The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 32

ભરૂચમાં જન્મેલા યાકુબ પટેલ યુકેના નોર્થ ઓફ લંડન પ્રેસ્ટન શહેરના મેયર તરીકે ચૂંટાયા

કાઉન્સિલર નીલ ડાર્બીની ઓફિસમાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ યુકેમાં પ્રેસ્ટન શહેરમાં 2023-24 માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા યાકુબ પટેલ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર તરીકે ચૂંટાયા છે. તેઓ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા હતા.

ભરૂચમાં જન્મેલા યાકુબ પટેલે એમએસ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી અંગ્રેજી સાહિત્યમાં BA અને MAની ડિગ્રી સાથે સ્નાતક થયા. તેઓ જૂન 1976માં યુકે આવ્યા અને 1979માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી. પટેલ 4 જુલાઈ, 2009ના રોજ નિવૃત્ત થયા તે પહેલા રેવન્યુ ઈન્સ્પેક્ટર, ટ્રાફિક ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ચીફ, ચીફ ઈન્સ્પેક્ટર અને ઓપરેશન્સ મેનેજર તરીકેની ભૂમિકાઓ પણ નિભાવી હતી. તેઓ નાનપણની ઉંમરથી રાજકારણમાં સંકળાયેલા છે જ્યારે તેમણે તેમના સ્વર્ગસ્થ પિતા માટે પત્રિકાઓનું પ્રચાર અને વિતરણ કરવાનું શરૂ કર્યું, જેઓ કોંગ્રેસ પક્ષના મજબૂત સમર્થક અને સભ્ય હતા.

તેઓ પ્રથમ વખત 1995 માં એવેનહામ વોર્ડ માટે લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઇતિહાસમાં પ્રથમ મુસ્લિમ કાઉન્સિલર હતા. વધુમાં, પટેલ 2001-2009 દરમિયાન પ્રેસ્ટન વેસ્ટ ડિવિઝન માટે લેન્કેશાયર કાઉન્ટી કાઉન્સિલર તરીકે પણ ચૂંટાયા હતા. નવા મેયર સ્થાનિક સમુદાયના સક્રિય સભ્ય પણ છે અને પ્રેસ્ટન જામી મસ્જિદ અને પ્રેસ્ટન મુસ્લિમ બ્રીયલ સોસાયટી માટે સહ-પસંદ કરેલ સભ્ય તરીકે સેવા આપે છે.તે ફ્રેન્ચવુડ કોમ્યુનિટી પ્રાઈમરી સ્કૂલ માટે શાળાના ગવર્નર છે. રોઝમેયર કેન્સર, પ્રેસ્ટન ડોમેસ્ટિક વાયોલન્સ સર્વિસીસ અને ઈમાઉસ 2023-24 માટે પટેલની મેયરલ ચેરિટીઝ હશે.

પ્રેસ્ટનના મેયર રાખવાની પરંપરા મધ્ય યુગની છે જ્યારે 1179માં હેનરી II દ્વારા શહેરનું પ્રથમ ચાર્ટર (નગરને ચોક્કસ અધિકારો આપતો દસ્તાવેજ) આપવામાં આવ્યો હતો. પ્રેસ્ટનના મેયર શહેરના પ્રથમ નાગરિક તરીકે કાર્ય કરે છે, જેનો અર્થ છે કે તેઓ શહેર વતી બોલે છે અને તેની ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ નાગરિક અને ઔપચારિક કાર્યક્રમોમાં સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ પણ કરે છે. એકવાર પસંદ થયા પછી, તેઓ નીચેની વાર્ષિક કાઉન્સિલમાં આગળ વધતા પહેલા એક વર્ષ માટે ડેપ્યુટી મેયર બને છે અને એક વર્ષ માટે મેયર તરીકે સેવા આપે છે.

