The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 214

અંકલેશ્વર: દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે ૧ રીઢો ગુનેગાર ઝડપાયો, એક વોન્ટેડ

•અંકલેશ્વરના કાપોદ્રા ગામે LCB એ વોચ રાખી મૂળ રાજસ્થાનના આરોપીને હથિયાર અને ટેમ્પો સહિતના મુદ્દામાલ સાથે પકડ્યો

•ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીનું હથિયાર સાથે ચૂંટણી લોહીયાર બનાવવાનું કાવતરું હતું કે અન્ય કોઈ ગુનાને અંજામ આપવાની પેરવી તપાસ શરૂ

અંક્લેશ્વર તાલુકાના કાપોદ્રા ગામેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને દેશી તમંચા અને એક જીવતા કારતુસ સાથે ઝડપી લીધો છે. મૂળ રાજસ્થાનના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે હથિયાર સાથે ઝડપાયેલા આરોપી ક્યાં ગુનાને અંજામ આપનાર હતા તેની તપાસ હાથ ધરાઈ છે.

ગ્રામ પંચાયતોની ચુંટણી અનુલક્ષીને ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ જળવાઇ રહે તે માટે ભરૂચ જીલ્લામાં હાલ ચેકીંગ અને પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. જિલ્લામાં LCB દ્વારા ચૂંટણી ટાણે કાયદો વ્યવસ્થા જાળવવા અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

ભરૂચ LCB ની ટીમ બુધવારે અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન માહીતી મળેલ કે અગાઉ ચોરીના ગુનાઓમા પકડાયેલ એક રીઢો આરોપી પોતાની પાસે તમંચો લઇ ફરી રહ્યો છે. જે આધારે કાપોદ્રા ગામ ખાતે વોચમાં રહી રીઢા આરોપીને એક દેશી બનાવટના તમંચો તથા જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો. કાપોદ્રા ગામમાં ભાડેથી રહેતા મૂળ રાજસ્થાનના ભેરૂ ઉર્ફે વીરૂ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસીંગ રાજપુતની રૂ.5000 નો તમંચો, એક કારતૂસ, રૂ.1.50 લાખના ટેમ્પા સાથે ધરપકડ કરાઈ છે. જ્યારે રામાવતાર ઉર્ફે રામકુમાર ગણપતદાસ સ્વામીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે આ બંન્નેવ આરોપી અગાઉ અંકલેશ્વર અને કોસંબામાં ચોરીના ગુનામાં પણ પકડાયેલા છે.

અંકલેશ્વર: દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે ૧ રીઢો ગુનેગાર ઝડપાયો, એક વોન્ટેડ

•અંકલેશ્વરના કાપોદ્રા ગામે LCB એ વોચ રાખી મૂળ રાજસ્થાનના આરોપીને હથિયાર અને ટેમ્પો સહિતના મુદ્દામાલ સાથે પકડ્યો

•ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીનું હથિયાર સાથે ચૂંટણી લોહીયાર બનાવવાનું કાવતરું હતું કે અન્ય કોઈ ગુનાને અંજામ આપવાની પેરવી તપાસ શરૂ

અંક્લેશ્વર તાલુકાના કાપોદ્રા ગામેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને દેશી તમંચા અને એક જીવતા કારતુસ સાથે ઝડપી લીધો છે. મૂળ રાજસ્થાનના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે હથિયાર સાથે ઝડપાયેલા આરોપી ક્યાં ગુનાને અંજામ આપનાર હતા તેની તપાસ હાથ ધરાઈ છે.

