The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 31

ભરૂચની મુન્શી આઈ.ટી.આઈ.માં કેમ્પસ ઇન્ટરવ્યુનો કાર્યક્રમ યોજાયો

આજ રોજ તા.૨૬/૫/૨૦૨૩ ને શુક્રવારના રોજ ભરૂચ ની મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુ નો કાર્યક્રમ યોજાયો હતો.

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં ચાલુ વર્ષે ફિટર ટ્રેડ માં અભ્યાસ કરતા ૩૮ વિદ્યાર્થીઓ માટે EVEREST INDUSTRIES LTD- DAHEJ દ્વારા એપ્રન્ટીસ જોબ માટે કેમ્પસ ઇન્ટરવ્યુ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કંપની ના HRએ હાજર રહી તાલીમાર્થીઓ નું વ્યક્તિગત ઈન્ટરવ્યુ લઈ હાજર રહેલ તાલીમાર્થીઓ માંથી ૧૫ જેટલા તાલીમાર્થીઓને એપ્રન્ટીસ જોબ માટે પસંદ કર્યા હતા. પસંદગી પામેલ તાલીમાર્થીઓને કંપનીમાં એપ્રન્ટીસ જોબ માટે જૂન ૨૦૨૩ થી હાજર થવાની ઓફર કરેલ છે.

મુન્શી આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ કોર્ષ પૂર્ણ કરે તે પહેલા જ કંપનીમાં નોકરી માટે પસંદગી પામેલ હોય જે મુન્શી આઈ.ટી.આઈ. અને ભરૂચ સમાજ માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત કહેવાય. મુન્શી ટ્રસ્ટ તમામ પસંદગી પામેલ તાલીમાર્થીઓને તથા તેમના સ્ટાફ ગણ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.આ પ્રોગ્રામ માં કંપની ના HR ની  સાથે મુન્શી આઈ.ટી.આઈ.ના આચાર્ય આરીફ પટેલ અને સંસ્થાના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

જમીન સંપાદનનો મામલો બન્યો ઉગ્ર : યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ થાળીઓ વગાડી ભરૂચ કલેકટર કચેરી ગજવી

આજ રોજ ભરૂચ કલેકટર કચેરી બાહર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું હતું જ્યાં ખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે થાળીઓ વગાડી, વિરોધ પ્રદર્શન કરતા કલેકટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતોને શાંત પાડવાના તંત્રના તમામ પ્રયાસો પણ નિષ્ફળ નીવડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં ખેડૂતો દ્વારા પ્રથમ હાઇવેની કામગીરી બંધ કરાવી વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્ર દ્વારા ખેડૂતો સાથે મિટિંગ યોજી ખેડૂતોને આશ્વાસનો આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. જોકે તંત્રની સાથે મિટિંગ કેટલાક ખેડૂતો માટે સંતોષકારક રહી તો કેટલાય ખેડૂતો આજે પણ તંત્ર સામે યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.જેમાં આજે ભરૂચ કલેકટરાલય બહાર ખેડૂતો દ્વારા થાળીયો વગાડી પોતાનો વિરોધ વ્યક્ત કરી પોતાનેયોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો 2013 ના નિયમ મુજબ વળતર ની માંગ કરી રહ્યા છે. જે મામલો દિવસે ને દિવસે રાજકીય રંગ સાથે વિરોધ ના સુર વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.

સુરત અને નવસારી જીલ્લામાં એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થયેલ જમીનના ખેડૂતોને જે ભાવ આપવામાં આવ્યા છે એ મુજબ ભાવ ભરૂચ જીલ્લામાં પણ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને જો માંગ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ મહત્વના પ્રોજેટ્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડુતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા તેઓને યોગ્ય વળતર નહિ મળે તો આ મુદ્દે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યા છે.

અંકલેશ્વરના છાપરા પાટીયા નજીક રૂ.૪૫ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગમાં ભરૂચની આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઇને જતા ચાર લૂંટારું ભૂત મામાની ડેરી નજીક આતરીને ચપ્પુ બતાવી આંખોમાં મરચાની ભૂકી નાખી 45 લાખની લૂંટ ચલાવી પલાયન થઈ જતા ચકચાર મચી ગઇ હતી.

