The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 179

ભરૂચ: મુલદ ટોલટેક્સ નજીક મધરાતેટોલ મુદ્દે રકઝક થતાં કન્ટેન્ટર આડું કરી રસ્તો કર્યો બ્લોક

  • ટોલ મુદ્દે રકઝક થયા બાદ કન્ટેનર ચાલકે લાંબુ કન્ટેન્ટર આડું કરી એક તરફનો રસ્તો બ્લોક કર્યો

ભરૂચ નેશનલ હાઇવે ઉપર સોમવારે રાતે મુલદ ટોલટેક્સ નજીક એક કન્ટેનર ચાલકે ટોલ મુદ્દે થયેલી બબાલમાં કન્ટેનરને આડું કરી એક તરફનો રસ્તો રોકી લેતા વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી.

ભરૂચ મુલદ ટોલટેક્સ ઉપર સોમવારે રાતે 10.30 કલાકે એક લાંબુ કન્ટેનર સુરત તરફથી આવ્યું હતું. ટોલ બાબતે કન્ટેનર ચાલકની ટોલ બુથ ઉપર રકઝક થઈ હતી. જેમાં રોષે ભરાયેલા કન્ટેનર ચાલકે ટોલબુથથી થોડે આગળ તેનું વાહન લઈ ગયા બાદ રસ્તા ઉપર આડું કરી દીધું હતું.

ટોલ ટેક્સથી અંકલેશ્વરથી ભરૂચ આવવાનો માર્ગ બંધ થઈ જતા જોતજોતામાં લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. વાહનોના હોન ઉપર હોન વચ્ચે ટોલબુથ કર્મીઓ અને સિક્યોરિટી કન્ટેનર ચાલક પાસે દોડી જઇ તેને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા હતા.અડધો કલાક કન્ટેનર ચાલકે હાઇવે નો અંકલેશ્વરથી ભરૂચ આવવાનો માર્ગ બાધિત કરી બાનમાં લેતા વાહનોની કતારોનો ખડકલો સર્જાઈ ગયો હતો. અંતે કન્ટેનર ચાલક સાથે ટોલ મુદ્દેનો વિવાદ સમતા તેણે પોતાનું વાહન હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

જોકે આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. અને ટોલ કર્મચારીઓએ પણ સેને લઈ વિવાદ સર્જાયો હતો અને કન્ટેનર ચાલકે કેમ તેનું વાહન આડસ કરી મૂકી દઇ હાઇવેને બાનમાં લીધો હતો તેની વિગતો બહાર આવી શકી નથી.

સુરત : ગ્રીષ્માના હત્યારાને સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળી રજા

  • પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો

સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. હાલ ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. ડિસ્ચાર્જ થતા અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો.

છેલ્લા ઘણા દિવસથી ફેનિલ ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ 12 ફેબ્રુઆરીના રોજ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

ત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું છે. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી.

ભરૂચ : પાનોલીના ૧૭ વર્ષીય વિકૃત સગીરે પ વર્ષની બાળકીને પીંખી નાખી આચર્યું દુષ્કર્મ

  • સગીર વયના નરાધમએ આ અગાઉ પણ એક બાળકીની છેડતી કરી હોવાના આક્ષેપો થયા હતા.
  • ૧૭ વર્ષીય સગીર બાળકે પ વર્ષની સગીરાને વેલેન્ટાઈન ડે ના દિવસે ભોગ બનાવી..
  • અંકલેશ્વર રૂરલ પોલીસે ૧૭ વર્ષીય સગીર સામે બળાત્કાર અને પોસ્કો ગુનો દાખલ કર્યો.

ભરૂચ જિલ્લામાં પણ માસુમ બાળકીઓ હવે સુરક્ષિત રહી નથી. આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાના પાનોલી પંથકમાંથી સામે આવ્યો છે જેમાં ૧૭ વર્ષીય વિકૃત કિશોરે પાંચ વર્ષની માસૂમ બાળકીને પોતાના ઘરે લાલચાવી લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવતા પોલીસે વિકૃત નરાધમ સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

અંકલેશ્વર પંથકના પાનોલીના એક ગામમાં એક જ ફળીયામાં રહેતા એક ૧૭ વર્ષીય કિશોરે એક ૫ વર્ષીય માસુમને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં પીડીત ૫ વર્ષીય બાળકીની માતાએ આ વિકૃત કિશોર વિરૂધ ફરીયાદ નોંધાવી છે.

