The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

રાજપારડી ગામે ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યું

• વિજેતા ટીમે રાજપારડીના મતદારોએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે બુધવારે ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજયી થયેલ યુવા પ્રગતિ પેનલના સરપંચ કાલિદાસભાઇ વસાવાનુ વિજય સરઘસ નિકળ્યુ હતુ. રાજપારડીના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાજઅલી બાપુ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ સમર્થિત પેનલના સરપંચ પદના ઉમેદવાર કાલિદાસભાઇ વસાવા મતગણતરી બાદ મળસ્કે વિજેતા જાહેર થયા હતા.

આયોજીત વિજય સરઘસનુ ગામમાં યુવા પ્રગતિ પેનલના અગ્રણીઓ,કાર્યકરોએ ઠેરઠેર સ્વાગત કર્યુ હતુ અને એકબીજાને મિઠાઇ ખવડાવી જીતની ખુશી વ્યકત કરી હતી આ વિજય સરઘસમાં નવ નિયુક્ત સરપંચ કાલિદાસભાઇ વસાવા,રાજપારડીના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાજઅલી બાપુ, પ્રકાશભાઇ દેસાઇ, રિતેશભાઇ વસાવા,અગ્રણી ભુપેન્દ્રસિંહ રાઠોડ, તેમજ ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજેતા સદસ્ય નિલેશભાઇ ચૌહાણ,તૌફીકભાઇ પટેલ, સહિત અન્ય વિજેતા સભ્યો તેમજ અગ્રણીઓ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. વિજેતા યુવા પ્રગતિ પેનલની ટીમે રાજપારડીના મતદારોએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ જનતાના આ વિશ્વાસને સાર્થક કરવા કટિબદ્ધ બનશે એમ જણાવ્યુ હતું. વિજય સરઘસ દરમિયાન બંદોબસ્ત માટે પી.એસ.આઇ.જે.બી.જાદવ સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા અને ટ્રાફિકનુ સંચાલન કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે કાલિદાસભાઇ વસાવા આ પહેલા પણ રાજપારડીના સરપંચ પદે રહી ચુક્યાછે અને સરપંચ પદે રહી ગામલોકોની ચાહનાઓ મેળવી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને...

Antivirus Software No cost Vs Paid out

Choosing among antivirus software program free and paid...

Best Antivirus Computer software For Rookies

When choosing an antivirus system, you must consider...
error: Content is protected !!