The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 166

ભરૂચ જિલ્લાનાં દરેક તાલુકાઓમાં સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજાઇ

નાયબ જિલ્લા ચૂટંણી અધીકારીની કચેરી ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે ૧૨મા રાષ્ટ્રિય મતદાન જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ જિલ્લાની જુદી-જુદી શાળા કોલેજનાં ૨૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને ભાગ લીધો હતો.

 

આ કાર્યક્રમ ભરૂચ તાલુકામાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના મધ્યસ્થ હોલ ખાતે યોજાયો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે.એસ.એસનાં સંકલનમાં વાગરા, અંક્લેશ્વર અને હાંસોટ ખાતેના સબ સેંન્ટરોમાં ખાતે પણ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને કિટ તથા પ્રમાણપત્ર અર્પણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા.

નાયબ જિલ્લા ચૂંટ્ણી અધિકારી શ્રીમતી એસ.એમ.ગાંગુલી,  મામલતદાર રોશની પટેલ તથા ચૂટણી શાખાનાં પ્રતિનિધિઓ, શાળા કોલેજના શિક્ષકો, જે.એસ.એસ.નાં લાઈવલીહૂડ કો.ઓર્ડિનેટર, રિસોર્સ પર્સનો તથા નિયામક ઝયનુલ આબેદીન સૈયદ ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યક્મ સફળ બનાવ્યો હતો. જિલ્લામા જયારે જયારે ચૂંટ્ણી યોજાય ત્યારે ૧૦૦% મતદાન થાય તે મુજબની સમાજમાં જાગૃતિ લાવવા આપણે સૌએ પ્રયત્નો કરવાની પ્રેરણા આપતા આવા પ્રોગ્રામ કરવા જરૂરી થઈ ગયા છે.

દેડીયાપાડા : રીગાપાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નોંધાઇ ફરિયાદ

  • એમ.ડી.એમ.સંચાલકને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા વિરસિંગભાઈ વસાવાને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા દેડીયાપાડા પોલીસે ફરિયાદ દાખલ કરી ગુનો નોંધી કાયદેસરની વધુ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે

દેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે વિરસિંગભાઈ તારસિગભાઈ વસાવા ફરજ બજાવી રહ્યાં છે તેઓ તા.૨૧/૧૨/૨૦૨૧ના રોજ તેમના નાના ભાઈ જયસિંગભાઈ વસાવા સાથે પોતાની મોટર સાયકલ પર દેડીયાપાડા બજાર કામે જતાં હતાં તે સમય દરમિયાન તેમના ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તામાં આરોપી મહેન્દ્રભાઈ માકતભાઈ વસાવા ફરિયાદીને મળેલ હતો અને તેના હાથમાની લાકડી લઈ આવીને ફરિયાદીની ફેટ પકડી બોલાચાલી કરીને  કહેવા લાગેલ કે ગામની સ્કુલમાં છોકરાઓને ખવડાવવા આવતો નહિ અને સ્કુલની આજુબાજુમાં ફરકતો નહિ અને ગામની સ્કુલમા મધ્યાહન ભોજન સંચાલકની નોકરી કરવા આવ્યો તો ઢોર માર મારીશ અને ગામના કોઈ પણ કામો કરતો નહિ બાકી તારૂ મોતજ છે અને રસ્તામા ગમે ત્યારે એકલો મળતો ના એકલો મળ્યો તો જાનથી મારી નાખીશ તેમ કહે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા દેડીયાપાડા પોલીસે આરોપી મહેન્દ્રભાઈ  માકતાભાઈ વસાવા રહે.રીગાપાદર,તા.દેડીયાપાડા, જિ.નર્મદા વિરુદ્ધ  પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટરમાં આઈ.પી.સી.ની કલમ-૩૨૩,૫૦૪,૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની વધુ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરીને આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ નાં પ્રમુખ તરીકે યોગેશભાઈ ભલાણીની પસંદગી

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે યોગેશભાઈ ભલાણી ની પસંદગી કરવામાં આવી છે તેમજ ડેડીયાપાડા લેબર ઓફિસર તરીકે રાજેશભાઈ વસાવા ની પસંદગી કરવામાં આવી છે જેમને આજ રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લાના ચેરમેન સર્જન વસાવા તથા ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ સુનિલભાઈ પ્રસાદ દ્વારા આઈ કાર્ડ, પ્રમાણપત્ર તેમજ ઓથોરિટી લેટર આપી નિયુક્તિ કરવામાં આવી હતી.

