The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

વેલેન્ટાઈનના દિવસે મંદિરમાં લગ્ન કરી શરીરસુખ માણી પત્નીને ન સ્વીકારનાર પતિ સામે નોંધાઇ બળાત્કારની ફરીયાદ

•કોરોના ના કારણે મંદિરમાં કર્યા હતા લગ્ન

પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેના દિવસે મંદિરમાં લગ્ન કરી બે દિવસ પછી તરત જ યુવકે આ જીવન પત્ની તરીકે સ્વીકારવા નું વચન આપી દુષ્કર્મ આચર્યું અને હવે યુવક યુવતીને આજીવન પત્ની તરીકે રાખવા તૈયાર ન હોવાના આક્ષેપ સાથે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં યુવક સામે બળાત્કારનો ગુનો નોંધાયો છે.

જેમાં યુવકે યુવતી સાથે મંદિરમાં લગ્ન કરી એક વર્ષ સુધી તેણી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેણીને પત્ની તરીકે રાખવા તૈયાર ન હોવાના કારણે તેમજ અન્ય યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવનાર યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ થયો છે.

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે ભરૂચના મેડિકલમાં નોકરી કરતા અલ્પેશકુમાર શૈલેષભાઈ પટેલ કે જેવો આલી નવા ફળીયા બીએસએનએલ ઓફિસની પાછળ એમજી રોડ ભરૂચનાઓ સાથે પ્રેમ સંબંધ થયા હતા અને અલ્પેશકુમાર પટેલે મને આજીવન પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપી કોરોનાના કારણે બંન્નેવે ગત તારીખ ૧૪/૨/૨૦૨૦ના રોજ આમોદ તાલુકાના બળીયાદેવ મંદિરે બન્નેવની મરજી અને રાજીખુશીથી હિન્દુ રિવાજ મુજબ હિન્દુ શાસ્ત્રો વિધિ મુજબ મહારાજે કાયદેસરના લગ્ન કરાવ્યા હતા.

જે લગ્ન બાદ બંનેવ આજીવન પતિ- પત્ની તરીકેના વચને બંધાયા હતા. તારીખ ૧૭/૨/૨૦૨૦ ના રોજ પતિ અલ્પેશકુમાર પટેલ તેઓના ઘરે પટાવી ફોસલાવી મારી ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી સૌ પ્રથમ શરીર સંબંધ બાંધ્યા હતા અને મને કહેલ કે હવે આપણાં લગ્ન થઇ ગયેલ છે અને હું તને જ આ જીવન પત્ની તરીકે રાખવાનો છું. તું મારી ઉપર વિશ્વાસ અને ભરોસો રાખ.

ત્યારબાદ અલ્પેશ પટેલે તેના જન્મદિવસના બીજા દિવસ એટલે ૨૭/૬/૨૦૨૦ ના રોજ આલી વિસ્તારમાં તેના ઘરે શરીર સંબંધ બાંધ્યા હતા અને ત્યાર પછી અલ્પેશે જાન્યુઆરી ૨૦૨૧માં ચાવજ ગામે આવેલ માંગલ્ય રેસીડેન્સીમાં પોતાનું મકાન લીધું હતું અને તેઓએ ત્યાં રહેવા ગયા હતા અને ત્યાં ઘરે પણ લઈ જઈ અલગ અલગ રીતે આશરે ચારથી પાંચ વખત શરીરસુખ માણ્યું હતું અને ત્યારબાદ પીડિતાને કહ્યું હતું કે કોરોનાની મહામારી પતી જાય પછી હું તને ધામ ધુમથી લગ્ન કરી મારા ઘરે લઈ જઈશ.

કોરોના મહામારીના કારણે અમારા લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં લગ્ન કરવાનું નક્કી કરેલ હતું. પરંતુ આ દરમિયાન અલ્પેશે ઓગસ્ટ ૨૦૨૧થી મારી સાથે ધામધૂમથી મને લગ્ન કરી તેડી જવાની આનાકાની કરી ખોટા ઝઘડા કરવા લાગેલ અને મને સામાજિક રીતે ધામધૂમથી લગ્ન કરી તેડી જવાની સ્પષ્ટ ના પાડી દીધેલી જેથી મારો પતિ અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો હોવાના કારણે પીડિતાને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર ન હોવાના ઇરાદો દેખાયો હતો. આ ફરિયાદમાં પીડિતાએ તેણીનું મંગળસૂત્ર તથા સોનાની બુટ્ટી તથા તેના મકાનનો માસિક હપ્તો રૂપિયા ૮૦૦૦ પણ પીડિતાએ તેના પગારમાંથી આપ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.

આખરે પીડિતાએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પતિ અલ્પેશકુમાર શૈલેષભાઈ પટેલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો. ભરૂચ સી-ડિવિઝન પોલીસે પત્નીનો અસ્વીકાર કરનાર પતિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને...

Antivirus Software No cost Vs Paid out

Choosing among antivirus software program free and paid...

Best Antivirus Computer software For Rookies

When choosing an antivirus system, you must consider...
error: Content is protected !!