The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized અંકલેશ્વર: કેસા કલર કેમ કંપની ગેરકાયદેસર પ્રદુષિત પાણીનું નિકાલ કરતી ઝડપાઇ

અંકલેશ્વર: કેસા કલર કેમ કંપની ગેરકાયદેસર પ્રદુષિત પાણીનું નિકાલ કરતી ઝડપાઇ

0
અંકલેશ્વર: કેસા કલર કેમ કંપની ગેરકાયદેસર પ્રદુષિત પાણીનું નિકાલ કરતી ઝડપાઇ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં ગેરકાયદેસર રીતે પ્રદુષિત પાણીનું નિકાલ કરી રહી હતી. જેને એનસીટીની મોનિટરિંગ ટીમે ઝડપી પાડીને જીપીસીબીને જાણ કરી હતી.

ગુરૂવારે રાતે અંકલેશ્વર એનસીટીની ટીમ દ્વારા અમલાખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર-7517 પર આવેલી કેસા કલર કેમ કંપનીમાંથી બારોબાર પ્રદુષિત પાણી ખાડીમાં આવી રહ્યું હોવાનું મોનિટરિંગ ટીમે ઝડપી પાડ્યું હતું. તેમજ ટીમે આ અંગે જીપીસીબીની કચેરી ખાતે પણ જાણ કરી હતી. જીપીસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તેમણે સેમ્પલ લઈ ગાંધીનગર વડી કચેરીએ મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!