યાકુબનો જન્મ ભારતમાં ભરૂચ શહેરમાં થયો હતો. યાકુબ M.S.માંથી સ્નાતક થયા. બરોડા યુનિવર્સિટીમાંથી જ અંગ્રેજી સાહિત્યમાં MA ની ડિગ્રી સાથે. તેઓ જૂન 1976 માં યુકે આવ્યા, લગ્ન કર્યા અને ત્યારથી તે તેમના પરિવાર, બાળકો અને પૌત્રો સાથે ફ્રેન્ચવુડ વિસ્તારમાં રહે છે.

યાકુબે તેમની કારકિર્દી 1979 માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે શરૂ કરી અને તેને PSV કંડક્ટરમાંથી PSV ડ્રાઈવર તરીકે બઢતી આપવામાં આવી. 4 જુલાઈ 2009ના રોજ નિવૃત્ત થયા તે પહેલાં યાકુબે રેવન્યુ ઈન્સ્પેક્ટર, ટ્રાફિક ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ચીફ, ચીફ ઈન્સ્પેક્ટર અને ઑપરેશન મેનેજર તરીકેની ભૂમિકાઓ પણ નિભાવી હતી. યાકુબે પ્રેસ્ટન બસ સાથે ઘણી ભૂમિકાઓ ભજવી છે, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર, હેલ્થ એન્ડ સેફ્ટી રિપ્રેઝન્ટેટિવ અને ACTS યુનિયનના ચેરમેન હોવાનો સમાવેશ થાય છે.

ગૌરવપ્રદ રીતે તેમની નવી ભૂમિકામાં, યાકુબ પટેલ કાઉન્સિલની બેઠકોની અધ્યક્ષતા કરશે, અને કાર્યાલયમાં તેમના સમગ્ર કાળ દરમિયાન શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઔપચારિક વડા તરીકે કાર્ય કરશે.

હું પ્રેસ્ટનના મેયર બનવા માટે સન્માનિત અને આનંદ અનુભવું છું, જે શહેર મને મારું ઘર કહીને ગર્વ અનુભવું છું. હું આશા રાખું છું કે હું જે સમુદાયોની સેવા કરું છું તેમાં સકારાત્મક ફેરફારો લાવી શકીશ અને આગામી વર્ષ માટે મારી મેયરલ સખાવતી સંસ્થાઓ દ્વારા વધારાનો ટેકો પૂરો પાડીશ.” પટેલે જણાવ્યું હતું. તેમની આ નવી ભૂમિકા પહેલા, પટેલ મે 2022 થી શહેરના ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી રહ્યા છે. લાંબા સમયથી સેવા આપતા કાઉન્સિલર નાગરિક ફરજો નિભાવી રહ્યા છે અને ઉનાળામાં તત્કાલિન મેયરની સાથે શાહી પરિવારની મુલાકાતનું આયોજન કર્યું હતું.

ચૂંટાયેલા મેયર, કાઉન્સિલર યાકુબ પટેલને ઓફિસની સાંકળો સોંપતા મને ખૂબ જ આનંદ થાય છે તેવું જણાવ્યું. છેલ્લું વર્ષ મારા જીવનનો સૌથી ઉત્કૃષ્ટ અનુભવ રહ્યો છે અને તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અમારા કલ્પિત શહેરના મેયર,એમ પ્રેસ્ટનના આઉટગોઇંગ મેયર ડાર્બીએ એક ટ્વિટમાં લખ્યું.

વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલ યુક્ત પાણી પીતા ૨૫ જેટલા ઉંટના મોત

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના ચાંચવેલ પાસે આવેલ કચ્છી પુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોત ને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો. એક બાદ એક અચાનક ટપો ટપ ૨૫ જેટલા ઊંટ એ ડમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકશાન થયું છે.

