The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 213

નેત્રંગ: મોટા જાબુંડા ગામની સીમમાં દિવસે દીપડાએ વૃદ્ધ ઉપર કર્યો હુમલો

• પતિ પત્ની મોતીયાના જંગલમાં મણિપુર વગામા તુવેર તોડવા ગયા હતા.

• કોતર નજીક પાણીની ગટરમાંથી દીપડાએ નીકળી સામેથી બે પગે ઉભો થઇ હુમલો કર્યો.

મોટા જાબુંડાના આદિવાસી ખેડૂત તેના મોતીયા જંગલ વગામાં આવેલા ખેતરમાં તેના પત્ની સાથે તુવેર તોડવા જતા પાણીની ગટરમાંથી આકસ્મિક દીપડો આવી સામેથી હુમલો કરતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા.બનાવને લઈ ખેડૂતોમાં દિવસે ખેતીકામ માટે જવું બન્યું મુશ્કેલ લોકો ડરી રહ્યા છે.

રામસીંગભાઈ હીરાભાઈ વસાવા ઉમર 61 રહે નાના જાંબુડા મોતિયાના જંગલમાં નાના જાંબુડાની સીમમાં આવેલ તેના સાડા ચાર એકર જમીનમાં ડાંગર અને તુવેર ચોમાસુ પાક કરી રહ્યા છે. બપોરે મોતિયાના જંગલ નજીક મણિપુર વગામાં તુવેર તોડવા માટે રામસિંગભાઈ અને તેમના પત્ની સુમિત્રાબેન સાથે ગયા હતા .એ અરસામાં તુવેર તોડતી વખતે ખેતરના સેઢા ઉપર કોતરમાં પાણી કાઢવાની ગટરમાંથી દીપડાએ આકસ્મિક રામસિંગભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. દીપડોએ ગટરમાંથી સીધો સામેથી જ આવી પંજાના નખ મારી ઇજાગ્રસ્ત કરી નાખેલ હતા .દીપડાએ હુમલો કરતા કાકા અને કાકીએ બૂમ-બરાડા કરતા દીપડો મોતિયાના જંગલમાં નાસી છૂટયો હતો. ત્યારબાદ ચાલીને લોહીથી લથબથ ઘરે પહોંચી દીકરાને કહેતા તાત્કાલિક બાઈક ઉપર નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવી વધુ ઇજાગ્રસ્ત હોવાથી રાજપીપળા સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા.

રામસિંગભાઈ વસાવા ભોગ બનનારે જણાવ્યું કે ગ્રામજનોએ દિપડો પકડવા પાંજરું મૂકવા માંગણી કરી છે આ બાબતે નેત્રંગ પોલીસે જાણવા જોગ ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરી હતી.દીપડાએ તુવેર તોડતા મારી ઉપર આકસ્મિક હુમલો કરી બે પગે ઉભો થઇ કપાળે બંને જડબા ખંભા ઉપર અને ડાબા-જમણા બંને હાથ ઉપર નહોર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા આ સમયે જો હું નીચે પડી ગયા હોત તો આજે દીપડો મને ફાડી ખાત પરંતુ બૂમાબૂમ કરતા દીપડો નાસી જતાં બંનેનો કુદરતી રીતે આબાદ બચાવ થયો હતો આ અગાઉ કુકડાકોતર ગામની સીમમાં એક વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો.આથી નેત્રંગ વિસ્તારમાં દીપડાના હુમલાના બનાવ વધારે બનતા હોવાથી સીએચસી ખાતે પણ આપવામાં આવે તેવી માંગ છે.

ભરૂચ: ૨૫ વર્ષીય પરિણિતાના પુન:સ્થાપન માટે પ્રયત્ન કરતા સખી વન સ્ટોપના કાઉન્સીલરો

ગત ૪થી તારીખે ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર એક આશરે ૨૫ વર્ષીય યુવતી ગુમસુમ બેઠી હોવાની જાણકારી ૧૮૧ને મળી હતી. જેથી ૧૮૧ દ્વારા આ યુવતીને કાઉન્સીલીંગ બાદ ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે કાર્યરત સખી વનસ્ટોપને સોંપવામાં આવી હતી.