આ ઘટનામાં ભરત મણિલાલ નામનો ઈસમ એક્ટિવા મોપેડ ગાડી લઈને ભરૂચના ચકલા વિસ્તારમાં આવેલી આંગણીયા પેઢીમાંથી ૪૫ લાખ રૂપિયા લઇને ગાડીની ડીકીમાં મૂકીને અંકલેશ્વર તરફ જવા માટે નીકળ્યા હતાં. આ સમયે તેમની પાછળ બે બાઈક ઉપર આવેલા ૪ ઈસમોએ તેમને આંતરીને ચપ્પુ બતાવી રોકી આંખોમાં મરચાની ભુક્કી નાખીને ડીકીમાં મુકેલા રૂપિયા ૪૫ લાખની લૂંટ ચલાવીને પાલયન થઈ ગયા હતાં.

આ બનાવની જાણ પોલીસ મથકે કરવામાં આવતા અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈ સહિત LCB,SOG અને શહેર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો. લૂંટનો ભોગ બનેલા આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલને ભરૂચમાં આંગડિયા પેઢીથી રૂપિયા લઇ કેવી રીતે ઘટના ઘટી છે. તેનું રિહર્સલ પણ કર્યું હતું અને મીડિયાના નિવેદનમાં પણ આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલના અલગ અલગ નિવેદનના કારણે સમગ્ર લૂંટની ઘટના પણ શંકાના ડાયરામાં રહી છે.આ મામલે પોલીસે ફરિયાદી બનેલ આંગડીયા કર્મીની સઘના પૂછતાછ કરતા આખરે તેણેજ આ તરકટ રચ્યું હોવાનું અને રૂપિયા ઘટના સ્થળ નજીક માંજ જમીનમાં ખાડો ખોદી રૂપિયા પોતે જ દાટીયા હોવાનું કબુલતા પોલીસે તેને સાથે રાખી રૂપિયા ૪૫ લાક રિકવર કર્યા હતા અને ફરીયાદી બેનેલ ભરત મણિલાલને અટક કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચમાં જનહિતાર્થે સુચિત વેરા વધારાનો નિર્ણય ન લેવા વિપક્ષે પાઠવ્યું આવેદન

ભરૂચ નગરપાલિકાનાં સુચિત વેરા વધારા સામે ભરૂચની જનતાએ વ્યાપક રીતે નારાજગી દર્શાવી છે. લોકો તરફથી મળેલી અંદાજિત ૩૦૦૦ વાંધા અરજીઓ તેનો જીવતો પુરાવો છે. જેમાં જનહિતાર્થે વિપક્ષે માત્ર ભરૂચની જનતાનો અવાજ બનીને પાલિકા સામે જરૂર જણાય આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

વિપક્ષના કહેવા મુજબ તેમને વિપક્ષ તરીકે જોવાના બદલે ભરૂચની જનતાના પ્રતિનિધી તરીકે જોઈ કોઈપણ જાતનો રાજકીય દ્રેશભાવ, નફા-નુકસાન જોયા વગર માત્ર પ્રજાના હિતમાં નિર્ણય લેવા પાલિકા સત્તાધિશોને આવેદન પત્ર પાઠવ્યું હતું.

વધુમાં વિપક્ષે કરેલ રજૂઆતમાં છેલ્લા એક મહિના દરમિયાન ભરૂચ શહેરનાં અંદાજિત ત્રણ હજાર નાગરિકોએ વાંધો રજુ કર્યો છે જેમાં ઘણી બધી સોસાયટીઓની સંયુક્ત વાંધા અરજી તેમજ માર્કેટ એસોસિયેશન, શોપિંગ સેન્ટરના દુકાનદારોની પણ વાંધા અરજી આવેલ છે. ત્રણ હજાર જેટલાં પરિવારનાં આશરે ૧૫,૦૦૦ લોકોને નગરપાલિકાનાં સુચિત વેરા સામે વાંધો હોય ત્યારે નગરપાલિકાનાં સત્તાધીશોએ આ વેરાવધારાનો નિર્ણય માંડી વાળવો જોઈએ જો આ વાંધાઅરજીને પણ ગણકારવામાં ન આવે તો તે સત્તાધીશોના અહંકાર સીવાય કંઈ નહીં હોય.

આજ રોજ નગરપાલિકા વિપક્ષ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને મળી પ્રજાએ સૂચિત વેરા વધારાના વિરોધમાં કરેલ સહી ઝુંબેશનું બેનર પાલિકા તંત્ર સમર્પિત કરી વેરો વધારો નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી છે.સાથે જો નગરપાલિકા લોકોના પ્રશ્નો, વ્યથાને ધ્યાનમાં રાખી પ્રજાહિતમાં સૂચિત વેરો વધારો રદ કરવામાં નહિ આવે તો વિપક્ષ ઉગ્ર આંદોલન કરશેનીચિમકી પણ ઉચ્ચારી હતી.

