ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના ચાંચવેલ પાસે આવેલ કચ્છી પુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોત ને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો. એક બાદ એક અચાનક ટપો ટપ ૨૫ જેટલા ઊંટ એ ડમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકશાન થયું છે.

પ્રાથમિક જાણકારી મુજબ કેમિકલ યુક્ત પાણી પીવા ના કારણે આ ઊંટ ના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે,એક સાથે 25 જેટલાં ઊંટ ના મોત બાદ પશુપાલકે મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણ ના દુશ્મન કેટલાક જેવાબદાર તત્વો ના કારણે આ પ્રકારે ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.પશુપાલકે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી તંત્ર ના નીતિ નિયમોને નેવે મૂકી દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાં પસાર થતી કાંસ માં કેમિકલ યુક્ત પાણી બિન્દાસ અને બે ફિકેરાઈ થી છોડવામાં આવતું હોવાનું કહેવાય રહ્યું છે, જે બાદ પશુ પક્ષીઓ અને જળચર પ્રાણીઓ આ પ્રકાર ના કેમિકલ યુક્ત પાણીના કારણે મોત ને ભેટી જતા હોય છે.

હાલ એક સાથે 20 થી વધુ ઊંટ નો મામલો સામે આવ્યા બાદ પશુ પાલકોએ મામલે તંત્ર માં જાણ કરવાની તજવીજ હાથધરી છે, સાથે જીપીસીબી સહિત ના વિભાગો પણ આ પ્રકારે પર્યાવરણ ના દુશ્મન બનેલા તત્વો સામે કડક માં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here