સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે તે અંતર્ગત આજરોજ 95 વર્ષીય સ્વ જગુભાઈ બેલાણી નું દુઃખદ નિધન થતાં તેમના પરિવારજનો ભરૂચ સ્થિત સુપુત્રી યાત્રીબેન અને મસ્કત સ્થિત સુપુત્રી આશાબેન અને ભરૂચ સ્થિત તેમના જમાઈ ડોક્ટર હિમાંશુભાઈ માલવણીયા દ્વારા સ્વ જગુભાઈનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો અને સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજયભાઈ તલાટીનો સંપર્ક કર્યો .
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતક ના દેહને પરિવારજનો ની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે મોકલવામાં આવ્યું .વર્ષ 2017 માં પણ આ પરિવાર દ્વારા ડોક્ટર હિમાંશુભાઈ માલવણીયા ના પિતા સ્વ ચંપકલાલ માલવણીયા નું દેહદાન કરવામાં આવ્યું હતું .
આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજયભાઈ તલાટી , જીતેન્દ્ર પટેલ ગીરીશભાઈ પટેલ ,ગૌતમભાઈ મહેતા, વિનોદભાઈ જાદવ હાજર રહ્યા હતા અને સેવાયજ્ઞ સમિતિ દ્વારા એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી હતી . પરમ કૃપાળુ પરમાત્મા સદગતની આત્માને શાંતિ આપે ઓમ શાંતિ શાંતિ શાંતિ અને પરિવાર દ્વારા જે આ સેવાકીય કાર્ય થઈ રહ્યું છે તેને સમાજ સત સત વંદન કરે છે