પ્રાથમિક જાણકારી મુજબ કેમિકલ યુક્ત પાણી પીવા ના કારણે આ ઊંટ ના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે,એક સાથે 25 જેટલાં ઊંટ ના મોત બાદ પશુપાલકે મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણ ના દુશ્મન કેટલાક જેવાબદાર તત્વો ના કારણે આ પ્રકારે ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.પશુપાલકે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી તંત્ર ના નીતિ નિયમોને નેવે મૂકી દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાં પસાર થતી કાંસ માં કેમિકલ યુક્ત પાણી બિન્દાસ અને બે ફિકેરાઈ થી છોડવામાં આવતું હોવાનું કહેવાય રહ્યું છે, જે બાદ પશુ પક્ષીઓ અને જળચર પ્રાણીઓ આ પ્રકાર ના કેમિકલ યુક્ત પાણીના કારણે મોત ને ભેટી જતા હોય છે.

હાલ એક સાથે 20 થી વધુ ઊંટ નો મામલો સામે આવ્યા બાદ પશુ પાલકોએ મામલે તંત્ર માં જાણ કરવાની તજવીજ હાથધરી છે, સાથે જીપીસીબી સહિત ના વિભાગો પણ આ પ્રકારે પર્યાવરણ ના દુશ્મન બનેલા તત્વો સામે કડક માં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

પ્રથમવાર ઝઘડીયાથી કેસર કેરી સીધી પહોંચસે સાઉથ આફ્રિકાના બજારોમાં

ગુજરાતની મિઠી મધુર કેસર કેરી અત્યાર સુધી અન્ય રાજ્યોથી વિદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. જોકે સૌપ્રથમવાર આ સીઝનમાં  કેસર કેરી ઝઘડીયા તાલુકામાંથી સીધી સાઉથ આફ્રિકાના બજારોમાં મોકલવામાં આવી છે.

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક આવેલા એ.બી.એન.એન ફ્રેશ પેક હાઉસના ડાયરેક્ટર નાગેન્દ્ર મિક્ષ્રાએ જણાવ્યું હતું કે ‍અત્રેના પેક હાઉસમાં કેરીઓના જથ્થાને ખુબજ જીવણટભરી રીતે પ્રોસેસ કરવામાં આવે છે.હાલ ભારતના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાંથી વિવિધ ખાણીપીણીની ચીજવસ્તુઓની વિદેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદની એક એકસ્પોર્ટર કંપની દ્વારા ગીરની જી.આઇ.ટેગ પ્રકારની કેસર કેરીનો જથ્થો અત્રે પ્રોસેસમાં આવ્યો હતો અને કેસર કેરીના જથ્થાને તબક્કામાં પ્રોસેસ કર્યા બાદ આ કેરીના જથ્થાને ઉચ્ચ ક્વોલિટીના પેકિંગમાં ભારત દેશથી સૌપ્રથમવાર સાઉથ આફ્રિકા મોકલવામાં આવ્યો છે.

ગુજરાતની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાતછે અને તેની નિકાસ પણ સારી એવી થાયછે.ગુજરાતમાં દર વર્ષે ૩-૩.૫ લાખ ટન કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.વેપારીઓ તેમજ નિકાસકારોના મતે કેસર કેરીના કુલ ઉત્પાદનમાંથી ૨૦-૨૫ % કેરી જાપાન,અમેરિકા,ગલ્ફના દેશો,યુરોપ,કેનેડા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

બે વર્ષના કોરોના કાળ દરમિયાન કાર્ગોના ભાડાનો વધારો,લોકડાઉન જેવી પરિસ્થિતિઓ ઉભી થતા કેસર કેરીની નિકાસ માટે કોઇ પુછપરછ કરતું ન હતુ. પરંતુ કોરોના કાળ બાદ હાલ કેરીની વિદેશોમાં માંગમાં વધારો નોંધાયો છે.

ભરૂચના વાગરામાં દરિયામાં ડૂબવાથી ૮ પૈકી ૬ના મોત

વાગરાના મૂલેર ગામે દરિયામાં ન્હાવા ગયેલ ગોહિલ પરિવારના ૬ સભ્યો ડૂબી જતા કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ભરતીના પગલે દરિયામાં ડૂબતા એકને બચાવવા જતા કુલ ૮ લોકો ડૂબી જતા સ્થાનિકો દ્વારા રેશ્ક્યુ કરાયા હતા. જેમાં ૬ લોકો મોતને ભેટ્યા હતા.

