The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 219

ભરૂચના હિંગલોટ ગામમાં AIDS વિશે જાગૃતિ અભિયાન હાથ ધરાયું

• એઇડ્સથી કઈ રીતે બચી શકાય તેની માહિતી અપાઈ

ભરૂચમાં વેલ્ફેર નર્સિંગ કોલેજ અને ઈનર વ્હિલ કલબના સંયુક્ત ઉપક્રમે વિશ્વ એઈડ્સ દિવસ અતર્ગત હિંગલોટ ગામમાં AIDS વિશે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું.

નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસર અને સ્ટાફ દ્વારા આજે હિંગલોટ ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામલોકોને AIDS વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. એઇડ્સથી કઈ રીતે બચી શકાય, શું શું કરવું જોઈએ અને કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ એની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વેલ્ફેર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ઝુબેર પટેલ અને કાદર ડેલાવાળા, ઈનરવ્હિલ કલબના પ્રમુખ રિઝવાના ઝમીનદાર તેમજ સખી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. હિંગલોટ સ્કૂલના આચાર્ય સલિમ પટેલ દ્વારા આ કાર્યકમને સફળ બનાવવા તમામ પ્રકારની સહાયતા કરી હતી. તેમજ જન જાગરૂકતા માટે આવા કાર્યક્રમ અતિ આવશ્યક છે એમ જણાવ્યું હતું.

એઇડ્સથી પીડિત વ્યક્તિ સાથે આત્મીયતા પૂર્વકનું વર્તન કરવું ખૂબ જરૂરી છે. આ રોગને અટકાવવા માટે તમામે પ્રયત્નશીલ બનવું પડશે અને આ ભયંકર રોગ થવાના જે કારણો છે તેને અટકાવવા પ્રયાસ કરવો જરૂરી છે ત્યારે જ સમાજ, દેશ અને વિશ્વ આવા ભયંકર રોગોથી મુક્ત થશે.

ભરૂચના 3 યુવાનોનું સાઉથ આફ્રિકામાં કારનું ટાયર બ્લાસ્ટ થતા મોત

•સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગથી વેન્ડા તરફ જતાં કારનું ટાયર બ્લાસ્ટ થતા અકસ્માત સર્જાયો

•સાઉથ આફ્રિકામાં રોડ અકસ્માતમાં ભરૂચના સેગવા ગામના યુવાન સહિત 3ના મોત

•ઘટનાને પગલે તેમના પરિવારોમાં અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ

ભરૂચ જિલ્લાના સેગવા ગામના રહેવાસી અને હાલમાં સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા શબ્બીર યાકુબ પટેલ નામના યુવાનની કારનો જોહનિસબર્ગથી વેન્ડા તરફ આવતા માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર શબ્બીર યાકુબ પટેલ સહિત 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

શબ્બીર યાકુબ પટેલનો મૂળ વ્યવસાય ટ્રાવેલ્સનો હતો. આજે બુધવારના રોજ પણ શબ્બીર પટેલ જોહનિસબર્ગથી મૂળ ભરૂચના જ 3 પેસેન્જરોને લઈ વેન્ડા તરફ જવા રવાના થયો હતો. જેમાં પીટર્સબર્ગ પાસે પુરપાટ દોડતી કારનું ટાયર બ્લાસ્ટ થતા કારના સ્ટિયરિંગ પરથી ડ્રાઈવર શબ્બીર યાકુબ પટેલે કાબુ ગુમાવતા કાર પલટી જઇ ઘસડાઈ હતી. આ પલટી ગયેલી કારમાં સવાર ભરૂચ જિલ્લાના 3 નાગરિકોનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે તેમના પરિવારોમાં અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

ભરૂચ: ચોરીની બાઇક સાથે એક ઝડપાયો

• એક ઇસમને પકડી વાહન ચોરીના ગનાનો ભેદ ઉકેલતી ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ

ભરુચ શહેર એ ડીવીઝન પોલીસ મથક તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન ચોક્કસ બાતમી મલી હતી કે, સાદીક ઉસ્માન કાઝી નામનો ઇસમ નંબર પ્લેટ વગરની ચોરીની બાઇક સાથે ભરૂચ શહેરમાં આવેલ સુપર માર્કેટ ખાતે આવવાનો છે.

