The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 11

પણીયાદરા નજીક ખુલ્લા ખેતરોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

દહેજ આમોદ રોડ ઉપર આવેલ પણીયાદરા ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર આવેલ ખુલ્લા ખેતરમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી અઅવતા ચકચાર મચી જવા પામી હતી.

દહેજ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ 31/05/024 ના રોજ દહેજ આમોદ રોડ ઉપર આવેલ પણીયાદરા ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર રિલાયન્સ SP-1 ઓફિસની સામે ખુલ્લા ખેતરોમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ દહેજ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઝાડ ઉપર યુવકનો લાશ લટકતી જોવા મળી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં મરણ જનાર યુવક વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આંટી ગામનો યાકુબભાઈ રહીમભાઈ મલેક ઉ.વ 32 હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જોકે આ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે, તે જાણી શકાયું નથી.હાલમાં તો પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચના ફાટાતળાવ ઢાળ થી બાયપાસ સુધીના રસ્તા દુરસ્ત કરવા વિપક્ષ દ્વારા તાકિદ

ભરૂચ શ્રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી ભારે ટ્રાફિકજામ થવાના કારણે અનેક વાહનોનું ભારણ ભરૂચના આંતરીક માર્ગો ઉપર વધવા પામ્યુ છે. જેને પગલે ભરૂચના  ફાટાતળાવ, ઢાલ થી મદીના હોટલ સુધીના સાંકડા માર્ગ ને પહોળો કરવા વિપક્ષ દ્વારા સત્તાપક્ષને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.

જે વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય તેમજ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો અને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા કામગીરી કરવામાં આવી હતી તેમજ રોડ પર અડચણ રૂપ વીજપોલને પણ શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ઢાળથી મોહમંદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે ત્યાં તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કારપેટ કરવા સાથે આ માર્ગો દુરસ્ત કરવાની કામગીરી કરવામાં વિલંબ થઇ રહયો છે. જેથી આજ રોજ પુન: નગરપાલિકા વિપક્ષ ના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી જનહિતમાં નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને તાકિદ કરવામાં આવી હતી.

ONGCની પાઈપલાઈનમાં પંકચર કરી ક્રુડ ચોરીના પ્રયાસ મામલે બે ઝડપાયા

જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાંથી ONGCની ફુડ ઓઈલની પાઈપ લાઈનમા પંકચર કરી કુડ ઓઈલ ચોરી કરવાની કોશિશ કરનારા બે આરોપીઓને વેડચ પોલીસે ઝડપી પાડ્યા છે.જેની વધુ તપાસ જંબુસર સીપીઆઈએ ચલાવી રહ્યા છે.

વેડચ પોલીસ મથકમાં 27 મી મે 2024 ના રોજ ફરિયાદ નોંધાઇ હતી.જેમાં માસારોડથી અણખી સુધી ONGC (TRUNK PIPE LINE) TPLHİ કોઈ અજાણ્યા ઇસમોએ ટ્રન્ક પાઈપ લાઈન પાસે ટેન્કર લાવી ONGC ટ્રંક પાઈપ લાઈન ઉપર ખાડો ખોદી વાલ્વ બેસાડેલો હતો અને તેમા પાઈપ ફીટ કરી તેની બીજી બાજુ ની પાઈપ ટેન્કરની અંદર નાખી ચોરી કરતા હોવાની જાણ ONGC સિક્યુરિટી ટીમને થતા ટીમે પોલીસમાં જાણ કરતા વેડચ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી.ઇન્ચાર્જ પીએસઆઈ વી.એ.આહીરે ઝીણવટ ભરી તપાસ કરી ટીમને કામગીરી સોંપી હતી.

આ સમયે પીએસઆઈ આહિરને માહિતી મળી હતી.કે, ભાગી જનાર આરોપી આણંદ જિલ્લાના વાસદ રેલ્વે સ્ટેશન નજીકથી મુખ્ય આરોપી નિલેશ ભારતસિંગ રાઠોડ તથા જંબુસર તાલુકા ના અણખી ગામેથી આરોપી રાકેશ ઉર્ફે પિન્કો રમણભાઈ ઠાકોર હાજર છે.જેથી ટીમે માહિતીવાળા સ્થળ પર પહોચી બંને આરોપીઓને ઝડપીપાડ્યા હતા.ટીમે તેમને વેડચ લાવી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ જંબુસરના સીપીઆઈ ચલાવી રહ્યા છે.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા લોકો પરેશાન

ભરૂચના ઝાડેશ્વર રોડ પર હવામાં ધૂળની રજકણો ઉડતી હોઇ રોડ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને પવનના પગલે આકરી ગરમી બાદ લોકોએ થોડો હાશકારો જરૂર અનુભવ્યો છે.

