The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 117

ભરૂચમાં દાંડીયાબજાર અને બરકતવાડથી દારૂના જથ્થા સાથે ૩ ઝડપાયા

ભરૂચ પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરના દાંડિયાબજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાં રહેતો બુટલેગર અભિષેક ભરત કહાર દાંડિયાબજાર શાક માર્કેટના પાછળના ભાગે ખાંચામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 188 નંગ બોટલ મળી કુલ 25 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, બે ઈસમ મોપેડ પર વિદેશી દારૂ લઇ ફુરજાથી બરકતવાડ તરફ જવાના છે જેવી બાતમીના આધારે પોલીસે બરકતવાડ પીપરી ગલી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળા શખ્સો આવતા પોલીસે તેઓને અટકાવી તપાસ કરતા તેઓ પાસેથી વિદેશી દારૂની 38 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 18 હજારનો દારૂ અને 50 હજારની મોપેડ તેમજ ફોન મળી કુલ 70 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ફુરજા રોડ નાળેયેરી બજારમાં રહેતો બુટલેગર મોહંમદ સિદ્દીક ગુલામ કસમ શેખ અને મોહંમદ સાહિલ ગુલામ અહેમદ પટેલ શેખને ઝડપી પાડ્યો હતો.

ભરૂચ જિલ્લામાં રંગેચંગે કરાઈ ઈદની ઉજવણી

  • ઇદગાહમાં ઇદની નમાજ અદા કર્યા બાદ એકમેકને ભેટી શુભેચ્છા પાઠવતા મુસ્લિમ બિરાદરો

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્રની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાનનાં પવિત્ર ૩૦ દિવસોનાં રોજા બાદ ચાંદ દેખાતા સોમવારે ઈદ ઉજવવામાં આવી હતી. ભરૂચ, અંકલેશ્વર સહિ‌ત અન્ય તાલુકાઓમાં આવેલી મસ્જિદોમાં સવારે ઈદની નમાજ અદા કરી તમામ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ભેટી ઈદની તમામ મુબારક બાદી આપી હતી.

પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખી ખુદાની બંદગી અને ઈબાદત કરી હતી તેમજ ગત રોજ રમજાન ઇદ નો ચાંદ જોયા બાદ આજ રોજ ભરૂચ ના ઇદ ગાહ મેદાન ખાતે ઇદ ઉલ ફિત્ર ની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી અને દેશ માં ભાઈ ચારા સાથે અમન અને શાંતી બની રહે તે માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.ભરૂચ ના કાળીતલાવડી વિસ્તાર માં આવેલ ઇદ ગાહ મેદાન માં સવારે મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજ ના લોકોએ ભેગા થઇ ઈદ ની નમાજ અદા કરી એક બીજાને હર્ષોઉલાશ સાથે ખુશીના પર્વ ઇદ ની શુભકામનાઓ પાઠવી હતી.તો અંકલેશ્વર અંબોલી રોડ પર આવેલી ઈદ ગાહ માં મુસ્લિમ બિરાદરો એ મોટી સખ્યામાં માં ઉપસ્થિત રહી ખુબજ શાંતિ પૂર્વક રીતે ઈદ ની નમાઝ અદા કરી હતી.

આજે અખાત્રીજ : વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે.

આજે મંગળવારે બેવડું વળતર આપતી અનોખી અખાત્રીજ છે. નાના મોટો બિઝનેસ સાથે સંકળાયેલા લોકો નવા કામ માટે સારા મૂહર્તની રાહ જોતા હોય છે. પોઝિટીવ મૂહર્તમાં શરૂ કરેલા કામ વધુ પ્રોફિટ ખેંચી લાવતા હોય છે. એટલેજ આજની અખાત્રીજ (અક્ષય તૃતીયા) નો ઉપયોગ કરવાની જરૂર છે. આ એવો દિવસ છે કે જેમાં આખો દિવસ સારૂં મૂહર્ત વાળો હોય છે. અખાત્રીજના આખો દિવસે લગ્નના મૂહર્ત હોય છે.અખાત્રીજના દિવસને માર્કેટીંગ કરનારાઓેએ સોનાની ખરીદી સાથે જોડી દીધો છે. અખાત્રીજના ધાર્મિક મહત્વ પર નજર કરીયેતો તેમાં ક્યાંય સોનાની ખરીદી નથી આવતી આખો દિવસ શુભ હોવાથી નવા ઉધ્યોગ સાહસો, નવા બિઝનેસ, લગ્નો, નવા રોકાણો, વાહન ખરીદી, સોનાની ખરીદી વગેરે માટે અખાત્રીજ શુભ ગણાય છે.

