ સમગ્ર હકિકત તપાસ બાદ જ જાણી શકાશે.
•સૌજન્ય: એજન્સી, અબુ ધાબી

રાજપારડી: રવજીભાઇ વસાવા દ્વારા તલોદરા ખાતે ભાઇબીજ પર્વની કરાઇ અનોખી ઉજવણી

દિવાળીની વિદાય બાદ શરૂ થતું નવું વર્ષ નવા ઉત્સાહ અને ઉમંગથી શરૂ થતું હોય છે.નવા વર્ષની શરૂઆતનો બીજો દિવસ એટલે ભાઇબીજ. ભાઇબીજનું પર્વ એટલે રક્ષાબંધનની જેમજ ભાઇ બહેન વચ્ચેના સ્નેહ અને લાગણીનું પર્વ.ભાઇબીજના દિવસે ભાઇ પોતાની બહેનોને યથાયોગ્ય ભેટ આપીને પર્વને સ્નેહમય બનાવતો હોય છે.
સમગ્ર ભારતમાં ભાઇબીજનું પર્વ ઉમંગભેર મનાવાતુ હોય છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ભાજપા અગ્રણી રવજીભાઇ વસાવાએ ભાઇબીજના પર્વને અનોખી રીતે મનાવ્યું હતુ. આ પ્રસંગે તેમના દ્વારા ગામની ૧૨૧ જેટલી બહેનોને સાડીની ભેટ આપવામાં આવી હતી. ભાઇબીજના આ સાડી વિતરણ કાર્યક્રમમાં રવજીભાઇ વસાવાની સાથે યુવા કાર્યકર દિનેશભાઇ વસાવા હાજર રહ્યા હતા. ગામની બહેનોએ સાડીની ભેટ સહર્ષ સ્વિકારીને તેમને પર્વની શુભેચ્છા પાઠવી હતી.

•ફારૂક ખત્રી ન્યુઝલાઇન, રાજપારડી

અંકલેશ્વર- હાંસોટ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ૩ થી વધુને ઇજા

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ૩ થી વધુ ઇસમોને ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે ખસેડયા હતા.
તા.7 નવેમ્બરના રોજ બાઈક નંબર-જી.જે.16.સી.આર.6195 લઈને એક યુવાન અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વ્રજ વીલા સોસાયટી સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલ કાર નંબર-જી.જે.05.જે.ડી.1199ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જી કાર બાજુમાં આવેલી કાંસમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી.

ગુજરાતમાં પહેલીવાર હાંસોટના અંભેઠા ગામે ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલની યોજાઇ મીટીંગ

આજ રોજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંભેઠા ગામ માં હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા સાહબ ની દરગાહ શરીફ માં ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ ની એક અગત્ય ની પહેલી વાર ગુજરાત રાજ્ય માં મીટીંગ યોજવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંભેઠા ગામ માં હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા સાહબ ની દરગાહ શરીફ માં ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ ની એક અગત્ય ની પહેલી વાર ગુજરાત રાજ્ય માં મીટીંગ યોજવામાં આવી હતી.
આ મીટીંગ માં ખાસ મહેમાન તરીકે અજમેર શરીફ થી હઝરત સૈયદ જૈનુલઆબેદીન દીવાન સાહબ નાં સુપુત્ર અને ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ નાં ચેરમેન હઝરત સૈયેદ નસીરુદ્દીન બાવા સાહબ ઉપસ્થિત રહયા હતા અને આ મીટિંગ માં ગુજરાત રાજ્ય તેમજ ગુજરાત ની બહાર નાં બીજા રાજ્યો નાં પણ સૂફી સંતો ઉપસ્થિત રહયા હતા.
મીટિંગ માં દેશ ની શાંતિ તેમજ દરેક ધર્મનાં લોકોમાં ભાઈચારો બની રહે તેવી અનેક પ્રકાર ની ચર્ચા વિચારણા કરવા માં આવી હતી અને ભારત દેશ ની તમામ દરગાહ ની ખાનકા ને એક અગત્ય નું સ્થાન મળે એવી પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટિંગ માં બાવા સાહબ એ મીડિયા સમક્ષ એમ પણ જણાવ્યું હતું કે દરગાહ ની ખાનકા ઓ માં હિન્દુ મુસ્લિમ તેમજ અનેક ધર્મ નાં લોકો આવે છે. કોઈ પણ ધર્મ માં નફરત ન ફેલાય અને ભાઈ ચારો અને મોહબ્બત બની રહે એવી એક સીધી સમજ આપવામાં આવી હતી.

•સૌજન્ય : સત્યા ચેનલ, અંકલેશ્વર

error: Content is protected !!