ગ્રામ પંચાયતોની ચુંટણી અનુલક્ષીને ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ જળવાઇ રહે તે માટે ભરૂચ જીલ્લામાં હાલ ચેકીંગ અને પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. જિલ્લામાં LCB દ્વારા ચૂંટણી ટાણે કાયદો વ્યવસ્થા જાળવવા અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

ભરૂચ LCB ની ટીમ બુધવારે અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન માહીતી મળેલ કે અગાઉ ચોરીના ગુનાઓમા પકડાયેલ એક રીઢો આરોપી પોતાની પાસે તમંચો લઇ ફરી રહ્યો છે. જે આધારે કાપોદ્રા ગામ ખાતે વોચમાં રહી રીઢા આરોપીને એક દેશી બનાવટના તમંચો તથા જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો. કાપોદ્રા ગામમાં ભાડેથી રહેતા મૂળ રાજસ્થાનના ભેરૂ ઉર્ફે વીરૂ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસીંગ રાજપુતની રૂ.5000 નો તમંચો, એક કારતૂસ, રૂ.1.50 લાખના ટેમ્પા સાથે ધરપકડ કરાઈ છે. જ્યારે રામાવતાર ઉર્ફે રામકુમાર ગણપતદાસ સ્વામીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ઉલ્લેખનીય છે કે આ બંન્નેવ આરોપી અગાઉ અંકલેશ્વર અને કોસંબામાં ચોરીના ગુનામાં પણ પકડાયેલા છે.

ભરૂચ : નબીપુર ખાતે બે ભાડૂઆતો બાખડતા કરાયો છરાથી હૂમલો

•લાઇટ બીલ બાબતે બે ભાડૂઆતો વચ્ચેની બોલાચાલી બની હિંસક

ભરૂચના નબીપુરમાં મોડી સાંજે બે ભાડૂઆતો વચ્ચે થયેલ બોલાચાલી હિંસક રૂપ ધારણ કરતા એક ભાડૂઆતે બીજા ભાડૂઆત પર છરા વડે હૂમલો કરતા ઘાયલ ભાડૂઆતને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયો હતો.

ભરૂચના ઝંઘાર ખાતે બદામ ફળીયામાં રહેતા અને હાલમાં નબીપુર ખાતે રેલ્વે સ્ટેશન પાછળ ભાડના મકાનમાં રહી ભઠીયારાનું કામ કરતા ૩૩ વર્ષીય મયુદ્દીન ઇબ્રાહીમ સારોડીયાને તેની ઉપરના માળે રહેતા અને સિક્યુરીટીની નોકરી કરતા ભાડૂઆત મૂળ યુ.પી.ના ખાનસાહેબ સાથે લાઇટબીલ બાબએ બોલાચાલી ઝઘડો થયો હતો.

જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખાનસાહેબે તેના હાથમાં રહેલ છરા વડે મયુદ્દીન પર હૂમલો કરતા મયુદ્દીનને ડાબા હાથે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં છરા વડે હૂમલો કરી ભાડૂઆત ખાનસાહેબ નાસી છુટ્યો હતો. જ્યારે ઘાયલ મયુદ્દીનને રીક્ષા મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લાવતા દાખલ કરાયો હતો. આ ઘટનાની વર્ધી નબીપુર પોલીસ મથકે જતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ભરૂચ : નબીપુર ખાતે બે ભાડૂઆતો બાખડતા કરાયો છરાથી હૂમલો

•લાઇટ બીલ બાબતે બે ભાડૂઆતો વચ્ચેની બોલાચાલી બની હિંસક

ભરૂચના નબીપુરમાં મોડી સાંજે બે ભાડૂઆતો વચ્ચે થયેલ બોલાચાલી હિંસક રૂપ ધારણ કરતા એક ભાડૂઆતે બીજા ભાડૂઆત પર છરા વડે હૂમલો કરતા ઘાયલ ભાડૂઆતને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયો હતો.

ભરૂચના ઝંઘાર ખાતે બદામ ફળીયામાં રહેતા અને હાલમાં નબીપુર ખાતે રેલ્વે સ્ટેશન પાછળ ભાડના મકાનમાં રહી ભઠીયારાનું કામ કરતા ૩૩ વર્ષીય મયુદ્દીન ઇબ્રાહીમ સારોડીયાને તેની ઉપરના માળે રહેતા અને સિક્યુરીટીની નોકરી કરતા ભાડૂઆત મૂળ યુ.પી.ના ખાનસાહેબ સાથે લાઇટબીલ બાબએ બોલાચાલી ઝઘડો થયો હતો.

જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખાનસાહેબે તેના હાથમાં રહેલ છરા વડે મયુદ્દીન પર હૂમલો કરતા મયુદ્દીનને ડાબા હાથે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં છરા વડે હૂમલો કરી ભાડૂઆત ખાનસાહેબ નાસી છુટ્યો હતો. જ્યારે ઘાયલ મયુદ્દીનને રીક્ષા મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લાવતા દાખલ કરાયો હતો. આ ઘટનાની વર્ધી નબીપુર પોલીસ મથકે જતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ભરૂચ: જીઇબી કચેરી બહાર વીજક્ષેત્રના ખાનગી કરણ મુદ્દે કરાયું વિરોધ પ્રદર્શન

•ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ સહિતના કર્મચારીઓએ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બીલ વિરૂદ્ધ દેખાવો કર્યા

ભરૂચ મકતમ્પુર ખાતે જીઇબી કચેરી બહાર ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંધ અને જીઈબી એન્જિનિયર એસોસિએશનના સયુંકત ઉપક્રમે બપોરે પોસ્ટરો, બેનરો સાથે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બીલનો કર્મચારીઓ દ્વારા સૂત્રોરચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં વીજક્ષેત્રના ખાનગીકરણ અંગે સત્ય હકીકતો અને ગ્રાહકો-કર્મચારીઓમાં જાગૃતતા લાવવા માટેનું અભિયાન ભારત સરકારના ઊર્જા વિભાગ દ્વારા ઇલેક્ટ્રિસીટી એમેન્ડમેન્ડ બીલને નોટિફાય કરવામાં આવેલ છે. જેના અનુસંધાને વીજ ક્ષેત્રની જનરેશન-ટ્રાન્સમિશન-ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના તમામ વિભાગોને ખાનગીકરણ તરફ સરકાર દ્વારા લઈ જવા માંગે છે. જેના અનુસંધાને સમગ્ર દેશના વીજ ક્ષેત્રના કર્મચારીઓ અને અધિકારીઓ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેનટ બિલ-૨૦૨૧ના વિરોધમાં ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના અધિકારીઓ અને કમૅચારીઓ પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

રાજ્યના સહયોગથી વીજ કર્મચારીઓ અને /અધિકારીઓ દ્વારા અત્યાર સુધી સરકારના સહયોગથી તનતોડ મહેનત કરી સમગ્ર રાજ્યનુ વીજ નેટવર્ક ઉભુ કરેલ છે. જેના લીધે સમગ્ર રાજ્યમાં 24×7કલાક વીજ પુરવઠો મળી રહે છે. વીજ બીલ એક્ટ-૨૦૦૩ માં ગ્રાહકોને સસ્તા દરે વીજળી પુરી પાડવાનો હેતું હતો. જે સિધ્ધ થયો નથી.આ નવિન વીજ બીલ એમેડમેન્ટ-૨૦૨૧ થી ગ્રાહકોને મળતી વિવિધ સબિસડીઓ બંધ થઇ શકે છે. તેમજ ખેતીવાડી- ઉત્પાદકો માટે વીજળીના ભાવો વધી શકે છે. આ બીલ ગ્રાહકોની કમર તોડી નાખશે. આ બિલ પરત ખેચવામા નહીં આવે તો ન છૂટકે કર્મચારીઓને આદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશેની ચીમકી પણ અપાઇ હતી.

ભરૂચ: જીઇબી કચેરી બહાર વીજક્ષેત્રના ખાનગી કરણ મુદ્દે કરાયું વિરોધ પ્રદર્શન

•ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ સહિતના કર્મચારીઓએ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બીલ વિરૂદ્ધ દેખાવો કર્યા