વાગરા લુકાના ગાંધાર નજીક સમુદ્ર કિનારે વેકેશનની મજા માણવા ગયેલા બે પરિવારોને સમુદ્રની ભરતીના સ્વરૂપમાં કાળ ભરખી જતા ૩ નાના બાળકો સહીત ૬ લોકોના મોત નિપજ્યા હતા.જેમાં અમાસ હોય દરિયામાં ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા કુલ ૮ જેટલા લોકો ડૂબવા લાગ્યા હતા હતા. આ ઘટનામાં બાળકો સહિતનાને રેશ્ક્યુ કરી સારવારા અર્થે ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.જ્યાં હાજરા તબીબે ૬ લોકોને મૃતા જાહેરા કર્યા હતા જ્યારે અન્ય બેની હાલત પણ નાજુક હોય તેમની સારવાર આરંભાઇ હતી.

ઘટનાની જાણ થતાં જ વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ અધિક્ષક લીના પાટીલ અને પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો હતો. અને ધારાસભ્ય અરૂણસિંહે તબીબોને સારવાર હેઠળના બે જીવ બચાવવા એડીચોટીનું જોર લવાવાની તાકીદ સાથે મૃતકોના પરિવારજનોને દુ:ખની લાગણી સાથે સાંત્વના પાઠવી હતી. ઘટનાના પગલે ભરૂચની હોસ્પિટલમાં કલ્પાંતના દ્રશ્યોએ કઠણ હ્રદયના માનવીઓની પણ આખો ભીંજવી દીધી હતી. સારવાર માટે લવાયેલા ૮ લોકો પૈકી ૬ લોકોએ  એકપછી એક જીવ ગુમાવતા ગમગીની ફેલાઈ હતી. આજે વાગરા તાલુકાના મુલેર ગામમાં આ કમભાગીઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. જયાં મૃતકો ના પરિજનો સહિત આખુ ગામ હિબકે ચઢ્યું હતું.ભારે હૈયે મૃતકોને મુખાગ્ની અપાયો હતો.

ભરૂચ પોલીસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર સાંજના સુમારે વાગરા તાલુકાના મુલેર ગામના બે પરિવાર વેકેશન હોવાથી બાળકોને ખંભાતના અખાત નજીક સમુદ્ર કિનારે ફરવા લઈ ગયા હતા. સાંજના સુમારે બાળકો કિનારે રમી રહ્યા હતા ત્યારે અમાસની ભરતી ચઢવા લાગી હતી. અચાનક ધસી આવેલા પાણીના કારણે બાળકો કિનારા તરફ પહોંચે તે પહેલા સમુદ્રએ બાળકોને તેમનામાં સમાવી લીધા હતા. આ બાળકોને બચાવવા માટે પરિવારના મોભીઓ પણ સમુદ્ર તરફ દોડ્યા હતા અને એક પછી એક ૮ લોકો સમુદ્રમાં સમાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી સમુદ્રમાંથી ૮ લોકોને બહાર કાઢ્યા હતા.

આ ગોઝારી દુર્ઘટનામાં ડૂબી જવાથી યોગેશ દિલીપભાઈ ગોહિલ(ઉ.વ. 19), તુલસીબેન બળવંતભાઈ ગોહિલ (ઉ.વ. 20), જાનવીબેન હેમંતભાઈ ગોહિલ(ઉ.વ. 05), આર્યાબેન રાજેશભાઇ ગોહિલ, રીંકલબેન બળવંતભાઈ (ઉ.વ.15) અને રાજેશ છત્રસિંહ ગોહિલ(ઉ.વ 38) ના મોત થયા છે.