એક તરફ કાળઝાળ મોંઘવારી છે તો બીજી તરફ અખાત્રીજે નાનું મોટું રોકાણ કરવાની સલાહ અપાતી આવી છે. મોંઘવારીનું બહાનું આગળ ઘરીને સોનું કે અન્ય કોઇ જણસ ખરીદવાનું માંડી વાળતા હોય તો ફરી વિચાર કરજો કેમકે અખાત્રીજે ખરીદેલી વસ્તુની કિંમત બેવડાય છે.નવો ઉદ્યોગ સાહસ કરવાનું વિચારનારાઓ કે નવી જમીન ખરીદવાનું ઇચ્છનારાઓએ પણ આજે મંગળવારની અખાત્રીજનો ઉપયોગ કરવો જોઇએ.

ચૈત્ર વદ અમાસના ત્રીજા દિવસે આવતી એટલેકે વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. તેનું જેટલું ઘાર્મિક મહત્વ છે એટલુંજ તે બિઝનેસ ક્ષેત્રે પણ મહત્વનું છે.અક્ષયનો અર્થ એ થાય છે કે ક્યારેય નહીં ખૂટનારૂં.ભારતના લોકોને સોનું ખરીદવાનો ક્રેઝ જોવા મળે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રિપોર્ટ કહે છે કે ભારતમા સોનાની ખરીદીમાં ઓટ આવી છે.ભારતમાં ઘરેલું સોનાનો આંક ગણી શકાય એમ નથી. તેમ છતાં દરેક ઘરમાં સોનું ખરીદાય છે અને સચવાય છે. આપણે ત્યાં તેને સંકટ સમયની સાંકળ કહે છે. આજે પણ મધ્યમ વર્ગના ઘરોમાં સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે સોનું વેચીને ફી ભરવામાં આવે છે.

વર્તમાન મોંઘવારીમાં મધ્યમ વર્ગને સોનું ખરીદવું પરવડે એમ નથી પરંતુ દેશના ૨૦ ટકા લોકોના કારણે અખાત્રીજના દિવસે સોનાની ધૂમ ખરીદી થાય છે. ફરી અહીં લખવું પડે છે કે અખાત્રીજ જેવા પવિત્ર દિવસ અને સોનાની ખરીદીને કોઇ નિસ્બત નથી. પૌરાણીક શાસ્ત્રો અનુસાર ભગવાન મહાદેવે દેવી અખાત્રીજના દિવસે દેવતાઓના ઝર ઝવેરાત સાચવવા ભગવાન કુબેરને ટ્રેઝરર (ખજાનચી) તરીકે નિમ્યા હતા.આ એ દિવસ છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો બાળપણનો મિત્ર સુદામા વર્ષો પછી ભાગવાનને મળવા ગયા ત્યારે સાથે પોટલીમાં ચોખા લઇને ગયા હતા. આ એ દિવસ છે કે તે દિવસે આપેલા દાનનું પણ બેવડું પૂણ્ય મળતું હોય છે.

How do an Online Package Room Meant for Investors Assist you to?

Before deciding to utilize an internet data space, it’s important to understand what a deal place entails. This kind of document database should be a place where the company can share details with buyers. This type of data room can be handy during different stages from the offer process, such as financing method. Listed below are a number of the advantages of this sort of data area. The data space should be convenient to use, and it should be structured so that it is user-friendly for investors to find their way. Investors benefit their some should be safeguarded by a data room that gives read-only get. Moreover, it must be possible to separate access rights for different traders. This will associated with process more personal, and the investor may prepare for an investment opportunity depending on these settings.

The data space must also be accessible to all or any participants. In the early stages of the growth capital raising process, buyers should have usage of non-confidential information. Investors are able to track the actions of other users in the virtual info room and sign every necessary agreements. In the end, the achievements of the job will depend on the quality of the paperwork presented to the investors. You have to ensure that the investor https://myonlinedataroom.org/ data place contains facts that’s just enough to spark interest, although not so much that this overwhelms the complete room.

A web data bedroom can help collection companies write about monthly records and showcase their capabilities. Moreover, that enables shareholders to quickly search for relevant information and bulk download documents. Additionally, it helps in speeding up the deal method. A virtual data bedroom will also help investors show info and make faster decisions. So , how does an online offer room with regards to investors support you? These are just some of the reasons why an internet deal space is an important part of virtually any deal.

Mother board Meeting Preparing Made Easy

Keeping track of panel meeting facts can be challenging, especially if you serve on a lot of committees. The easiest method to get our attention should be to distribute the meeting information via various channels. Email and a digital calendar are excellent tools for this. You can also make a note of the details of all your meetings on a digital calendar. They are just a few of the tips to help you schedule a mother board meeting. Listed here are some of the most vital factors to consider when planning a board get together.