ભરૂચ મકતમ્પુર ખાતે જીઇબી કચેરી બહાર ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંધ અને જીઈબી એન્જિનિયર એસોસિએશનના સયુંકત ઉપક્રમે બપોરે પોસ્ટરો, બેનરો સાથે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બીલનો કર્મચારીઓ દ્વારા સૂત્રોરચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં વીજક્ષેત્રના ખાનગીકરણ અંગે સત્ય હકીકતો અને ગ્રાહકો-કર્મચારીઓમાં જાગૃતતા લાવવા માટેનું અભિયાન ભારત સરકારના ઊર્જા વિભાગ દ્વારા ઇલેક્ટ્રિસીટી એમેન્ડમેન્ડ બીલને નોટિફાય કરવામાં આવેલ છે. જેના અનુસંધાને વીજ ક્ષેત્રની જનરેશન-ટ્રાન્સમિશન-ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના તમામ વિભાગોને ખાનગીકરણ તરફ સરકાર દ્વારા લઈ જવા માંગે છે. જેના અનુસંધાને સમગ્ર દેશના વીજ ક્ષેત્રના કર્મચારીઓ અને અધિકારીઓ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેનટ બિલ-૨૦૨૧ના વિરોધમાં ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના અધિકારીઓ અને કમૅચારીઓ પોસ્ટર બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

રાજ્યના સહયોગથી વીજ કર્મચારીઓ અને /અધિકારીઓ દ્વારા અત્યાર સુધી સરકારના સહયોગથી તનતોડ મહેનત કરી સમગ્ર રાજ્યનુ વીજ નેટવર્ક ઉભુ કરેલ છે. જેના લીધે સમગ્ર રાજ્યમાં 24×7કલાક વીજ પુરવઠો મળી રહે છે. વીજ બીલ એક્ટ-૨૦૦૩ માં ગ્રાહકોને સસ્તા દરે વીજળી પુરી પાડવાનો હેતું હતો. જે સિધ્ધ થયો નથી.આ નવિન વીજ બીલ એમેડમેન્ટ-૨૦૨૧ થી ગ્રાહકોને મળતી વિવિધ સબિસડીઓ બંધ થઇ શકે છે. તેમજ ખેતીવાડી- ઉત્પાદકો માટે વીજળીના ભાવો વધી શકે છે. આ બીલ ગ્રાહકોની કમર તોડી નાખશે. આ બિલ પરત ખેચવામા નહીં આવે તો ન છૂટકે કર્મચારીઓને આદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશેની ચીમકી પણ અપાઇ હતી.

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હવે 420 ગામોમાં ચૂંટણી જંગ, 63 પંચાયતો સમરસ

ભરૂચજિલ્લામાં 483માંથી 63 ગ્રામ પંચાયતો સમરસ બનતાં હવે 420 ગ્રામ પંચાયતોમાં 19મીના રોજ સરપંચ તથા વોર્ડ સભ્યો માટે મતદાન થશે. જેમાં જિલ્લાના કુલ 7.91 લાખ મતદારો પોતાના સરપંચ અને વોર્ડ સભ્યનું ભાવી નક્કી કરશે. ગત ચૂંટણીમાં જિલ્લામાં 84 ગ્રામ પંચાયતો સમરસ બની હતી.
જેની સામે આ વખતે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ઘટાડો થયો છે. મંગળવારે સરપંચ અને વોર્ડ સભ્યના ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી.જોકે, મોડી રાત્રી સુધી તાલુકાકક્ષાએથી જિલ્લાકક્ષાએ ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોની વિસ્તૃત માહિતી ન પહોંચાડતાં સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારોનું ચિત્ર હજી સુધી સ્પષ્ટ થઇ શક્યુ ન હતું. જિલ્લાના 483માંથી 63 ગ્રામ પંચાયતો સમરસ બની છે. ગામના સર્વાંગી વિકાસ માટે લોકોએ ઇલેક્શનના બદલે સિલેક્શનનો માર્ગ અપનાવ્યો છે. બાકી રહેલાં 420 ગ્રામ પંચાયતોમાં 19મી ડિસેમ્બરના રોજ સરપંચ અને વોર્ડ સભ્યો માટે કુલ 7.91 લાખ મતદારો દ્વારા બેલેટ પેપર પર મતદાન કરવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં સૌથી વધુ 13 ગ્રામ પંચાયતો સમરસ બની છે. જ્યારે વાલિયા અને નેત્રંગ તાલુકામાં એક પણ ગામ સમરસ થયું નથી.બીજા તાલુકાઓના આંકડા જોઇએ તો વાગરામાં 11 ગ્રામ પંચાયતો, હાંસોટમાં 9, અંક્લેશ્વર અને જંબુસર તાલુકામાં 8-8 તેમજ ઝઘડિયા અને આમોદ તાલુકામાં 7-7 ગ્રામ પંચાયતો સમરસ બની છે. 19મીએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર કાર્ય વેગવંતુ બનાવી દીધું છે.

