૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને ઠેર ઠેર તેની ઉજવણી થાય છે, યોગ દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થતી હોય છે, આજે માનવીનું જીવન ઘડિયાળના ટકોરા મુજબ સમયબદ્ધ ચાલી રહ્યું છે અને તેને લઈને જીવનમાં મોટો સમય વ્યસ્ત રહેતો માનવી માનસિક શાંતિ ઈચ્છતો હોય છે, ત્યારે આ માનસિક શાંતિ યોગ દ્વારા મેળવી શકાતી હોય છે, આપણો ઇતિહાસ પણ કહે છે કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ પણ જીવનમાં યોગને મહત્વ આપતા હતા.

ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયાની કોર્ટ ખાતે પણ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણી પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ પટેલ તથા જ્યુડિશિયલ ફ.ક મેજિસ્ટ્રેટ જે.ટી પટેલ, ઝઘડિયા કોર્ટનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વકીલ મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ખુબ ઉત્સાહ પૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here