જે આધારે પોલીસ ટીમે તપાસ કરતા સાદીક ઉસ્માન કાઝી નંબર પ્લેટ વગરની બાઇક સાથે સુપર માર્કેટ ખાતે ઉભેલ હતો, પોલીસે તેની પાસે મોટર બાઇકના આધાર-પુરાવા, કાગળો માંગતા તેણે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. જેથી બાઇકના એન્જીન-ચેસીઝ નંબર આધારે રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ-ગુજકોપ અંતર્ગત આપેલ પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતાં આ બાઇકનો રજી.નંબર GJ-05-LQ-6374 હોવાનું તથા આ બાઇક બાબતે સુરત શહેરના રાંદેર પોલીસ મથકે ચોરીનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાઇ આવ્યું હતું.

પોલીસે આ પેશન પ્રો બાઇક કિં.રૂ.૧૫,૦૦૦ સાથે આરોપી સાદીક ઉસ્માન કાઝી રહે. મકાન નં.-બી/૧૭૫, એ, મદિના પાર્ક, બાવા રેહાન દરગાહ પાસે, ભરૂચ ની અટક કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ: જોલવામાં ભાડા બાબતે બોલાચાલી કરી મકાન માલિક અને તેના સાગરીતોએ કરી લૂંટ

ભાડા બાબતે થયેલ બોલાચાલીમાં મકાનમાલીકે ભાડૂઆતની દુકાને જઇ મારમારી કરી રૂપિયા ૧,૧૦,૦૦૦ની લૂંટ

ભરૂચ જિલ્લાના જોલવા ગામે ભાડેથી મકાન રાખી કરિયાણાની દુકાન ચલાવતા ભાડૂઆતને મકાન માલીક સાથે ભાડુ આપવા બાબત થયેલ બોલાચાલીમાં મકાનમાલિક અને તેના મળતીયાએ ભાડૂઆતને મારમારી તેની પાસેની સોનાની ચેઇન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦ની મત્તાની લૂંટ કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ ગીર ગઢડાના કાંધી ગામના વતની અને હાલ શ્રી ગણેશ કરિયાણા સ્ટોર્સ નામે દુકાન ભાડે રાખી કરીયાણાનો વેપાર કરી જોલવાની સાંઇદર્શન સોસાયટી,વેલકમ સોસાયટીની પાછળ મકાન નં. ૧૦૮માં ભાડે રહેતા ત્રિભોવન ભીખાભાઇ સાખંટ ઉ.વર્ષ ૨૭ને તા.તા.૨૯ની સાંજે ૬.૩૦ કલાકની આસપાસ તેના મકાન માલિક નરેશ ખૈની સાથે જીતુભાઇ સાવલીયા અને અન્ય એક ઇસમે ત્રિભોવન સાખંટ ની દુકાને ધસી આવી મકાનનું ભાડુ આપવા બાબતે બોલાચાલી ઝઘડો કરી તાત્કાલીક ભાડુ માંગ્યું હતું.

ભાડૂઆત ત્રેભોવન સાંખટે આપવાની થતી ભાડાની રકમ રૂ.૪૩,૫૦૦ સગવડ કરીને આપવા કહેતા મકાન માલિક અને તેના બે સાગરીતોએ ઉશ્કેરાઇ જઈ, ભેગા મળી ભાડૂઆત ત્રિભોવનને માથું પકડી દિવાલ તથા કાચની બારી સાથે માથું ભટકાડી ત્રિભોવનને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.

