The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 192

નેત્રંગ :સુધાબેન મહિડાની જાદુઇ રમતની કૃતિ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શીકા માટે કરાઇ પસંદગી

  • પ્રજાસત્તાક દિને સન્માનપત્ર એનાયત કરાયું.પરિવારજનોમાં આનંદની લાગણી,

નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં આવેલ પ્રા.કન્યા શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા સુધાબેન છત્રસિંહ મહિડાએ જાદુઇ રમત નામની કૃતિ બનાવી હતી.જે કૃતિને તાલુકા-જીલ્લા અને રાજ્ય કક્ષાએ પસંદગી બાદ રાષ્ટ્રીય માર્ગદર્શીકા માટે પસંદગી કરાઇ હતી.

આજના આધુનિક ઉપકરણો દ્વારા બાળકો પોતાના અભ્યાસના વિવિધ વિષયોના જુદા-જુદા મુદ્દૉઓ જાણવા અને સમજવા મુશ્કેલ પડે છે.જેની વિશેષતા વ્યવ્સયકારો પ્રાણીઓના નામ પક્ષીઓના નામ,ફળના નામ,શાકભાજીના નામ બાળકો આસાનીથી સમજી શકે તેવી જાદુઇ કૃતિ શિક્ષકા ધ્વારા બનાવવામાં આવી છે.બાળકોને ગમ્મત સાથે શિક્ષીત થાય, રમતા-રમતા અભ્યાસ કરવાથી શૈક્ષણિક કાયૅમાં રસ પડે,ભણેલું લાંબા સમય સુધી યાદ રહે તેવી એક જાદુઇ કૃતિ બનાવવામાં આવી હતી.જેની તાલુકા-જીલ્લા અને રાજ્યકક્ષા બાદ રાષ્ટ્રીય માર્ગદર્શીકા માટે પસંદગી થયા બાદ આંતરરાષ્ટ્રીય વેબીનારમાં ૨૨ શિક્ષકોની પસંદગી થઇ  હતી.

જેમાં પ્રા.શાળાની શિક્ષીકા સુધાબેન મહિડાની કૃતિની પણ પસંદગી થઇ  હતી.જેમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સુધાબેન મહિડાને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવતા શાળા પરીવાર અને પરીવારના સભ્યોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.નેત્રંગ ભક્ત હાઇસ્કુલના આચાયૅ પ્રમોદસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા હતા.

ભરૂચ: લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીની કોલેજની રૂમાના ઇકબાલે કોર્સ ટોપર તરીકે ગોલ્ડ મેડલ મેળવ્યો

ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી દ્વારા આયોજિત પદવીદાન સમારંભમાં ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી કોલેજની છાત્રાએ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચની લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નિપુણ પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓ તેમજ અભ્યાસમાં પોતાની નિપુણતા સાબિત કરી કોલેજનું ગૌરવ વધારી રહ્યા છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં ૧૧મો પદવીદાન સમારંભ ગત ૨૭ જાન્યુઆરીના રોજ યોજાયો હતો. જેમાં લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીની છાત્રા પટેલ રૂમાના ઇકબાલે કોર્સ ટોપર તરીકે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

છાત્રાને ગોલ્ડ મેડલ મળવા પાછળનો શ્રેય તેમના માતા-પિતા, કોલેજના મેનેજમેન્ટ તથા સ્ટાફ તેમજ છાત્રાએ કરેલો પોતાનો અથાગ પરિશ્રમને આપ્યો છે. સંસ્થાના સમસ્ત ટ્રસ્ટીગણ તેમજ કોલેજના આચાર્ય તેમજ સમસ્ત સ્ટાફગણ તરફથી છાત્રાને શુભેચ્છા પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.