સખી વન સ્ટોપ સેન્ટરની બે મહિલા કાઉન્સીલરો દ્વારા સતત આ યુવતીનું કાઉંન્સીલીં કરતા તેણી બે સંતાનોની માતા હોવા સાથે તેની સાસરી યુ.પી.માં હોવાનું અને તેનું નામ તારા સંજય કથીરીયા હોવા સિવાય એ પૈસા ના હોય વગર ટીકીટે રેલ્વે મારફત ભરૂચ આવી હોવાનું જણાવ્યું હતું.સખી વન સ્ટોપના એડમીન વૈશાલી ચાવડા અને એડવોકેટ કાઉન્સીલર હીનલ પરમાર દ્વારા આ બે સંતાનોની માતાને પરિવાર સાથે મેળાપ કરાવી તેના પુન:સ્થાપન માટે સતત પ્રયત્નો હાથ ધર્યા છે. આ પરિણિતા યુવતી આગળ કંઇ પણ બોલતી જ નથી છતાં આ પરિણિતાને તેના પરિવાર સાથે પુન: સ્થાપિત કરવા સખી વન સ્ટોપની મહિલા કાઉન્સીલરો દ્વારા હજુ પણ પ્રયત્નો ચાલુ રાખી યુ.પી. સહીતની જગ્યાઓએ તપાસ હાથધરી છે.

ન્યુઝલાઇનના એડીટર જીજ્ઞેશ ડાંગરવાલા દ્વારા સખી વનસ્ટોપ સેન્ટરની મુલાકાત દરમિયાન સખી વન સ્ટોપના એડમીન વૈશાલી ચાવડા સખી વનસ્ટોપની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર પુરસ્કૃત અને રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમા શરૂ કરાયેલા ‘સખી: વન સ્ટોપ સેન્ટર’ દ્વારા મહિલાઓને અનેકવિધ સેવાઓ પુરી પાડવામા આવી રહી છે. જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘરકુટુંબોમા શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, કોઈપણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, કે વૈવાહિક દરજ્જો, શિક્ષણ, કે ઉંમરના ભેદભાવ વિના આ સેન્ટરની સેવાઓ લઈ શકે છે.

અહીં એક છત નીચે પીડિત મહિલાઓને તજજ્ઞો કાઉન્સેલરો દ્વારા સામાજિક પરામર્શ સાધી જરૂર પડ્યે તબીબી, પોલીસ, કે કાયદાકીય સહાય પુરી પાડવામા આવે છે. જરૂર પડ્યે પીડિતાઓને આશ્રયની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ખરેખર પીડિત અને શોષિત મહિલાઓમાટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યું છે.

ઘરેલુ હિંસાનો ભોગ બનતી પીડિત મહિલાઓને તબીબી સારવારની સાથે આશ્રય, કાનૂની તેમજ કાઉન્સેલિંગ સહિતની સુવિધા એક જ સેન્ટર પર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરની બાજુમાં જ કેન્દ્ર સરકારની યોજના હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચમાં શરૂ થયેલા અને 24 કલાક કાર્યરત સેન્ટરમાં પીડિત મહિલાને 5 દિવસ સુધી હંગામી રહેવાની તેમજ જમવાની પણ સુવિધા ઉપલબ્ધ છે.

ભરૂચ ભીડભંજન હનુમાનજીનો ભાતીગળ મેળો એટલે એકત્વભાવનો અનુભવ

•કોઠા-પાપડીના મેળા તરીકે ખ્યાતી પામનાર કોમી એકતાના પ્રતિક સમાન મેળો

ભીડભંજન હનુમાનનો ભાતીગળ મેળો ભરૂચમાં ખૂબ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામના પરમ ભક્ત શ્રી હનુમાન માગસર મહિનામાં આવતા આ ચાર ગુરૂવાર દમિયાન હાજરાહજૂર હોય છે. દૂર દૂરથી પોતાની આસ્થાને સન્માન આપવા અને માનતા પૂરી કરવા શ્રદ્ધાળુઓ આવે છે. કોઈ પણ નાત જાતથી પર આ મેળામાં સૌ ભાગ લે છે અને આનંદ ઉઠાવે છે.
લગભગ બસોથી વધારે વર્ષ જુનું આ ભીડભંજન હનુમાનનું મંદિર અને એની સામે જ આવેલ એક દરગાહ એ સૌની આસ્થાનું પ્રતિક છે. જે આપણને અનુભવ કરાવે છે કે માનવ જો હળીમળીને રહે અને સર્વ રાગ દ્વેષ વિસરી જાય તો આ જ આપણું સ્વર્ગ છે.