જે બાદ મકાન માલિક સહિતનાઓએ ત્રિભોવન સાંખટના ખિસ્સામાં રહેલ રૂપિયા ૬૫,૦૦૦ રોકડા તેમજ તેણે પહેરેલ સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦ની મત્તાની લૂંટ ચલાવી ત્રિભોવનને જાતી વિષયક ગાળો આપી જતા રહ્યા હતા. આ ઘટનામાં ઘાયલ ત્રિભોવનને માથામાં તેમજ શરીરે ઇજાઓ પહોંચતા તેને ૧૦૮ મારફતે સારવાર અથે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયો હતો.જ્યાંથી ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે વર્ધીના આધારે ત્રિભોવને મારમારી લૂંટ ચલાવ્યાની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

નેત્રંગ વનવિભાગે કાંટીપાડા ગામેથી લાકડાની હેરાફેરીનો કર્યો પદૉફાસ

નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બદલવા ગામના રમણપરાના જંગલ વિસ્તારના કોતરના ભાગે કુદરતી રીતે ઉગી નિકળેલ આમલીના વૃક્ષને ખેડુતે કપાવીને લાકડાના વેપારીને વેચાણ કર્યુ હતું.

જેમાં ટેંપા નં :- જીજે-૨૩-વી-૧૨૩૪ માં ભરાવીને ફેરાફેરી થઈ હોવાની બાતમી નેત્રંગ વનવિભાગને મળતા નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કાંટીપાડા ગામના બસસ્ટેન્ડ પાસેથી વોચ ગોઠવીને ટેંપાને રોકાવી તેની તપાસ હાથધરતાં લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

નેત્રંગ વનવિભાગે ટેંપો અને લાકડાનો જથ્થો કબ્જે કરીને ખેડુત મેલા રામસિંગ વસાવા (રહે.બામલ્લાકંપની),લાકડાનો વેપારી સોમા બામણીયા વસાવા (રહે.કોચબાર),લાકડાનો વેપારી સુરેશ ઝીણા વસાવા (રહે.કોચબાર) અને મહેશ સોમા વસાવા (રહે.કોચબાર) વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

•દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન,નેત્રંગ

માનવીની જીવવાની જીજીવિષાએ સર્જ્યા અનેક આશ્ચર્ય ! બ્લોગ બાય : ડો.રશ્મિકાન્ત મહેતા

The Anatomy of hope
Book written by
Ddr jeromy Groopman
He is a famous chemotherapist dealing with the cancer patients of US and author of many books.In This book he reveals his experiences with the patients he encounters during his entire carrier. I couldn’t resist my temptation to briefsome chapters which influence me most
Im going to write in gujarati for my friend’s
ધ અન ડાઈંગ હોપ સંક્ષિપ્તમાં…
પુસ્તક ધ એનેટોમી હોપ ના લેખક અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનીવર્સીટીના બોસ્ટન ખાતેના બેથ ઇઝરાયલ ડેકોન્સ મેડીકલ સેન્ટરના ચીફ તરીકેના કાર્યકાળ દરમ્યાન દર્દીઓને જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝુમતા જોયા છે. માનવીની જીવવાની જીજીવિષાએ અનેક આશ્ચર્ય સર્જ્યા છે.અહિંયા આ પુસ્તકના એક પ્રકરણ ધ અન ડાઈંગ હોપને સંક્ષિપ્તમાં રજુ કરેલ છે.

દર્દીના મનમાં ધરબાયેલ લાગણીઓ અને વિચારો સારવાર કરતા તબીબ સમક્ષ પ્રદર્શિત કરે તે ડોકટરને દર્દી તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે.વાર્તાનું મુખ્ય પાત્ર બાર્બારા વિલ્સન નામની ૬૭વર્ષની નિવ્રુત શિક્ષિકા છેબાળકો નથી પતિનું વર્ષો પહેલા અવસાન થયેલ છેતેણી હાલમાં ચર્ચમાં કાઉન્સીલરતરીકે સેવા ઓ આપી રહી છે.