Boardable’s or so minutes maker characteristic makes distributing minutes very simple. You can email the minutes and save these people in the Doc Center. The Boardable system offers in depth security procedures, which look after the a few minutes you make. Boardable also provides a Task Manager, which enables you to designate tasks to board associates and observe deadlines. If you happen to be the board chair, you will need to make sure that each movie director has a replicate of the short minutes.

Make sure to keep an electronic collection of earlier meeting https://boardroom-online.blog/govenda-by-boardbookit-and-alternatives-comparison materials. Board members can use it to avoid wasting time and effort keeping meeting elements organized by type and date. Additionally , it’s effortless for plank members to maintain materials electronically, eliminating the necessity to print or attach these to emails. Plank meeting planning can become a far more seamless and efficient method with the right equipment. Just observe these tips to make it easier for all affiliates to attend the meeting. So , remember to stay organized and have a prosperous meeting!

પાલેજનાં પ્રોહીબીશનના ગુન્હામાં પોલીસ ધરપકડથી દુર બે મહિલા આરોપી ઝડપાઇ

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ . લીના પાટીલ નાઓની સુચના અનુસંધાને જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા માટે પો.સ.ઇ. ડી.આર.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો પાલેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

દરમ્યાન બાતમી આધારે પાલેજ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં પોલીસ ધરપકડથી દુર મહિલા આરોપી બહેન (૧) મીનાબેન ઉર્ફે મીકા મહેશભાઇ બેચરભાઇ માછી તથા (૨) શાંતાબેન અશોકભાઇ બેચરભાઇ માછી બન્ને રહે . પાલેજ, ડુંગરીપાળ, તા.જી.ભરૂચને આજરોજ તા .૦૨ / ૦૫ / ૨૦૨૨ નારોજ પાલેજ ખાતે તેઓના ઘરેથી હસ્તગત કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી કરવા પાલેજ પોલીસ મથકે સુપ્રત કરવામાં આવેલ છે.

 

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી પાસે ઇકોની ટક્કરે બાઇક ચાલકનું મોત

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી. જેમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.

મૂળ મહારાષ્ટ્રના અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલી વ્રજવીલા સોસાયટીમાં રહેતા 28 વર્ષિય સમાધાન અજાબરાવ પાટીલ ગઈકાલે રવિવારે સવારના અરસામાં પોતાની મોટરસાઇકલ નંબર-જી.જે.16.એ.બી.9684 લઈ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામના માતંગી પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલી ઇકો કાર નંબર-જી.જે.16.સી.એન.7697ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં સમાધાન પાટીલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 સેવાની મદદથી અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ, મૃતદેહો થયા ડિકમ્પોઝ

ગરીબ, લાવરીસ લોકોને જીવતે જીવ તો સન્માન મળતું નથી પણ તેમના મૃત્યુ બાદ તેમના મૃતદેહને સન્માનજનક સાચવવામાં પણ ભરૂચ સિવિલ હોસ્પિટલનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેવી માનવતા માટે વિચારતા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાત છે સિવિલ હોસ્પિટલના છેલ્લા કેટલાક દિવસથી બંધ કોલ્ડસ્ટોરેજની. જેના કારણે 3 દિવસથી રહેલા 5 મૃતદેહો ડિકમ્પોઝ થઈ ગયા છે.

વડોદરાની સંસ્થાને ભરૂચ જિલ્લાની સિવિલ હોસ્પિટલના સુશાસન અને વિકાસની કમાન સોપાઈ હતી. ખાનગી સંસ્થાને જિલ્લાની ગરીબો અને મધ્યમ વર્ગ માટે સંજીવની એવી હોસ્પિટલનું સુકાન આપી વધુ અદ્યતન તબીબી સેવાઓ અને સુવિધાઓ મળી રહેવાની સરકારે પણ વાત કરી હતી.જોકે આ વાત આજે જાણે પોકળ સાબિત થઈ હોય તેમ 44 ડીગ્રી ગરમીમાં કેટલાક દિવસથી બંધ કોલ્ડસ્ટોરેજના સામે આવેલા દ્રશ્યોને જોઈ ફલિત થઈ રહ્યું છે. જ્યાં મોતનો મલાજો પણ ન જળવાતો હોવાની બુમો ઉઠવા પામી છે.આ બંધ કોલ્ડ સ્ટોરેજ સામે સિવિલ સત્તાધીશો કે સ્ટાફનું ધ્યાન જ ગયું ન હતું. જેને લઈ 5 મૃતદેહ ડીકમ્પોઝ થઇ ગયા હોવાનો એક એનજીઓએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ મામલે ઉહાપોહ મચતાં સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટમાં દોડધામ થઈ ગઈ છે. મૃતદેહ ઓળખી પણ ન શકાય તે હદે ડીકમ્પોઝ થયા છે.

