ભરૂચ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તથા ખેડૂતોએ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે મુલાકાત કરી તથા સિંચાઈની થઇ રહેલ કામગીરી ની સમીક્ષા કરી હતી.

જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે ભરૂચ જિલ્લા કિસાન મોરચા ના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા તથા હર્ષદભાઈ પંડીયા ,કિશોરસિંહ અટોદરીયા, દિગ્વિજયસિહ છાસટીયા, દેવેન્દ્રસિહ રણા,પ્રદિપભાઈ ભટ્ટ સાંસદ સાથે કરજણ જળાશય યોજના ઝઘડીયા,વાલીયા,નેત્રંગ વિસ્તારના ખેડૂતોને સિંચાઈની પાણી માટે ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે ચર્ચા વિચારણા કરવાની રજુઆત પણ કરી હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ આ કામગીરી માટે ખુબ જ સકિયતા બતાવી અને મોટીભમરી ગામ ખાતે સ્થળ મુલાકાત પણ કરી ખેડૂતો ઝડપથી થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here