બર્બારા મારી પાસે આવી તે અગાઉ તેની ડાબી છાતીમાથી કેન્સરની ગાંઠ કાઢી નાખવામા આવેલી ,મારી પાસે તેણીને કીમોથેરીપી માટે રીફર કરવામાં આવેલી.તેણી શિયાળાની ઠંડી સવારે મારી ઓફીસના વેઇટીગમા સાથે આવેલ મહિલા સાથે શાંત ચિત્તેબેઠી હતી. મેં તેને ઓફીસમાં બોલાવી તે કોઇ પણ તાણ વિના બેઠી. મેં તેને સાથે આવેલ સ્ત્રીને બોલાવવા કહ્યું તેણીએ ના પાડી.મારે બોડીગાર્ડની જરૂર નથી.ચર્ચા શરૂ કરતા મેં જણાવ્યુ તારી બીમારીખૂબ જ ઘાતક પ્રકારનો કેન્સર છે. આપણે જલદી સારવાર કરવી પડશે.

હું પણ તેમ જ માનું છું તેણીએ સ્વસ્થતા પૂર્વક કહ્યું.મેં કીમોથેરપીની આડઅસરોની ચર્ચા કરી.તેણીએ જણાવ્યુ હું બને એટલી જલદી સારી રીતે જીવવા માંગું છું. મારા પર ગીની પીગ જેમ નવી દવાનો પ્રયોગ કરવાનો વાંધો નથી. તેણે પોતાની પર્સમાથી કાગળ કાઢી બતાવ્યા જે તેણીનુ વસિયત નામું હતું હાલ જે ચર્ચમાં સેવા આપે છે ત્યાના રેવરન્ડ મી બીલ બીબકોકને ઓફ એટર્ની આપવામાં આવેલ, તેણીની અંતીમ અવસ્થામાં યુથેનેશ્યા એટલે કે જિંદગી ટુંકાવવાના પણ પાવર મી બીલને આપેલ.

બાર્બારા તેના કીમોથેરાપી સેશન દરમ્યાન એકલી જ આવતી. આજુબાજુ સારવાર લેતા દર્દીઓ પર એક નજર નાંખી જો નજર મળે તો હકારાત્મક સ્મિત આપતી.બાર્બારા મને કહેતી કે ચર્ચની હાલીગ કમિટીની હું સભ્ય છું. પરંતુ આજે મને એહસાસ થાય છે કે કોઇને એક ફૂલનો બૂકે મોકલી આપવો ને રૂબરૂ સાંત્વના આપવીમા કેટલો ફેર છે !
ત્રણ મહિનાની કીમોથેરાપીથી બાર્બરાનુ ટયુમર ઓગળી ગયું સારવારની કોઇ સાઈડ ઇફેક્ટ નહોતી તેણીએ ચર્ચની કામગીરી ફરી સંભાળી,કોલેજકાળના જુના મિત્રોને મળી.તેણીની ભત્રીજી માટે નાણાકીય વ્યવસ્થા કરી. તેણીએ મને એક વાર કામોના સેશન દરમ્યાન જોક કહ્યો- સંત પીટર સ્વર્ગના પર્લી ગેટ દરવાજા પર નવા આવનારના યોગ્યતા પત્રો તપાસતા હોય છે. એક દિવસ પૃથ્વી પરથી ઘણા સંતો પ્રવેશ માટે શાંતિથી પોતાના વારાની રાહ જોતા ઉભા હોય છે. ત્યાં એકાએક સફેદ કોટ અને ગળામાં સ્ટેથોસ્કોપ લગાવેલ વ્યકિત સીધો પર્લી ગેટમા ઘુસી જાય છે. લાઇનમાં ઉભા રહેલ એક સંતથી ના રહેવાયું તેમણે સંત પીટરને પૂછ્યું કે આ કોણ છે આપની પરવાનગી વીના પર્લી ગેટમા પ્રવેશ કરે છે ?

