The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 118

ગુજરાતમાં પ્રથમ સુરતમાં રજૂ થઈ પાયરોગ્રાફી કહેવાતી કળા

  • કાષ્ઠ પર અગ્નિથી અદ્દભુત ચિત્રકારી કરતા રવિ રાદડિયા

નાનપણથી જ જીવનમાં કંઈક વિશેષ કરવાની તમન્ના ધરાવતા શિક્ષક એવા રવિ રાદડિયાએ વેસ્ટ લાકડાની પ્લાયને બાળી પાયરોગ્રાફી આર્ટ કળા શીખીને અનેક ચિત્રો બનાવીને આત્મનિર્ભર બન્યા છે. સરસાણા ખાતે આયોજીત ત્રિ-દિવસીય પાટીદાર ગ્લોબલ સમીટમાં પાયરોગ્રાફી આર્ટ કલાથી બનેલા ચિત્રોનું પ્રદર્શન સહ વેચાણ માટે આવેલા શહેરના રવિ રાદડિયાએ કલા વિશે વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, મને નાનપણથી જ આર્ટ કલામાં રૂચિ હતી. એક વાર પાયરોગ્રાફી આર્ટની બનાવતાનો વિડિયો યુટ્યુબ પર જોયા અને તે બનાવવાની શરૂઆત કરી. જેમાં સફળતા મળતા શિક્ષકની નોકરી છોડી આર્ટ-કલાને જ પોતાનો બિઝનેશ બનાવી આત્મનિર્ભર બન્યો છું. આજે મને દિલ્હી મુંબઈ તેમજ વિદેશોમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે. કલાના માધ્યમથી દર મહિને રૂ.૩૫ હજારની કમાણી કરી રહ્યો છું.

રવિ રાદડિયાએ વધુ માં કહ્યું કે, “હું નાનપણથી જ આર્ટના વિષયમાં રસ ધરાવતો હતો. પરંતુ સમયની સાથે બી.એસ.સી સુધીનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ શાળા શિક્ષક તરીકે નોકરીની સાથે પેઈન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક દિવસ મને પાયરોગ્રાફી આર્ટથી ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો જેથી મેં યુટ્યબના પર વિડિયો જોયો જેમાં લાકડાને બર્નિંગ કરીને આર્ટ બનાવવામાં આવતા હતા. આ આર્ટકલા ભારત માટે એકદમ નવી હતી. એટલે વિડિઓ જોઈને અલગ અલગ પ્રયોગ કરીને આ પ્રકારનુ આર્ટ શીખવાનું શરૂ કર્યું. ત્યારબાદ પાયરોગ્રાફી આર્ટના અભ્યાસની તપાસ કરી તો ભારતમાં કોઈ પણ કેન્દ્ર ન હતું. જેથી જાત મહેનત અને પ્રયોગો કરી પાયરોગ્રાફી શીખ્યો છું. જેથી શિક્ષકની નોકરી છોડી હવે આ ક્ષેત્રે આર્ટ બિઝનેશને આગળ વધારી રહ્યો છું. પાયરોગ્રાફી આર્ટ પર કામ કરતા મને બે વર્ષ જેવો સમય વિતિ ગયો છે. આખરે મહેનત રંગ લાવી પાયરોગ્રાફી આર્ટની કલાથી હું પોતે આત્મનિર્ભર બન્યો છું.

વધુમાં તેમણે કહ્યું કે, પાયરોગ્રાફી આર્ટ એટલે કે લાકડાની નેચરલ પ્લાય ઉપર રેણીયા અને લાઈટર વડે લાકડાને બાળીને કરવામાં આવતુ આર્ટ. આ કલામાં કોઈ પણ પ્રકારના કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્રને માત્ર લાકડાની પ્લાયને બાળીને ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે.

  • પાયરોગ્રાફી શું છે?

અગાઉ પ્રાચીન ઈજિપ્તવાસીઓ અને આફ્રિકન આદિજાતિ સમુદાયોમાં આ કલા લોકપ્રિય હતી. જેમાં લાકડાને સળગાવીને ફ્રીહેન્ડથી સુશોભન કલાના રૂપમાં ઉપયોગ થાય છે. હોટ ટાઈપિંગ (પાયરોટાઈપ), ઘર્ષણ, એસિડ અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પાયરોગ્રાફી કરવામાં આવે છે.

