The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ: ચાવજમાં ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું, ૩ ઘાયલ

ભરૂચ: ચાવજમાં ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું, ૩ ઘાયલ

0
ભરૂચ: ચાવજમાં ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું, ૩ ઘાયલ

•ખેતરમાં ધાસચારો લેવા ગયેલ સગીરને ઢિકાપાટુનો માર મરાયો
•૧૫ જેટલા લોકોએ કુહાડી તથા લાકડી વડે કર્યો હૂમલો

ભરૂચના ચાવજ ગામે ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા સગીરને ગાડી હટાવવા મુદ્દે બોલાચાલી થતાં આ ધટનાએ મારામારીનું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.જેમાં ૧૫ જેટલા લોકોએ કુહાડી અને લાકડી વડે હિંસક હૂમલો કરતા એક સગીર સહિત કુલ ૩ ને ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયા હતા.

ભરૂચના ચાવજ ગામે ખોડીયાર નગરમાં રહેતો અર્જુન પેઠા ભરવાડ ઉ. ૧૭ આજે ખેતરે ઘાસચારો લેવા ગયો હતો. દરમિયાન વહનનો એકજ ચીલો હોય અને વાહન વચ્ચે હોય બોલાચાલી કરી ઘેલા ઘુધા ભરવાડે સગીરને તમાચા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી અર્જુન પોતાના ઘરે દોડી ગયો હતો. જ્યાં તેના મોટાબાપા સહિતનાઓને આ વાતની જાણ થતાં બંન્નેવ પક્ષે બોલાચાલી ઉગ્ર બની હતી અને આ બોલાચાલીએ હિંસક રૂપ લેતાં ઘેલા ઘુધા ભરવાડ સહિત ૧૫ જેટલા લોકોએ ચુંટનીની જુની રીષ તથા ખેતરની બોલાચાલીના પગલે કુહાડી અને લાક્ડીઓ વડે ખોડીયાર નજીકમાં જ મારામારી કરતા ગભા પોપટ ભરવાડ ઉ.55 રહે.ચાવજ ખોડિયાર નગર,મુન્નાભાઈ પોપટ ભરવાડ ઉ.50 રહે.ચાવજ તથા અર્જુન પેઠા ભરવાડ ઉ. ૧૭ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયા હતા.

બનાવ અંગે સી ડિવિઝન પોલીસ મથકે અરજી આપતા પોલીસે ઘાયલોના જવાબો લઈ ફરીયાદ નોંધવા કવાયત હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!