આ મેળાને કોઠા – પાપડીનો મેળા તરીકે પણ પણઓળખવામાં આવે છે. અહીં કોઠા તોડવાની રમત યોજાય છે. કોઠાનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય એવા ખાટ્ટા કોઠામાં અલગ અલગ ફ્લેવરના ટેસ્ટ ઉમેરવામાં આવે છે જે ચાખો તો જ ખ્યાલ આવે. અહી વેચાતી પાપડી એકદમ ઓછા વજનવાળી અને મોઢામાં મૂકતા જ તુરંત પીઘળી જાય એવી હોય છે.અહીં આવતા લોકો અને સ્થાનિક રહીશો દર વર્ષે આ મેળાની રાહ જોતા હોય છે. આ સ્થાનક ઉપર હનુમાનજીના દરશન બાદ જો દરગાહ ઉપર માથું ઝુકાવવું એ પરંપરા રહી છે. આ મેળામાં ગરીબ હોય કે તવંગર, હિન્દુ હોય કે મુસ્લીમ સૌ કોઇ એક સાથે મળી મેળાની મઝા માણતા નજરે પડે છે.જે ખરા અર્થમાં કોમી એકતાનું પ્રતિક છે.

કહેવાય છે કે અહીં આ ચાર ગુરૂવાર દરમિયાન તમારી તમામ મનોકામના પુરી થાય છે માટે દુર દુરથી લોકો દર્શનાર્થે ઉમટી પોતાની મનોકામના પુર્તી કરે છે.તો કેટલાક અહીં ઠંડુ ખાવાની પોતાની બાધા પુરી કરવા પણ આવે છે.

CDS બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહને આજે દિલ્હી લવાશે

•આવતીકાલે કરાશે અંતિમસંસ્કાર

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહને આજે દિલ્હી લાવવામાં આવશે. 10 ડિસેમ્બરના રોજ તેમના અંતિમસંસ્કાર કરાશે. તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ એરફોર્સ ચીફ વી.આર.ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી.

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, જેમને ગંભીર સ્થિતિમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું ત્યારે કુન્નુરનાં જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું.

ભરૂચ :પોલીસ અને વેલ્ફેર હોસ્પિટલ દ્વારા પોલીસ ભરતીના ઉમેદવારો માટે કરાઈ રહેવા-જમવાની વ્યવસ્થા

રાજ્યભરના જુદા જુદા મેદાનો પર પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 સ્થળોએ યોજાતી આ પરીક્ષામાં ઉમેદવારો અન્ય શહેરો, જિલ્લામાંથી ત્યાં પહોંચી રહ્યા છે. જોકે પરીક્ષાનો સમય સવારે 6 વાગ્યાથી શરૂ થતો હોઈ તેમને રાત્રિ રોકાણની અગવડ પડતી હોય છે. એવામાં ઘણી જગ્યાએ સેવાભાવી લોકો આ ઉમેદવારોની મદદે આવી રહ્યા છે, ત્યારે ભરૂચમાં પણ જિલ્લા પોલીસ આવા ઉમેદવારોની મદદે આવી છે.

ભરૂચમાં જીલ્લા પોલીસ તથા ભરૂચ જીલ્લા વેલ્ફેર હોસ્પિટલ તરફથી જંબુસર બાયપાસ ચોકડી ખાતે ભરુચ વેલ્ફેર હોસ્પિટલના સંકુલમાં લોકરક્ષક ભરતીમાં આવતા ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારો કોલલેટર બતાવીને અહીં રહી શકે છે. ઉપરાંત તેમના માટે એક સમયની ચા-નાસ્તાની પણ વ્યવસ્થા વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે.

