The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 149

રાજપારડીમાં બી.ઓ.બી બેંક ક્રોપ લોન કૌભાંડ કરનાર ૧ ઝડપાયો, ૨ ફરાર

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકે ભરૂચ જીલ્લામાં બનતા નાણાંકીય છેતરપિંડીના ગુનાઓ અટકાવવા આપેલ સુચના આધારે રાજપારડી બેંક ઓફ બરોડા શાખામાં સને-૨૦૧૪ માં આ કામના ફરીયાદીને ખેતી માટે ક્રોપ લોનની જરૂર હોય. જેથી લોનના નાણાં મેળવવા માટે આ કામના આરોપી કિરીટસિંહ મોતીસિંહ મહિડા તથા ગણેશભાઇ શંકરભાઇ વાળંદનો સંપર્ક કરતા આ કામના આરોપીઓએ ફરીયાદી તથા સાક્ષીઓને વિશ્વાસમાં લઈ જરૂરી દસ્તાવેજો મેળવી સહીઓ કરાવી, જે તે વખતના બેંક ઓફ બરોડા રાજપારડી શાખાના મેનેજર ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર સાથે મિલીભગત માં ક્રોપ લોનની સાથે સાથે બોરવેલ ઇરીગેશન લોનના રૂપિયા- ૬,૦૦,૦૦૦/- ની લોન પણ બેંકમાથી મંજુર કરાવી છેતરપિંડી કરી હોવાની ડેપ્યુટી જનરલ મેનેજર બેંક ઓફ બરોડા ભરૂચે રાજપારડી બેંક ઓફ બરોડા શાખામાં થયેલ નાણાંકીય છેતરપિડી બાબતની અરજી કરી હતી.

જે અરજીની તપાસ દરમ્યાન મંજુર થયેલ ઇરીગેશન લોનના રૂપિયા-૬,૦૦,૦૦૦/- ની વિશ્વાસઘાત કરી નાણાંકીય છેતરપિડી થયેલાનું જણાય આવતા ભોગ બનનાર સુકલભાઇ કાળીયાભાઇ વસાવા રહે.નાના અણધરા તા,ઝઘડીયાની ફરીયાદના આધારે આ કામના આરોપીઓ (૧)ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર (જે તે વખતનાં બેંકઓફ બરોડા રાજપારડી શાખાનાં મેનેજર) (૨) કિરીટસિંહ મોતીસિંહ મહિડા (૩) ગણેશભાઇ શંકરભાઇ વાળંદ રહે સરસાડ,તા-ઝઘડીયા,જી-ભરૂચ નાઓની વિરૂધ્ધમાં રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપી કિરીટસિંહ મોતીસિંહ મહિડા રહે સરસાડ,તા-ઝઘડીયાને ઝડપી પાડયો હતો. જ્યારે ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર (જે તે વખતનાં બેંક ઓફ બરોડા રાજપારડી શાખાનાં મેનેજર) ગણેશભાઇ શંકરભાઇ વાળંદ રહે સરસાડ,તા-ઝગડીયા,જી-ભરૂચની શોધ આરંભી પક્ડાયેલ આરોપી વિરૂધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડીયામાં બંધ પડેલ કંપનીમાંથી એંગલોની ચોરી કરતી ટોળકી પકડાઇ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસી માં એક બંધ પડેલ કંપનીમાંથી લોખંડની એંગલો તેમજ લોખંડની જાળીઓની ચોરી કરતી ટોળકી પૈકી એક ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો હતો, જ્યારે અન્ય ચાર જેટલા ઓળખાયેલા અને ૧૦ જેટલા વણઓળખાયેલા ઇસમોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ઝઘડીયા પી.આઇ પોલીસ ટીમ સાથે ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતીકે જીઆઇડીસી માં બંધ પડેલ આકાશ ટાઇલ્સ નામની કંપનીમાંથી કેટલાક ઇસમો લોખંડની એંગલોની ચોરી કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા એક ઇસમ સ્થળ ઉપર પકડાઈ ગયો હતો, અને કેટલાક ઇસમો ભાગી છુટ્યા હતા. પકડાયેલ ઇસમ પાસે પોલીસે આ સ્થળેથી લોખંડ લઇ જવા માટેના જરૂરી કાગળો માંગતા આ ઇસમ કોઇ વ્યવસ્થિત જવાબ આપી શકેલ નહી.