અદાણીના મુંદ્રા બંદરે આજ સુધીનું સૌથી વિશાળ કન્ટેનર વેસલનું થયું આગમન

કચ્છના મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટે પરિવહન ક્ષેત્રે એક સિધ્ધી મેળવી છે. ભારતમાં અત્યાર સુધી કોઇ પોર્ટ પર ન લાગર્યુ હોય તેવું વિશાળ જહાજ અદાણી બંદર ખાતે સંચાલીત થયુ છે. APL રેફલ્સ નામનું આ વિશાળ જહાજ CMA CGM શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક છે. એપીએલ રેફલ્સ – અદાણી સીએમએ મુન્દ્રા ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ મુન્દ્રા પોર્ટ ખાતે બર્થ થયું છે. આ પ્રકારના વિશાળ જહાજને બર્થ કરવા માટે 16 મીટર ઉંડાઇની જરૂર હોય છે. અદાણી પોર્ટ ખાતે 21 મીટર ઉંડાઇ સુધીની કેપેસીટી સાથે જહાજ ઉતરી શકે તે પ્રકારની વ્યવસ્થા હોવાનુ અદાણી પોર્ટે જણાવ્યું હતું.

APL રેફલ્સ નામાંકિત ક્ષમતા-17,292 કન્ટેનરોની છે, લંબાઈ-397.88 મીટર,પહોળાઈ- 51 મીટર અને મહત્તમ જોઈતી ઊંડાઈ-16 મીટર છે.સિંગાપોર ખાતે રજિસ્ટર્ડ થયેલું આ જહાજ વર્ષ 2013માં બનેલું છે અને આ જહાજની ઊંચાઈ 76.2 મીટર છે. અને સમર DWT (ટન): 176726.9 ટન, તથા કુલ ટનેજ: 169423 અને નેટ ટનેજ: 76852 જેટલું છે. આ જહાજ છેલ્લી સફર પોર્ટ સોહર, ઓમાન કરી હતી અને ત્યાર બાદ તે મુન્દ્રા આવ્યું છે. હવે મુન્દ્રા પોર્ટે પણ સૌથી વધુ કન્ટેનર સાથેનુ જહાજ બર્થ કરી સિધ્ધી મેળવી છે.

ભરૂચ તાલુકા ના ઉમરાજ ગામે સોસાયટી વિસ્તારમાં પાણીના સંપનું ખાત મૂહુર્ત કરાયું

ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના વરદ હસ્તે ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે લોકભાગીદારીથી અંદાજીત રૂા.૨૬૧.૭૧ લાખના ખર્ચે “નલ સે જલ”ની પાણી પુરવઠા યોજનાનો ભૂમિપૂજનનો કાર્યક્રમ પંચવટી ગાર્ડન ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને અપુરતા પાણી, ક્ષારયુક્ત પાણી અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે, રાજ્ય સરકાર દ્વારા ઉમરાજ ગામના લોકોને કોઈ પણ રીતે પાણીની તકલીફ ન પડે તે માટે નલ સે જલની યોજના દ્વારા રૂા.૨૬૧.૭૧ લાખના ખર્ચે ૩૫૦૦ ઘરોને આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજના પુર્ણ થતા ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે લોકભાગીદારીના નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૯૦૦૦ થી વધુ વસ્તીને આ યોજનાનો લાભ મળશે.

તેમણે ઉમેર્યું હતું કે, સંવેદનશીલ અને પ્રગતિશીલ રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના દ્વારા આ કાર્યને વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની નેમ ઉપાડી છે, જેના પરિણામે નલ સે જલની આ યોજનાઓ થકી ભરૂચ જિલ્લાને અંતરીયાળ વિસ્તારના લોકોને પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે.

જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઇ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં નલ સે જલ યોજના અંતર્ગત ઉમરાજના લોકોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેમ જણાવ્યું હતું.

આજે કરાયેલ ભૂમિપૂજનમાં કુલ ૩ ઝોનમાં જેમા ઝોન-૨ અને ઝોન-૩ માં આર.સી.સી, ભૂગર્ભ સમ્પ તેમજ ઝોન-૧ થી ઝોન-૩ માં પીવીસી રાઇઝીંગ, મેઇન વિતરણ, પાઇપ લાઇન, પમ્પીંગ મશીનરી, નવી પાઈપલાઈન, નળ કનેકશન, નવા પમ્પ રૂમ, વીજળીકરણ અને પારદર્શક બોર્ડની કામગીરી હાથ ધરાશે.

