The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ : શેરપુરા ખાતે બે બસ સળગાવી દેવાના મામલામાં AIMIM જિલ્લા પ્રમુખ સહીત 8 ની ધરપકડ

ભરૂચના શેરપુરા વિસ્તારમાં ગત 31 જાન્યુઆરી 2022 ની રાતે અકસ્માતમાં એક્ના મોત ની એક ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી બે લકઝરી બસને આગના હવાલે કરી દીધી હતી. આ ઘટના બાદ ભરૂચ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટોળાને વિખેર્યું હતું. ફાયરબ્રીગેડે આગ ઉપ્પર કાબુ મેળવ્યો ત્યાર સુધીમાં બંનેવ વાહનો કાટમાળમાં પરિવર્તિત થઇ ગયા હતા. આ ઘટના અકસ્માતમાં એક સ્થાનિકના મોત બાદ બની હતી.

આ ઘટનાના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે પોલીસે બસની તોડફોડ અને આગ લગાડવાની ઘટનામાં ધરપકડનો દોર શરૂ કર્યો હતો.

મામલાની તપાસમાં એ ડિવિઝન પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ સહીત ૮ લોકોની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસની સત્તાવાર યાદીમાં જણવ્યા અનુસાર ગત તારીખ ૩૧ જાન્યુઆરી 2022ના રોજ શેરપરા ગામના પાટીયા પાસે રાત્રીના આશરે ૯ વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતમાં એક સ્થાનિકનું મોત નીપજ્યું હતું. અકસ્માત કરનાર ખાનગી બસ તેમજ તે ખાનગી ટ્રાવેલ કંપનીની અન્ય બસમાં ટોળાએ તોડફોડ કરી બન્નેવ બસોને સળગાવી ડ્રાઇવરને માર માર્યો હતો.

ઘટના સંદર્ભે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તોડફોડની ઘટનામાં સંડોવણી સ્પષ્ટ થતા પ્રારંભે ઝુબેરભાઇ ઐયબુ ભાઇ અહમદભાઇ પટેલ, સઇદભાઇ અહમદભાઇ ઇસશાભાઇ પટેલ,ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ વલીભાઇ પટેલ, સાદીકભાઇ યાકુબભાઇ અહમદભાઇ પટેલ અને મોહસીન યાકુબભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ રહેવાસી શેરપુરા,ભરૂચ. આ 5 આરોપીઓની પૂછપરછ દરમ્યાન વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે જે અંતર્ગત પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ પટેલ નદીમ સહીત વધુ ત્રણની ધરપકડ કરી છે. નદીમ શેરપુરા ગામના વતની અને સ્થાનિક અગ્રણી પણ છે. ધરપકડ કરાયેલા વધુ ૩ આરોપીઓના નામ પટેલ નદીમ અહમેદ ઉફેભીખી અબ્દુલ હક, પટેલ ઇલ્યાસ વલી અને સફયાન અબ્દુલ ઉઘરાદાર ત્રણેય રહેવાસી શેરપરુા ગામ તા.જી.ભરૂચ હોવાનું બહાર આવ્યું છે.જે તમામ્ની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!