The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 175

ઝઘડિયા: કિશોરી ઉપર થયેલા ગેંગ રેપના ૮ આરોપી ઝડપાયા

ઝઘડિયાના એક ગામમાં 16 વર્ષની આદિવાસી કિશોરીને પૈસાની લાલચ આપી બાઇક ઉપર બેસાડી પરિચિત ધારોલીનો વિશાલ વસાવા ખેતરે લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે બદકામ કર્યા બાદ તેણે અન્ય 7 મિત્રોને પણ ફોન કરી બોલાવ્યા હતા. આઠેય હવસખોરોએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ઝઘડિયા પોલીસ મથકે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અને બે આરોપીઓ સામે એટ્રોસિટી એકટની ફરિયાદ દાખલ કરાઈ હતી.

ગંભીર ગુનામાં DYSP ચિરાગ દેસાઈએ તપાસ આરંભી 3 ટીમો બનાવી હતી. જેમાં ધારોલી, મોરતલાવ અને માંડવાથી આઠેય આરોપીઓ વિશાલ વસાવા, કમલેશ વસાવા, કાર્તિક વસાવા, મનોજ વસાવા, ભાવિન વસાવા, અક્ષય વસાવા, મેહુલ પટેલ અને શાહિલ મોગલને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના કોવિડ ટેસ્ટ, કિશોરીનું મેડિકલ પરીક્ષણ, ઓળખ પરેડ, ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ સાથે પોલીસે આઠેયના રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી છે.

આધુનિક યુગમાં પણ માટીના ચૂલા ની છે બોલબોલા..!

  • દેડીયાપાડા નાં ગારદા ગામે માટીના ચૂલા બનાવી વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતી આદિવાસી મહિલા

નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકી મહારાષ્ટ્ર રાજ્ય અડીને આવેલા દેડીયાપાડા તાલુકા નું કુદરતની સાનિધ્યમાં ગુંજતું નાનકડું ગામ એટલે ગારદા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર થી શોભતા ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી છે.

જેમાં જુદી-જુદી આદિવાસી બોલીઓ તેમજ આદિવાસી રીત રિવાજ, સંસ્કૃતિ, રૂડી પરંપરા, જેવા તમામ બાબતોથી આ વિસ્તાર મોખરે છે, તેમજ અહીંયા નું ભોજન પણ એટલું જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે, બહારથી આવનાર પર્યટકો કે સહેલાણીઓ આ વિસ્તારનું નામ લેતાં રહી જાય છે. આદિવાસી પરંપરા થી બનતુ ભોજન જે ખાસ કરીને ચૂલા પર લાકડાના તાપે બનતું સ્વાદિષ્ટ ભોજન આદિવાસી વિસ્તારમાં ખૂબ જ વખણાતું હોય છે, તેવી જ રીતે ગારદા ગામની એક વિધવા મહિલા ભીખીબેન વસાવા જેઓએ વર્ષોથી ચૂલા, અનાજ ભરવા માટે  કોઠી તેમજ માટી માંથી બનતી અલગ-અલગ ચીજવસ્તુઓ (પાત્રો) નું ખૂબ જ સસ્તા ભાવથી વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી આદિવાસી શૈલીનું અને જીવંત રાખવામાં ઉત્તમ કામ કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે આજના સમયમાં લોકો ગેસ કે અન્ય સાધનો વડે ભોજન તૈયાર કરતા હોય છે, પરંતુ આ માટીનાં ચૂલા પર ભોજન બનાવવાથી ભોજનનો સ્વાદ ખૂબ જ ચટાકેદાર હોય છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે માટીના સાધનોનો ઉપયોગ કરવાથી જરૂરી પોષક તત્વો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળતાં હોય છે, તેમજ બીમારી આપણા શરીરમાં આવતી નથી.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

JSS ભરૂચ ખાતે ડિજીટલ ફેસીલીટેશન ઓફ બેન્ક મિત્ર માર્ગદર્શન શિબીર યોજાઇ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આજરોજ નહેરૂ યુવા કેન્દ્ર દ્રારા તાલીમાર્થી બહેનામાં ડિજીટલ વ્યવહારો પ્રત્યે જાગૃતી લાવવા માટે વિશેષ માગદશન શિબીરનું નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્રારા આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હાલના સંજોગોમાં સામાન્ય ઓનલાઇન નાંણાકીય વ્યવહારો તથા ઓનલાઇન ખરીદી અને ઓનલાઇન પેમેન્ટ વિષે યોગ્ય પગલા લઇ ઓનલાઇન ફ્રોડથી બચવા અને પોતાના નાણાની સલામતી જાળવવા માટે દિવ્યજીત સીહ ઝાલાએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કયા હતા.