તાલુકો પુરૂષ સ્ત્રી કુલ
આમોદ 30022 27838 57860
અંક્લેશ્વર 56477 47610 104087
ભરૂચ 86973 82040 169013
હાંસોટ 16175 15581 31756
જંબુસર 63886 57874 121760
ઝઘડિયા 55112 52595 107707
નેત્રંગ 33426 32446 65872
વાગરા 35638 33865 69503
વાલિયા 32817 31189 64006
કુલ 410526 381038 791564

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં છેલ્લાં 3 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. 2011માં 108 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી. જ્યારે તે બાદ વર્ષ 2016ની ચૂંટણીમાં જિલ્લાની 83 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી. જોકે, આ વર્ષે તે સંખ્યા પણ ઘટીને માત્ર 63 પર આવીને અટકી છે.

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હવે 420 ગામોમાં ચૂંટણી જંગ, 63 પંચાયતો સમરસ

ભરૂચજિલ્લામાં 483માંથી 63 ગ્રામ પંચાયતો સમરસ બનતાં હવે 420 ગ્રામ પંચાયતોમાં 19મીના રોજ સરપંચ તથા વોર્ડ સભ્યો માટે મતદાન થશે. જેમાં જિલ્લાના કુલ 7.91 લાખ મતદારો પોતાના સરપંચ અને વોર્ડ સભ્યનું ભાવી નક્કી કરશે. ગત ચૂંટણીમાં જિલ્લામાં 84 ગ્રામ પંચાયતો સમરસ બની હતી.
જેની સામે આ વખતે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં ઘટાડો થયો છે. મંગળવારે સરપંચ અને વોર્ડ સભ્યના ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી.જોકે, મોડી રાત્રી સુધી તાલુકાકક્ષાએથી જિલ્લાકક્ષાએ ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોની વિસ્તૃત માહિતી ન પહોંચાડતાં સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારોનું ચિત્ર હજી સુધી સ્પષ્ટ થઇ શક્યુ ન હતું. જિલ્લાના 483માંથી 63 ગ્રામ પંચાયતો સમરસ બની છે. ગામના સર્વાંગી વિકાસ માટે લોકોએ ઇલેક્શનના બદલે સિલેક્શનનો માર્ગ અપનાવ્યો છે. બાકી રહેલાં 420 ગ્રામ પંચાયતોમાં 19મી ડિસેમ્બરના રોજ સરપંચ અને વોર્ડ સભ્યો માટે કુલ 7.91 લાખ મતદારો દ્વારા બેલેટ પેપર પર મતદાન કરવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં સૌથી વધુ 13 ગ્રામ પંચાયતો સમરસ બની છે. જ્યારે વાલિયા અને નેત્રંગ તાલુકામાં એક પણ ગામ સમરસ થયું નથી.બીજા તાલુકાઓના આંકડા જોઇએ તો વાગરામાં 11 ગ્રામ પંચાયતો, હાંસોટમાં 9, અંક્લેશ્વર અને જંબુસર તાલુકામાં 8-8 તેમજ ઝઘડિયા અને આમોદ તાલુકામાં 7-7 ગ્રામ પંચાયતો સમરસ બની છે. 19મીએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર કાર્ય વેગવંતુ બનાવી દીધું છે.

તાલુકો પુરૂષ સ્ત્રી કુલ
આમોદ 30022 27838 57860
અંક્લેશ્વર 56477 47610 104087
ભરૂચ 86973 82040 169013
હાંસોટ 16175 15581 31756
જંબુસર 63886 57874 121760
ઝઘડિયા 55112 52595 107707
નેત્રંગ 33426 32446 65872
વાગરા 35638 33865 69503
વાલિયા 32817 31189 64006
કુલ 410526 381038 791564

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં છેલ્લાં 3 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. 2011માં 108 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી. જ્યારે તે બાદ વર્ષ 2016ની ચૂંટણીમાં જિલ્લાની 83 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી. જોકે, આ વર્ષે તે સંખ્યા પણ ઘટીને માત્ર 63 પર આવીને અટકી છે.