પોલીસે ઘટના સ્થળેથી લોખંડની એંગલો તેમજ જાળીઓ મળી કુલ રુ.૧૯૧૨૫ નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આ પકડાયેલ ઇસમનું નામ વિજયભાઇ મુન્નાભાઇ વસાવા રહે.ગામ લિંભેટ તા. ઝઘડીયાના હોવાની જાણ થઇ હતી. તેમજ આ પકડાયેલ ઇસમને  ભાગી ગયેલ ઇસમોના નામ પુછતા તેમના નામ અક્ષયભાઇ રવિયાભાઇ વસાવા રહે.ગામ લિંભેટ તેમજ  કનૈયાભાઇ અમરસિંગ વસાવા અને સતિષભાઇ મોહનભાઈ વસાવા બન્ને રહે.તલોદરા તા.ઝઘડીયાના હોવાની જાણ થઇ હતી.

આ ઉપરાંત આ કામમાં બીજા અન્ય દસેક જેટલા ઇસમો પણ સામેલ હોવાનું જણાયુ હતું. પકડાયેલ ઇસમને આ અન્ય ઇસમોના નામ ખબર નહી હોવાનું તેણે જણાવ્યું હતું. આ મુદ્દામાલ નફીશ ભંગારવાળાને આપવાનો હોવાની જાણ થઇ હતી. ઝઘડીયા પોલીસે આ મુદ્દામાલ કબજે લઇને એક પકડાયેલ ઇસમ તેમજ નહિ પકડાયેલ અન્ય ચાર ઓળખાયેલ ઇસમો ઉપરાંત દસેક જેટલા વણઓળખાયેલ ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

  • વિનોદ વસાવા,ન્યુઝલાઇન,ઝઘડીયા

બેથી વધારે બાળકો નિયંત્રીત કરવાનો કાયદો નહીં બને તો કાશ્મીર ફાઇલસની જેમ ભરૂચ ફાઇલ્સ ફિલ્મ પણ બનશે- પ્રવિણ તોગડીયા

  • ડો.પ્રવીણભાઈ તોગડિયા દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન ભરૂચ ઝાડેશ્વર ચોકડી ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી

ડો. પ્રવિણ તોગડિયાએ ભરૂચ ખાતે તેઓએ કાશ્મીર ફાઇલ્સ પિક્ચર બાબતે  નિવેદન આપતા હાલ ની ભાજપ સરકારે હિન્દુઓ માટે શું કર્યું તે માટે આકરા પ્રહાર કર્યા હતા. ડો.પ્રવીણભાઈ તોગડિયા ફાઈલ્સ ફિલ્મ વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ફિલ્મ એક સત્ય ઘટના પર બની છે અને ૧૯૯૦ માં દાયકા માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને મારી નાખવામાં આવ્યા હતા અને ચાર લાખ થી વધુ કાશ્મીરી પંડિતો ઓ પલાયન કરવું પડયું હતું.

આ ઘટના ને ૩૦ વર્ષ વિતી ગયા છતાં પણ કેન્દ્રમાં ૧૫ વર્ષ કોંગ્રેસ અને ૧૫ વર્ષ ભાજપ ની સરકાર હતી છતાં પણ આ ૩૦ વર્ષ દરમિયાન કોઈપણ સરકારે કાશ્મીરી પંડિતોને ઘરવાપસી નથી કરાવી અને કાશ્મીરી પંડિતોને પોતાના મકાન કે જમીન પણ પાછા અપાવી શકી નથી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એક રાજકારણ સાથે જોડાયેલો મુદ્દો ગણાવીને જણાવ્યું હતું કે મુસ્લિમ લોકો માટે બે બાળકો નો કાયદો લાવવો જોઈએ અને જો આ કાયદો નહિ બનાવવા માં આવે તો આવનારા ૩૦ વર્ષ માં કાશ્મીર ફાઇલ્સ ની જેમ ભરૂચ,વડોદરા,ભારત ફાઇલ્સ નામની પણ ફિલ્મ આવશે. જે કાશ્મીરી પંડિતો સાથે ઘટના બની છે એજ ઘટના મુસ્લિમ લોકો જોડે બની હોત તો તેઓને ઘર અને જમીન ક્યાર ના મળી ગયા હોત પરંતુ કાશ્મીરી પંડિતો હિન્દુ હોવાના કારણે તેઓને પોતાના ઘર કે જમીન પાછા મળી શકતા નથી તે માટે ગંભીરતાથી સરકાર વિચારી કાશ્મીરી પંડિતોને સ્થાપિત કરાવે તેવી માંગ કરી હતી.

