The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ : કુકરવાડા ખાતે ડૂબી જતા વેજલપુરના આશાસ્પદ યુવાનનું મોત

ભરૂચના વેજલપુર નીઝામ વાડીના યુવાનનું કુકરવાડા ખાતે નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજયું હતું.

ભરૂચના વેજપુર ખાતે નિઝામવાડીમાં પરિવાર સાથે રહેતા અને શીવા ફાર્મા કંપનીમાં નોકરી કરતા અક્ષયકુમાર રમેશભાઇ મિસ્ત્રી ગત તા. ૧૭મીએ મીત્રો સાથે શુકલતીર્થ પુનમના મેળામાં જવા નાવડીમાં ગયા હતા. જયાંથી આજરોજ સવારે પરત આવી રહ્યા હતા તે વેળા અક્ષય બોટમાંથી નીચે ઉતરવા જતો હતો. ત્યારે વાંસની ઠેસ વાગતા તે કુકરવાડા ખાતે ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો.

આ ઘટનાના પગલે તેના મિત્રોએ બુમરાણ મચાવી હતી અને અક્ષયને તરતા ના આવડતું હોય તેને બચાવવાના તમામ પ્રયત્નો હાથધર્યા હતા. પરંતુ તેને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ બન્યા હતા. આખરે મહામહેનતે તેમણે અક્ષયની લાસને બહાર કાઢી હતી. આ ઘટ્નાની વાત વાયુ વેગે પ્રસરતા વેજલપુર નિઝામવાડીના તેના મિત્રો સહ્તનાઓ ભરૂચ સિવિલ ખાતે દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ રૂરલ પોલીસને કરાતા પોલીસે મૃતકની લાસને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.અચાનક પોતાના મિત્રની વિદાયના પગલે સમગ્ર વેજપુર પંથકમાં ધેરાશોકની લાગણી છવાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને...

Antivirus Software No cost Vs Paid out

Choosing among antivirus software program free and paid...

Best Antivirus Computer software For Rookies

When choosing an antivirus system, you must consider...
error: Content is protected !!