The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 228

અંકલેશ્વર : મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વરમાં મિત્રો એ જ પ્રેમિકા સાથે લગ્ન કરવા અને દેવું વધી જતાં મિત્રની હત્યા-લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં સાથી કર્મચારી અને મિત્રએ જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પ્રેમિકા સાથે લગ્ન કરવા તેમજ અન્ય મિત્રને માથે દેવું વધી જતાં રૂપિયા માટે હત્યા કરી હોવાની ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી.

અંકલેશ્વરમાં ગત 17નવેમ્બરે મીરા નગર પાછળ આવેલી હોટલ નર્મદા ગેટ પાસેની ઝાડીમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર મિથિલેશ સિંહ પ્રમોદ સિંહ રહે. શાંતિનગર અને મૂળ આઝમગઢ યુ.પી. નો હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે પોલીસે ઊંડાણમાં તપાસ કરતા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા તેના જ 2 મિત્રોએ હત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી.

બંને મિત્રો હત્યા કરી વતન તરફ ભાગ્યા હોવાની વિગતો સપાટી પર આવતા ભરૂચ એલસીબી પોલીસની ટીમે આર.પી.એફ તેમજ રેલ્વે પોલીસને શકમંદના નામ અને ફોટો મોકલી આપ્યા હતા. જે પૈકી સુરત મુઝફ્ફર નગર જતી ટ્રેનમાંથી રતલામ પોલીસે અરુણ ચરણજીત સિંગ ઠાકોરને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. જે એન ઝાલા અને અંકલેશ્વર જીઆઇડીસી પી.આઈ. આર.એન કરમટીયા દ્વારા પી.એસ.આઈ સાથે ટેક્નિકલ સર્વેલન્સથી મળેલી ચોક્કસ બાતમી આધારે આર.પી.એફ અને રેલ્વે પોલીસ માં આરોપી ના ફોટો અને નામ મેસેજ કર્યા હતા સુરત થી નીકળેલી સુરત મુઝફ્ફર નગર એક્સપ્રેસ વડોદરા બાદ સીધી રતલામ પહોંચી હતી. જ્યાં જનરલ ડબ્બા માં બેઠેલા અરુણ ઠાકોર ને મધ્ય પ્રદેશ રતલામ પોલીસ અને આર.પી.એફ ની સમય સુચકતા વાપરી ઝડપી પાડ્યો હતો. અન્ય એકને પકડવાની કવાયત પોલીસે વેગવંતી બનાવી છે.

ભરૂચ : કુકરવાડા ખાતે ડૂબી જતા વેજલપુરના આશાસ્પદ યુવાનનું મોત

ભરૂચના વેજલપુર નીઝામ વાડીના યુવાનનું કુકરવાડા ખાતે નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજયું હતું.

ભરૂચના વેજપુર ખાતે નિઝામવાડીમાં પરિવાર સાથે રહેતા અને શીવા ફાર્મા કંપનીમાં નોકરી કરતા અક્ષયકુમાર રમેશભાઇ મિસ્ત્રી ગત તા. ૧૭મીએ મીત્રો સાથે શુકલતીર્થ પુનમના મેળામાં જવા નાવડીમાં ગયા હતા. જયાંથી આજરોજ સવારે પરત આવી રહ્યા હતા તે વેળા અક્ષય બોટમાંથી નીચે ઉતરવા જતો હતો. ત્યારે વાંસની ઠેસ વાગતા તે કુકરવાડા ખાતે ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો.

આ ઘટનાના પગલે તેના મિત્રોએ બુમરાણ મચાવી હતી અને અક્ષયને તરતા ના આવડતું હોય તેને બચાવવાના તમામ પ્રયત્નો હાથધર્યા હતા. પરંતુ તેને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ બન્યા હતા. આખરે મહામહેનતે તેમણે અક્ષયની લાસને બહાર કાઢી હતી. આ ઘટ્નાની વાત વાયુ વેગે પ્રસરતા વેજલપુર નિઝામવાડીના તેના મિત્રો સહ્તનાઓ ભરૂચ સિવિલ ખાતે દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ રૂરલ પોલીસને કરાતા પોલીસે મૃતકની લાસને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.અચાનક પોતાના મિત્રની વિદાયના પગલે સમગ્ર વેજપુર પંથકમાં ધેરાશોકની લાગણી છવાઇ છે.