આમોદના પુરસા ગામના યુવાનના ધર્માંતરણના મામલે ૪ ના ૭ દિવસના રિમાન્ડ મંજુર

ચારેવના ૭ દિવસના રિમાન્ડ, ભરૂચનો મૌલવી હજી પોલીસ પકડથી દૂર

આમોદ તાલુકાના પુરસા ગામે રહેતાં એક શખ્સનું ગેરકાયદે રીતે ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાયો છે. જેની તપાસ જંબુસર ડિવિઝનના ઇન્ચાર્જ ડિવાયએસપીને સોંપવામાં આવી છે. ત્યારે ડિવાયએસપીની ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડી તેમને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના 25મી માર્ચ સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં હતાં.

આમોદ તાલુકાના કાકરિયા ગામના આદિવાસી પરિવારોના ધર્માંતરણના બહુચર્ચિત કેસ બાદ આમોદ તાલુકાના જ પુરસા ગામના શખ્સના ધર્માંતરણનો કિસ્સો સામે આવ્યો છે. પુરસા ગામે રહેતાં છગન રયજી પરમારને 15 વર્ષ પહેલાં ગામમાં જ રહેતાં ઇમરાન નુરભા મલેક તેમજ જહાંગીર ગુલામ સરદાર મલેક, ગેમલસંગ ભારતસંગ સિંધા તથા જહાંગીર ગુલામ સરદાર મલેક નામના શખ્સોએ ધમકીઓ આપી હતી કે, ઇસ્લામ ધર્મ અંગિકાર કરો નહીં તો ગામ છોડી દો. જે બાદ ભરૂચના ભોલાવ ગામના મોલવીની મદદથી તેનું ધર્મપરિવર્તન કરાવી તેનું નામ અબ્દુલ રહેમાન પરમાર રાખ્યું હતું.

પછી તેને પુરસા ગામની મરીયમ મસ્જીદમાં કામ પર રાખ્યો હતો. જોકે, બે વર્ષથી તેને પગાર નહીં આપવા સાથે ધર્માંતરણ બાદ તેને રહેવા માટે મકાન-પ્લોટ આપવા માટેનું એફિડેવિટ કરવા છતાં તેને તે સહૂલિયત ન મળતાં આખરે તેણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ સંદર્ભે ઇમરાન નુરભા મલેક, જહાંગીર ગુલામ સરદાર મલેક, ગેમલસંગ ભારતસંગ સિંધા તથા જહાંગીર ગુલામ સરદાર મલેકની ધરપકડ કરી તેમને શનિવારે કોર્ટમાં રજૂ કર્યાં હતાં. દરમિયાનમાં કોર્ટે ચારેય આરોપીઓને 25મી માર્ચ સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

ભરૂચના બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી, દબાઇ જતા 3 બાળકોના મોત

  • માતા-પિતા સારવાર હેઠળ
  • 3 બાળકોના કાટમાળમાં દબાઈ જતા મોત
  • પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

ભરૂચના બંબાખાના વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. જેમાં જુનું મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાતા 3 બાળકોના મોતને ભેટ્યા છે. જ્યારે તેમના માતા-પિતાને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે.