ભરૂચમાં 95 વર્ષીય સ્વ જગુભાઈ બેલાણીનું નિધન થતાં કરાયું દેહદાન

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય  કરી રહી છે તે અંતર્ગત આજરોજ 95 વર્ષીય સ્વ જગુભાઈ બેલાણી નું દુઃખદ નિધન થતાં તેમના પરિવારજનો ભરૂચ સ્થિત સુપુત્રી યાત્રીબેન અને મસ્કત સ્થિત સુપુત્રી આશાબેન અને ભરૂચ સ્થિત તેમના જમાઈ ડોક્ટર હિમાંશુભાઈ માલવણીયા દ્વારા સ્વ જગુભાઈનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો અને સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજયભાઈ તલાટીનો સંપર્ક કર્યો .

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતક ના દેહને પરિવારજનો ની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે મોકલવામાં આવ્યું .વર્ષ 2017 માં પણ આ પરિવાર દ્વારા ડોક્ટર હિમાંશુભાઈ માલવણીયા ના પિતા સ્વ ચંપકલાલ માલવણીયા નું દેહદાન કરવામાં આવ્યું હતું .

આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજયભાઈ તલાટી , જીતેન્દ્ર પટેલ ગીરીશભાઈ પટેલ ,ગૌતમભાઈ મહેતા, વિનોદભાઈ જાદવ હાજર રહ્યા હતા અને સેવાયજ્ઞ સમિતિ દ્વારા એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી હતી . પરમ કૃપાળુ પરમાત્મા સદગતની આત્માને શાંતિ આપે ઓમ શાંતિ શાંતિ શાંતિ અને પરિવાર દ્વારા જે આ સેવાકીય કાર્ય થઈ રહ્યું છે તેને સમાજ સત સત વંદન કરે છે

આજે ભરૂચના ગોલ્ડનબ્રીજનો 143 માં વર્ષમાં પ્રવેશ

142 વર્ષથી ભરૂચ અને અંકલેશ્વરને જોડતો 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ નવો 4-લેન બ્રિજ બની ગયા બાદ પણ વાહન વ્યવહાર માટે અવિરત અડીખમ રહી ધમધમી રહ્યો છે.

કોસ્મો પોલિટન કલચર ધરાવતું કાશી કરતા પણ ભારતની 8000 વર્ષ પ્રાચીન ભરૂચ નગરીની ઓળખ વેપારી બંદર તરીકે વિશ્વભરમાં હતી. નર્મદા કાંઠે પાઘડી આકરે વસેલા ભરૂચ અને સામે પાર અંકલેશ્વર નગરી વચ્ચે 150 વર્ષ પહેલાં લકડીયો પુલ અને ત્યારબાદ બ્રિટિશ રાજમાં ગોલ્ડનબ્રિજ અસ્તિત્વમાં આવ્યો હતો. સ્વતંત્ર ભારતમાં બ્રિટિશ રાજ બાદની સરકારોને ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજને સાકાર કરવામાં 43 વર્ષનો સમય લાગ્યો છે.

ગોલ્ડન બ્રિજની ડિઝાઇન સરજોન હોકશા દ્વારા બનાવી તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા થયુ હતું. ચીફ રેસીડન્ટ એન્જિનિયર એફ.મેથ્યુ અને રેસીડન્ડ એન્જિનિયર એચ.જે.હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877 ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરી 16 મે 1881 નાં રોજ પૂર્ણ કરાયું હતું. નર્મદા બ્રિજ સૌપ્રથમ રેલવે માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ 1940 માં સિલ્વર જયુબલિ રેલવે બ્રિજનું નિર્માણ કરાતા ગોલ્ડનબ્રિજ પરથી વાહનવ્યવહાર શરૂ થયો હતો. બ્રિજનાં નિર્માણમાં તે સમયે સોનાની કિંમત જેટલો ખર્ચ થયો હોવાથી નર્મદાબ્રિજ ગોલ્ડનબ્રિજ તરીકે ઓળખાયો.

ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર નવો બ્રિજ રૂ.400 કરોડના ખર્ચે બે વર્ષથી કાર્યરત છે. નવા ફોર લેન બ્રિજ બાદ પણ ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ લાઇટ વાહનો માટે સતત કાર્યરત છે. નવા બ્રિજ બાદ ગોલ્ડનબ્રિજ ઉપરનું ભારણ ઘટતા તે હજી આગામી 20 વર્ષ સુધી વાહનો માટે ધમધમતો રહેશે તેમ નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, એક સમયે બ્રિજમાં વપરાયોલા મૂલ્યવાન લોખંડ માટે તેને ઉતારી લઇ નાશ કરવાની વિચારણા કરાઇ હતી. 1965 અને 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતને ઉત્તરથી દક્ષિણને જોડતો એકમાત્ર પુલ હતો. આજે 16 મે ગોલ્ડનબ્રીજ 137 માં વર્ષમાં પ્રવેશ કરી રહયો છે.

ચોરોએ ચોરીની અપનાવી નવી તરકીબ : મકાનની અંદર કશું હાથ નહિ લાગતા મોપેડની કરી ચોરી

ઝઘડીયા તાલુકાના નવાપોરા ગામે થોડા દિવસો પુર્વે એક મકાનની બહાર પાર્ક કરેલ ટીવીએસ જ્યુપિટર મોપેડની કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ઉઠાંતરી કરી પલાયન થઇ જવાની ફરિયાદ રાજપારડી પોલીસના ચોપડે નોંધાઇ હતી.

આ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે ઝઘડીયાના નવાપોરા ગામે એક મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ મકાનમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હતો. પરંતુ મકાનમાંથી કોઇ કિમતી ચીજવસ્તુઓ હાથ નહિ લાગતા ચોરોએ નવી તરકીબ અપનાવી મકાનમાં મળી આવેલ ટીવીએસ જ્યુપિટર મોપેડની ચાવી મેળવી મોપેડ ચાલુ કરી ફરાર થઇ ગયા હતા.આ ગુના સંદર્ભમાં રાજપારડી પોલીસ મથકના પી.એસ.આઇ.એ ચોરોને શોધી કાઢવા ટીમની રચના કરી વધુ તપાસ હાથધરી હતી.

દરમિયાન આ બન્ને તસ્કરો ટીવીએસનુ મોપેડ લઇને અવિધા ગામ તરફથી રાજપારડી ગામ તરફ આવી રહ્યા છે, તેવી બાતમી પી.એસ.આઇ.ને મળતા બાતમી વાળા સ્થળે પી.એસ.આઇ.ના માર્ગદર્શન હેઠળ પોલીસના જવાનો પહોંચી ગયા હતા અને વોચ તપાસમાં હતા. ત્યારે ચોરી થયેલ ટીવીએસ જ્યુપિટર મોપેડ હંકારી લાવતા નવાપોરા ગામના નરેશ ગોવિંદ વસાવા અને શ્રવણ રામાભાઇ વસાવાને આ ચોરીના ગુના સંદર્ભે ઝડપી પાડી ટીવીએસ ઝ્યુપિટર મોપેડ ૬૯ હજાર રૂપિયાનું કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઝઘડીયાના પાણેથા નર્મદા કાંઠે સ્નાન કરવા કીડીયારૂ ઉભરાયું

ઝઘડીયા તાલુકાના પાણેથા નર્મદા કાંઠે અને વડોદરા જીલ્લાના દિવેર-મઢી કિનારે હજારો લોકો ઉમટી પડ્યાં

શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનુ કીડીયારૂ ઉભરાયુ હતું. શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝઘડીયાના પાણેથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યાછે ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો,પહાડોમાંથી વહેતા કુદરતી ધોધ,વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઇ રહ્યા છે.ત્યારે ભરૂચ,અંકલેશ્વર,તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝઘડીયાના પાણેથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યાછે. ઝઘડીયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઇને પાણીની આવક ઘટી હોઇ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી શાળાઓમાં ઉનાળુ વેકેશનની રજાઓના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો,વૃધ્ધો સહિત ઉમટી પડ્યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકાઇ,પાપટીના લોટની ઝ્યાફત માણી આનંદ મેળવ્યો હતો.