આ પ્રસંગે ઉમરાજ ગ્રામપંચાયતના સરપંચ રણજીતભાઈ વસાવા સહિત તમામ સદસ્યો, સોસાયટીના પ્રમુખો, આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ બાદ નલ સે જલ અંતર્ગત નંદેલાવ ગામમાં બનતી પાણીની યોજનાના કામોનું નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

સૌરવ ગાંગુલીએ આગામી રણજી ટ્રોફીની તારીખ ૧૩ ફેબ્રુઆરી કરી કન્ફર્મ

રણજી ટ્રોફીનું આયોજન થશે, ટૂર્નામેન્ટ બે તબક્કામાં થશે, એ સમાચાર પણ નક્કર છે. પરંતુ, ટૂર્નામેન્ટ કઈ તારીખથી શરૂ થશે, તેની તારીખ પણ સૌરવ ગાંગુલીએ કન્ફર્મ કરી દીધી છે. તેમના જણાવ્યા અનુસાર, BCCI આગામી ૧૩ ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે BCCI પ્રમુખે એમ પણ કહ્યું કે ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તમામ ટીમોને પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં ૬ ટીમો હશે. જ્યારે પ્લેટ ગ્રૂપમાં ૮ ટીમો હશે.

સૌરવ ગાંગુલીએ પ્રસારણકર્તા સાથેની વાતચીતમાં ટૂર્નામેન્ટની શરૂઆતની તારીખની પુષ્ટિ કરી કહ્યું, અમે ફેબ્રુઆરીના મધ્યથી રણજી ટ્રોફી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ તારીખ 13 ફેબ્રુઆરી હોઈ શકે છે. હાલમાં રણજી ટ્રોફીનું ફોર્મેટ એ જ રહેશે. ટુર્નામેન્ટ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો એક મહિનાનો હશે જે IPL 2022 પહેલા રમાશે.

ટુર્નામેન્ટના સ્થળ અંગેનો નિર્ણય સોમવાર સુધીમાં થવાની સંભાવના છે,આવી સ્થિતિમાં જૂન-જુલાઈમાં રણજી ટ્રોફીના નોકઆઉટ સ્ટેજનું આયોજન કરવામાં આવશે. ટૂર્નામેન્ટનું ફોર્મેટ એ જ રહેશે, જ્યાં સુધી કોરોના તેમાં કોઈ અડચણ ઊભી નહીં કરે. કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને અમે ટૂર્નામેન્ટ માટે સ્થળ શોધી રહ્યા છીએ. બેંગ્લોર અને કેરળમાં કોરોનાના વધુ કેસ છે. અમે આ ક્ષણે દરેક વસ્તુ પર વિચાર કરી રહ્યા છીએ. આ અંગે સોમવાર સુધીમાં થોડું ચિત્ર સ્પષ્ટ થશે.

રણજી ટ્રોફી આ અગાઉ ૬ શહેરોમાં યોજાવાની હતી, જેમાં મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, કોલકાતા, તિરુવનંતપુરમ અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. કોલકાતામાં નોકઆઉટ મેચો રમાવાની છે. ગાંગુલીએ નોકઆઉટ મેચો દરમિયાન સામે આવતા પડકારો વિશે પણ વાત કરી હતી. કારણ કે તે સમયે ભારતમાં ચોમાસાની સિઝન હશે. ગાંગુલીએ કહ્યું, અમે તે સમયે બેંગલુરુમાં નોકઆઉટ મેચોનું આયોજન કરવાનો પ્રયાસ કરીશું. બાકીનું જોઈએ. પરંતુ આગામી ૩ થી ૪ દિવસમાં બધુ સાફ થઇ જશે તે નિશ્ચિત છે.