જે સાથે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ નર્મદા જિલ્લા બોર્ડના મીડિયા ઇન્ચાર્જ મનીષભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

  1. સર્જનભાઇ એસ.વસાવા (નર્મદા જિલ્લા ચેરમેન)
  2. જયદીપભાઇ વસાવા (નર્મદા જિલ્લા વાઇસ ચેરમેન)
  3. યોગેશભાઈ ભલાણી (નર્મદા જિલ્લા પ્રમુખ)
  4. મનોજભાઈ તંબોલી (નર્મદા જિલ્લા એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ)
  5. તાહિર મેમાણ (નર્મદા જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ)
  6. મનીષભાઈ પટેલ (નર્મદા જિલ્લા મીડિયા ઇન્ચાર્જ)
  7. ડૉ.પૉલ રજવાડી (નર્મદા જિલ્લા હેલ્થ ઓફિસર)
  8. મીકિતાબેન વસાવા (નર્મદા જિલ્લા મહિલા પ્રમુખ)
  9. ઇશ્વરભાઇ વસાવા (કોર્પોરેટ ડિપાર્ટમેન્ટ ચેરમેન)
  10. જયદીપભાઈ પટેલ (પ્રાયોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન)
  11. જગદીશભાઈ વસાવા (ડેડીયાપાડા તાલુકા પ્રમુખ)
  12. મનહરભાઈ વસાવા (ડેડીયાપાડા તાલુકા એક્ઝિક્યુટીવ પ્રેસિડેન્ટ)
  13. રાજેશભાઈ વસાવા (ડેડીયાપાડા તાલુકા લેબર ઓફિસર)
  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચ : બુલેટ ટ્રેનની સાઇટ પરથી થયેલી સામાન ચોરીના મામલે વધુ એક ઝડપાયો

ભરૂચ તાલુકાના મનુબર ગામથી કંથારીયા ગામ જવાના માર્ગ ઉપર અમદાવાદથી મુંબઈ સુધીના ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ પરથી સ્પ્લેન્ડર જેક અને ટી.એમ.ટી સળિયા સહિતના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી એલસીબી પોલીસને તપાસ સોપવામાં આવી હતી. જેમાં અગાઉ બે શખ્સ ઝડપાયા બાદ વધુ એકની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન એલસીબી પોલીસે અગાઉ કાર સાથે બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. જેના બાદ પોલીસે ભરૂચના શેરપુરા બસ સ્ટેન્ડ સામે આવેલ ચિસ્તીયા ટાઉનશિપમાંથી સઅદ ઉર્ફે સાદ લૂકમાન પટેલને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે એક મોબાઈલ ફોન મળી રૂ. 2 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભરૂચ: ફાટાતળાવથી કતોપોર બજારને જોડતો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

  • વ્યવસ્થિત કામગીરીની ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની સ્થાનિક નગર સેવકની ચીમકી

ભરૂચના ફાટાતળાવથી કતોપોર બજારને જોડતો માર્ગ બિસ્માર બનતાં સ્થાનિક વેપારીઓ સહિત નગર સેવક દ્વારા ફાંટા તળાવ જવાના રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો હતો.

છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના વોર્ડ નંબર-10માં આવેલ ફાંટા તળાવથી કતોપોર બજારને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. જેને પગલે સ્થાનિક વેપારીઓ અને નગર સેવકો દ્વારા અનેકવાર વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા વિશ્વાસુ કામગીરી કરવામાં નહિ આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત વર્ષ 2018-19માં મંજૂર થયેલા વિકાસના કાર્ય હજી સુધી પૂરા કરવામાં આવ્યા નથી.

આ અંગે પણ વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે આજે ગુરૂવારના રોજ વીફરેલા સ્થાનિક વેપારીઓ અને એઆઇએમઆઇના સ્થાનિક નગર સેવકે ફાંટા તળાવ જવાના રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માર્ગની વ્યવસ્થિત કામગીરી કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા સાથે ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ભરૂચ : ટોલટેક્ષ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રાવેલ્સ બસ સાથે ૩ ઝડપાયા

  • રૂ. 35 હજારનો દારૂ અને ગાડી મળી કુલ રૂ. 10.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

અંકલેશ્વર શહેર પોલીસે નેશનલ હાઇવે ઉપર નર્મદા બ્રિજ ટોલટેક્ષ પાસેથી મહારાષ્ટ્રથી રાજસ્થાન લઈ જવાતા વિદેશી દારૂ ભરેલી ટ્રાવેલ્સ બસ સાથે ચાલક, ક્લિનર અને માલિકને રૂપિયા 10.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