દાહોદ :દેવગઢ બારીયાના દુધિયા ગામમાં છોકરી ભગાડી જવાની અદાવતે છોકરાના ઘરે કરાયો હૂમલો

દાહોદના દેવગઢબારિયાના દુધિયાગામના વેડ ફળીયામાં છોકરી ભગાડી જવાની રીષે છોકરી પક્ષે છોકરાના ઘરે અને દુકાને સામાન અને વાહનોની તોડફોડ મચાવતા ચકચાર મચી જવા પામી છે.

દાહોદના દેવગઢ બારિયાના દુધિયાગામે છોકરી ભગાડી જવા મુદ્દે છોકરી પક્ષના લોકોએ છોકરાના ઘરે તેમજ દુકાને ધસી આવી તોડફોડ મચાવી સામન તોડવા સાથે ૩ વાહનો પણ ખૂરદો બોલાવી અને છોકરાના વાલિઓને ગડદાપાટુનો મારમારવાની ઘટના સામે આવી છે.

જેમાં છોકરા પક્ષના લોકોમાં પ્રભાત વેચાતભાઇ બારીયા, બળવંત વેચાત બારીયા, હિંમ્મ્તભાઇ વેચાતભાઇ બારીયા, કલસીંગ વેચાત બારીયા, બકા કલસીંગ બારીયા,છગન ભાવસીંગ બારીયા,નરવત મનસુખ બારીયા, કમલેશ હિંમ્મત બારીયા, વિજય તેરસીંગ બારીયા,તેરસીંગ છગનભાઇ વારીયા તમામ રહેવાસી સુધીયા વેડ ફળીયાના કુલ ૧૦ જેટલા લોકો સામે સાગટાળા પોલીસ મથકે તોડફોડ કરી રૂપિયા એક લાખ ઉપરાંતનું નુકશાન કરી ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ યોગેશ્વરીબેન અજયભાઇ બારીયાએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ: આત્મનિર્ભર ગ્રામયાત્રાનો ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી કરાયો આરંભ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો.

‘આઝાદી ના અમૃત મહોત્સવ’ની થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’નો ભરૂચના ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી શુભારંભ કરાવતા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે માનવીના જન્મ પૂર્વેથી લઈને મૃત્યુપર્યંત સુધીની અનેકવિધ યોજનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકારે અમલી બનાવીને પ્રજાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓની જાણકારી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ ના માધ્યમથી સતત ગ્રામજનો સુધી પહોંચાડવાની કવાયત રાજ્ય સરકારે હાથ ધરી છે, તેમ જણાવતા નાયબ મુખ્ય દંડકે પ્રજાકીય જાગૃતિ કેળવીને સર્વાંગિણ વિકાસની યોજનાઓનો લાભ લેવાની અપીલ કરી હતી.

‘રથ યાત્રા’ જેવા કાર્યક્રમોના માધ્યમથી પ્રજાકલ્યાણના અનેક કાર્યો હાથ ધરીને, છેવાડાના માનવીઓ સુધી સરકારી યોજનાઓની જાણકારી અને લાભો પહોંચાડવાનો ભગિરથ પ્રયાસ કરવામા આવતો હોય છે. ત્યારે ભરુચ જિલ્લામા પણ આ દરમિયાન અનેક વિકાસ યોજનાઓના લાભ એનાયત કરવા સાથે, નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે તેમ પણ નાયબ મુખ્ય દંડકે જણાવ્યું હતું.

ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે રાખેલ છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા,ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિત ભોલાવના ગ્રામજનો હાજર રહ્યા હતા.

SOU નજીક પોતાનો રોજગાર કરતા આદીવાસીઓને ન્યાય માટે સાંસદે લખ્યો CMને પત્ર

નર્મદા જિલ્લા સ્ટેસ્યુ ઓફ યુનિટી નજીક લીંબડીબાર ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે.જેમને ડેમના કામ અર્થે હટાવી રફેદફે કરાતા સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીના હિતમાં ન્યાય કરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી યોગ્ય કરવા તાકીદ કરી છે.

સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં ઉલ્લેખ્યુ છે કે, નર્મદા જિલ્લા સ્ટેસ્યુ ઓફ યુનિટી નજીક લીંબડીબાર ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે. તેવા લોકોને સ્ટેસ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ પોલીસ બળથી રંજાડવામાં આવ્યા છે, એક મહીના પહેલા આ વિસ્તારમાં શાકભાજી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતી બહેનો પથારાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ રફેદફે કરી નાખ્યા હતા.