જેમાં બાળકી બહાર રમતી હતી ત્યારે આ ૧૭ વર્ષીય વિકૃત માનસીકતા ધરાવતા ૧૭ વર્ષીય કાર્તિકે તેને પટાવી, ફોસલાવી,લલચાવી પોતાના ઘરે લઈ જઈને તેના ઉપર ક્રુરતા પૂર્વક દુષ્કર્મ આચરી બાળકીને છુટી મુકી આ વિકૃત કિશોર ભાગી છુટ્યો હતો. બાદમાં છોકરીની માતાને આ અંગે જાણ થતાં તેણે આ કિશોર વિરૂધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

જેના પગલે અંકલેશ્વર તાલુકા પોલીસે પણ ૧૭ વર્ષીય કિશોર કાર્તિક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની શોધ આરંભી છે.

ઉલ્લેખનીય છે કે આ ૧૭ વર્ષીય કાર્તિક આ અગાઉ પણ એક છોકરીની છેડતી કરી હોવાના આક્ષેપોમાં ચર્ચાયો હતો. આ કેસમાં પોલીસે ભોગ બનનાર પ વર્ષીય બાળકીને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પીટ્લ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરાઇ હોવાના તેમજ બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ થઈ હોવાના એહવાલ મળી રહ્યા છે.

ભરૂચ : નબીપુર વિસ્તારમાંથી દેશી તમંચા સાથે ૧ આરોપી ઝડપાયો

ભરૂચ જિલ્લામાં અગ્નિ શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સબંધિત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા અંગે તા.૦૧/૦૧/૨૦૨૨ થી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમા ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા એસ.ઓ.જી.ભરૂચનાની સુચના અન્વયે એસ.ઓ.જી. પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન મળેલ બાતમી આધારે નબીપુર વિસ્તારમાંથી સુનીલભાઈ છગનભાઈ રાઠવા રહે-કનલવા તા.કવાંટ જિ-છોટાઉદેપુરનાને નબીપુર નેશનલ હાઈવે નં.૪૮ બ્રીજ નજીકથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના બારબોર તમંચા નંગ-૧, કિ.રૂ.૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી.ભરૂચ નાઓ કરી રહેલ છે.

ઝઘડિયા: વણાકપોરથી જરસાડ ગામને જોડતા માર્ગ પર દીપડો દેખાતાં સ્થાનિકોમાં ફફડાટ

  • શિકારની શોધમાં વણાકપોરથી જરસાડ ગામ જવાના રસ્તે દીપડો આંટો મારતો દેખાયો

ઝઘડિયા તાલુકાનાં વણાકપોરથી જરસાડ ગામને જોડતા માર્ગ પર ઉપર શિકારની શોધમાં આંટાફેરા કરતાં દીપડાને પગલે વાહન ચાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઝઘડીયા તાલુકામાં વન્ય પ્રાણીઓ દેખાવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ઝઘડિયા તાલુકાના વણાકપોરથી જરસાડ ગામને જોડતા માર્ગ પર શિકારની શોધમાં આંટાફેરા મારતા દીપડાને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે સોમવારની રાતે અવિધા ગામથી જરસાડ જવાના જાહેર માર્ગ ઉપર શિકારની શોધમાં લટાર મારતો દીપડો દેખાતા કાર ચાલકે કાર થોભાવી પોતાના મોબાઈલ ફોનમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો.

આ કદાવર દીપડાના આંટાફેરાને પગલે ગ્રામજનો સહિત વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ઝઘડીયા વન વિભાગ પાંજરું ગોઠવી દીપડાને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

દેડીયાપાડા : રાલ્દા બસ સ્ટેન્ડ પાસેથી ૨૦૧.૧૭૦ કિલો ગાંજા સાથે ૫ ઝડપાયા

  • પોલીસે સૂકા ગાંજા સહીત રપ,૨૧,૨૦૦/ નો મુદામાલ ઝડપી પાડ્યો

દેડીયાપાડા પોલીસ ટીમને બાતમી મળી હતી કે એક સ્કોર્પીયો ગાડીમાં પાંચ ઇસમો આવે છે જેમની પાસે ગાંજાનો મોટો જથ્થો છે.