પાણેથા નજીકની નર્મદા નદીના કિનારે એક તરફ ઝગડીયા તાલુકાનો વિસ્તાર છે. ત્યાં ઝઘડીયા તાલુકાના લોકો તેમજ રાજપારડી,ઉમલ્લા,ઝઘડીયા,ભરૂચ,અંકલેશ્વર,તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા જ્યારે બીજી તરફ સામે પારના વડોદરા જીલ્લાના દિવેર ગામના મઢીના કિનારે પણ સેંકડો લોકો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા નર્મદામાં સ્નાન કરવા આવતા લોકોની સંખ્યા વધુ હોઇ વાહનોના પાર્કિંગ એરીયામાં પણ વાહનોનો ખડકલો નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં વડોદરા જીલ્લાની હદમાં આવતી નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે કેટલાક લોકો ઉંડા પાણીમાં ડુબી જતા મોતને ભેટવાના બનાવો બન્યા હતા ત્યારે ભરૂચ તેમજ વડોદરા જીલ્લાના તંત્ર દ્વારા લોકોની સલામતી માટેના પગલા ભરવામાં આવે તે લોકહિતમાં યોગ્ય પગલુ લેખાશે.

ભરૂચ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક ક્રેનમાં આગ

ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારના સુમારે મહાકાય ક્રેનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી જવા પામી હતી. જોત જોતામાં આગ અને ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ઉપસ્થિત રાહદારીઓએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ક્રેન ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આ આગની ઘટનાને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.જો કે ગણતરીના સમયમાં આગ કાબુમાં આવી જતા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આગની ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરા પોલીસે બોગસ ડેથ સેર્ટિફિકેટ આપવા બદલ ભરૂચના ડો. સુનિલ શાહની કરી ધરપકડ

ભરૂચ ની શાહ નર્સિંગ હોમ ના ડો. સુનિલ શાહ ની વડોદરા ની ગોત્રી પોલીસે મરણનો ખોટો દાખલો આપવાના કેસમાં ધરપકડ કરી છે

વડોદરાના એસ.સી.આઈ.ઈન્ટરનેશનલ સિક્યુરીટી લિમિટેડના ડિરેક્ટર વિક્રાંત સુરેશભાઈ શુકલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાના અવસાન બાદ માતાએ તમામ જવાબદારી સંભાળી લેતા વિક્રાંતના કાકા વિજય ચંદ્ર પ્રકાશ શુકલા(રહે. પંચમ ડૂપ્લેક્સ, સોમા તળાવ)ને આ વાત હજમ થઈ ન હતી. જેથી વિજય શુકલાએ પોતાના ભાઈની પત્ની હીરારાણી હોવાના ખોટા પુરાવા આપી કંપની વિક્રાંત અને વર્ષાબેનની જાણ બહાર પોતાના નામે કરાવી દીધી હતી.

વિક્રાંત શુકલા સહિત તેમની માતા વર્ષાબેને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ડો. સુનિલ પ્રફુલ્લચંદ્ર શાહ (રહે. શાહ નર્સિંગ હોમ, ભરૂચ) વિક્રાંતના કાકા વિજય શુકલાના કહેવા પર વિલાસપતિ તેમની હોસ્પિટલમાં મૃત્યુ પામ્પા ન હોવા છતાં મરણ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે વિજય શુકલાએ ભરૂચ નગર પાલિકામાંથી મરણ દાખલો કઢાવ્યો હતો. એટલું જ નહિ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, માત્ર વિલાસપતિ જ નહિ પરંતુ, હીરારાણીનો પણ મરણનો દાખલો ખોટી રીતે કઢાવવામાં આવ્યો હતો. જેથી આ મામલે ખોટું મરણ સર્ટિફિકેટ બનાવનાર ભરૂચના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

error: Content is protected !!