•નવાં ચુટાયેલા સરપંચનું સન્માન કરાયું

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં નિયામક ઝયનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ ગત છ માસમાં તાલીમ પૂર્ણ કરેલ તાલિમાર્થિઓને પ્રમાણપત્ર વિતરણ તથા રોજગારલક્ષી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમની સાથે નહેરૂ યુવા કેંદ્ર ભરૂચ દ્વારા કલીન વિલેજ ગ્રીન વિલેજ અંગે વિશેષ વ્યાખ્યાન રજુ કરાયુ હતું. તેમજ ગામના તજજ્ઞ મીનાબેન પુરોહિત દ્વારા નવાં ચૂટાયેલા સરપંચ રેણુકાબા ધર્મેન્દ્રસિંહ રણાનું સન્માન કરાયું હતું.

જે એસ એસના ફિલ્ડ અને લાઈવલી હુડ કોઓર્ડિનેટર શિતલબેન ભરૂચા દ્વારા સૌનું સ્વાગત કરી જે એસ એસની ભારત સરકારની ગાઈડ લાઈન્સ મુજબની તાલીમ અને વિવિધ કાર્યક્રમો અંગે માહિતિ આપી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવો તરીકે નવા સરપંચ, સરકારી પ્રાથમીક શાળાના આચાર્ય મિનાક્ષીબેન ચૌહાણ તથા નહેરૂ યુવા કેંદ્રના દિવ્યજીતસિંહ ઝાલા અને રોટરી ક્લબ ઓફ વાગરાનાં સમીરભાઈ ચૌહાણ, ગ્રામ પંચાયતના સભ્ય શીતલબેન કે પટેલ, નહેરૂ યુવા કેન્દ્રના મોહમ્મદ ભોયા ખાસ ઉપસ્થીત રહયા હતા.

આ કાર્યક્રમમાં બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનો દ્વારા તૈયાર થયેલુ નમૂનાઓનું પ્રદર્શનક્મ સેલનું પણ આયોજન કરાયું હતું જેની આમંત્રિત મહેમાનો તથા મુલાકાતીઓ દ્વારા ભારોભાર પ્રસંશા કરી હતી અને તજજ્ઞ મીનાબેન પુરોહિતને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે આ તાલીમ પ્રાપ્ત કરનાર બહેનો પૈકી ચાર બહેનો રાઠોડ વનીતાબેન વેચાણભાઈ, વસાવા ચંદ્રિકાબેન જયંતિભાઈ, પટેલ મુસ્કાન મુસાભાઈ, ભટી સોહાના હુશેનભાઈએ પોતાની સ્વરોજગારી શરૂ કરી દીધી છે. તેઓએ પોતાના સ્વરોજગાર શરૂ કરી પરીવારને મદદરૂપ થઈ રહયા છે.

આ તમામને જે એસ એસના નિયામક ઝયનુલ સૈયદે પોતાના શુભેચ્છા સંદેશમાં હાર્દિક અભીનંદન પાઠવ્યા અને અન્ય બહેનોને પણ એમની પાસેથી પ્રેરણા મેળવી આત્મનિર્ભર થવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરવા આનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here