પરંતુ પવનના પગલે જાહેર માર્ગો પરા ઉડતી ધૂળના કારણે લોકો તેમજ વાહનચાલકો પરેશાન થઈ ગયા છે.અમુક વખતે એટલી બધી ધૂળ ઉડે છે કે વાહન ચાલકોને સામે કઈ જ દેખાતું નથી જેથી અકસ્માત થવાની શકયતા પણ વઘવા પામી છે.વળી ઝાડેશ્વર રોડ નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં ધૂળના રજકણો ઉડતાં ઘરની ઓસરી કે ઘરમાં પણ ધૂળ ભરાઇ જતાં ગૃહિણીઓ પણ ત્રસ્ત બની છે.

ભરૂચ લોકસભા બેઠક પર પહેલું નામાંકન ભાજપના મનસુખ વસાવાએ ભર્યું

ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી જીતના પરચમનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા આજે સોમવારે 12.30 કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન કરવા રાજપીપળા નિવાસ સ્થાનેથી વહેલી સવારે નીકળ્યા હતા.

સવારે હરસિદ્ધિ માતાના દર્શન બાદ ગુમાનદેવ દાદાના આશીર્વાદ લઈ તેઓ ભરૂચ પોહચ્યા હતા. જ્યાં શક્તિનાથ મહાદેવના આશિષ લઈ પટાંગણમાં વિજય સંકલ્પ સભામાં જોડાયા હતા.સભામાં પૂર્વ કેન્દ્રીય દર્શનાબેન જરદોષ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, બે જિલ્લાના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, ભરૂચના 5 ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ઇશ્વરસિંહ પટેલ, રીતેશ વસાવા, ડી.કે.સ્વામી, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, જિલ્લા પંચાયત, પાલિકા, તાલુકા પંચાયત પ્રમુખો, અન્ય પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરોની વિશાળ હાજરીમાં ફરી એક વાર મોદી સરકાર સાથે ભરૂચ બેઠક પર ભગવો લહેરાવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
હાર તોરા, ડી.જે., આદિવાસી લોક નૃત્ય, એક જ ચાલે મનસુખ વસાવા ચાલે ના નાદ ઉપર શક્તિનાથથી કલેકટર કચેરી સુધી પગપાળા રેલી કાઢી શક્તિપ્રદર્શન કરાયું હતું.
આજે ભાજપ તરફથી પહેલી ઉમેદવારી નોંધાવવામાં આવી છે. મનસુખ વસાવાની રેલી કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા બાદ કાર્યકરોએ પોલીસની કિલ્લેબંધીને ભેદીને કલેકટર કચેરીમાં દોટ મુકવા પ્રયાસ કર્યો હતો.કાર્યકરોને બહાર કાઢવામાં આગેવાનોને નવ નેજા પાણી આવી ગયાં હતાં. કલેકટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.ઉમેદવારી પત્ર ભરવા માટે 12.39 મિનિટનો નક્કી કરાયેલા સમયે 41 ડીગ્રી તાપમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને પોતાનું નામાંકન સુપરત કર્યું હતું.

મોદી પરિવારની વચનબદ્ધતા સાથે ભરૂચ ભાજપની ભોલાવમાં મળી ભવ્ય સભા

ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રી નગરના કોમન પ્લોટ ખાતે ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની અધ્યક્ષતા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય જાહેર સભા યોજાઈ હતી.

ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેરસભાનું શુક્રવારે સાંજે આયોજન કરાયું હતું.સભા સ્થળે જનમેદની વચ્ચે ફટાકડા ફોડી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત સાથે તેઓને પુષ્પગુચ્છ અને ફુલહાર અર્પણ કરી ઉષ્માભેર આવકાર અપાયો હતો.

ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવારે ભરૂચ, ગુજરાત કે દેશ હોય સુરક્ષા અને વિકાસ મોદી પરિવારની વચનબદ્ધતા રહી હોવાનું પ્રજાને સંબોધ્યું હતું. ગર્વ સાથે રાષ્ટ્ર અને ભારત માતાની ભક્તિમાં ભાજપનો દરેક કાર્યકર કાર્યરત હોવાનું જણાવી આજે જનજન ભાજપ અને મોદી સરકારને ફરી સત્તાનું સુકાન સોંપવા સમર્પિત હોવાનો આનંદ વ્યકત કર્યો હતો.જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચ બેઠક પર નખશીખ પ્રમાણિકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રમાણપત્ર મેળવનાર મનસુખ વસાવા 7મી વખત 5 લાખ કરતા પણ વધુ મતોથી વિજય થઈ દેશમાં સૌથી સિનિયર સાંસદનો ખિતાબ મેળવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વધુમાં 15 એપ્રિલે શક્તિનાથ મહાદેવનું પૂજન અર્ચન કર્યા બાદ ત્યાંથી પગપાળા રેલી કાઢી કલેકટર કચેરીએ પોહચી ભાજપના ઉમેદવાર નામાંકન કરશે તેવી માહિતી આપી હતી. લોકસભાની ચૂંટણીમાં ફરી ભાજપ અને મોદી સરકારના હાથ મજબૂત કરવા જનજન ઉત્સાહિત હોવાનું તેમણે કહ્યું હતું.ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ નરેન્દ્ર મોદીના નામ, કામ, આભા, પ્રતિભાથી પ્રભાવિત આજે દરેક નાગરિક હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. ભરૂચના ભોલાવ સહિત લોકસભાના તમામ મતદારો મતદાન કરવા અને કરાવવા મોદી પરિવારમાં કટિબદ્ધ હોવાનું અંતે તેમણે ઉમેર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીએ સંગઠન અને કાર્યકરોની મહેનતને બિરદાવવા સાથે મોદીમય માહોલ પ્રજામાં સર્વત્ર જોવા મળી રહ્યો હોય. જે ભાજપ અને મોદી સરકારના કાર્યોને આભારી હોવાનું ગણાવ્યું હતું.સભામાં મહામંત્રી નિરલ પટેલ, ભરૂચ પાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ પંચાયત સરપંચ, ડે. સરપંચ, યુવા પ્રમુખ, હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકરો સાથે ભોલાવ વિસ્તારની પ્રજા મોટી સંખ્યામાં હાજર રહી હતી.

પાવાગઢ પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત, ૧ પદયાત્રીનું મોત, ૨ ઘાયલ

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર અસુરિયા પાટીયા પાસે સવારના સમયે આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં નવસારીના ગડત ગામનો ૩૧ લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતો,દરમિયાન અસુરીયા પાટીયા નજીક પીકઅપ વાનચાલકે સંઘને અડફેટે લીધો હતો જેમાં પાંચ જેટલા પદયાત્રીઓને ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે ૩૯ વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય બે પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઇજાઓ પહોંચતા બંનીવને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અક્સ્માત અંગેની તપાસ શરૂ કરી હતી.

ભરૂચની સુજની વણાટને પ્રથમ જીઆઈ ટૅગ પ્રાપ્ત થયો

પ્રોજેક્ટ રોશની એ CSR પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભરૂચની સુજની વણાટ કલાની લુપ્ત થતી કળાને પુનર્જીવિત કરવાનો ઉદ્દેશ્ય છે, જેમ કે વણકર કારીગરોની સહકારી મંડળીની રચના, તાલીમ કમ ઉત્પાદન કેન્દ્રનો વિકાસ, હેન્ડલૂમ વ્યવસાયનું ઔપચારિકકરણ, ઉત્પાદન માનકીકરણ, મહિલા સશક્તિકરણ જેવા વ્યૂહાત્મક બહુવિધ હસ્તક્ષેપ સાથે. તાલીમ, આગામી યુવા પેઢીને સુજની વણકર તરીકે તૈયાર કરવી વગેરે.

પ્રોજેક્ટ રોશનીના ભાગ રૂપે, જીઆઇ ટેગ માટેની અરજી “શ્રી ભરૂચ જિલ્લા સુજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી” દ્વારા ફાઇલ કરવામાં આવી હતી જેમાં જિલ્લા વહીવટીતંત્ર દસ્તાવેજીકરણ માટે મુખ્ય સહાયકની ભૂમિકા ભજવે છે. DIC ઑફિસ, કમિશનર કોટેજ ઑફિસ (HSY) અને ઘણા હિતધારકોએ પણ સુજની વણાટ માટેના દસ્તાવેજીકરણ અને પેપર વર્ક માટેના પ્રયત્નો વહેંચ્યા.

રોશની પ્રોજેક્ટની શરૂઆત 12મી માર્ચ, 2023ના રોજ હેરિટેજ બિલ્ડીંગ પર ફુરજા નજીક ભરૂચના હૃદયમાં “રેવાસુજની સેન્ટર”ના ઉદ્ઘાટન સાથે કરવામાં આવી હતી. રોશની પ્રોજેક્ટ હેઠળ 40 લાંબા વર્ષો પછી ખૂબ જ પ્રથમ પ્રોટોટાઇપ હેન્ડલૂમ વિકસાવવામાં આવી હતી. આ રેવા સુજની કેન્દ્ર સુજની વણાટની આ વિશિષ્ટ અને મન ફૂંકતી કળા વિશે શીખવા માગતા તમામ લોકો માટે સામાન્ય સુવિધા અને તાલીમની સુવિધા ચલાવી રહ્યું છે.