ભરૂચ :પોલીસ અને વેલ્ફેર હોસ્પિટલ દ્વારા પોલીસ ભરતીના ઉમેદવારો માટે કરાઈ રહેવા-જમવાની વ્યવસ્થા

રાજ્યભરના જુદા જુદા મેદાનો પર પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે. રાજ્યના 15 સ્થળોએ યોજાતી આ પરીક્ષામાં ઉમેદવારો અન્ય શહેરો, જિલ્લામાંથી ત્યાં પહોંચી રહ્યા છે. જોકે પરીક્ષાનો સમય સવારે 6 વાગ્યાથી શરૂ થતો હોઈ તેમને રાત્રિ રોકાણની અગવડ પડતી હોય છે. એવામાં ઘણી જગ્યાએ સેવાભાવી લોકો આ ઉમેદવારોની મદદે આવી રહ્યા છે, ત્યારે ભરૂચમાં પણ જિલ્લા પોલીસ આવા ઉમેદવારોની મદદે આવી છે.

ભરૂચમાં જીલ્લા પોલીસ તથા ભરૂચ જીલ્લા વેલ્ફેર હોસ્પિટલ તરફથી જંબુસર બાયપાસ ચોકડી ખાતે ભરુચ વેલ્ફેર હોસ્પિટલના સંકુલમાં લોકરક્ષક ભરતીમાં આવતા ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારો કોલલેટર બતાવીને અહીં રહી શકે છે. ઉપરાંત તેમના માટે એક સમયની ચા-નાસ્તાની પણ વ્યવસ્થા વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે.

ઝઘડિયા : મોટા વાસણા ગામે દીપડો પાંજરે પુરાયો તો વાલિયાના ડણસોલી ગામે ગૌચરમાં દિપડાનો ગાય પર હૂમલો

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ પંથકમાં ખેડૂતો મોટા ભાગે શેરડીની ખેતી કરતા હોવાથી દીપડાને વસવાટ માટે સુરક્ષિત જગ્યા મળી રહેતી હોય છે. હવે શેરડી કટિંગની સિઝન શરૂ થતાં દીપડા માનવ વસાહત તરફ ખોરાકની શોધમાં આવી રહ્યા છે.ઝઘડિયાના મોટા વાસણા ગામે દીપડાની ચહલ પહલ વધતાં લોકોએ વન વિભાગને તેની જાણ કરી હતી. આખરે દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઝઘડિયા વનવિભાગે જણાવ્યા મુજબ દીપડાની અંદાજે 5 વર્ષની ઉંમર અને અંદાજે 40 કિલો વજન હોવાનું અનુમાન લગાવાય છે.જ્યારે બીજી ઘટનામાં વાલિયા તાલુકાના ડણસોલી ગામે સુનિલ સોમા વસાવા પોતાની ગાયો લઈ ગૌચરણમાં ચરાવવા ગયા હતા. તેવામાં દીપડાએ અચાનક હુમલો કરી એક ગાયને ફાડી ખાધી હતી દીપડાના હુમલાને પગલે પશુ પાલકે ગભરાઈને બુમરાણ મચાવતા લોકો દોડી આવ્યા હતા.

ઝઘડિયા : મોટા વાસણા ગામે દીપડો પાંજરે પુરાયો તો વાલિયાના ડણસોલી ગામે ગૌચરમાં દિપડાનો ગાય પર હૂમલો

ભરૂચ જિલ્લામાં ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ પંથકમાં ખેડૂતો મોટા ભાગે શેરડીની ખેતી કરતા હોવાથી દીપડાને વસવાટ માટે સુરક્ષિત જગ્યા મળી રહેતી હોય છે. હવે શેરડી કટિંગની સિઝન શરૂ થતાં દીપડા માનવ વસાહત તરફ ખોરાકની શોધમાં આવી રહ્યા છે.ઝઘડિયાના મોટા વાસણા ગામે દીપડાની ચહલ પહલ વધતાં લોકોએ વન વિભાગને તેની જાણ કરી હતી. આખરે દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઝઘડિયા વનવિભાગે જણાવ્યા મુજબ દીપડાની અંદાજે 5 વર્ષની ઉંમર અને અંદાજે 40 કિલો વજન હોવાનું અનુમાન લગાવાય છે.જ્યારે બીજી ઘટનામાં વાલિયા તાલુકાના ડણસોલી ગામે સુનિલ સોમા વસાવા પોતાની ગાયો લઈ ગૌચરણમાં ચરાવવા ગયા હતા. તેવામાં દીપડાએ અચાનક હુમલો કરી એક ગાયને ફાડી ખાધી હતી દીપડાના હુમલાને પગલે પશુ પાલકે ગભરાઈને બુમરાણ મચાવતા લોકો દોડી આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં 7.91 લાખ મતદારો લગાવશે સરપંચ અને સભ્યો પર પસંદગીની મહોર