ભરૂચમાં બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની સેવાની કામગીરી સાથે સંકળાયેલા ધર્મેશ સોલંકીએ હોસ્પિટલ મેનેજમેંટ ઉપર લાપરવાહીના આક્ષેપ કર્યા છે. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ગોપિકા મેખીયાએ વહેલી તકે સમસ્યા હલ કરવા આદેશ કરાયા હોવાનું કહ્યું છે.ભરૂચમાં બિનવારસી મૃતદેહોની અંતિમક્રિયાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સોમવારે બપોરના સુમારે તેઓ સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહોને અંતિમક્રિયા માટે લઈ જવા કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા ત્યારે રેફ્રિજરેશન બંધ હતું. હાલની કાળઝાળ ગરમીમાં 44 ડિગ્રી તાપ વચ્ચે મૃતદેહોને જાળવવા ખુબ નીચા તાપમાનની જરૂર રહેતી હોય છે.

5 મૃતદેહ બંધ પેટીમાં રેફ્રિજરેશન વગર પડી રહેતા ડીકમ્પોઝ થઇ ગયા છે. આ અંગે જિલ્લાના લોકપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને તસવીરો સાથે વાકેફ કરી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.આ મામલો ઉચ્ચકક્ષા સુધી પહોંચતા હોસ્પિટલ સૂત્રો પાસે જવાબ મંગાવાની શરૂઆત થઇ હતી. તાત્કાલિક હોસ્પિટલે પોતાના ટેક્નિકલ સ્ટાફ અને વીજ કંપનીના કર્મચારીઓને કોલ્ડ સ્ટોરેજ તરફ રવાના કર્યા હતા. બે ટુકડીઓએ ભેગા મળી કોલ્ડ સ્ટોરેજના સમારકામ માટે કામગીરી શરૂ કરી હતી. જોકે કોલ્ડ સ્ટોરેજ ક્યારે કાર્યરત થશે તેનો ચોક્કસ સમય અપાયો નથી.

બાળકમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા શ્રવણ વિદ્યાધામમાં યોજાયો સમર કેમ્પ

ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ માં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળ મંદિર થી ધોરણ 8 સુધી ના વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો.

આ સમર કેમ્પમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ અને વિવિધ દેશી રમતો જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદોલ્લાસપૂર્વક  મજા માણી. આ સમર કેમ્પનું આયોજન કરવાનો મૂળ હેતુ બાળકમાં રહેલી આંતરિક શક્તિ બહાર આવે, તેનામાં રહેલી કલાનો વિકાસ થાય. વિદ્યાર્થી માં સમૂહ ભાવના, એકસૂત્રતા ,ભાઈચારાની ભાવના  ,ખેલદિલી, એકબીજાને મદદરૂપ થવું વગેરે જેવા ગુણોનો વિકાસ થાય અને વિદ્યાર્થી પ્રવૃત્તિ દ્વારા નવું નવું શીખે તેનો   ઉપયોગ પોતાના જીવન વ્યવહારમાં કરતા શીખે.

સમર કેમ્પ ના છેલ્લા દિવસે std 3 to  8ના  વિદ્યાર્થીઓએ ગુજરાતી મુવી ‘ગજબ થઇ ગયો’ ની મજા shilpi થિયેટરમાં  માણી તેમજ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા.

 

ભરૂચ જિલ્લામાં સામાજિક ક્ષેત્રે સેવાનું ભગીરથ કાર્ય કરનારનું કરાયું સન્માન

જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ગતરોજ ભરૂચ ના પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયો હતો.

જેમાં કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા ના પ્રભારી અને ગુજરાત રાજ્ય ના માર્ગ અને મકાન મંત્રી પૂરણેશ મોદી દ્વારા સામાજિક ક્ષેત્રે ભગીરથ કાર્ય કરતા ધર્મેશ સોલંકીનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવા સાથે સમાજ્પયોગી સેવા કાર્યમાં હરહંમેશ જોડાયેલા રહે તેવી શુભકામનાઓ આપી હતી.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ના પ્રભારી, અને ગુજરાત રાજ્ય ના માર્ગ અને મકાન સિભાગ ના મંત્રી પૂરણેશ મોદી,ભરૂચ લોકસભા ના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ ના વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ નગરપાલિકા ના પ્રમુખ અમિત ચાવડા,ભરૂચ ડી.એસ.પી.ડો.લીના પાટીલ, તેમજ મોટી સંખ્યામાં પદાધિકારીઓ,તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરતો, ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

error: Content is protected !!