ભરૂચના બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવ નજીક આવેલ હરિજન વાસના મકાન નં.૯૦૩માં વર્ષાબેન કિશોરભાઈ સોલંકી એક દીકરો અને ત્રણ દીકરી સાથે પોતાના પરિવાર સાથે રહે છે. પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ વર્ષાબેન હિંમત સાથે પોતાના પરિવારના ઘડતર માટે નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરી રહ્યા છે, ત્યારે આજરોજ પોતના રાબેતા મુજબ, વર્ષાબેન નગરપાલિકામાં કામ અર્થે નીકળી ગયા હતા, ત્યારે બાળકો મકાનમાં ઉંઘતા હતા. તે દરમ્યાન અચાનક મકાનની છત ધડાકાભેર ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.

આ ઘટનાની સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરી હતી. જેથી ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવતાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી, અંજના સોલંકી અને મોટી બહેન ગાયત્રી સોલંકી કાટમાળ નીચે દબાયેલ હાલતમાં મળી આવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી અને અંજના સોલંકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી, જ્યારે ગાયત્રી સોલંકી ઇજાગ્રસ્ત હોવાના કારણે તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તેમણે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

 

શુકલતીર્થમાં ડૂબી જવાથી મોતને ભેટેલ બે યુવાનોની ધટનાનું દુ:ખ વ્યકત કરતા સાંસદ મનસુખ વસાવા

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે ધૂળેટીના દિવસે ધૂળેટીની ઉજવણી બાદ નર્મદામાં નહાવાગયેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના દૂબી જવાથી મોતની ધટના બનતા સાંસદ મનસુખ વસાવા આજ રોજ શુકલતીર્થ ગામે પહોંચ્યા હતા.

સાંસદ મનસુખભાઇએ મૃતક યુવાનોના પરિવારને સાંતવના પાઠવવા સાથે તેમના કરૂણ મોત બદલ દુખ વ્યક્ત કરી રેતી માફીયાઓ દ્વારા નર્મદામાં રેતી કાઢવા કરાતા ૩૦ ફૂટ જેટલા ઉંડા ખાડાને ગેરકાયદેસરના કહી કિંતા વ્યક્ત કરી હતી. સાંસદ મનસુખભાઇ વસાવાએ આ અંગે સરકારમાં રજૂઆત કરી હોવાની પણ વાત ઉચ્ચારી આવા ગેરકાયદે ચાલતા રેતી ખનન બંધ કરાશેની વાત કહી હતી.

જંબુસરના લીમડાવાળા ભાથીજી મહારાજ મંદિરના ૮ મા પાટોત્સવની રંગેચંગે ઉજવણી

જંબુસરના પિશાચેશ્વર મહાદેવ ની પાછળ આવેલ લીમડાવાળા દાદા મંદિરના આઠમા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક રંગેચંગે ઉજવણી કરવામાં આવી મંદિરના  પાટોત્સવ પ્રસંગે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.

મંદિર ખાતે ભાથીજી મહારાજ મહાકાળી માતા ખોડીયાર માતાનુ સ્થાપન કરવામાં આવ્યું છે.આજ રોજ પાટોત્સવ પ્રસંગે નાડિયા ખડકીના રહીશ ગિરીશભાઇ ચંપકલાલ પટેલને ત્યાંથી ડીજે ના તાલે શોભાયાત્રા નીકળી લીલોતરી બજાર ગણેશ ચોક,ત્રિવિક્રમ બજાર, સુભાષ મેદાન ટંકારી ભાગોળ થઈ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રા દરમિયાન ભાથુજી મહારાજના ભજન કીર્તન પર સૌ ભક્તો ઝુમી ઉઠ્યાં હતાં.

મંદિર ખાતે ધાર્મિક પૂજા વિધી આરતી ગિરીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન મંદિર તરફથી રાખવામાં આવ્યું હતું અને બપોરે ભાથુજી મહારાજની સત્સંગ સભા યોજવામાં આવી હતી  પાટોત્સવ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઇ સોલંકી, કાછિયા પટેલ સમાજ અગ્રણીઓ યુવાનો નગરપાલિકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ હાજર રહી દાદાના દર્શનનો લાભ લીધો હતો.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

પીલુદ્રા વીબીસી માઇનોર લીકેજ થી જોરવાગા અને ભરડીયા વગાના ખેતરમાં ભરાયા પાણી

નર્મદા નહેરના તકલાદી બાંધકામને લઇ લહેરો વારંવાર તૂટી જવા લીકેજના બનાવો બને છે જંબુસર તાલુકાના પીલુદ્રા વીબીસી માઈનોર લીકેજ થી ૧૦૦ એકર જમીન પાણીમાં ગરકાવ થતાં ખેતીને નુકસાન થતાં ધરતીપુત્રો હેરાન પરેશાન.