જેથી દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સાગબારા થી દેડીયાપાડા રોડ ઉપર સાગબારા તરફ થી એક સીલ્વર કલરની સ્કોર્પીયો, GJ-23-CA-5 આવતા તેમાં તપાસ કરતા પોલીસટીમને તેમાંથી સેલોટેપ વીટાળેલ બંડલો નંગ-૩૯ માં કુલ વજન ૨૦૧.૧૭૦કિ.ગ્રામ સુકા ગાંજાની કિ.રૂ.૨૦,૧૧,૮૦૦/- તથા સ્કોર્પીયો ગાડી GJ-23-CA-5 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ. ૯૦૦૦/- અને આરોપીઓની અંગ ઝડતી માંથી મળી આવેલ રોકડા રૂપિયા તે તમામ કુલ કિ.રૂ. રપ,૨૧,૨૦૦/- ના સુકા ગાંજા સાથે પાંચ આરોપી મદન જબરારામ રાજપુરોહીંત રહે.નીમ્બાવાસ તા.ભીનમાલ જી.ઝાલોર (રાજસ્થાન ) તથા જલારામ ભાગીરથ બીઝોઇ રહે.દેવડગામ તા.ભીનમાલ જિલ્લો.ઝાલોર (રાજસ્થાન) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થ આપનાર આરોપી બાબા રહે.તુની રાજમુરી આંદ્રપ્રદેશ પ્રદેશની અટકાયત કરી હતી જયારે આ વનસ્પતિ જન્ય માદક પદાર્થ મંગાવનાર આરોપી લાલા રામ ચૌધરી રહે.ભોરડ તા.આહેર જિલ્લો-જાલોર (રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરાયો છે.

જેમાં પકડાયેલ આરોપીઓના વિરૂધ્ધમાં એન.ડી.પી. એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જે ગુનાની આગળની વધુ તપાસ એસ.ઓ.જી.નર્મદાએ  હાથ ધરેલ છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચ:ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂપડામાં લાગી આગ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના મકતમપુર નજીક આવેલ કોઠી ફળિયાની ઝૂપડાપટ્ટીમાં આજે સવારે અચાનક આગ ભભૂકતા નાસભાગ મચી જવા સાથે અફરાતફરી સર્જાવા પામી હતી.

આ અચાનક ફાટી નીકળેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15 જેટલા ઝૂપડાઓ આ આગની લપેટમાં આવી ગયા હતા. જેને સ્થાનિક ઝુપ્ડાવાસીઓએ પાણીની ડોલો નાંખી આગ ઓલવવા પ્રયાશો કર્યા હતા પરંતુ આ આગ એટલી વિકરાળ હતી કે જેને પગલે ઝૂપડાની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા સાથે ઘરમાં રાખેલા રૂપિયા પણ બળી ગયા હતા.

જોકે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે.આ આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ભરૂચ : શેરપુરા ખાતે બે બસ સળગાવી દેવાના મામલામાં AIMIM જિલ્લા પ્રમુખ સહીત 8 ની ધરપકડ

ભરૂચના શેરપુરા વિસ્તારમાં ગત 31 જાન્યુઆરી 2022 ની રાતે અકસ્માતમાં એક્ના મોત ની એક ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી બે લકઝરી બસને આગના હવાલે કરી દીધી હતી. આ ઘટના બાદ ભરૂચ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેર્યું હતું. ફાયરબ્રીગેડે આગ ઉપ્પર કાબુ મેળવ્યો ત્યાર સુધીમાં બંનેવ વાહનો કાટમાળમાં પરિવર્તિત થઇ ગયા હતા. આ ઘટના અકસ્માતમાં એક સ્થાનિકના મોત બાદ બની હતી.

આ ઘટનાના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે પોલીસે બસની તોડફોડ અને આગ લગાડવાની ઘટનામાં ધરપકડનો દોર શરૂ કર્યો હતો.

મામલાની તપાસમાં એ ડિવિઝન પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ સહીત ૮ લોકોની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસની સત્તાવાર યાદીમાં જણવ્યા અનુસાર ગત તારીખ ૩૧ જાન્યુઆરી 2022ના રોજ શેરપરા ગામના પાટીયા પાસે રાત્રીના આશરે ૯ વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતમાં એક સ્થાનિકનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર ખાનગી બસ તેમજ તે ખાનગી ટ્રાવેલ કંપનીની અન્ય બસમાં ટોળાએ તોડફોડ કરી બન્નેવ બસોને સળગાવી ડ્રાઇવરને માર માર્યો હતો.

