The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચના કાંકરિયા ગામે ધર્માંતરણ મામલે ફરિયાદ કરનારને જાનથી મારી નાખવાની ધમકી

આમોદ તાલુકામાં આવેલાં કાંકરિયા ગામે ચૂંટણી ટાણે ધર્માંતરણનો મામલો પુન: ગરમાયો હતો. ધર્માંતરણને લઈને ફરિયાદ કરનારા શખસના ઘરે બે ઈસમોએ લાકડી-છરા સાથે પહોંચી તેમને જાનની મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેના પગલે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમોદના કાંકરિયા ગામે 150 હિંદુઓનું ધર્માતરણ કરવામાં આવ્યું હતું. જે મામલે કોઠી ફળિયામાં રહેતાં પ્રવિણ વસંત વસાવાએ ધર્માંતરણના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ગઇકાલે મંગળવારે સાંજે તેઓ પોતાના ઘરે હતાં તે વેળાં ગામના જ પ્રવિણ પ્રહલાદ ઠાકોર તેમજ કમલેશ કાલીદાસ વસાવાએ લાકડી તેમજ છરા લઇને તેના ઘરે પહોંચ્યા હતા. જ્યા તેઓએ જોર-જોરથી બુમો પાડી હતી અને તેને તથા તેના પરિવારને આજે પતાવી દેવાના છે તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાનમાં આસપાસના લોકોનું 25થી 30 જણાનું ટોળું એકત્ર થઈ ગયું હતું.

ત્યારે હૂમલાખોરોએ કહ્યુ કે, આમના લીધે આપણે બધા હેરાન થઈએ છીએ જેથી આજે આને પતાવી દેવાના છે. તેમ કહી ટોળાને પણ ઉશ્કેર્યુ હતું. જોકે, તેના ઘરે ફરજ પર હાજર જીઆરડી જવાનોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. જોકે, ધમકી આપવા આવેલા શખસો નાસી છુટ્યાં હતાં. આ બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને...

Antivirus Software No cost Vs Paid out

Choosing among antivirus software program free and paid...

Best Antivirus Computer software For Rookies

When choosing an antivirus system, you must consider...
error: Content is protected !!