રાજયકક્ષાએ સુરતનું ગૌરવ વધારતી દિવ્યાંગ દીકરી અન્વી

  • સુરતની રબર ગર્લ અન્વી ઝાંઝરૂકીયાની ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ માટે પસંદગી
  • ૧લી મે- ગુજરાત સ્થાપના દિને પાટણ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત થશે

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવવા સર્વોચ્ય નાગરિક પુરસ્કાર  “ગુજરાત ગરિમા એવોર્ડ” માટે સુરતની રબર ગર્લ તરીકે પ્રખ્યાત અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની પસંદગી કરવામાં આવી છે. તા.૧લી મે- ગુજરાત સ્થાપના દિનની પાટણ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી  અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ એવોર્ડ અન્વીને એનાયત કરવામાં આવશે.

નોંધનીય છે કે, રબર ગર્લ દિવ્યાંગ એવી અન્વી શારીરિક સમસ્યાઓ અને મર્યાદાઓ હોવા છતા યોગક્ષેત્રે રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ગોલ્ડ મેડલો પ્રાપ્ત કર્યા છે. તેને ત્રીજી ડિસેમ્બર-૨૦૨૧ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા, ૨૪મી જાન્યુઆરી-૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તથા ૨૬મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. જેમા વધુ એક એવોર્ડ મેળવીને સુરતનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.

સરભાણ તળાવમાં તથા ગૌચરની જમીનમાં થયેલ માટી ખનન મુદ્દે ફોજદારી ફરીયાદ કરવા ટી.ડી.ઓને હૂકમ

આમોદ તાલુકાના સરભાણનાં સર્વે નંબર -૮ તળાવ તથા સર્વે નંબર -૮૩૭ તળાવમાં તથા ગૌચરની જમીનમાં થયેલ માટી ખનન બાબતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને કસુરવારો સામે ફોજદારી પોલીસ ફરીયાદ કરી નકલ આપવા તાકીદ કરી છે.

આમોદ તાલુકાના સરભાણ ગામે ગામતળાવ, તલાવડી તથા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું. જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. જેના અનુસંધાને ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તપાસ ટીમની રચના કરવામાં આવતા સરભાણ ગામે સ્થળ તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ રજૂ કર્યો હતો.

આમોદનાં જ બીજા એક ગામ વાંતરસામાં પણ આવું જ માટી કૌભાંડ આચરાયું હતું. જેની પણ આ ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ રજૂ કરાતા આખરે જિલ્લા વિકાસ અધિકારીએ આ કામમાં કસુરવાર હોય તેવા લોકો સામે ફોજદારી ગુનો નોંધાવવા આદેશ કર્યા છે. જેથી માટીચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

પ્રથમ ઘટનામાં સરભાણ ગામે તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનની માટી વધુ પડતી ખોદીને એજન્સીઓને આપી દેવાતા માટી ચોરોએ ગામ તળાવને નર્કાગાર બનાવી દીધું હતું.તેમજ જમીન ઉપરના લીલાછમ વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. તો વાંતરસા ગામે આજ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમે નોંધ્યું હતું. ટીમના રિપોર્ટના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યા છે.

વાતરસાના તત્કાલિન તલાટીને સસ્પેન્ડ કરાયા
વાતરસા ગામે થયેલા માટી કૌભાંડ મામલે તપાસ થતાં અધિકારીઓની ટીમે તે અંગેનો રિપોર્ટ ઉચ્ચકક્ષાએ કર્યો હતો. જેના આધારે તત્કાલિન તલાટી વિનોદ સોલંકીને સસ્પેન્ડ કરી નેત્રંગ ખાતે મૂકવામાં આવ્યા છે. જોકે આ મામલે હાલમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

સરભાણના તત્કાલિન તલાટીએ વહીવટી તંત્રને ગેરમાર્ગે દોર્યું હતું
સરભાણમાં ગૌચરની જમીનમાં થયેલા માટી ખોદકામ અંગે ગામના જ નાગરિકે અરજી કરી હતી. જેના અનુસંધાને ગામના તત્કાલીન તલાટીને જ તપાસનો આદેશ થતાં માટીચોરોના મિલીભગતમાં સંડોવાયેલા તત્કાલીન તલાટી ગૌચરની જમીનને કાંસ બતાવી દઈ વહીવટી તંત્રને પણ ગેરમાર્ગે દોર્યું હતું. તેની જિલ્લાકક્ષાએથી સ્થળ તપાસ માટે નાયબ જીલ્લા વિકાસ અધિકારી અશોક ડાંગીની ટીમે તપાસ કરતાં તત્કાલીન તલાટીની તંત્રને ગેરમાર્ગે દોરવાની હરકત સામે આવી હતી.

* સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

સુરત સરસાણા ખાતે ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૨નો પ્રારંભ

સુરતના સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે તા.૨૯ એપ્રિલથી ૧ મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય SRK ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમિટ અને એક્ઝિબિશનનો  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં પાટીદાર ઉદ્યોગકારોને ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણ કરીને ગ્રામ્ય અર્થકારણને ધબકતું રાખવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, સંપત્તિવાન જરૂર બનવું જોઈએ, પણ ગામડા અને ખેતીને ક્યારેય ન ભૂલવા. કારણ કે ગ્રામીણ અને કૃષિસંસ્કૃતિ આપણી જડ છે. એગ્રોબેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ, પ્રાકૃતિક ખેતી અને ફૂડ પ્રોસેસિંગમાં અપાર સંભાવનાઓ રહેલી છે. યુવાધન આ તકો ઝડપીને ગ્રામ્ય પ્રગતિમાં ભાગીદાર બને એવી અપીલ પણ તેમણે કરી હતી. તેમણે સરદાર સાહેબનું સ્મરણ કરતાં જણાવ્યું કે, દેશને આઝાદી મળી ત્યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી.

આપણે ફક્ત આપણા દિમાગ અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવર બનાવવા સંકલ્પબદ્ધ બનવાનો અનુરોધ કરતાં વડાપ્રધાને ઉમેર્યું કે, આઝાદીના અમૃત્તકાળ સૌના સાથ અને વિકાસની સાથે સૌના પ્રયાસની ભાવનાથી દેશને પ્રગતિના માર્ગે ગતિમાન કર્યો છે. કોરોનાકાળમાં અનેક પડકારો અને સંઘર્ષ છતાં દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપભેર વિકાસ કરી રહ્યું છે. સરકારે કરોડો રૂપિયાની આર્થિક સહાય કરીને MSME ક્ષેત્ર સહિતની લાખો નોકરીઓ બચાવી હતી અને ફળસ્વરૂપે આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે.

વડાપ્રધાને પાટીદાર ગ્લોબલ સમીટના આયોજનને વધાવતાં કહ્યું કે, રોજગાર, વ્યાપારવૃદ્ધિ અને નવા બિઝનેસની તકો આપતા સરદારધામની ‘સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણ’ની ભાવના સરાહનીય છે. છેલ્લાં ૮ વર્ષમાં સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે, હકારાત્મક નીતિઓ અને પગલાઓ દ્વારા દેશના સામાન્ય પરિવારના યુવાનો પણ ઉદ્યોગસાહસિક બને અને ઊંચા સપના જુએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશ દ્વારા સમિટની સફળતાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પાટીદાર ગુજરાતની ખમીરવંતી અને મહેનતકશ પ્રજા છે. સ્વબળે સંઘર્ષ કરીને સમગ્ર વિશ્વમાં પાટીદારોએ પાણી બતાવ્યું છે. સરદાર સાહેબના જીવનના ઊચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ સરદારધામે સમાજસેવા, શિક્ષણસેવાના અનેકવિધ આયામોથી સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણની ભાવના મજબૂત બનાવી છે.

સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સુરત એ ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્ષટાઈલ્સ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે, ત્યારે મિશન ૨૦૨૬ હેઠળ રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે. આગામી ૨૦૨૪માં રાજકોટ અને ૨૦૨૬માં યુ.એસ.એ.માં બિઝનેસ સમિટ યોજવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

આ વેળાએ સરદાર પટેલ ઈન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન ડિજિટલ પ્લેટફોર્મનું લોન્ચિંગ કરાયું હતું. મહાનુભાવોના હસ્તે ‘સરદારધામ સમાજરત્નો’ કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું હતું.આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ ગ્રુપના ચેરમેન અને સમિટના મુખ્ય સ્પોન્સરશ્રી ગોવિંદભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ-સુરતના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, પાટીદાર અગ્રણી મનહરભાઈ સાસપરા, ઉદ્યોગજગતના અગ્રણીઓ, બિઝનેસમેનો તેમજ દેશવિદેશમાંથી ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં બાઇક ચોરી કરતી ટોળકીના બે ઇસમ ૮ બાઇક સાથે ઝડપાયા

નર્મદાના જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના અનડેટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા આવા ગુનેગારોને ઝડપી મુદ્દામાલ રીકવર કરવાની સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેકટર , એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો જીલ્લાની અનડીટેક્ટ ચોરીઓ ડીટેક્ટ કરવા ખાનગી બાતમીદારો તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસમાં હતા.