વડાપ્રધાન મોદી યુપીમાં ભાજપના પ્રચારની વર્ચ્યુઅલ રેલી થકી સંભાળશે કમાન

ભાજપના મોટા નેતાઓ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ને લઈને રાજ્યમાં વ્યાપક પ્રચાર કરી રહ્યા છે.જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વખત વર્ચ્યુઅલ રેલી કરવાની શક્યતા છે. આ રેલી દ્વારા વડાપ્રધાન મોદી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ જણાવશે. એવું કહેવાય છે કે પી.એમ નરેન્દ્ર મોદી પ્રથમ તબક્કામાં મતદાન થવાના જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. વાસ્તવમાં રાજ્યના પશ્ચિમી જિલ્લાઓમાં ૧૦ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ભાજપ મતદારો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તે જ સમયે કોરોનાના વધતા કેસોને કારણે ચૂંટણી પંચે 31 જાન્યુઆરી સુધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે.

એક રિપોર્ટ અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને સીએમ યોગી આદિત્યનાથના ડોર ટુ ડોર કાર્યક્રમ બાદ ભાજપ હવે પીએમ મોદીને ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે મેદાનમાં ઉતારી શકે છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર ૧૦ દિવસ બાકી છે અને ચૂંટણી પંચની સૂચના બાદ હજુ સુધી રાજ્યમાં પીએમ મોદીની રેલી થઈ નથી.

તેથી ૩૧મી જાન્યુઆરીએ પીએમ મોદીની વર્ચ્યુઅલ રેલી થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની રેલી દ્વારા પાર્ટીને ઓછામાં ઓછા ચારથી પાંચ જિલ્લામાં લાઈવ કરવામાં આવશે. પીએમ મોદીની પ્રથમ વર્ચ્યુઅલ રેલી દ્વારા પાર્ટી સહારનપુર, બાગપત, શામલી, મુઝફ્ફરનગર અને ગૌતમ બુદ્ધ નગરના મતદારોને નિશાન બનાવશે.

રિપોર્ટ અનુસાર, પાર્ટી આ રેલી દ્વારા લગભગ ૨૧ વિધાનસભા મતવિસ્તારો સુધી પહોંચશે અને દરેક વિભાગમાં LED સ્ક્રીન લગાવવામાં આવશે. સાથે જ એક LED સ્ક્રીન પર લગભગ ૫૦૦ લોકોને લાવવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે.

ધંધુકા શહેર ખાતે થયેલ ચર્ચાસ્પદ અન-ડિટેકટ મર્ડરનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ

ગઈ તા.૨૫.૦૧.૨૦૨૨ નાં રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ધંધુકા શહેરમાં મોઢવાડાના નાકે બે અજાણ્યા ઇસમોએ પૂર્વે આયોજીત કાવતરૂ રચી ફરીયાદી તથા કિશનભાઇ શીવાભાઇ બોળીયાને બાઈક ઉપર પીછો કરી ધંધુકા શહેર મોઢવાડાના નાકે મારી નાખવાનાં ઇરાદે તેમની પાસે રહેલ બંદુકથી બંન્ને ઉપર ફાયરીંગ કરી કિશનભાઇને શરીરે ગંભીર ઇજાઓ કરી તેનું મોત નિપજાવવા મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

ધંધુકા પોલીસે આ ગુનાની ગંભીરતા સમજી બનાવ બાબતે તલસ્પર્શી તપાસ કરતા હકીકત જાણવા મળેલ કે મરણજનાર કિશનભાઇ શીવાભાઇ બોળીયા નાઓએ આજથી વીસેક દિવસ પહેલા ફેસબુક સ્ટોરી ઉપર ધાર્મિક લાગણી દુભાવવાનો વિડીયો મુકેલ તે બાબતે કિશનભાઈ વિરુદ્ધ એક મુસ્લિમ યુવકે ફરિયાદ આપતા ધંધુકા પોલીસ મથકે ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો.