ઓહ એઓ ગોડ છે !! તેઓ એવુ વિચારે છેકે પોતે ડોક્ટર છે! સંત પીટરે કહ્યું.બાર્બરાએ જે કહેવું હતું. તે કહી દીધું તેણીએ શબ્દો ખૂબ કાળજીપૂર્વક વાપર્યા હતા!
સાત મહીના બાદ બાર્બરાના ટયુમરે ફરી ઉથલો માર્યો. મેં બાર્બરાને હવે પછીની કીમોથેરાપીની ચર્ચા કરીને જણાવ્યું કે જો આ સારવાર નિષ્ફળ જશે તો ત્યારે બાદ કોઇ ગાંઠ ઓગાળે તેવી સારવાર નથી. તેણી એકદમ સ્વસ્થ હતી ‘ જે કરવું હોય તે જલદી કરો મારે હજુ ઘણા કામ કરવાના છે’ તેણીએ કહ્યું. બાર્બરાના છેલ્લા કીમો બાદ ટયુમર ઓગળવાનું શકય બન્યું નહી હવે મારી પાસે કોઇ સારવાર રહી નહોતી. મે બાર્બરાને આ પરિસ્થિતિ જાણ કરવાનું નક્કી કર્યું.

એક સાંજે હોસ્પીટલની ચહલપહલ શાંત થયા બાદ મે બાર્બરાની મુલાકાત લીધી. અભિવાદનની આપલે બાદ હું મુદ્દા પર આવ્યો,કહ્યું બાર્બરા સારવારની શરૂઆતથી આપણે પ્રમાણિક રહ્યા છીએ.હવે આગળ કંઈ સારવાર આપવી તે મારી જાણમાં નથી. બાર્બરાએ હકારમાં માથું નમાવ્યુ. તેણે કહ્યું છે જેરી,હજુ તારી મૈત્રીની દવા છે’
મને હતું બાર્બરા તૂટી જશે પણ તે શાંત સ્થિર હતી. મારી ઓફીસના બૂકસેલ્ફમા ડો. એરીકની ‘ડોકટરીગ પુસ્તક પર ધ્યાન ગયું જેમાં તે જણાવે છે કે કેટલાક દર્દીઓ એવા હોય છે જેને ડોક્ટર પ્રેમ કરવા લાગે છે.એવા પ્રકારનો પ્રેમ જેમાં લાગણી અને વિચારો ધંધાકીય સંબંધો કરતા મૈત્રીના વધુ હોય છે. બાર્બરા સાથે હવે મૈત્રીનો સબંધ વધુ છે!
એક સાંજે મે તેની મુલાકાત લીધી. મૈત્રીનો ડોઝ આપવા આવ્યા છો? મે કહ્યું હા,ખૂબ દર્દ થાય છ? તેણે હા કહ્યું અને ઉમેર્યું હું બેભાનવસ્થામા મરવા માંગતી નથી.મે પૂછયું ડર લાગે છે? તેણે કહ્યું ધાર્યા કરતા ઓછો.ખબર નહી પણ મને ખૂબ સકારાત્મક વિચારો આવે છે.ઈશ્વર ખરેખર છે કે નરી માનવીય કલ્પના તે ખબર નથી. પણ ક્રીષ્ચીયન તરીકે પૂર્ણ શ્રધ્ધા છે કે ઇશ્વર મારી સાથે જ છે. હું માનું છું કે હું ઇશ્વર પાસે જઇ રહી છું કંઇ રીતે તે ખબર નથી, હું પુનર્જન્મમાં પણ માનું છું.