•ભરૂચ જિલ્લામાં સરપંચના 1176, સભ્યના 6987 ઉમેદવારોનું ભાવિ 7.91 લાખ મતદારોના હાથમાં

•જિલ્લાની 483 પૈકી 78 ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ, 421માં ચૂંટણી યોજાશે

•ફોર્મ ખેંચવાના અંતિમ દિવસસે સરપંચના 521 જ્યારે સભ્યના 861 સભ્યોએ ફોર્મ પરત ખેંચાતા પ્રચારનો દોર શરૂ

ભરૂચ જિલ્લાની 483 ગ્રામ પંચાયતો પૈકીની 62 ગ્રામ પંચાયતો સમરસ થતાં હવે 421 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. જેમાં પણ 16 ગ્રામ પંચાયતોમાં સરપંચના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં સરપંચ બિનહરીફ થયાં છે. જ્યારે 1228 સભ્યો બિનહરીફ થયાં છે. હવે 421 ગ્રામ પંચાયતોમાં 1176 સરપંચ તેમજ 6987 વોર્ડ સભ્યના ઉમેદવારો પર કુલ 7.91 લાખ મતદારો પસંદગીની મહોર લગાવશે. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જિલ્લાની 483 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 20 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની હતી.

જોકે, સામાન્ય ચૂંટણીમાં 62 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. જેમાં ભરૂચ તાલુકામાં સૌથી વધુ 13 ગ્રામ પંચાયતો સમરસ બની છે. જ્યારે વાગરા અને નેત્રંગ તાલુકામાં એક પણ ગામ સમરસ થયું નથી. બીજા તાલુકાઓના આંકડા જોઇએ તો વાગરામાં 11 ગ્રામ પંચાયતો, હાંસોટમાં 9, અંક્લેશ્વર અને જંબુસર તાલુકામાં 8-8 તેમજ ઝઘડિયા અને આમોદ તાલુકામાં 7-7 ગ્રામ પંચાયતો સમરસ બની છે.

જેના પગલે હવે 421 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. ગઇકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે સરપંચના 531 તેમજ સભ્યના 861 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં જિલ્લામાં 78 સરપંચ તેમજ 1228 સભ્યો બિનહરીફ થયાં છે. જ્યારે હવે આગામી 19મી ડિસેમ્બરે જિલ્લાના કુલ 7.91 મતદારો સરપંચના 1176 અને વોર્ડ સભ્યના 6987 ઉમેદવારો પૈકીના પોતાના માનિતા ઉમેદવારો પર પસંદગી ઉતારશે.

૬૨ ગ્રામ પંચાયત સમરસ થવાની વાત કરીયે તો ઝઘડિયા તાલુકમાં ઉચ્છદ, ધારોલી, ઓર-પટાર ગૃપ, જેશપોર ગૃપ ,વંઠેવાડ, મોટાવાસણા, નાનાવાસણા,અંક્લેશ્વર તાલુકામાં અમૃતપરા, ખરોડ, હરીપુરા, પારડીઇદ્રીસ, મોતવાણ, ભાદી, છાપરા, કરમાલી,હાંસોટ તાલુકામાં ધમરાડ, અલવા, જેતપોર, વઘવાણ, વાલનેર, દંત્રાઇ, આંકલવા, કુદાડરા, ડુંગરા,વાગરા તાલુકામાં ગંધાર, બદલપુરા, નાંદરખા, સુતરેલ, પખાજણ, મોસમ, વોરાસમની, અંભેલ, વિછીયાદ, સાચણ, સારણ અને ભરૂચ તાલુકામાં ભુવા, વડવા, મહેગામ, એકસાલ, અમલેશ્વર, કેસરોલ, નવેઠા, શેરપુરા, થામ, દહેગામ, મહુધલા, દેરોલ,આમોદ તાલુકામાં ફુરચણ, ઓચ્છણ, કરેણા, અડવાલા, સીમરથા, કોલવણા, ઈખર અને જંબુસર તાલુકાના આસનવડ, વડદલા, સામોજ, આસરસા, કપુરીયા, રૂનાડ, નહાર, થનાવાની પંચાયતો સમરસ થવા પામી છે.