હાલમાં બનેલ મર્ડરના ગંભીર ના ગુનાને ધ્યાને લઇ અને મરણજનાર ઉપર દાખલ થયેલ અગાઉના ગુનાને ધ્યાને લઇ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એલ.સી.બી., એસ.ઓ.જી, તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો ૮ જેટલી ટીમો બનાવી સદર ગુનાનો ઝડપથી ભેદ ઉકેલી સત્વરે આરોપીઓને પકડવા માટે સુચના અને માર્ગદર્શન પૂરું પાડતા આ અજાણ્યા બંને ઈસમો બાબતે ફળદાયક અને સચોટ બાતમી હકીકત મળતા બંનેવ ઈસમો બાબતે તેઓને શોધવા માટે તમામ ટીમોને સુચના આપવામાં આવેલ અને તેઓના છુપાવવાના અને આશરો આપવાના તમામ સ્થળો પર તેઓની શોધખોળ હાથ ધરવામાં આવેલ જેની ફળશ્રુતિ સ્વરૂપે હત્યાના ગુનામાં સામેલ બંનેવ અજાણ્યા ઇસમોને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફાયરીંગ કરનાર સબ્બીરભાઇ ઉફ સાબા દાદાભાઇ જાતે ચોપડા (મુસ્લીમ) ઉ.વ.૨૫,રહે.મલવતવાડા મદીના મસ્જીદ પાછળ ધંધુકા જી.અમદાવાદ અને બાઇક ચલાવનાર ઇસમ ઈમ્તીયાજ ઉર્ફે ઈમ્તુ મહેબુબભાઇ પઠાણ (મુસ્લીમ) ઉ.વ ૨૭ રહે કોઠીફળી ધંધુકા તા.ધંધુકા જી.અમદાવાદને દબોચી પુછરછ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે આ ગુનામાં સબ્બીરભાઇ ઉફ સાબા દાદાભાઇ જાતે ચોપડા (મુસ્લીમ) ઉ.વ.૨૫ રહે.મલવતવાડા મદીના મસ્જીદ પાછળ ધંધુકા જી.અમદાવાદના કે જે મુસ્લીમ વિચારધારા (કટ્ટર)ધરાવે છે અને હાલ છુટક વેલ્ડીંગ (ફેબ્રીકેશન) કામ કરે છે.તેણે આરોપીઓની સીધી મદદ કરી આ ગુનામાં વપરાયેલ હથિયાર પિસ્ટલ પૂરી પાડનાર ઇસમ મોલાના મહંમદ એયુબ યુસુફભાઈ જાવરાવાલાને પણ ઊંડાણપૂર્વક તપાસ કરી તેને પણ દબોચી લેવામાં આવેલ છે અને હાલ તે બાબતે પણ વધુ પૂછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે.

હાલમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સદર ગુનામાં ગુનાહિત કાવતરા તથા ગુનાહિત દુષ્પ્રચારમાં સામેલ તમામ ઈસમો બાબતે ઉંડાણપૂર્વક તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને તેઓ વિરુદ્ધ તમામ પ્રકારની માહિતી/પુરાવા એકઠા કરી તેઓ તમામ શકમંદ ઇસમોને ઝડપી પાડવા માટે સમગ્ર રાજ્યમાં તપાસ ટીમો રવાના કરી છે.

હાંસોટ : તંત્રની ભૂલથી બાલોટા ગામે ખેડૂતોએ દેવું કરી બનાવેલ તળાવ છીનવાયા

હાંસોટ તાલુકાના બાલોટા ગામના ૩૧ જેટલા ખેડૂતોએ ઝીંગા તળાવ છીનવતા હાલ કાનૂની લડત ચલાવી રહ્યા છે. ૨૦૧૯માં સરકારે માસ્ટર મેપિંગ કરી મેપ તૈયાર કરી કીમ ખાડીથી ૨૦૦થી ૧૨૦૦ મીટર દૂર તળાવ ફાળવણી કરી હતી. સર્વે નંબર ૧૦૪૩ નવો સર્વે નંબર ૯૭૩ માં રી સર્વેમાં ભૂલને કારણે ખોટી માપણી શીટ તૈયાર થતા સમસ્યા સર્જાય છે. બ્રેકીશ વોટર રિસર્ચ સેન્ટર ૨૦૨૦ માં ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હાઇકોર્ટ પિટિશન દાખલ થતા કીમ ખાડી ના અવરોધો દૂર કરવાનો હુકમ કરાયો હતો.