મ્રુત્યુનો ડર નથી મારી અગાઉ કરોડો લોકો મરણ પામ્યા છે. જીવન છે તો મૃત્યુ છે. તેને હોસ્પીટલ માંથી રજા આપવામાં આવી પછી નર્સીગ સ્ટાફે તેની સારી કાળજી લીધી થોડા દિવસ પછી તે અવસાન પામી. મૃત્યુ સમયે ચર્ચના રેવરન્ડ મી બીલ હાજર હતા. તેણીએ શાંતિથી દેહ છોડ્યો. મૃત્યુ પછી તેની ઇચ્છા મુજબ થોડા લોકોની હાજરીમાં રેવરન્ડ મી બીલ અંતીમવિધી પૂર્ણ કરી. બાર્બરા પોતાના મનની શુષુપ્ત લાગણીઓ વ્યક્ત કરી એવી બીજા કોઇ દર્દીએ નથી કરી. અમારા સંબંધો ડોક્ટર દર્દીનાથી આગળ દોસ્તીના થયાતેણીએ મને તેના અંગત બાબતો શેર કરવા યોગ્ય ગણ્યો તે સારવાર કરનાર ડોક્ટર માટે સામાન્ય વાત નથી.

•A friendship beyond professionalism…. ડો જેરોમ ગૃપમેન એમ. ડી.

•બ્લોગ બાય : ડો.રશ્મિકાન્ત મહેતા

કોરોના સંક્ર્મણ રોકવા 30 સેન્ટર પર ભરૂચ નગર પલિકા દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો

ભરૂચ નગરપાલિકા દ્વારા વૈશ્વિક મહામારી કોવિડ-19 ના સંક્રમણને રોકવા માટે કોવિડ વેક્સિનેશન માટેના બીજા ડોઝના મેગા વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત જે વ્યક્તિએ રસીનો બીજો ડોઝ લીધો નથી તે વ્યક્તિઓએ માટે આજરોજ પોતાના નજીકના વેક્સિનેશનના સ્થળે રસીનો બીજો ડોઝ આપવાનું આયોજન કરાયું છે.જેમાં પાલિકા દ્વારા શહેરના 30 જેટલા વેક્સિનેશન સેન્ટરમાં મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પટેલ વેલફેર હોસ્પિટલ, સંતોષી વસાહત આંગણવાડી કેન્દ્ર, લીમડી ચોક નવી વસાહત આંગણવાડી કેન્દ્ર, ઈકરા સ્કુલ ખુસ્બુ પાર્ક,અંજુમન સ્કુલ નાગોરીવાડ,લીંબું છાપરી આંગણવાડી કેન્દ્ર, નારાયણ સ્કુલ, કામદાર ભવન શક્તિનાથ, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન, સોન તલાવડી આંગણવાડી કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર-ધોળીકૂઈ, ફલશ્રુતી નગર, દિવ્ય જીવનસંઘ હોલ, સી-ડીવીઝન પોલીસ સ્ટેશન સામે,કસક ગોલ્ડન બ્રીજ આંગણવાડી, મક્તમપુર જુની પોસ્ટ ઓફિસ, નારાયણ હોસ્પિટલ મકતમપુર, સીવીલ હોસ્પિટલ, સ્કાઉટગાઈડ હોલ રૂંગટા સ્કુલની બાજુમાં, રાણા પંચની વાડી ચીંગસપુરા ગોલવાડ, બરાનપુરા સ્કુલ, નિલકંઠ સ્કુલ કલામંદિર સામે,ફાટા તલાવ સેનેટરી વોર્ડ ઓફિસ, આલી માતરીયા તળાવ આંગણવાડી કેન્દ્ર સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

નેત્રંગ:વિજયનગર ખાતે દિપડાએ વાછરડાનું મારણ કરતા ફેલાઇ દહેશત

નેત્રંગ તાલુકાના વિજયનગર ખાતે દિપડાએ દેખા દઈ એક વાછરડાનું મારણ કરવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા સાથે દહેશતનું વાતાવરણ ઉભુ થયું છે.

