The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ : કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં રોજે રોજ ઉજવાય છે માતુભાષા પર્વ

ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબેરી તેની અનોખી સાહિત્યિક પ્રવૃત્તિ માટે જાણીતી છે. એના જ આવા જ એક શુભ આશયથી રોજે રોજ ઉજવાતો પર્વ છે માતૃભાષા કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીએ એક અનોખી પહેલના રૂપે ભારતી વિદ્યામંદિરના બાળકો સાથે ઉજવ્યો. ગુજરાતી શાળામાં ભણતા આ બાળકોને માતૃભાષાના મહત્વ અને ઉપયોગ વિષે રમૂજી ટુચકા કહી સમજાવ્યા કે આપણાં વ્યક્તિત્વ વિકાસમાં માતા- ગુરૂજનો પછી જોઈ મહત્વનુ યોગદાન હોય તો તે માતૃભાષાનું છે. દરેક મનુષ્ય એક ભાષા તો જાણતો જ હોય. ભાષાનું સ્વરૂપ અને સમજવાની રીત ભલે અલગ અલગ હોય પણ ઉદેશ્ય તો વ્યક્તિને ઉત્તમ કક્ષાનું જ્ઞાન પૂરું પાડવાનો જ હોય છે.

ગ્રંથપાલનું કહેવું બાળકોને એ પણ સમજાવ્યું કે માતૃભાષા કદી કોઇની સાથે પક્ષપાત નથી કરતી અને બીજી ભાષા તમે પ્રત્યે પણ પ્રેમ કેળવાનું જ્ઞાન પરુ પાડે છે. કહેવાય છે કે ગામે ગામે બોલી બદલાય પણ એ બોલીમાં પણ જે તે પ્રદેશની રીતભાત  અને લહેકો ઉમેરાય છે આથી પણ માતૃભાષા વધુ મીઠી લાગે છે. ખરેખર તો માતુભાષા એક ધરોહર છે અને એની જાળવણી આવનારી કરવા માટે હવે તો ભગીરથ પ્રયાસ જ કરવા રહ્યા કેમ કે નવી પેઢીના ઘણા બધા બાળકો અને યુવાનો માતૃભાષાથી વિમુખ થઈ રહ્યા છે જે એક ચેતવણી સમાન પણ છે.

એવું ન બને કે માતૃભાષા માત્ર એક સંભારણું ન બની રહે માટે પણ એની જાળવણી માટેના  પ્રયત્નોની ગતિ વધારવી રહી. આ એક મહત્વનું સકારાત્મક બની રહેશે પગલું છે.સાચું કહું તો નવી પેઢી માટે આજે સાચવેલી ભાષા આપણી આવનાર બીજી નિતનવી પેઢીને એક અનોખી ભેટ હશે.બાળકને ભલે માતૃભાષા સિવાયના અલગ માધ્યમની શાળામાં ભણવા મૂકો પણ એને એની માતૃભાષાથી અલગ ન કરો ….ન જ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!