સ્વાગત પ્રવચન કરતા જેએસએસના નિયામક ઝયનુલ સૈયદે બહેનોને આ માર્ગદર્શન શિબીરના આયોજન વિશે માહિતગાર કયા હતા અને જાગૃત રહી પોતાના અને પોતાના પરીવારના નાણાની સલામતી દાખવવા સૂચન કર્યા હતા. આ કાર્યક્રમમાં જેએસએસના ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર ક્રિષ્ણાબેન કઠોલીયા તથા ગીતાબેન સોલંકી તથા નહેરૂ યુવા કેન્દ્રના ડોલીબેન કરાડીયા વગેરે ઉપસ્થિત રહયા હતા. અંતમાં અર્પીતાબેન રાણાએ સૌનો આભાર વ્યકત કર્યા હતો.

સજાદના નામે ભરૂચમાં પરિવાર અને સાળા સાથે આશરો લેનાર સાજીદ મન્સૂરીને ફાંસી

  • મૂળ હાંસોટના રફીઉદીન કાપડીયાને છેલ્લા શ્વાસ સુધી કારાવાસ

  • સાજીદ મન્સૂરી બૉમ્બ બ્લાસ્ટનો પ્લાન બનાવનાર અને તેને અંજામ આપનાર આતંકીઓ વચ્ચે મહત્વની કડી હતો

  • જંબુસર બાયપાસ ઉપર લુકમાન પાર્ક સોસાયટીમાં ભાડે મકાન લઈ સાજીદ મન્સૂરી અમદાવાદ અને સુરત બ્લાસ્ટને અંજામ આપવા આવ્યો હતો

ભરૂચ પહેલાથી જ આતંકીઓનું આશ્રય સ્થાન રહ્યું છે. અને અમદાવાદ 21 સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ અને સુરતમાં બૉમ્બ પ્લાન્ટમાં પણ ભરૂચમાં તેના તાર જોડાયા હતા. દોષી થરેલા આતંકીઓમાં મૂળ સુરત નો સાજીદ મન્સૂરી જેને ગોધરા કાંડનો બદલો લેવા કટ્ટરપંથીઓની ફોજ ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાવાગઢની તળેટીમાં આયોજન રૂપે કટ્ટરપંથીઓને તાલીમ પણ અપાઈ હતી.

સુરતથી સાજીદ ભાગ્યા બાદ જયપુરમાં આશરો લીધો હતો જ્યાં બૉમ્બ બ્લાસ્ટની ઘટના બાદ તે ભરૂચ તેની પત્ની સંતાનો અને બાળકો સાથે આવી ગયો હતો. બાયપાસ ઉપર લુકમાન પાર્કમાં સાજીદ મન્સુરીએ સજ્જાદ નામ ધારણ કરી રહેવા લાગ્યો હતો. જ્યાંથી અમદાવાદ-સુરત બૉમ્બ બ્લાસ્ટનો પ્લાન ઘડનાર અને તેને અંજામ આપનાર કટ્ટરપંથીઓની તે મહત્વની કડી હતો. બૉમ્બ ભરેલી વેગન આર પણ તેને ભાડે રાખેલા ભરૂચના મકાન બહાર પાર્ક કરાઈ હતી.

સાજીદ મન્સૂરી ઉર્ફે સલીમ ઉર્ફે સજજાદ ઉર્ફે સાદ ગુલામખ્વાજા મન્સૂરીને ફાંસીની સજા ફરમાંવાઈ છે. બૉમ્બ બ્લાસ્ટમાં મૂળ હાંસોટના અને જે બાદ વડોદરા રહેતા રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયાની બૉમ્બ બનાવવામાં ભૂમિકા હતી. જેને સ્પેશ્યલ કોર્ટે છેલ્લા શ્વાસ સુધી કારાવાસની સજા કરી છે. જ્યારે ભરૂચના મૂળ કંબોલી ગામનો અને સુરત રહેતો મોહંમદ ઝહીર ઐયુબભાઈ પટેલને પુરાવાના અભાવે દોષમુક્ત જાહેર કરાયો છે.

આહવા : ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશનનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ યોજાયો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ રમત ગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમા રાજયકક્ષાના અમદાવાદ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશનના “કર્ટેન રેઇઝર” કાર્યક્રમનુ આહવાના ડાંગ દરબાર હોલ ખાતે જીવંત પ્રસારણ કરાયું હતુ.