મહારાષ્ટ્રના પૂનાથી રાજસ્થાન જતી ટ્રાવેલ્સ બસ નંબર-આર.જે.19.પી.બી.4123માં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી સુરત,અંકલેશ્વર અને અમદાવાદ થઈ રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે નેશનલ હાઇવે ઉપર નર્મદા બ્રિજ ટોલટેક્ષ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ટ્રાવેલ્સની બસ આવતા પોલીસે તેને અટકાવી પાછળની ડેકીમાં તપાસ કરતાં વિદેશી દારૂની 184 નંગ બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ. 35 હજારનો દારૂ અને ત્રણ મોબાઈલ ફોન અને ગાડી મળી રૂ. 10.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ રાજસ્થાનના પાલી જિલ્લાના ખાખરો ગામમાં રહેતો ટ્રાવેલ્સ ચાલક તેજસિંગ ઉર્ફે તેજપાલ નેતસિંગ રાવત, ભેરુ ઉર્ફે ભેરો ગેપરરામ દેવાશી અને ગાડીના માલિક મૂલચંદ રામાકિશન મહેશ્વરીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાંસદ મનસુખ વસાવાના વર્તનની વિરુદ્ધમાં મામલતદાર-મહેસુલી કર્મીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

  • ભરૂચ અને અંકલેશ્વર, વાલિયા ખાતે પણ કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી
  • મહેસુલી કર્મચારીઓનું શુક્રવારે માસ સી.એલ. પર ઉતરવાનું એલાન

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વર્તનના વિરોધમાં રાજ્ય સાથે ભરૂચ જીલ્લાની વિવિધ મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સાંસદે ઝનોરના 3 લોકોના અકસ્માતમાં મોત થયા બાદ બીજા દિવસે ઘટના સ્થળે મામલતદાર, સર્કલ ઓફિસરને અપશબ્દો બોલવાનો વિવાદ હવે ઘેરો બની રહ્યો છે જેના પડઘા ગુજરાતભરમાં પડી રહ્યાં છે.

કરજણ તાલુકાના માલોદ ગામ નજીક પાલેજ-નારેશ્વર રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ભરૂચના 3 વ્યક્તિઓના મૃત્યુ થવાની ઘટનામાં સ્થળ મુલાકાતે પહોચેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર તેમજ મહેસુલ વિભાગના અધિકારીને ખખડાવ્યા હતા. અને તેઓને ગાળો ભાંડી હતી.

જો કે આ અંગે સાંસદે ખુલાસો આપી જણાવ્યું હતું કે, કોઈના મૃત્યુ પર આ અધિકારીઓ હસી રહ્યા હતા. જેથી તેઓનો પિત્તો ગયો હતો. સાંસદના આ વર્તન સામે મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુરૂવારે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળના નેજા હેઠળ રાજ્યભરના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત સાથે ભરૂચ જીલ્લામાં ભરૂચ , અંકલેશ્વર, વાલિયા સહિતના વિસ્તારમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી. મહેસુલી કર્મચારીઓ શુક્રવારના રોજ માસ સી.એલ પર ઉતરશે. સાંસદ મનસુખ વસાવા માફી માંગેની માંગ સાથે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભાજપ અને MP મનસુખ વસાવાનું મિત્ર મંડળ તેઓના સમર્થનમાં આગળ આવ્યું છે. તેઓ દ્વારા હાલમાં જ કલેકટરને આવેદન પત્ર પાઠવી MP ના શબ્દો નહિ પણ તેંનો ભાવાર્થ પકડવા અને સમજવા રજુઆત કરાઈ હતી.

દેડીયાપાડા:પાટવલી ગામે આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી. આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ હતી. આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ થયા હતા. તેમજ 5 બકરીઓ પણ દાઝી ગઈ હતી. આ ઉપરાંત એક બાઈક પર સળગી ઉઠી હતી.

 

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ગુમાની ફળિયામાં આદિવાસી પરિવારોના કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એક બાદ એક મકાનોને આગે ચપેટમાં લેતા ઘાસ, લાકડા, વાંસ, ધાન્ય અને સરસમાનને લઈ આગ જલ્દીથી ફેલાતા વિકરાળ બની હતી. દેડીયાપાડામાં ફાયર ફાઈટરની સુવિધા ન હોય મદદ માટેનો કોલ રાજપીપળા પાલિકાને કરાયો હતો.

પાલિકાના ફાયર ફાઈટરો 61 કિલોમીટર અંતર કાપી ગામમાં પોહચે તે પેહલા 18 જેટલા મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. તેમજ આગમાં 5 બકરીઓ પણ ચપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. જ્યારે એક બાઇક પણ સળગી ઉઠી હતી. આગથી 18 પરિવારોના ઘર સાથે જ ધન, ધાન્ય, પશુધન અને ઘરવખરી પણ ભસ્મીભૂત થઈ જતા સામી હોળી એ જ પરિવારોને બેઘર બનવાનો વારો આવ્યો છે.

* પાટવલી ગામના મકાનો બળી ગયા તેમની યાદી.