જ્યારે રી સર્વે માં મેપિંગ ભૂલ થી ઝીંગા તળાવ કીમ નદી ના વહેણ માં દર્શાવતા આવ્યા હતા જેને લઇ ૨૦૧૯ માં ફાળવેલ તળાવ પરત લેવાનો હુકમ તંત્ર એ કર્યો હતો અને તળાવ સી.આર.ઝેડ ઝોનમાં આવી રહ્યા હોવાનું તંત્ર એ જણાવ્યું હતું જે અંગે ખેડૂતો હાઈકોર્ટમાં જતા હાઇકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટર ખેડૂતો સાથે રાખી સ્થળ તપાસ કરી ૧૦ દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો.

જેમાં નાયબ કલેકટર અને ડી.આઈ.આર.એલ. રી સર્વે ના મંજૂરી સાચા ની ખરાઈ સ્થળ તપાસ કર્યા વગર કરી હતી જેને લઇ હવે ખેડૂતો આજીવિકા પ્રશ્ન ઉભો થયો હોવાનો અને તંત્ર ની ભૂલ ને લઇ આ સમસ્યા સર્જાઈ છે. તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. વધુ માં જીપીસીબી દ્વારા સેટેલાઇટ અને બોઈસેગ દ્વારા સુપર ઇમ્પોજ કર્યું હતું. બોઈસેગ દ્વારા જોતા જે વિસ્તાર સી.આર.ઝેડ માં આવેલો હોવાનું દર્શાવ્યું છે.

વાગરા : કોલિયાદ ગામમાં ગેરકાયદે માટી ખનન થતાં કલેક્ટરને લેખિતમાં ફરિયાદ

વાગરા તાલુકાના કોલિયાદ ગામે સરકારી અને ગૌચર જમીનમાંથી ગેરકાયદે માદી ખોદી લાખો ટન માટીની ચોરી કરાતા વાગરા ગામના રહીશોએ આ બાબતે બે લોકો અને વાહન માલિકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ કરવા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે.

આ મામલે કપિલા રાઠોડે કલેક્ટર સમક્ષ પાઠવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સુજીત શર્મા અને લલિત શર્મા તથા કેટલાંક વાહનો અને તેના માલિકોએ કાંસ ઉંડો કરવા માટે ગામ પંચાયત કોલીયાદને અરજી આપી હતી.જેને આધારે પસાર થયેલા ગામ પંચાયત કોલીયાદના તારીખ: 22/01/2020ના ઠરાવનો આધાર લઈને આ શખસોએ ભેગા મળીને ગામની કાંસ સાફ કરવાને બદલે તે કાંસની સાથે સાથે આજુબાજુની કોલીયાદ-અટાલી ગામના સીમાડાની સરકારી ગૌચરની સરકારી જમીનમાં ખોદકામ કરીને લાખો ટન માટી ચોરી કરી હતી.

આદિવાસીની ખાનગી જમીનો પર પણ તેમણે બળબજરી પૂર્વક જબરજસ્તી કરીને ખેતરમાંથી માટી ખોદીને માટી ચોરી કરી છે. આદિવાસી ઈસમોને થાય તે કરી લેવાની ધમકીઓ પણ આપી રહ્યા છે.