દરમ્યાન રાજપીપલા પોલીસ મથકના ગુનાના કામે ગોપાલપુરા ચોકડી પાસે નાકાબંધી દરમ્યાન મધ્ય પ્રદેશ રાજયના કેલસીંગ ઉમાનભાઇ અનારે ઉ.વ. ૨૦ તથા સંજયભાઇ બાયસીંગભાઇ અનારે ઉ.વ .૧૯ બન્નેવ રહે . ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશનાઓને રાજપીપલા વડીયા ગામ ખાતેથી ચોરી કરેલ હોંડા સાઇન બાઇકસાથે ઝડપી પાડવામાં આવેલ .

પોલીસે તેમની વધૂ પુછપરછ કરતા છેલ્લા ઘણા સમયથી તેમની સાથે (૧) સુરૂભાઇ બાયસીંગ અનારે રહે . ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ (ર) ફુલસીંગ લક્ષ્મણભાઇ અનારે રહે . ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક રહે . ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશનાઓ સાથે ભેગા મળી ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓ જેમાં દાહોદ વડોદરા જીલ્લા ભરૂચ, સુરત નર્મદા વિગેરે જીલ્લાઓમાંથી બાઇકચોરી કરેલ હોવાની હકીકત જણાવતા પોલીસે આ જીલ્લાઓમાંથી ચોરી થયેલ બાઇકઢેલવાણી ગામેથી એલ.સી.બી. ની ટીમ કોમ્બીંગ કરી કબજે કરવામાં આવેલ છે .

ઝઘડીયામાં બીજા માળના ધાબા પરથી નીચે પડતા શ્રમજીવીનું મોત

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે એક નવા બની રહેલ કોમ્પ્લેક્સના બીજા માળના ધાબા પરથી નીચે પટકાયેલ શ્રમજીવીનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ઝઘડીયાના વાલિયા રોડ પર રાધે એન્કલેવ નામના કોમ્પ્લેક્સનુ હાલ બાંધકામ ચાલુ છે. આ કોમ્પ્લેક્સના બાંધકામમાં કામ કરતા શ્રમજીવી મજુરો પૈકી કેટલાક કોમ્પલેક્સના ધાબા પર સુઇ રહેતા હતા.

દરમિયાન મુળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો ટીમકભાઇ ગલિયાભાઇ કટારા નામનો ૩૨ વર્ષીય ઇસમ રાતના કોમ્પ્લેક્સના બીજા માળના ધાબા પર સુતો હતો. આ ઇસમ રાતના લધુશંકા કરવા જઇ રહ્યો હતો. તે દરમિયાન ધાબા ઉપરથી નીચે પટકાતા તેને કપાળ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ શ્રમજીવી ઇસમને નાકમાંથી તેમજ કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ધાબા પરથી નીચે પડી જવાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ટીમકભાઇ કટારાને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળેજ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે કોમ્પ્લેક્ષના બાંધકામમાં કામ કરનાર અન્ય ઇસમ  દિનેશભાઇ મગનભાઇ ખાડિયા મુળ રહે.ગેરયાભાત્રા,જિ.બાંસવાડા, રાજસ્થાનનાએ ઝઘડીયા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

અંકલેશ્વર ખુલ્લા મેદાન અને વાડીમાં ચાલતો બાયોડિઝલ પંપ ઝડપાયો

  • બેની ધરપકડ, કુલ રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત

અંક્લેશ્વર હાઇવે ઉપર ઓસ્કાર હોટલ પાછળ આવેલા ખુલ્લા મેદાન અને વાડીમાં ચાલતા ગેરકાયદેસર બાયોડિઝલના વેપલાને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. બે આરોપીઓની ધરપકડ સાથે બાયોડિઝલ મળી કુલ રૂપિયા 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ભરૂચ એલસીબીની ટીમ ગુરૂવારે અંક્લેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હાઇવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં બાયોડિઝલનો વેપલો ચાલતો હોવાની બાતમી મળી હતી. એલ.સી.બી ટીમ દ્વારા મામલતદાર અને એફ.એસ.એલ અધિકારીને સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી. ઓસ્કાર હોટલના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં એક છોટા હાથી ટેમ્પામાં મોટી ટાંકીમાં તથા વાડીમાં મૂકેલા બેરલોમાં સંગ્રહ કરવામાં આવેલો 2800 લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ વાહનોમાં ઇંધણ તરીકે ભરી આપવા મૂકેલો ફ્યુલ પંપ પણ મળી આવ્યો હતો.