જયારે જે.પી. કંપની દ્વારા ડેમનું કામ ચાલતુ હતુ, ત્યારે ધંધા રોજગાર જોરછોરમાં ચાલતા હતા, તેઓ રપ વર્ષથી આ વિસ્તારમાં ધંધા રોજગાર કરતા હતા, તેમને આજે ખદેડી મુકવામાં આવ્યા છે. એકબાજુ અમે તથા રાજય સરકાર, કેન્દ્ર સરકાર સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવા માટે જાહેરમાં બાહેધરી આપી છે અને બીજી તરફ અમે બદનામ થઈએ, સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કેટલાક સ્ટેસ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહયાં છે.

જેના કારણે સમગ્ર આદિવાસી આલમમાં સરકાર અને ભાજપ માટે નારાજગી ઉભી થઈ છે, સ્ટેસ્યુ ઓફ યુનિટીના સતા મંડળને કયાંક અવ્યવસ્થા ઉભી થતી હોય તો સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરી પ્રશ્નને ઉકેલવાના પ્રયત્ન કરવા જોઈએ, પરંતુ આ વિસ્તારના આદિવાસીઓને રંજૌડવામાં આવે તે ખરેખર યોગ્ય નથી, તો આ વિસ્તારના ગરીબ આદિવાસીઓના હિતમાં તથા ધંધારોજગાર ચાલે તે માટે યોગ્ય ધટતુ કરવા જણાવ્યું છે.

ભરૂચ: અટાલી ખાતે યોકોહામા કૌશલ્ય વિકાસ કેન્દ્રનું કરાયું ઉદ્દઘાટન

ભરૂચના અટાલી ખાતે યોકોહામા કૌશલ્ય વિકાસ કેન્દ્રનો ઉદ્દધાટન સમારોહ યોજાયો હતો.જેમાં યોકોહામા ઑફ-હાઈવે ટાયર્સ (YOHT), ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી, યુનાઈટેડ વે મુંબઈના પ્રતિનિધિઓ, તાલીમાર્થીઓ અને આમંત્રિત મહેમાનો આદિત્ય શુક્લા, પ્લાન્ટ હેડ, દહેજ, (YOHT), અંબરીશ શિંદે-EVP ઓપરેશન્સ, (YOHT), મેલ્વિન મેથિન્સ- વાઇસ પ્રેસિડેન્ટ ગ્રુપ HR (YOHT), દિલીપ ઘોરપડે – ઉપપ્રમુખ HR (YOHT), આશિષ શેખર, HR વડા(YOHT), જ્યોર્જ આઈકારા, CEO (UWM), ડૉ. અવની ઉમત્ત, પ્રોવોસ્ટ (TLSU), અર્જુનસિંહ રાણા, સામાજિક કાર્યકર, અટાલી, કુ. સુચિતા રોય, પ્રાદેશિક મેનેજર – પશ્ચિમ, રબર કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર સ્કિલ કાઉન્સિલ, (RCPSDC) હાજરીમાં ઉદ્ઘાટન સમારોહને યોજવામાં આવ્યો હતો.
યોકોહામા કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્કિલ ઈન્ડિયા મિશનને ટેકો આપવા અને ટાયર અને રબર ક્ષેત્રમાં નીચેના ટૂંકા ગાળાના અભ્યાસક્રમો ઓફર કરીને રોજગારની તકો વધારવાનો હેતુ ધરાવે છે. એક્સ્ટ્રુડર ઓપરેટર, ટાયર બિલ્ડીંગ ઓપરેટર-ઓફ ધ રોડ ક્યોરિંગ ચેમ્બર ઓપરેટર, મિલ ઓપરેટર, રેડિયલ બિલ્ડીંગ ઓપરેટર, ક્યોરિંગ ચેમ્બર ઓપરેટર જેવા દરેક ટૂંકા ગાળાના અભ્યાસક્રમો 2 મહિનાના સમયગાળાના સંપૂર્ણ પ્રાયોજિત રહેણાંક અભ્યાસક્રમો છે. તાલીમ વિતરણ વર્ગખંડ, વર્કશોપ, ઉદ્યોગ નિષ્ણાત પ્રવચનો અને નોકરી પરની તાલીમના મિશ્રણમાં પ્રદાન કરવામાં આવશે. આ અભ્યાસક્રમો મિકેનિકલ સંબંધિત ટ્રેડ્સ અને ડિપ્લોમા મિકેનિકલ વિદ્યાર્થીઓમાં 2 વર્ષના ITI પ્રમાણપત્ર સાથે 10માં રોજગાર અને કારકિર્દી વૃદ્ધિની તકો પ્રદાન કરશે. તાલીમ અને મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ થવા પર વિદ્યાર્થીને રબર કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (RCPSDC) તરફથી પ્રમાણપત્ર આપવામાં આવનાર છે.

