The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક ક્રેનમાં આગ

ભરૂચ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક ક્રેનમાં આગ

0
ભરૂચ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક ક્રેનમાં આગ

ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારના સુમારે મહાકાય ક્રેનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી જવા પામી હતી. જોત જોતામાં આગ અને ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ઉપસ્થિત રાહદારીઓએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ક્રેન ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આ આગની ઘટનાને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.જો કે ગણતરીના સમયમાં આગ કાબુમાં આવી જતા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આગની ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!