આ કાર્યક્રમનુ બાયસેગ દ્વારા સમગ્ર રાજયમા પ્રસારણ કરવામા આવ્યુ હતું. જિલ્લા કક્ષાએ આહવા ખાતે યોજાયેલા કાર્યક્રમ ઉપરાંત તાલુકા પંચાયત વઘઇ, અને તાલુકા પંચાયત સુબિર ખાતે પણ કાર્યક્રમો આયોજિત કરાયા હતા.કાર્યક્રમમા જિલ્લા કક્ષાએ અંદાજિત ૧૬૨ની જનમેદની અને ત્રણ તાલુકા મળીને અંદાજે ૧૨૦ તેમજ શાળા કક્ષાએ ૧૫૨૩ અને ગ્રામ્ય કક્ષાએ ૩૧૧૦ લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો.

દસમા ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન અને તેને ખુલ્લો મુકવાના “કર્ટેન રેઇઝર” કાર્યક્રમનુ આયોજન ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા વહીવટી તંત્ર સહિત સિનિયર કોચ, ડાંગ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સાપુતારા, તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી-આહવા દ્વારા કરાયુ હતુ. ડાંગ દરબાર હોલ ખાતે દસમા ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની શરૂઆતના કાર્યક્રમમા કલેક્ટર ભાવિન પંડયા સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોષી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા, તથા  તેમની ટિમ, હિસાબી અધિકારી રતિલાલ ચૌધરી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ,આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્પોર્ટ્સ પર્સન, યુવા નેતાઓ, સામાજિક નેતાઓ, આહવા નગરના પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ વર્ચુઅલ કાર્યક્રમમા મોટી સંખ્યામા ઉપસ્થિત રહીને જોડાયા હતા.

સિનિયર કોચ અલ્કેશ પટેલ, તથા તેમની ટિમ દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા કૌશિક ચૌધરી, આર્ચરી કોચ જીતુભાઈ, સહિત અન્ય તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

ભરૂચ : કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં રોજે રોજ ઉજવાય છે માતુભાષા પર્વ

ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબેરી તેની અનોખી સાહિત્યિક પ્રવૃત્તિ માટે જાણીતી છે. એના જ આવા જ એક શુભ આશયથી રોજે રોજ ઉજવાતો પર્વ છે માતૃભાષા કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીએ એક અનોખી પહેલના રૂપે ભારતી વિદ્યામંદિરના બાળકો સાથે ઉજવ્યો. ગુજરાતી શાળામાં ભણતા આ બાળકોને માતૃભાષાના મહત્વ અને ઉપયોગ વિષે રમૂજી ટુચકા કહી સમજાવ્યા કે આપણાં વ્યક્તિત્વ વિકાસમાં માતા- ગુરૂજનો પછી જોઈ મહત્વનુ યોગદાન હોય તો તે માતૃભાષાનું છે. દરેક મનુષ્ય એક ભાષા તો જાણતો જ હોય. ભાષાનું સ્વરૂપ અને સમજવાની રીત ભલે અલગ અલગ હોય પણ ઉદેશ્ય તો વ્યક્તિને ઉત્તમ કક્ષાનું જ્ઞાન પૂરું પાડવાનો જ હોય છે.

ગ્રંથપાલનું કહેવું બાળકોને એ પણ સમજાવ્યું કે માતૃભાષા કદી કોઇની સાથે પક્ષપાત નથી કરતી અને બીજી ભાષા તમે પ્રત્યે પણ પ્રેમ કેળવાનું જ્ઞાન પરુ પાડે છે. કહેવાય છે કે ગામે ગામે બોલી બદલાય પણ એ બોલીમાં પણ જે તે પ્રદેશની રીતભાત  અને લહેકો ઉમેરાય છે આથી પણ માતૃભાષા વધુ મીઠી લાગે છે. ખરેખર તો માતુભાષા એક ધરોહર છે અને એની જાળવણી આવનારી કરવા માટે હવે તો ભગીરથ પ્રયાસ જ કરવા રહ્યા કેમ કે નવી પેઢીના ઘણા બધા બાળકો અને યુવાનો માતૃભાષાથી વિમુખ થઈ રહ્યા છે જે એક ચેતવણી સમાન પણ છે.

