ભરૂચના સાંસદ મનસુખ વસાવાના કરજણ વિવાદને લઈ તેના મિત્ર મંડળ સમર્થનમાં આવ્યાં છે. મિત્ર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

કરજણનાં માલોદ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા માછી પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. જે અંગેની જાણ ભરુચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને થતાં તેઓ તાત્કાલિક કરજણના ધારાસભ્ય સાથે માલોદ અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ હાજર અધિકારીના વર્તનને લઈ મામલતદાર અને સર્કલ ઓફિસ સહિતના અધિકારીઓનો તીખી ભાષામાં ઉગડો લીધો હતો.

આ બાદ અધિકારીઓએ સાંસદના વર્તનના વિરોધમાં આવેદન પત્ર પાઠવી તેઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી, ત્યારે ઝઘડીયા તાલુકા ભાજપ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આગળ આવ્યું છે. જે બાદ આજરોજ ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મનસુખ વસાવાના મિત્ર મંડળે એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર સાંસદના તીખા શબ્દો નહીં પરંતુ ભાવાર્થ સમજવો જોઈએ ચૂંટાયેલા સભ્યો કડક કાયદા ઘડે પરંતુ તેનો અમલ અધિકારી, કર્મચારીઓએ કરવાનો હોય છે તેઓ ગંભીરતાથી ફરજ ન બજાવે તો આવી સમસ્યા ઉદભવતી હોવાના આક્ષેપ કર્યા છે અને સાંસદના શબ્દો પકડી રાખી વાતને આડે પાટે ચઢાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here