ઘટના સંદર્ભે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તોડફોડની ઘટનામાં સંડોવણી સ્પષ્ટ થતા પ્રારંભે ઝુબેરભાઇ ઐયબુ ભાઇ અહમદભાઇ પટેલ, સઇદભાઇ અહમદભાઇ ઇસશાભાઇ પટેલ,ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ વલીભાઇ પટેલ, સાદીકભાઇ યાકુબભાઇ અહમદભાઇ પટેલ અને મોહસીન યાકુબભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ રહેવાસી શેરપુરા,ભરૂચ. આ 5 આરોપીઓની પૂછપરછ દરમ્યાન વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે જે અંતર્ગત પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ પટેલ નદીમ સહીત વધુ ત્રણની ધરપકડ કરી છે. નદીમ શેરપુરા ગામના વતની અને સ્થાનિક અગ્રણી પણ છે. ધરપકડ કરાયેલા વધુ ૩ આરોપીઓના નામ પટેલ નદીમ અહમેદ ઉફેભીખી અબ્દુલ હક, પટેલ ઇલ્યાસ વલી અને સફયાન અબ્દુલ ઉઘરાદાર ત્રણેય રહેવાસી શેરપરુા ગામ તા.જી.ભરૂચ હોવાનું બહાર આવ્યું છે.જે તમામ્ની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ સી.એસ.સી. દ્વારા ફાઉન્ડેશન વીક ની ઉજવણી કરાઇ

ભરૂચ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઈ.વી/એઇડ્સ(BDNP+) સંસ્થા દ્વારા માતૃત્વ સંસ્થા ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઈ.વી/ એઇડ્સ(GSNP+) ના ૨૦ માં ફાઉન્ડેશન દિવસ ની ઉજવણી અંતર્ગત ભરૂચ સી.એસ.સી. દ્વારા ભરૂચ ના પીએલ એચ.આઈ. વી. જોડે ફાઉન્ડેશન વીક ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં કુલ ૬ સપોર્ટ ગ્રુપ મિટિંગ, લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ,યોજનાઓ ના લાભ લેવા માટે લગતા પુરાવાઓ, ડિસ્કોડન્ટ દંપતી નું એચ.આઈ.વી પરિક્ષણ, બાળકો અને વિધવા બેહનો માટે ન્યુટ્રીશન કીટ, યુવાઓ સાથે કેક કટિંગ, તેમજ મિટિંગો માં અલગ અલગ થીમ અનુસાર પીએલ એચ.આઈ.વી. ને સમજાવવા માં આવ્યા હતા.

સુરતના ઉમરપાડામાં વિદ્યાર્થીએ બોર્ડ પર પહાડ દોરી કરી આત્મહત્યા

  • ઉમરપાડામાં વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
  • ઝંખવાવ શાંતિનિકેતન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ પર કુદરતી ચિત્ર દોરી “ધ એન્ડ” લખીને જીવન ટૂંકાવી નાખ્યું

સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામે વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.  ઝંખવાવની  શાંતિનિકેતન હાઈસ્કૂલની આ ઘટનામાં  વિદ્યાર્થીએ  બ્લેક બોર્ડ પર કુદરતી ચિત્ર દોરી “ધ એન્ડ” લખ્યું અને બાદમાં તુરંત  જ જિંદગી ટૂંકાવી નાખી હતી. મૃતક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. અને પ્રાથમિક માહિતી પ્રમાણે આ વિધાર્થી ભણતરના ભારથી દબાયેલો હોવાની વાત સામે આવી છે.

બારમાં ધોરણના વિધાર્થીની આ રીતે કરાયેલી આત્મહત્યા બાદ શાળાના શિક્ષકો અને વિધાર્થી આલમમાં સોંપો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા જ માંગરોળ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વિધાર્થીએ શા માટે શાળામાં આત્મહત્યા કરી છે ? તેના કારણો અને તારણોની ખૂટી કડી પોલીસ મેળવી રહી છે.

error: Content is protected !!