આમોદ તાલુકાના કોલવણા ગામની ગ્રામ પંચાયતને પૂનઃ સમરસ જાહેર કરાઇ

•૧૯૮૯મા છેલ્લી ગામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી

•પત્રકાર ઝફર ગડીમલ બિનહરીફ સરપંચ નિયુક્ત કરાયા

આમોદ તાલુકાના કોલવણા ગામે ગ્રામજનો અને વડીલોએ અભૂતપૂર્વ દુરંદેશી અને સામાજિક સૌહાર્દ નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સતત સાતમી ટર્મ ગામ પંચાયત સમરસ કરતા જીલ્લા અને રાજ્ય ભરમાં દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં ઠેર-ઠેર ચુંટણી નો માહોલ જામવા પામ્યો છે ક્યાં ક ભાઇ -ભાઇ સામે તો ક્યાંક સગા સંબંધીઓ એકબીજા સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે ત્યારે આમોદ તાલુકાના કોલવણા ગામના બુધ્ધિજીવી લોકો એ સતત સાતમી ટર્મ ગામ પંચાયત સમરસ જાહેર કરતા રાજકીય ખેંચતાણ ના વાતાવરણ માં લોકોને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યુ હતુ.અત્રે ઉલ્લેખનિય છે કે ગામલોકો એ યુવા પત્રકાર,પોસ્ટ ગ્રેજ્યુએટ અને સામાજિક કાર્યકર ઝફર ગડીમલને બિનહરીફ સરપંચ નિયુક્ત કર્યા છે.
આ ઉપરાંત તમામ વોર્ડના સભ્યોની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગ્રામજનોને જણાવ્યા અનુસાર કોલવણા ગામે છેલ્લે ૧૯૮૯ માં પંચાયત ની ચૂંટણી યોજાઇ હતી. ત્યારબાદ સતત પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. હાલ પંચાયત સમરસ જાહેર થતાં લોકોમાં ઉત્સાહ ની લાગણી વ્યાપી જવા પામી છે.

આમોદ તાલુકાના કોલવણા ગામની ગ્રામ પંચાયતને પૂનઃ સમરસ જાહેર કરાઇ

•૧૯૮૯મા છેલ્લી ગામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી

•પત્રકાર ઝફર ગડીમલ બિનહરીફ સરપંચ નિયુક્ત કરાયા

આમોદ તાલુકાના કોલવણા ગામે ગ્રામજનો અને વડીલોએ અભૂતપૂર્વ દુરંદેશી અને સામાજિક સૌહાર્દ નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સતત સાતમી ટર્મ ગામ પંચાયત સમરસ કરતા જીલ્લા અને રાજ્ય ભરમાં દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં ઠેર-ઠેર ચુંટણી નો માહોલ જામવા પામ્યો છે ક્યાં ક ભાઇ -ભાઇ સામે તો ક્યાંક સગા સંબંધીઓ એકબીજા સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે ત્યારે આમોદ તાલુકાના કોલવણા ગામના બુધ્ધિજીવી લોકો એ સતત સાતમી ટર્મ ગામ પંચાયત સમરસ જાહેર કરતા રાજકીય ખેંચતાણ ના વાતાવરણ માં લોકોને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યુ હતુ.અત્રે ઉલ્લેખનિય છે કે ગામલોકો એ યુવા પત્રકાર,પોસ્ટ ગ્રેજ્યુએટ અને સામાજિક કાર્યકર ઝફર ગડીમલને બિનહરીફ સરપંચ નિયુક્ત કર્યા છે.
આ ઉપરાંત તમામ વોર્ડના સભ્યોની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગ્રામજનોને જણાવ્યા અનુસાર કોલવણા ગામે છેલ્લે ૧૯૮૯ માં પંચાયત ની ચૂંટણી યોજાઇ હતી. ત્યારબાદ સતત પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. હાલ પંચાયત સમરસ જાહેર થતાં લોકોમાં ઉત્સાહ ની લાગણી વ્યાપી જવા પામી છે.

error: Content is protected !!