એવું ન બને કે માતૃભાષા માત્ર એક સંભારણું ન બની રહે માટે પણ એની જાળવણી માટેના  પ્રયત્નોની ગતિ વધારવી રહી. આ એક મહત્વનું સકારાત્મક બની રહેશે પગલું છે.સાચું કહું તો નવી પેઢી માટે આજે સાચવેલી ભાષા આપણી આવનાર બીજી નિતનવી પેઢીને એક અનોખી ભેટ હશે.બાળકને ભલે માતૃભાષા સિવાયના અલગ માધ્યમની શાળામાં ભણવા મૂકો પણ એને એની માતૃભાષાથી અલગ ન કરો ….ન જ કરો.

સુરત 108 ઇમરજન્સી ના કર્મચારીઓ ની સરાહનીય કામગીરી

અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ ના પરિવારજન ને રોકડ રકમ 61,000 હજાર અને સોનાની 3વીંટી, 1સોના નું ચેન ગળા માં પહેરવાનો, 2વિવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન,1ચાંદી ની વીંટી, ડોક્યુમેન્ટ ATM કાર્ડ, ટોટલ 61,000 રોકડા રૂપિયા અને અંદાજીત 1,50,000 ની સોના ની વસ્તુ અંદાજીત 40હજાર ના બે મોબાઈલ ફોન ટોટલ 2,50,000 ની મત્તા 108 ના ઇએમટી શબ્બીરખાંન બેલીમ અને પાઇલોટ મુકુન્દભાઈએ પરિવારજનોને પરત કરી. સરાહનીય કામગીરી કરી છે.

ચલથાણ પલસાણા ખાતે રહેતા ઘનશયામભાઈ પટેલ પોતે ભાવનગર થી રો-રો ફેરી જહાજ માં ભાવનગર થી સુરત આવતા પોતે ગત રોજ રાત્રી ના સમયે રો-રો ફેરી હજીરા થી પોતાના ઘરે પોતાની બાઇક એકટીવા લઈને જતા હતા અને હજીરા રોડ પર અકસ્માત થતાં માથા ના ભાગે ઇજા થતાં બેભાન થઈ ગયેલ જેનો ઉગત લોકેશનની 108 એમ્બ્યુલન્સ ને કૉલ મળતા ઇએમટીશબ્બીરખાંન અને પાયલોટ મુકુન્દભાઈ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. 38વર્સીય ઘનશ્યામભાઈ પાસે થી ઈએમટીશબ્બીર ને 61,000હજાર રોકડા રૂપિયા અને સોના ની 3વીંટી સોના ની 1ચેન ગળા માં પહેરવાની અંદાજીત 1,50,000 ની મતા એન્ડ્રોઇડ વિવો મોબાઈલ ફોન 2, ચાંદી ની વીંટી એક અને ડોક્યુમેન્ટ ATM card  મળી આવ્યા હતા અને આગળ સારવાર માટે ન્યુ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

ઘનશ્યામભાઈ ની સાથે તેમના કોઈ સગા વ્હાલા ના હોય એટલા માટે 108 ના ઈએમટી શબ્બીરખાને તમામ વસ્તુ તેની પાસે લઈને ઘનશ્યામભાઈ ના મિત્ર મયુરભાઇ સોંપીને માનવતા મરી પરવારી નથી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પરિવારે 108 ના સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.સુરત 108 પૉગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને ઇએમઇ રોશન દેસાઈએ પણ ઇએમટી શબ્બીર બેલીમ અને મુકુન્દ ભાઈ ની ઈમાનદારી અને કામદારી ને બિરદાવી હતી

  • અવી સૈયદ, ન્યુઝલાઇન,ભરૂચ

જંબુસર : ઉચ્છદ નવીનગરી માંથી વિદેશી દારૂ મુદ્દામાલ સહિત ૨ ઝડપાયા ૧ ફરાર

સ્ટેટ મોનિટરિંગ સેલે ઉચ્છદ બાતમીવાળી જગ્યાએ રેડ કરી ઠાકોર ઉર્ફે ભયો પઢીયાર તથા તેની પત્ની ચંપાબેન પઢિયાર વિદેશી દારૂ રોકડ રકમ મોબાઈલ એક્ટિવા સાથે કુલ ૬૨,૪૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા જ્યારે કાહનવા જોષીપુરાના રોહિતભાઈ હરમાનભાઈ વાઘેલા વોન્ટેડ જાહેર કરાયો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને બાતમી મળેલ કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે  નવી વસાહતમાં રહેતો ઠાકોરભાઈ ઉર્ફે ભાયો પઢીયાર તેના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી તેની પત્ની ચંપા સાથે મળી  વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે આધારે પંચોના માણસો સાથે ઉચ્છદ નવી વસાહત ખાતે રેડ કરતા ઠાકોર પઢીયાર ના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ની નાની મોટી કુલ ૬૭ નંગ બોટલો કિંમત ૧૬,૭૫૦/- તથા રોકડ રકમ મોબાઈલ ફોન એક્ટિવા મળી કુલ રૂપિયા ૬૨,૪૫૦/- ના મુદ્દામાલ સાથે ઠાકોરભાઈ ઉર્ફે ભાયો હિંમતભાઈ પઢીયાર તથા ચંપાબેન ઠાકોર ભાઇ પઢિયાર ઝડપાઈ જવા પામ્યા હતા.