રોશની ટીમના પ્રયાસોને કારણે, કારીગર મુઝક્કિર સુજાનીવાલાને ગુજરાત સરકાર દ્વારા “લેંગ્વિશિંગ આર્ટ માટે રાજ્ય પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો હતો. આ કળાના પુનરુત્થાન માટે કારીગરોનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. બિન-સુજનીવાલા પરિવાર સાથે નવી પેઢીએ પણ રસ દાખવ્યો અને આ વણાટ કળા શીખવાનું શરૂ કર્યું જેણે તેમને આજીવિકાની તક પણ પૂરી પાડી.

 

સુજની કારીગરે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો જેમ કે મહાત્મા મંદિર – ગાંધીનગર ખાતે જી 20 કોન્ફરન્સ, ભારત મંડપમ, નવી દિલ્હી, ભારત ટેક્સ, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે સેલિબ્રેશન અને ઘણા બધા.સરકારના સમર્થનથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોનું વ્યાપક એક્સપોઝર આપવા માટે સુજાનીને ODOP સૂચિ (એક જિલ્લા, એક ઉત્પાદન)માં પણ સામેલ કરવામાં આવી હતી. NID દ્વારા પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડિઝાઈન સેન્સિટાઈઝેશન, NIFT ગાંધીનગર દ્વારા ક્રાફ્ટ ડોક્યુમેન્ટેશન, હસ્તકલાસેતુ યોજના અને બીજી ઘણી જેવી વિવિધ વર્કશોપ અને દસ્તાવેજીકરણ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ટીમ રોશનીમાં જે બી દવે, ડેપ્યુટી કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રી, ભરૂચ, નિરવકુમાર સંચાણીયા (મહાત્મા ગાંધી નેશનલ ફેલો), રિઝવાના તલકીન જમીનદાર અને તેમની ટીમ, મુઝક્કીર સુજનીવાલા અને સુજનીવાલા પરિવારના તમામ સભ્યોનો સમાવેશ થાય છે.

ભરૂચના નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં લાગી આગ

ભરૂચના નવા તવરા ગામે આજે વહેલી સવારે 3:00 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના દુકાનમાં અચાનક સોટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત બે ફ્રીજ પણ બળીને ખાખ થઈ ગયા હતા.

આજે વહેલી સવારે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં બીજા માળે સુતા હતા.જેને પગલે તેમને પણ આગની જાણ ન થઈ હતી.તેમના મકાનમાંથી નીકળતા ધુમાડા સામે રહેતા વ્યક્તિઓએ જોતા તેમણે બૂમ પાડી આગની જાણ કરી હતી.ઘરમાં અચાનક આગ લાગતા ઘરમાં રહેલ ચારેવ વ્યક્તિઓએ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ શૈલેષભાઇએ આ આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરને કરતા ભરૂચ નગરપાલિકા ના બે ફાયર ફાઇટરો તાત્કાલિક પહોંચી દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

જોકે આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ દુકાનમાં રહેલો 15 લાખથી વધુનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની વાત વાયુ વેગે ફેલાતા ગ્રામજનોના ટોળા પણ ઉમટ્યા હતા.

આજે વિશ્વ ચકલી દિવસ

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ,20 માર્ચ 2010ના રોજ નેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી વર્લ્ડ ચકલી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

ચકલીની ગણતરી આજે સંકટગ્રસ્ત પક્ષીમાં થાય છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાનો છે. વૃક્ષોના આડેધડ કટીંગ, આધુનિક શહેરીકરણ અને સતત વધી રહેલા પ્રદુષણને કારણે ચકલી લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે. એક સમય હતો જ્યારે ચકલીના કિલકિલાટથી લોકો ઉંઠતા હતા. ચકલી જે જગ્યા પર માળો બનાવી શકે તેવી તમામ જગ્યા આજે આધુનિકતાના સમયમાં સંપૂર્ણપણે ગુમ થઈ ગઈ છે. આ એક પક્ષી છે જે માણસોની આસપાસ રહેવાનું પસંદ કરે છે.

ચકલી બીજ, અનાજ અને લાર્વા ખાઈને અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થયું છે. પરાગનયન, છોડ માટે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા ચકલી દ્વારા પણ હાથ ધરવામાં આવે છે કારણ કે તેઓ ખોરાકની શોધ દરમિયાન છોડના ફૂલોની મુલાકાત પણ લે છે અને પરાગ ટ્રાન્સફર કરવામાં પણ પરોક્ષ રીતે મદદ કરે છે.

error: Content is protected !!