નર્મદા નહેર જ્યારથી જંબુસર તાલુકામાં બનેલી છે ત્યારથી આજદિન સુધી તાલુકાના ધરતીપુત્રોને નર્મદા નહેરના પાણીનો લાભ મળતો નથી  ઊલટાનું નુકસાન થાય છે નહેરના તકલાદી બાંધકામને લઇ નહેરો વારંવાર તૂટી જવા કે લીકેજ થવાના બનાવો અવારનવાર બનતા રહે છે.જે અંગે નર્મદા નહેરની ઑફિસે ધરતીપુત્રો દ્વારા કિસાન સંગઠનો દ્વારા લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવતી હોય છે. તેમ છતાંય નહેર ખાતાના અધિકારીઓ આ બાબતે કાંઈ ધ્યાન આપતા નથી કે વ્યવસ્થિત નહેરો રીપેર કરાતી નથી જેનો ભોગ ખેડૂતો બનતા હોય છે ધરતીપુત્રોની મહામૂલી ખેતીને નુકશાન થાય છે.

જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે થી વીબીસી માઇનોર કેનાલ વેડચ વિશાખા કહાનવા તરફથી આવે છે.જે ઘણા સમયથી લીકેજ છે એ બાબતે સરપંચ બળવંતભાઈ તથા ખેડુતો ધ્વારા નહેર ખાતાની ઓફિસે વારંવાર લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે  તેમ છતાં નિહાર લીકેજના પ્રશ્ન આજદિન સુધી હલ થયો નથી જેને કારણે જોરવગા તથા ભરાડિયા વગાની ૧૦૦ એકર જમીનના ઘઉં બાજરી તુવેર દિવેલાનાં પાકો નિષ્ફળ જવા પામ્યા છે.આ સહિત લીકેજના પાણી રોડ ઉપર રેલમછેલ હોય છે ખેતી ઉત્પાદનો માટે જરુરી સાધનો લઈ જવાના માર્ગો પાણીથી ભરાતા હોય ધરતીપુત્રો હેરાન પરેશાન થવા પામ્યા છે નહેર ખાતાના અણઘડ વહીવટને કારણે  ધરતીપુત્રોના  મહામુલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે તંત્ર દ્વારા વહેલી તકે લહેરી લીકેજનો પ્રશ્ન હલ કરવામાં આવે તેમજ ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે.

  • સંજય વસાવા,ન્યુઝલાઇન,જંબુસર

ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે શનિવારના રોજ યોજાયો હતો. જેમાં મહિલાઓ કઈ રીતે પગભર થાય મહિલાઓ પોતાનો વિકાસ કઈ રીતે કરી શકે મહિલા કઈ રીતે પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

હવે સ્ત્રીઓ પણ જાગૃત થાય અને તેઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે લક્ષ્ય થી ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સેન્ટરના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટર ના મુખ્ય સંચાલિકા  પ્રભાદીદીએ જણાવ્યું હતું કે નારી શક્તિ સૌથી મહાન છે નારી એ પરિવારનો તો વિકાસ કરે છે સાથે સાથે તેનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું.

SOU પ્રવાસનના નામે ગુજરાત ભાજપ સરકાર આદિવાસીઓને ખદેડી રહી છે:ડૉ.પ્રફુલ વસાવા

કેવડીયા બચાવો આંદોલનનાં આગેવાન ડૉ.પ્રફુલ વસાવા કહે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ રદ્ કરવા કેવડિયા વિસ્તારનાં લોકો અને આદિવાસી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. SOU એક્ટ ગુજરાત વિધાનસભા દ્વારા કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં જમીનો સંપાદિત કરવા, પ્રવાસન ઉદ્યોગ માટે, નિયંત્રણ માટે કાયદો બનાવ્યો છે, જેનો શરૂઆતથી સ્થાનિકો અને આદિવાસી સંગઠનો વિરોધ કરી રહ્યા છે.

