•આ હુમલામાં 6 યહુદીના પણ થયા હતા મોત

મુંબઈ આતંકી હુમલાને 13 વર્ષ પૂરાં થયા છતા દુઃખ સમગ્ર વિશ્વ આ ઘટનાને હજુ ભુલી શકતો નથી. 26/11ની એ કાળરાત્રિએ અનેક લોકોના ઘરોમાં અંધકાર ફેલાવી દીધો. માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશમાંથી ભારત પ્રવાસે આવેલા કેટલાક લોકોએ પણ 26/11ના આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હુમલાઓમાં માર્યા ગયેલા લોકોમાં છ યહૂદીઓ પણ સામેલ હતા. ત્યારે હુમલામાં લશ્કર-એ-તૈયબા દ્વારા માર્યા ગયેલા લોકોને ઈઝરાયેલમાં ભારતીયો યાદ કરે છે.

ઇઝરાયેલમાં મોટા પ્રમાણમાં ભારતીય સમુદાય પણ વસવાટ કરે છે. ત્યારે 2008ના 26/11ના મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબા દ્વારા માર્યા ગયેલા લોકોને ઈઝરાયેલમાં ભારતીયોએ યાદ કર્યા. મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબા દ્વારા ઇઝરાયેલના 6 યહુદી પણ માર્યા ગયા હતા.

ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય યહૂદી સમુદાયના સભ્યો અને ઇઝરાયેલમાં રહેતા અને કામ કરતા ભારતીયોએ 26/11ના હુમલાની પૂર્વસંધ્યાએ એટલે કે ગુરુવારે ઇઝરાયેલની તમામ મુખ્ય સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઇઝરાયેલમાં યોજાયેલા કાર્યક્રમમાં કેટલાક સહભાગીઓએ મુંબઈ હુમલામાં ભારતીય સૈનિકોના સાહસિક પ્રયાસોને પણ યાદ કર્યા હતા અને હુમલાખોરોના નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પરના કાયરતાપૂર્ણ કૃત્યને વખોડી કાઢ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here