The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉજવાયો સંવિધાન દિવસ

ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉજવાયો સંવિધાન દિવસ

0
ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉજવાયો સંવિધાન દિવસ

ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આત્મારામ પરમારની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી.

ભારતનું સંવિધાન વિશ્વનાં સંવિધાનોમાં સૌથી લાંબું સંવિધાન છે. સંવિધાન તે રાષ્ટ્રનો સર્વોચ્ચ કાનૂન છે. તે દ્વારા રાષ્ટ્રની રાજ્ય વ્યવસ્થા તેનું માળખું, સરકાર અને તેની સંસ્થાઓના અધિકારો અને ફરજો નિશ્ચિત કરવામાં આવે છે. સંવિધાન તે દેશનો મૂળભૂત રાજકીય કાનૂન છે. આપણું સંવિધાન વિવિધ દેશોનાં સંવિધાનોનો ગહન અને તલસ્પર્શી અભ્યાસ કરી તેનાં ‘શ્રેષ્ઠ પાસા’ઓ પસંદ કરી રચવામાં આવ્યું છે.

ડૉ.બી.આર. આંબેડકરે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 26 નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર સૌપ્રથમ કાયદો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે 1930માં કોંગ્રેસ લાહોર કોન્ફરન્સમાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પસાર કરવામાં આવી હતી, આ ઘટનાની યાદમાં, કાયદો દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારબાદ, 19 નવેમ્બર 2015 ના રોજ સામાજિક ન્યાય મંત્રાલયે ભારત સરકાર દ્વારા તેને મંજૂરી આપી હતી. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લોકોમાં બંધારણ વિશે જાગૃતિ આવે અને બંધારણીય મૂલ્યોનો પ્રચાર અને પ્રચાર થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહજી પરમાર, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહજી અટોદરિયા, જિલ્લાના આગેવાનો અને મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!