ભરૂચના ઓસારા ગામની શાળાની બાજુની ખુલ્લી જગ્યામાંથી શંકાસ્પદ લોખંડના ૧૯૦ કિલો સળીયા સાથે ૧ ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના અન્વયે નબીપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે ઓસારા ગામે શાળાની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામા કોઇ ઇસમે લોખંડના સળીયા લાવીને શંકાસ્પદ હાલતમા મુકેલ છે. જે બાતમી આધારે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યા ઉપર તપાસ કરતા ખુલ્લી જગ્યામા લોખંડના સળીયા પડેલ મળી આવ્યા હતા અને ત્યાં એક ઇસમ પણ હાજર મળી આવ્યો હતો.

નબીપુર પોલીસ ટીમે લોખંડના સળિયા જોતા તેમાં જાડા-પાતળા સળીયા નંગ-૧૯૦ જેની લંબાઇ આસરે ૪૦ફુટની હતી.જેનું વજ્ન કરાવતા કુલ ર૨૧૯ કિ.ગ્રા થયું હતું.પોલીસે એક કિલોની લોખંડની કિ.રૂ.૫૦ લેખે ગણી સળીયાની કુલ કિ.રૂ.૧,૧૦,૯૫૦નો તમામ મુદ્દામાલ કબ્જે લઈ ત્યાં હાજર ઇસમ સલીમખા અલીખા સમેજા ઉ.વ.૨૯ ધંધો.વેપાર હાલ રહે.તવરા ઠાકોર ફળીયામા મંગાભાઇ કાભઈભાઇ ઠાકોરના મકાનમા તા.જી.ભરૂચ મુળ રહે.ભોજારીયા ગામ પોસ્ટ.બિજણા તા.ચોટલા જી.બાડમેર (રાજસ્થાન)ની અટક કરી વધુ તપાસ આરંભી છે.

ભરૂચનો આંગડીયા કર્મી અંકલેશ્વર જતા ચપ્પુની અણીએ લૂંટાયો

અંક્લેશ્વરની આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી રૂ. ૪૫ લાખ રોકડા લઇ એક્ટીવા પર અંક્લેશ્વર જઇ રહ્યો હતો. દરમિયાનમાં ભુતમામાની ડેરી પાસે એક બાઇક પર આવેલાં બે જણા ચપ્પુની અણીએ રોકી તેની આંખમાં મરચાની ભુકી નાંખી રૂ.૪૫ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં. અંક્લેશ્વર બી ડિવિઝન પોલીસે તુરંત એક્શનમાં આવી ચારેય તરફ નાકાબંધી કરાવડાવી લૂંટારૂઓને શોધવાની કવાયત હાથ ધરી છે.

અંક્લેશ્વરમાં આવેલ મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં ફરજ બજાવતાં ભરત પટેલ તેમની એક્ટિવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર આવ્યાં હતાં. જ્યાંથી તેમણે રોકડા રૂપિયા ૪૫ લાખ લઇને તે રૂપિયા એક્ટિવાની ડેકીમાં મુકી અંક્લેશ્વર તરફ જવા રવાના થયાં હતાં.

ભરૂચથી અંકલેશ્વર જવા આંગાડીયા કર્મી નર્મદા મૈયા બ્રીજ પસાર કરી ભુતમામાની ડેરી પાસે પોહચ્યો હતો. ત્યાં જ એક બાઇક પર આવેલાં બે શખ્સોએ તેને ચપ્પુની અણીએ રોક્યો હતો. તે કાંઇ સમજે તે પહેલાં જ તેની આંખોમાં મરચાની ભુકી નાંખી દઇ તેની એક્ટિવાની ડેકીમાંથી રૂ.૪૫ લાખ રૂપિયા લઇ ભાગી ગયાં હતાં.

આ ઘટનાને પગલે અંક્લેશ્વર પોલીસ તુરંત એક્શનમાં આવી જઈ એલસીબી-એસઓજીની ટીમોને પણ સતર્ક કરવા સાથે આસપાસના અન્ય પોલીસને જાણ કરી અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું હતું. લૂંટારુંઓની ભાળ મેળવવા CCTVની પણ ચકાસણી કરાઇ રહી છે.