યોકોહામા ઑફ-હાઈવે ટાયર્સ (YOHT) એ યોકોહામા રબર કંપની લિમિટેડ, જાપાન (વાયઆરસી) નો વિભાગ છે. ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (TLSU) એ ભારતની પ્રથમ સ્કીલ્સ યુનિવર્સિટી છે, જે ગુજરાત સરકાર સાથે જાહેર-ખાનગી-ભાગીદારી હેઠળ સ્થપાયેલી છે. TLSU એ શૈક્ષણિક, વ્યાવસાયિક, વ્યાવસાયિક, તકનીકી અને જીવન કૌશલ્ય ડોમેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને પરંપરાગત અને બિન-પરંપરાગત કાર્યક્રમો દ્વારા તેના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય સંવર્ધન અને સામાજિક સંવર્ધનની સુવિધા આપવાનું લક્ષ્ય રાખે છે.

ભરૂચ: શુકલતીર્થ ખાતે કારતકી પૂનમે શ્રાદ્ધ અને પિતૃતર્પણ માટે લોકો ઉમટયા

નર્મદા કિનારે આવેલા શુકલતીર્થ ખાતે કાતકી અગિયારસથી પૂનમ સુધી ૫ દિવસની જાત્રા ભરાય છે. જોકે આ વર્ષે મેળો યોજાયો નથી. પરંતુ નર્મદા નદી ઉપર થતી તીર્થ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ વિધિ માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.

ભરૂચ તાલુકાના શુકલતીર્થ મહાદેવ મંદિરની તપોવન ભૂમિ ઉપર કોરોનાના કહેરથી પરંપરાગત યોજાતો મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ આ તીર્થ ઉપર શ્રાદ્ધ અને પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય તે માટેની વિધિનું અનેરું મહત્ત્વ રહેલું છે. જેના કારણે ગત મોડી રાત્રીથી પૂનમે આખો દિવસ મોટી સંખ્યામાં લોકોએ ભૂદેવ સાથે ઉપસ્થિત રહી વિધિ યોજી હતી.

આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે કાતકી પૂણમાનો મેળો શુકલતીર્થ ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરી મેળો નહિ યોજવા નિર્ણય કરાયો હતો. શુક્લતીર્થની જાત્રા થકી ૫ દિવસમાં પંચાયતને 18 થી 20 લાખની આવક થાય છે. રાજ્ય ભરમાંથી ૪ લાખથી વધુ લોકો ઉમટી પડે છે. જાત્રામાં નદી કિનારે 1000 થી વધુ પાથરણાવાળા, ખાણી પીણી, મનોરંજનના સ્ટોલ સહિતના અનેક લોકોને પણ ૫ દિવસમાં મેળા થકી થતી આવક ગુમાવવાનો વારો આવ્યો છે.

પરંતુ આ તીર્થ ની તપોવન ભૂમિ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ અન્ય વિધિ કરવાથી લોકોને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતાઓ રહેલી છે જેના કારણે ગત મોડી રાત્રિએ થી લોકો નર્મદા નદીના ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ તીર્થ શ્રાદ્ધ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આખી રાત નર્મદા નદીના ઘાટ ઉપર અંધારપટ વચ્ચે પણ ભૂદેવોએ વિધિ કરાવી હતી.

કોરોનાની મહામારી ના કારણે કાતકી પૂણમાનો યોજાતો મેળો ગ્રામ પંચાયત દ્વારા રદ કરવામાં આવ્યો હતો જેના કારણે નર્મદા નદીના ઘાટ ઉપર પણ લાઈટની કોઈ સુવિધા કરવામાં આવી હતી. નર્મદા નદીના પ્રવેશદ્વાર નજીક રહેલ એક લાઇટના અજવાળે કાતકી પૂણમાની સમગ્ર રાત્રી દરમિયાન ભૂદેવોએ લોકોને તીર્થ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ વિધિ કરાવી હતી. લાઈટનું અજવાળું ઓછું પડતાં ભૂદેવોને મોબાઈલની ટોર્ચના અજવાળી લોકોને વિધિ કરાવવા માટેની ફરજ પડી હતી.

