The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

સતત ૮ કલાક વિજળી આપવા મુદ્દે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે આપ્યું આવેદન

ભરૂચ જિલ્લાના અને ભરૂચ સર્કલ માં સમાવિષ્ટ ખેડ્તોને ખેતીના ઉપયોગ માટે સતત આઠ કલાક વીજળી આપવા આજે ખેડૂતોએ નારેબાજી સાથે આવેદન પાઠવી વિજળીની માંગ કરી હતી.

આવેદનમાં જણાવાયું કે ખેડૂતોને અત્યારે ઉભા પાકને બચાવવા નો છે. અને કેટલાક પાકોનું વાવેતર પણ કરવાનું છે. એટલે કે તેમના પાકો જેવા કે શાકભાજી, કેળ, શેરડી જેવા પાકો માટે ખૂબ જ પાણીની જરૂરિયાત છે. અને નિયમિત આઠ કલાક વીજળી મળશે એવું માનીને તેમણે તેમની ખેતી પાકોનું આયોજન કરેલું છે તેમાં છેલ્લા ૨૦ દિવસથી માત્ર છ કલાક અને તે પણ ટુકડે-ટુકડે વીજળી આપવામાં આવે છે. જે ઘણી જ દુઃખદ હકીકત છે. અને જે રીતે સજીવ સૃષ્ટિને પાણીની જરૂર છે, દરેક માનવને પાણીની જરૂર છે, તે પ્રમાણે ઉભા ખેતીના પાકોને પણ પાણીની જરૂર છે.

ત્યારે તાત્કાલિક અસરથી ખેડૂતોને સતત આઠ કલાક વીજળી આપવામાં આવે નહિતર વીજળી ના મળવાને લીધે અમારા ખેતી પાકોને થનાર નુકસાન માટે સંપૂર્ણપણે ડી.જી.વી.સી.એલ. જવાબદાર રહેશે. અને અને આ બાબતે યોગ્ય નિર્ણય ન લેવાય, અને અમને સતત આઠ કલાક વીજળી મળતી ન થાય તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવું પડશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર ની રહેશેની ચિકકી પણ ઉચ્ચારાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!