ભરૂચ ખાતે કેરાલા ના ઓબીસીના પ્રદેશ મહામંત્રી એડવોકેટ રંજીત શ્રીનીવાસનની એસ.ડી.પી.આઈ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે.તેના વિરોધમાં બક્ષીપંચ મોરચા દ્વારા આજરોજ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.આ વિરોધ પ્રદર્શનમાં કેરાલા ના સી.એમની હાય હાય બોલાવવા સાથે હત્યારાઓની અટકાયતની માંગ પણ કરાઇ હતી.

આ પ્રસંગે ભરૂચ ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, બક્ષીપંચ મોરચના જિલ્લા મહામંત્રી ફતેસીંગ ગોહિલ, બક્ષી પંચ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ઉપાધ્યક્ષ દિનેશ દાસ, શહેર મહમંત્રી દિપક મિસ્ત્રી, જતીન શાહ સાથે બક્ષીપંચ મહામંત્રી પરેશ લાડ સહિત બક્ષી પંચ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here