ભરૂચ જિલ્લામાં 7.91 લાખ મતદારો લગાવશે સરપંચ અને સભ્યો પર પસંદગીની મહોર

•ભરૂચ જિલ્લામાં સરપંચના 1176, સભ્યના 6987 ઉમેદવારોનું ભાવિ 7.91 લાખ મતદારોના હાથમાં

•જિલ્લાની 483 પૈકી 78 ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ, 421માં ચૂંટણી યોજાશે

•ફોર્મ ખેંચવાના અંતિમ દિવસસે સરપંચના 521 જ્યારે સભ્યના 861 સભ્યોએ ફોર્મ પરત ખેંચાતા પ્રચારનો દોર શરૂ

ભરૂચ જિલ્લાની 483 ગ્રામ પંચાયતો પૈકીની 62 ગ્રામ પંચાયતો સમરસ થતાં હવે 421 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. જેમાં પણ 16 ગ્રામ પંચાયતોમાં સરપંચના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં સરપંચ બિનહરીફ થયાં છે. જ્યારે 1228 સભ્યો બિનહરીફ થયાં છે. હવે 421 ગ્રામ પંચાયતોમાં 1176 સરપંચ તેમજ 6987 વોર્ડ સભ્યના ઉમેદવારો પર કુલ 7.91 લાખ મતદારો પસંદગીની મહોર લગાવશે. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જિલ્લાની 483 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 20 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની હતી.

જોકે, સામાન્ય ચૂંટણીમાં 62 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે. જેમાં ભરૂચ તાલુકામાં સૌથી વધુ 13 ગ્રામ પંચાયતો સમરસ બની છે. જ્યારે વાગરા અને નેત્રંગ તાલુકામાં એક પણ ગામ સમરસ થયું નથી. બીજા તાલુકાઓના આંકડા જોઇએ તો વાગરામાં 11 ગ્રામ પંચાયતો, હાંસોટમાં 9, અંક્લેશ્વર અને જંબુસર તાલુકામાં 8-8 તેમજ ઝઘડિયા અને આમોદ તાલુકામાં 7-7 ગ્રામ પંચાયતો સમરસ બની છે.

જેના પગલે હવે 421 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. ગઇકાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે સરપંચના 531 તેમજ સભ્યના 861 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં જિલ્લામાં 78 સરપંચ તેમજ 1228 સભ્યો બિનહરીફ થયાં છે. જ્યારે હવે આગામી 19મી ડિસેમ્બરે જિલ્લાના કુલ 7.91 મતદારો સરપંચના 1176 અને વોર્ડ સભ્યના 6987 ઉમેદવારો પૈકીના પોતાના માનિતા ઉમેદવારો પર પસંદગી ઉતારશે.

૬૨ ગ્રામ પંચાયત સમરસ થવાની વાત કરીયે તો ઝઘડિયા તાલુકમાં ઉચ્છદ, ધારોલી, ઓર-પટાર ગૃપ, જેશપોર ગૃપ ,વંઠેવાડ, મોટાવાસણા, નાનાવાસણા,અંક્લેશ્વર તાલુકામાં અમૃતપરા, ખરોડ, હરીપુરા, પારડીઇદ્રીસ, મોતવાણ, ભાદી, છાપરા, કરમાલી,હાંસોટ તાલુકામાં ધમરાડ, અલવા, જેતપોર, વઘવાણ, વાલનેર, દંત્રાઇ, આંકલવા, કુદાડરા, ડુંગરા,વાગરા તાલુકામાં ગંધાર, બદલપુરા, નાંદરખા, સુતરેલ, પખાજણ, મોસમ, વોરાસમની, અંભેલ, વિછીયાદ, સાચણ, સારણ અને ભરૂચ તાલુકામાં ભુવા, વડવા, મહેગામ, એકસાલ, અમલેશ્વર, કેસરોલ, નવેઠા, શેરપુરા, થામ, દહેગામ, મહુધલા, દેરોલ,આમોદ તાલુકામાં ફુરચણ, ઓચ્છણ, કરેણા, અડવાલા, સીમરથા, કોલવણા, ઈખર અને જંબુસર તાલુકાના આસનવડ, વડદલા, સામોજ, આસરસા, કપુરીયા, રૂનાડ, નહાર, થનાવાની પંચાયતો સમરસ થવા પામી છે.

error: Content is protected !!