આદિવાસી સમાજ માને છે કે ગુજરાત સરકાર પ્રવાસનના નામે જળ, જમીન, જંગલ અને જમીનો બિન કાયદેસર રીતે પડાવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી  એક્ટમાં ભારતીય બંધારણ ની પાંચમી અનુસુચિ અને પેસા કાનુન નું ઉલ્લંધન થયું છે. પ્રવાસન ઉદ્યોગ ને વધારવા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટને લીધે આ વિસ્તારમાં શહેરીકરણ કરવા અધિનિયમ કલમ ૧૦ આપવામાં આવી છે, જેમાં ગુજરાત નગર નિયોજન અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ નાં કાયદા આ વિસ્તારમાં લાગું થશે સાથે સાથે કલમ ૩૧(૧)માં કહેવા માં આવ્યું છે, કે અનુચ્છેદ ૨૪૩(Q) પ્રમાણે ગુજરાત સરકાર આ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર માંથી ઔધોગિક ટાઉનશિપ પણ ‌ફેરવી શકે છે. અને કલમ ૩૧(૨) પ્રમાણે આ વિસ્તારને સૂચિત ક્ષેત્ર‌ જાહેર કરવામાં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ નાં કાયદા આ વિસ્તારમાં લાગુ થશે. જેને લીધે આ વિસ્તાર લોકો, ગામ પંચાયતો પોતાના હક્ક અધિકાર ગુમાવી દેશે અને તેમના અસ્તીત્વ ઉપર ખતરો ઉભો થશે.

SOU એક્ટ નાં આ કાયદાઓ પ્રથમ દ્રષ્ટિએ ગેરબંધારણીય છે અને ‌ભારતીય બંધારણ નાં અનુચ્છેદ ૨૪૩-ZC મુજબ બંધારણ ના ભાગ ૯-A જે આ વિસ્તારમાં નગરપાલિકા કાનુન એ અનૂસુચિત આદિજાતિ વિસ્તારમાં લાગું પાડી શકાય નહીં. તેમાં પણ ગુજરાત વિધાનસભા ને આ SOU એકટ બનાવી તેની ૩૧(૧) (૨) લાગું કરવાની બંધારણીય સત્તા જ નથી તો પછી ગુજરાત વિધાનસભા એ આ કાયદો બંધારણ ની ઉપરવટ જઈને ઘડ્યો છે તેવું કહી શકાય. અનુચ્છેદ ૨૪૩ M (૪) B નું પણ SOU એક્ટ ખુલ્લેઆમ ઉલ્લંધન કરે છે. ગુજરાત સરકાર ને પાંચમી અનુસૂચિ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ કે આવા કોઈ પણ કાયદા લાગુ કરવાની બંધારણીય સત્તા જ નથી”.

SOU એક્ટ પેસા કાનુન ૧૯૯૬ ની કલમ ૪ (e)(૧) અને ૪( i ) નું પણ ઉલ્લંધન કરે છે‌. ગુજરાત પંચાયત અધિનિયમ ૨૦૧૭ ના નિયમ‌ ૧૭ માં કહેવા આવ્યું છે, કે રાજ્ય નાં નિયમો, સામાજિક સંશાધનો , સામાજિક રીતી રિવાજ, ધાર્મિક પારંપારિક રૂઢિ પ્રથા અનુરૂપ હોવા જોઈએ જેનાં SOU એક્ટ બિલકુલ વિપરીત છે અને જળ જમીન જંગલ અને આદિવાસી ઓની રહેણીકરણી પર વિપરીત અસર કરનારું બિલ રદ્ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. કેવડીયા ગામ નાં શિક્ષિત યુવા અને પીટીશનર રાજેન્દ્ર તડવી એ કહ્યું કે SOU ACT આદિવાસી સમાજ માટે કાળા કાયદા સમાન છે. બંધારણીય અધિકારોનું છડેચોક ઉલ્લંઘન છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા
error: Content is protected !!