ભરૂચ: અજાણ્યા વાહની ટક્ક્રરે વૃદ્ધે ગુમાવ્યો જીવ

ભરૂચના નબીપુર પોલીસ મથકની હદમાં ગત રાતે રસ્તો ઓળંગતા વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ભરૂચના વગુસણા ગામે પરિવાર સાથે રહેતા ૯૦ વર્ષીય મંગળભાઇ શંકરભાઇ પાટણવાડીયા ગત રાતે પોતાના ઘરેથી ચાલવા માટે નીક્ળ્યા હતા. તે વેળા કેનાલ બાજુ જવા રસ્તો ઓળંગી રહ્યા હતા. દરમિયાન એક પુરઝડપે આવતા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મંગળભાઇ પાટણવાડીયાનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકે કરાતા પોલીસે લાસનો કબ્જો મેળવી પી.એમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધ આરંભી છે.

ભરૂચમાં સોનેરી સ્ક્વેર એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ ઝડપાયો,બે મહિલાની અટકાયત

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલાં સોનેરી સ્કવેર એપાર્ટમેન્ટના રૂમ નંબર 301 અને 304માં રહેતાં વસીમ ઉર્ફે પંડિત ઉર્ફે રિઝવાન મોહમદ શાબીર શેખ તેમજ મહમદ હૂસેન તૈયબ સિંધી બન્ને ભાગીદારીમાં વિદેશીદારૂનો વેપાર કરે છે.

જે આધારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારતા રૂમ નંબર 301માંથી રોશની વસીમ ઉર્ફે પંડિત ઉર્ફે રિઝવાન મોહંમદ શાબીર શેખ તેમજ પાડોશના રૂમમાંથી ફરહાનાબાનુ મહંમદ હુસેન તૈયબ સિંધીની પોલીસે અટકાયત કરી હતી. ટીમે તેમના ઘરમાંથી કુલ 12 હજાર ઉપરાંતો વિદેશીદારૂ મળી આવતાં બન્નેની ધરપકડ કરી હતી.

પોલીસ ટીમે બંન્નેવના ઘરમાંથી વિદેશીદારૂ, એક મોબાઇલ તેમજ દારૂ વેચી એકત્ર થયેલાં રોકડા રૂપિયા મળી કુલ 18 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બંન્નેવ મહિલા બુટલેગરો તેમજ ભાગીદારીમાં ધંધો કરનાર વસીમ તેમજ મહમદ સિંધી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ: અંગારેશ્વર ખાતે મામા સરકાર તેમજ ચુડેલ માતાની મૂર્તિઓની કરાઇ પ્રાણપ્રતિઠા

અંગારેશ્વર ગામે બાબા ગોરખનાથ આશ્રમ ની બાજુમાં અતિપ્રાચીન ગ્રામજનો તેમજ આસપાસના લોકોનો ધાર્મિક આસ્થા ધરાવતું કોઠી ના ઝાડ નીચે મામા સરકાર તેમજ ચુડેલ માતાનું સ્થળ આવેલું છે. જ્યાં ઉપસરપંચ મહેશભાઈ પરમાર દ્વારા એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

અંગારેશ્વર ગ્રામજનો મામા સરકાર તેમજ ચુડેલ માતા ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અતિથિવિશેષ તરીકે દહેજ જીઆઇડીસી એસોસિયેશનના પ્રમુખ હર્નિયા ખાસ ઉપસ્થિત રહી ગુરુજી ના આશીર્વાદ લઇ પ્રાણ પ્રતિષ્ઠા માં ભાગ લીધો હતો.

આજરોજ વૈકુંઠ ચૌદસ ના શુભ દિવસે તેમજ બાબા ગોરખનાથ આશ્રમના મહંત ડૉ જયસ્વાલનો યોગાનુયોગ જન્મદિવસ હોય ગ્રામજનો તેમજ આશ્રમના અન્ય અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશ્રમના મહંત ડોક્ટર જયસ્વાલના જન્મ દિવસની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરેક ગામમાં ગ્રામજનોની માન્યતા મુજબ ગામના સીમાડા ઉપર મામા સરકાર તેમજ ચુડેલ માતાની પૂજા પૂજા કરતા હોય છે. પરંતુ અંગારેશ્વર ગામ ધાર્મિક આસ્થા ગામ હોય ગ્રામજનોએ ઉત્સાહભેર મામા સરકાર તેમજ ચુડેલ માતાની મૂર્તિની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરી અલગથી દાખલો બેસાડે છે.

error: Content is protected !!