ભરૂચ કે. જે. પોલીટેકનીક કોલેજની યશકલગીમાં એક વધુ મોરપિચ્છ NBA Accreditation

આખા ભારતમાં ખૂબ મહત્વનું ગણી શકાય, તેવા NBA ઇન્સ્પેકશનમાં ભરૂચની શ્રી કે જે પોલીટેક્નિકને સિવિલ એન્જીનીયરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ, એનવાયરમેન્ટલ એન્જીનીયરીંગની બ્રાન્ચને NBA Accreditation મેળવવામાં સફળતા મળેલ છે.

ભારતભરની કોલજોમાં ટેક્નિકલ એજ્યુકેશનની ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા બધી એન્જીનીયરીંગ કોલેજોને આંતરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ઇન્સ્પેકશન કરવામાં આવે છે. જેમાં વોશિંગ્ટન એકોર્ડના બેન્ચમાર્ક મુજબ ભારત સરકાર દ્વારા National Board of Accreditation, દિલ્હી મારફત કે જે પોલીટેક્નિક – ભરૂચના વિઝન, મિશન, પ્રોગ્રામ એજ્યુકેશન ઓબ્જેક્ટિવ, પ્રોગ્રામ આઉટકમ, કોર્સ આઉટકમ, અભ્યાસક્રમ ડિઝાઈનની પ્રક્રિયા, ટીચિંગની મેથોડોલોજી, પ્રોફેસરોની ક્વોલિટી, આઉટકમ બેઝડ એજ્યુકેશન મુજબ ટીચિંગ તથા એસેસમેન્ટ, વર્ગખંડો, લેબોરેટરીમાં મોર્ડન ઉપકરણો, લાઈબ્રેરી, પ્લેસમેન્ટ, રિઝલ્ટ, ઉચ્ચ અભ્યાસ, સ્ટાર્ટઅપ, વગેરે તમામ બાબતોનું વિગતવાર ઇન્સ્પેકશન કરવામાં આવ્યુ હતું. અને  તમામ માપદંડ મુજબ ઇન્સ્પેકશન કરીને કે જે પોલીટેક્નિક ભરૂચને NBA Accreditation નું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.

આ ઇન્સ્પેકશનમાં રાષ્ટ્રીય સ્તરની NBA ઇન્સ્પેકશન ટિમ દ્વારા સઘન ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.ડાયરેકટરેટ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન – DTE, ગાંધીનગર દ્વારા ડો. આઈ. બી. દવે, GEC, ગાંધીનગર, સંસ્થાના NBA મેન્ટર ડો. એ. સી. ધનેશ્વર, પ્રો. જે. એચ. ગાબરા, પ્રો. જે.એસ. દોશી, ગાંધી કોલેજ, સુરત, વગેરે એ સંસ્થાને NBA પ્રક્રિયા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તથા એલ્મની એસોસિએશનના ચેરમેન ખુમાનસિંહ વાંસિયા, ભૂતપૂર્વ ધારાસભ્ય, અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ, પેરેન્ટ્સ, વગેરે એ રૂબરૂ ઉપસ્થિત રહીને NBA ઇન્સ્પેકશન ટીમને સ્ટેક હોલ્ડર તરીકે ખૂબ સરસ ફીડબેક, વગેરે આપ્યો હતો. NBA accreditation ની આખી પ્રક્રિયામાં એલ્મની એસોસિએશનની ભૂમિકા ખૂબ મહત્વની હતી. આચાર્ય એસ. એમ. મિસ્ત્રી, ભૂતપૂર્વ આચાર્ય રીંકુ આર. શુક્લા, NBA કોઓર્ડીનેટર પલક જે. શુક્લા, ઇલેક્ટ્રિકલ ખાતાના વડા એસ. સી. પટેલ, સિવિલ ખાતાના વડા શ્રીમતિ રત્ના ભટ્ટ, એનવાયરમેન્ટ ખાતાના વડા શ્રીમતિ જીની સુનિલ, તથા અન્ય ખાતાના વડાઓ તથા તમામ સ્ટાફ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સંસ્થામાં આ ઇન્સ્પેકશન માટે કોલેજના ગુણવત્તાસભર વિકાસ માટે ખૂબ વિગતવાર કામગીરી કરવામાં આવી હતી. તથા સંસ્થા ના એપ્લાઇડ મિકેનિકસ ખાતાના વડા તેમજ સાઉથ ઝોન NBA ઝોનલ ઓફિસર સી એચ ભટ્ટ ધ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કે જે પોલીટેક્નિક ભરૂચને NBA Accreditation મળવાથી કોલેજની યશકલગીમાં એક વધુ મોરપિચ્છ ઉમેરાયું છે, અને સમગ્ર શિક્ષણ જગતમાં ઉત્સાહનું વાતાવરણ ઉભું થયેલ છે.