એલ.સી.બી. એ રૂ. 2.33 લાખનું બાયો ડીઝલ, રૂ. 35 હજારનું ડિઝલ ડિસ્પેનશર મશીન, રૂ. 10 હજારની ઈલેક્ટ્રીક મોટર તથા રૂ. 47 હજારના 3 મોબાઈલ તથા છોટા હાથી ટેમ્પો મળી કુલ રૂપિયા 4.25 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર વેપલો ધરાવતા નરેશ મનસુખભાઇ કાથોટીયા અને વિપુલ ભાણજીભાઇ ખાનપરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નેત્રંગના કંબોડિયા ગામે ટ્રક અકસ્માત, ડ્રાઇવરને કેબિનને કાપી કરાયો રેશક્યુ

નેત્રંગથી ઝંખવવા રોડ ઉપર દાદરાનગર હવેલી તરફથી બોડેલી રેતી ભરવા જતી ટ્રકને અકસ્માત નડ્યો હતો.જેમાં સ્થાનિક રહીશોની મદદથી ટ્રકના કેબિનનું પતરૂ કાપી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને રેસક્યું ભારે જહેમત ઉઠાવી બહાર કાઢ્યો હતો.૧૦૮ એમબ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અથઁ ખસેડવામાં આવ્યો હતો.પરંતુ વધુ સારવારની જરૂર અથઁ ભરૂચ સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતથી ઘટનાની જાણ રહીશોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.ભારે ટ્રાફિમજામ થતાં અન્ય રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગ ચારરસ્તા ઉપરથી બોડેલીની ઓરસંગ નદીની રેતી ભરેલા હાઇવા-ડમ્પર નેત્રંગથી સુરત,તાપી,વલસાડ અને વાપી તરફ જાય છે.હાઇવા-ડમ્પર ટ્રકો ખાલી-ઓવરલોડ ભરેલા હોઇ છે.નેત્રંગ ચારરસ્તા ઉપર ભારે ટ્રાફિસ સમસ્યા અને પોલીસ કમીઁઓની હાજરી હોવા છતાં ઉશ્કેરાયેલા સાંઢની માફક બેરોકટોક-ગફલતભરી રીતે પસાર થતાં હોવાથો સ્થાનિક રહીશો ભયનો માહોલ જોવા મળે છે.ઓવરલોડ ખનિજો ભરીને દોડતા વાહનોના નંબરોથી લઇ સાઇડ લાઇટ અને અનેક જાતના આરટીઓના નિયમોનો ભંગ કરીને દોડતા વાહનો લોકોને જોવા મળે છે. પરંતુ જવાબદાર તંત્રને જોવા મળતા નથી.નેત્રંગ ચારરસ્તા ઉપર ગોજારો અકસ્માત બને તે પહેલા તંત્ર કડક હાથે કામગીરી કરે તેવુ પ્રજામા ચર્ચાઈ રહ્યું છે.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

ભરૂચ વડદલા પાટિયા પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત,10થી વધુ લોકો ઘાયલ

ભરૂચ નેશનલ હાઇવે ઉપર વડદલા પાટિયા પાસે આઇસર ટેમ્પો, પીકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા વડદલા પાટિયા પાસે આજે સવારે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા આઇસર ટેમ્પો ચાલકે પીકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનરને ટક્કર મારતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મુસાફરોમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ટેમ્પોમાં ફસાઈ ગયેલા એક યુવાનને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 108 એમ્બ્યુલન્સ વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

ભરૂચ હાઇવે પર લક્ઝરી ચાલકે મોપેડ સવાર બે બહેનોને અડફેટે લેતા ૧નું મોત

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ મારૂતિ નેક્સા સર્વિસ સેન્ટરની સામે લક્ઝરી ચાલકે મોપેડ સવાર બે સગી બહેનોને ટક્કર મારતાં સારવાર મળે તે પહેલા જ મોટી બહેનનું મોત નીપજ્યું હતું.

ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલી રોશન પાર્ક સોસાયટીમાં રહેતી 18 વર્ષિય આતિકા શકીલ ધનજી અને તેની મોટી બહેન અફીકા શકીલ ધનજી ગઇકાલે ગુરૂવારે સવારે પોતાની બર્ગમેન મોપેડ નંબર-જી.જે.16.ડી.એફ.1277 લઇ ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા મેકડોનલ્ડ્સ ફાસ્ટ ફૂડ કાફેમાં નોકરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચથી વડોદરા ટ્રેક ઉપર મારૂતિ નેક્સા સર્વિસ સેન્ટરની સામે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા લક્ઝરી ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બંને બહેનો માર્ગ ઉપર ફંગોળાઈ ગઈ હતી. જેમાં મોટી બહેન અફીકા શકીલ ધનજીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે દોડી આવેલા લોક ટોળાએ 108 સેવાને જાણ કરતાં 108 એમ્બ્યલન્સ ટ્રાફિકજામ હોવાને પગલે સમયસર નહિ પહોંચતા ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક રિક્ષામાં ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. અકસ્માત અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!