આ માટી ખનન મામલે મહિન્દ્રા કંપનીનું કોમર્સિયલ વાહન જી.જે.03 એફ.ડી.863ના માલિક, એમ.એમ.ડબલ્યુ હાઇવા ટ્રક જી.જે. 16 ડબલ્યુ 029ના માલિક, ભારત બેન્ઝ હાઇવા ટ્રક જી.જે. 16એ.યુ. 6490ના માલિક, ભારત બેન્ઝ હાઇવા ટ્રક જી.જે. 16એ.વી.5346ના માલિક, હાઇવા ટ્રકના માલિકો અને બે જે.સી.બી. પોકલેનના માલિકો, સુજીતકુમાર શર્મા, લલિતકુમાર એમ. શર્માનો સમાવેશ હોવાના આક્ષેપો પણ કરાઇ રહ્યા છે.

ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ- ભરૂચ દ્વારા સિંગલ વિન્ડો એન્ડ ફેસલેસ સિસ્ટમનો પ્રારંભ

  • બાંધકામને લગતી તમામ પરવાનગીઓ ઝડપી અને સરળતાથી મળી રહે તથા કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો જનહિતલક્ષી નિર્ણય – નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ

 

ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ – જુની કલેકટર કચેરી- ભરૂચ ધ્વારા જનસુવિધાની નવી પહેલ કરતા સિંગલ વિન્ડો અને ફેસલેસ સિસ્ટમ (એકબારી પધ્ધતિ) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું અનાવરણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ તથા મહાનુભાવોના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં  ભરૂચ – અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ અને ફેસલેસ સિસ્ટમના કારણે બાંધકામને લગતી સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થશે, લોકોનો સમય બચશે અને ડિજિટલ  ઇન્ટરફેસના કારણે ઝડપભેર મંજૂરીઓ અને દસ્તાવેજી સુવિધાઓ આર્શિવાદરૂપ બનશે તેમ જણાવ્યું હતું.

ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમની શરૂઆત પ્રજાને પારદર્શક પ્રશાસનની પ્રતિતિ થાય તે દિશામાં કામગીરી થઇ હોવાનું જણાવી જાહેરજનતાને બાંધકામને લગતી તમામ પરવાનગીઓ ઝડપી અને સરળતાથી મળી રહે તથા કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો જનહિતલક્ષી નિર્ણય હોવાનું પણ ઉમેર્યું હતું. તેમણે બૌડાની સરાહનીય કામગીરીને બિરદાવી જુના ભરૂચના વિકાસ માટે પોતાની લાગણી વ્યકત કરી હતી.

બૌડાના ચેરમેન અને કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમ એ ગુડ ગવર્નન્સના આધાર પર તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ થકી અરજદારે ટેબલે ટેબલે ફરવાની જરૂરીઆત રહેતી નથી.પોઝીટીવ દિશામાં આ પહેલ કરી રહયા છે. મંજૂરી સરળતાથી મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે અરજદારે અરજી બાબતે કોઇ ટેકનીકલ પૂર્તતા કે કચેરી ધ્વારા રૂબરૂ હાજર રહેવા જણાવેલ હોય તેવા સંજોગોમાં સંબિધત અધિકારી/ કર્મચારીની સિંગલ વિન્ડો સિસ્ટમ પરથી પરવાનગી મેળવ્યા બાદ મુલાકાત કરી શકાશે. અરજદારે અરજી કર્યા બાદ તેની તબકકાવાર માહિતી નોડલ ઓફિસર પાસેથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ અરજીનો નિકાલ થયા બાદ પરવાનગી/ સર્ટિફિકેટ/ પ્રત્યુતર નોડલ ઓફિસર તરફથી રવાના કરવામાં આવશે. તમામ વ્યવસ્થા તેમજ અમલીકરણ માટે નાયબ મામલતદારને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

