રાજ્યમાં ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પ્રેમ સંબંધને લઈ વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના સારંગપુર ગામે પ્રેમી પંખીડાને નર્વસ્ત્ર કરી નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યા કરી હત્યારો ફરાર થયો હતો. જોકે બાદમાં તેને અફસોસ થતાં હત્યારો જાતે જ પોલીસ મથકે હાજર થયો હતો.

અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં એક યુવતી પોતાના પ્રેમી સાથે ઘરમાં હતી. દરમિયાન તેનો બીજો પ્રેમી આવી ચઢયો હતો.જે પ્રેમીએ વહેલી સવારે જ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે લાંબા સમય બાદ દરવાજો ન ખોલતા ગિન્નાયેલ પ્રેમીએ ઘરમાં ઘુસતા જ પ્રેમીકા અને તેના બીજા પ્રેમીને કઢંગી હાલતમાં જોતા તેના ગુસ્સાનો પાર ન રહેતા તેણે ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી અને બંન્નેવના ગુપ્તાંગ કાપી તેમની હત્યા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવતીને ૨ અલગ અલગ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. ગુપ્તાંગ કાપી તેમની હત્યા કરી પ્રેમી પોતાના ગામ પહોંચી ગયો હતો. જોકે પાછળથી તેને અફસોસ થતા પોતે જ પોલીસ મથકે હાજર થઈ તેણે કરેલ હત્યાની કબુલાત કરતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here