જ્યારે વિદેશી દારૂનો જથ્થો પુરો પાડનાર રોહિતભાઇ હરમાનભાઈ વાધેલા રહે.કાહનવા જોષીપુરા નાઓ પોલીસ પકડથી દૂર રહેતા પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર

જંબુસર : કલક રામજી મંદિર ખાતે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

  • કલક ગામે વાઘોડિયા ખીમદાસ આર્યુવેદિક હોસ્પિટલ દ્વારા નિ શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉકાળા દવાઓનો જનતા ઉપયોગ કરે છે  ગ્રામજનોની ચિંતા કરી જંબુસર તાલુકાના કલક ગામે તાલુકા પંચાયત ઉપ પ્રમુખ સંગીતાબેન પટેલ તથા ગામના અગ્રણીઓ દ્વારા  વાઘોડિયા સ્થિત ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી રામજી મંદિરના પટાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

જેમાં સ્ત્રીરોગ બાળરોગ સર્જરી આંખ કાન ગળા હાડકા વિભાગના  એમડી પીએચડી ડોક્ટર નંદકિશોર  ડોક્ટર મહાજન ડોક્ટર શ્રીવિશાખે સેવાઓ આપી હતી સદર કેમ્પમાં આશરે બસો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને જરૂરિયાતમંદને વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને  મફત વાઘોડિયા હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા પીઆરઓ કુંતલ પટેલે જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમ્યાન સરપંચ ઇન્દ્રવદનભાઇ લીંબચિયા ગામ અગ્રણીઓ જશુભાઈ પટેલ,કમલસિંહ રાજ સહિતના હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર

નેત્રંગમાં નાન્દી ફાઉન્ડેશન દ્વારા જીલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું કરાયું આયોજન

નેત્રંગ તાલુકા મથકના જીન કમ્પાઉન્ડમાં નાન્દી ફાઉન્ડેશન દ્વારા જીલ્લા કક્ષાની નન્હીકલીઓ માટે તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તુફાન ગેમ્સમાં ૧૨૦ નન્હીકલીઓ સામેલ થશે કે જેઓ બ્લોક નેત્રંગ અને વાલીયામાં એ.એસ.સી કક્ષાની સ્પર્ધામાંથી પસંદ કરવામાં આવી હતી.જેમાં રમતનું કોઇપણ વ્યકિતના જીવનમાં ખુબ મહત્વ રહેલું છે.વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે.રમત રમવાથી સમુહભાવના અને ખેલદિલી જેવા ગુનોનો વિકાસ થાય છે.નાન્દી ફાઉન્ડેશન દ્વારા ૫૦ મીટરની દોડ, સ્ટેન્ડીંગ જમ્પ, ઇન્ડયુલનસ રન અને સટલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસ ચાલનાર તુફાન ગેમ્સમાં બે હીમાં અને સપના અલગ અલગ ટીમો ભાગ લેનાર છે. જેના નામ હીમાં અને સપના રાખવામાં આવ્યા છે. કાર્યક્રમ ની શરૂઆત દીપપ્રાગટય કરી કરવામાં આવી હતી.

દરમ્યાન નન્હી કલીના પોગ્રામ ઓફિસર સંગીતાબેન રથ,વાલીયા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર હેતલબેન માટીયેડા,નેત્રંગ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર દમયંતીબેન પટેલ,એડમિન એન્ડ ફાયનાન્સ ઓફિસર નેત્રંગ લોકેશનનાં મોહસીન મુનશી, બી.આર.સી કો ઓર્ડીનેટર હિરેનભાઈ પટેલ,જીલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ,ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ,નેત્રંગ તાલુકા સંગઠનમંત્રી મહેશભાઈ વસાવા,જિનના સંચાલક દિલીપભાઈ,નેત્રંગના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ,સભ્ય કિરીટ વસાવા અને સી.એ બહેનો અને આ તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નન્હીકલીઓ ઉપસ્થિત રહી હતી.

  • દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન,નેત્રંગ
error: Content is protected !!