  1. વસાવા માનસિંગભાઈ રામાભાઇ

2.વસાવા સોમાભાઈ રામાભાઇ

3.વસાવા વિનેશભાઈ સોમાભાઈ

4.વસાવા રામાભાઈ છગદાભાઈ

5.વસાવા સુરેશભાઈ સોમાભાઈ

6.વસાવા સામસીંગભાઈ ગીનીયાભાઈ

7.વસાવા દેડકાભાઈ છગદાભાઈ

8.વસાવા ચુનીલાલ દેડકાભાઈ

9.વસાવા ભરતભાઇ નરસિંહભાઈ

10.વસાવા ઉતરીબેન નારસિંહભાઈ

11.વસાવા હરિસિંહભાઈ  દેડકાભાઈ

  1. વસાવા વીરસીંગભાઇ દેડકાભાઈ

13.વસાવા કમલેશભાઇ નારસિંગભાઈ

14.વસાવા રાજેશભાઈ નારસિંગભાઈ

* સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના કરજણ વિવાદને લઈ મિત્ર મંડળ સમર્થનમાં,જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના કરજણ વિવાદને લઈ તેના મિત્ર મંડળ સમર્થનમાં આવ્યાં છે. મિત્ર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

કરજણનાં માલોદ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા માછી પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. જે અંગેની જાણ ભરુચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને થતાં તેઓ તાત્કાલિક કરજણના ધારાસભ્ય સાથે માલોદ અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ હાજર અધિકારીના વર્તનને લઈ મામલતદાર અને સર્કલ ઓફિસ સહિતના અધિકારીઓનો તીખી ભાષામાં ઉગડો લીધો હતો.

આ બાદ અધિકારીઓએ સાંસદના વર્તનના વિરોધમાં આવેદન પત્ર પાઠવી તેઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી, ત્યારે ઝઘડીયા તાલુકા ભાજપ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આગળ આવ્યું છે. જે બાદ આજરોજ ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મનસુખ વસાવાના મિત્ર મંડળે એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર સાંસદના તીખા શબ્દો નહીં પરંતુ ભાવાર્થ સમજવો જોઈએ ચૂંટાયેલા સભ્યો કડક કાયદા ઘડે પરંતુ તેનો અમલ અધિકારી, કર્મચારીઓએ કરવાનો હોય છે તેઓ ગંભીરતાથી ફરજ ન બજાવે તો આવી સમસ્યા ઉદભવતી હોવાના આક્ષેપ કર્યા છે અને સાંસદના શબ્દો પકડી રાખી વાતને આડે પાટે ચઢાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી થઈ

ગુજકોસ્ટ, ગાંધીનગર સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર – DSC, ભરૂચ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિવાસી અધિક કલેક્ટર જે. ડી.પટેલ, અતિથિવિશેષ વિઠ્ઠલભાઈ પટેલ, નગરપાલિકા ભરૂચ પ્રમુખ અમિતભાઈ ચાવડ, E.I. નિશાંત દવે, દિનેશભાઇ પંડ્યા ઉપસ્થિત રહી પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત વૈજ્ઞાનિક રીતે દીપપ્રાગટ્ય(KMnO4 + ગ્લીસરીન) અને વિજ્ઞાન ચાલીસા દ્વારા થઇ. આ પ્રસંગે ધ કરમાડ સાર્વજનિક હાઇસ્કૂલના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડી ઉસ્માનભાઈ પટેલ રચિત “પરમ ની પરબ, વિજ્ઞાનમય કાવ્યસરિતા” અને સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન, ભરૂચના બી.એડ. ના તાલીમાર્થીઓ દ્વારા સંકલન કરવામાં આવેલ પુસ્તક “અવકાશની સફરે” નું વિમોચન કરવામાં આવ્યું.

સાયન્સ કાર્નિવલમાં વિવિધ સ્પર્ધા જેવી કે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન, ટીએલએમ પ્રદર્શન, જાતે પ્રયોગ કરો સ્પર્ધા, ઓરીગામી વર્કશોપ, સાયન્સ મોડેલ મેકિંગ વર્કશોપ, ચિત્ર સ્પર્ધા, ppt પ્રેઝન્ટેસન સ્પર્ધા વિગેરે મુખ્ય હતા. આ પ્રસંગે ચિત્ર શિક્ષક મહેશભાઇ દ્વારા તૈયાર કરેલ ecosystem આધારિત ચિત્રપ્રદર્શન હતું અને સેલ્ફીઝોન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા.

કાર્નિવલમાં પોપ્યુલર લેકચર સીરિઝ અંતર્ગત UPL university ના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ લોખંડવાલાએ  વ્યાખ્યાન આપી વિજ્ઞાનના વિવિધ પાસાઓની સફર કરાવી હતી.

સમગ્ર કાર્યક્ર્મ માટે માર્ગદર્શન અને પ્રેત્સાહન ચેરમેન કિર્તિબેન જોશીએ પૂરા પાડ્યા હતા. સંચાલન અને આયોજન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો- ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ અને NCSC કો- ઓર્ડિનેટર ડો. નિલેષ ઉપાધ્યાયએ કર્યું હતું.

error: Content is protected !!