દહેજની દેશની સૌથી મોટી હાઇડ્રોજન પેરોકસાઈડ બનાવતી IPL માં આગ

દહેજની દેશની સૌથી મોટી હાઇડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરતી ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં શુક્રવારે લાગલી વિકરાળ આગે ઔદ્યોગિક જિલ્લાને એલર્ટ મોડમાં લાવી દીધો હતો.

દહેજ-આમોદ રોડ પર આવેલી ઇન્ડિયન પેરોકસાઈડ કંપની 15 હજાર સ્કવેર મીટરમાં 5 વર્ષ પેહલા સ્થપાઈ હતી. દૈનિક 150 ટન પર ડે હાઇડ્રોજન પેરોકસાઈડની સ્વિડન ટેકનોલોજીથી ઉત્પાદન કરતી IPL દેશની સૌથી મોટી પેરોકસાઈડ બનાવતી કંપની છે.

કંપનીમાં પ્રોસેસિંગ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે શુક્રવારે રાતે 10.50 કલાકે મેજર ફાયરનો કોલ મળ્યો હતો. રીએક્ટરમાં કોઈ કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો.

કંપનીમાં રહેલા 66 કર્મચારીઓ સમયસર બહાર આવી જતા તેઓનો બચાવ થયો હતો. ઘટનાને લઈ સેફટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ, જીપીસીબી, દહેજ પોલીસ અને વહીવટી તંત્ર દોડી ગયું હતું.

ફાયર બોલ સાથે વિકરાળ બનેલી આગ પર 8 થી વધુ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમતે કાબુ મેળવી લીધો હતો. કંપનીને પ્રોડક્શન બંધ રાખવા પ્રોહીબીટરી ઓર્ડર આપી આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસવા શનિવારથી તંત્રે કવાયત હાથ ધરી છે.

કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત મામલે ONGCને રૂ.50 લાખનો દંડ ફટકારાયો

વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

 

ભરૂચના વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણીના પગલે 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. તેલના દરિયા ઉપર તરત સૂકાભંઠ વિસ્તાર સમાન ભરૂચ જિલ્લામાં ONGC ની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું જે પીવાથી ઊંટના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.

આ મામલે સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ અને FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, લીકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને ગાંધીનગર GPCB એ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 ને ચૂંટણીમાં હુમલા અને લૂંટમાં 6 મહિનાની સજા

દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 આરોપીઓને વર્ષ 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોગજ કોલીવાડા ગામે એક વ્યક્તિ પર હીંચકારા હુમલા અને લૂંટના ગુનામાં નર્મદા કોર્ટે 6 મહિના કેદની સજા ફરમાવી છે.

સ્થાનિક સ્વરાજની સરપંચની ચૂંટણી 19 ડિસેમ્બર 2021 ના રોજ હતી. દેડિયાપાડા તાલુકાના બોગજ કોલીવાડા ગામે મળસ્કે હરીફ સરપંચ પદના 6 ટેકેદારો તાપણું કરી રહ્યાં હતાં. ફરિયાદી સતીશ કુંવરજી વસવાના ઘર પાસે જ ચાલતા તાપણા સમયે દેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 વ્યક્તિઓનું ટોળું દોડી આવ્યું હતું.

ચૈતર વસાવાએ સળગતા લાકડા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. ટોળામાના વિજય વસાવા, રતિલાલ, જયરામ, શાંતિલાલ, સંજય, જીતેન્દ્ર, મુકેશ, ઈશ્વર અને ગણેશે દેડિયાપાડા MLA સાથે ફરિયાદી અને સાથે તાપણું કરવા બેસેલા અન્યને પણ ગડદા પાટુનો માર માર્યો હતો. સાથે જ ચૈતર વસાવાએ ભોગ બનનાર સતિષનો મોબાઈલ અને સોનાની ચેઈન મળી 61, 500 ની લૂંટ ચલાવી હતી. જે અંગે ભોગ બનનારે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સરપંચની ચૂંટણીમાં હુમલો અને લૂંટનો કેસ નર્મદા સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સેશન્સ જજ નેહલકુમાર આર. જોષીએ દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર દામજી વસાવા સહિત તમામ 10 આરોપીઓને કસૂરવાર ઠેરવી 6 માસની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.જોકે કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને 20 હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

error: Content is protected !!