ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ વિધાન પત્રમાં જણાવવાનું સર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદવેતનમાં વધારો કરી આપવામાં આવે વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ ચારના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનત કાર્યકરો હોય તો તેમના કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવી આ સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આંગણવાડી બહેનો દ્વારા નવ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here