નેત્રંગ તાલુકાના વિજયનગર-ચીકલોટા ખાતે આવેલ નિશાળ ફળિયામાં રહેતા પશુપાલક રેવાબેન પરસોત્તમભાઈ વસાવાના ઘરના બાજુના ભાગે આવેલ કોઢીયાં માં ગત રાત્રીના સમયે બાંધેલ વાછરડાનું દીપડાએ મારણ કરતા ચકચાર મચી જવા પામી હતી. એકાએક કોઢીયામાં બાંધેલા વાછરડાનું મારણ થવાના પગલે પશુપાલકો સહિત ગ્રામજનોમાં દહેશત ફેલાવા પામી છે.ગ્રામજનો દ્વારા વન વિભાગ દ્વારા સત્વરે પાંજરૂ મુકી દિપડાને પકડવાની માંગ ઉઠવા પામી છે.

ભરૂચ: નબીપુર નજીક ટ્રેનમાંથી પડી જતા યુવાન થયો ધાયલ

ભરૂચના નબીપુર અને ચાવજ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ગત સાંજે એક યુવાન ઘાયલ અવસ્થામાં બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયો હતો.

ભરૂચ નબીપુર અને ચાવજની વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ગત સાંજે કોઇ ટ્રેન માંથી પડી જતા ઘાયલ અવસ્થામાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને ૧૦૮ માતફતે સારાવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયો હતો. આ ઘાયલ યુવાન પાસેની બેગમાં તેના ૧ જોડી કપડા તેમજ આધાર કાર્ડ અને પેન કાર્ડ મળી આવ્યો હતો. જેમાં તેનું નામ મુસ્તકીમઅલી ઉમરઅલી હોવાનું અને તે ગોરખપુર જિલ્લાના ખજની તાલુકાના મુકારિમપુર ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. જે આધારે વર્ધી મળતા પોલીસે તે ભાનમાં આવે તો તેના જવાબ લઈ વધુ તપાસ રેલવે પોલીસને સોંપવા કવાયત હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં આ યુવાન બેભાન હોય તે કેવી રીતે ઘાયલ અવસ્થામાં રેલવે ટ્રેક ઉપર આવ્યો તે જાણી શકાયું નથી.

ભરૂચ: જોલવામાં મકાન માલિકની કમાન છટકતા ભાડૂઆત ઝુડાયો

•ભાડા બાબતે થયેલ બોલાચાલીમાં મકાનમાલીકે ભાડૂઆતને ઝુડી નાંખ્યો

ભરૂચ જિલ્લાના જોલવા ગામે ભાડેથી મકાન રાખી કરિયાણાની દુકાન ચલાવતા ભાડૂઆતને મકાન માલીક સાથે ભાડુ આપવા બાબત થયેલ બોલાચાલીમાં મકાનમાલિક અને તેના મળતીયાએ ભાડૂઆતને ઝુડી નાંખતા સારવાર અર્થે ખસેડાયો હતો.

મૂળ ગીર ગઢડાના કાંથી ગામના વતની અને હાલ દુકાન ભાડે રાખી કરીયાણાનો વેપાર કરી જોલવાની વેલકમ સોસાયટીમાં ભાડે રહેતા ત્રિભોવન ભીખાભાઇ સાખંડ ઉ.વર્ષ ૨૭ને ગત સાંજે ૬.૩૦ કલાકની આસપાસ તેના મકાન માલિક નરેશ ખૈની સાથે મકાનનું ભાડુ આપવા બાબતે બોલાચાલી ઝઘડો થતાં મકાન માલિક નરેશ તથા તેના સાગરીત જીતુએ ભેગા મળી ભાડૂઆત ત્રિભોવનને માથું પકડી દિવાલ સાથે ભટકાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાં ત્રિભોવનને માથામાં તેમજ શરીરે ઇજાઓ પહોંચતા તેને ૧૦૮ મારફતે સારવાર અથે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયો હતો.

આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે વર્ધીના આધારે ત્રિભોવનની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

error: Content is protected !!