નગર નિયોજક- ભરૂચ દ્વારા સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમ અંગેનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સિંગલ વિન્ડો સિસ્ટમ એન્ડ ફેસલેસ સિસ્ટમનો પ્રારંભ થવાથી બાંધકામ પરવાનગી, પ્લોટ વેલીડેશન સર્ટીફિકેટ, પ્લોટના સબડીવીઝન/ એકત્રીકરણ, બાંધકામ વપરાશ પરવાનગી,૧૨૫.૦૦ ચો.મીથી ઓછા ચો.મી માટે વ્યકિતગત રહેણાંકના બાંધકામની અરજી સ્વીકારવામાં આવશે. આ સુવિધાઓ અંતર્ગત અરજીઓ માટેના જરૂરી અરજી ફોર્મ/ દસ્તાવેજ અને તેના માર્ગદર્શન આપતું પુરાવાઓનું વિગત દર્શાવતું બોર્ડની વ્યવસ્થા કચેરીમાં કરવામાં આવી છે. આ તમામ પ્રકારના અરજીફોર્મ તેમજ તેને લગતું જરૂરી માર્ગદર્શન માટે સંપર્ક એક જ વિન્ડો પરથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ફરિયાદ માટે પણ આ સિંગલ વિન્ડો સિસ્ટમનો ઉપયોગ થઇ શકશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અરજદારે બાંધકામ પરવાનગી મેળવવા માટેની અરજીફોર્મ ફી રૂા. ૧૦૦/- નકકી કરેલ છે જયારે અન્ય પરવાનગી ફોર્મ તથા તેને સંલગ્ન રાખવાના દરસ્તાવેજી પુરાવા/ બાંહેધરીના તેમજ સોગંદનામાના જોડાણ કચેરીના સિંગલ વિન્ડોના ટેબલ પરથી વિનામુલ્યે ઉપલબ્ધ થશે.

બાંધકામ પરવાનગીની અરજીઓનો નિકાલ સમયમર્યાદામાં થાય તે જરૂરી છે આ અંગે બૌડા કચેરીમાંથી જુદી જુદી પરવાનગી માટે સમયમર્યાદા નકકી કરવામાં આવેલ છે જેમાં બાંધકામ પરવાનગી ( ૧૫ મીટર કરતાં વધુ ઉંચાઇ માટે ) – ૩૦ દિવસ, પ્લોટ વેલીડેશન સર્ટીફિકેટ – ૨૧ દિવસ,  સબડીવીઝન/ એકત્રીકરણ – ૩૦ દિવસ,  બાંધકામ વપરાશ પરવાનગી – ૨૧ દિવસ, ૧૨૫.૦૦ ચો.મીથી ઓછી ચો.મી માટેની બાંધકામ કરવા અંગેની અરજીનો સ્વીકાર-૧૫ દિવસની સમયમર્યાદા નકકી કરવામાં આવેલ છે.

ઇ-નગર હેઠળ બાંધકામ પરવાનગી (૧૫ મીટર કરતાં ઓછી ઉંચાઇ માટે ) તથા સબડીવીઝન/એકત્રીકરણની પરવાનગી માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા શરૂ કરવામાં આવેલ છે.આ પ્રકારની અરજીઓ માટે અરજદારે સરકારશ્રીની વેબસાઇડ enagar.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ઓનલાઇન અરજીઓની નિકાલ કરવાની સમયમર્યાદા જેમાં બાંધકામ પરવાનગી ( ૧૫ મીટર કરતાં ઓછી ઉંચાઇ માટે ) – ૨૮ દિવસ, સબડીવીઝન/એકત્રીકરણ માટે- ૨૮ દિવસની નકકી કરવામાં આવેલ છે.

ક્રેડાઇના પ્રમુખ રોહિતભાઇ ચદ્દરવાલા તથા આર્કિટેકટ એસોસીએશનના પ્રમુખ અશ્વિનભાઇ દ્વારા સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમની શરૂઆત અંગે પોતાના પ્રતિભાવ રજુ કરી આયોજનને બિરદાવી સહયોગની ખાત્રી આપી હતી. પ્રારંભમાં  મુખ્ય કારોબારી અધિકારી જે.ડી.પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું.

સિંગલ વિન્ડો અને ફેસલેશ સિસ્ટમ અનાવરણ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનયભાઇ વસાવા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઇ મિસ્ત્રી, આગેવાન પદાધિકારીઓ, બૌડા કચેરીના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!