ભરૂચ શહેર નજીક પગુથણ ગામની સીમમાંથી પસાર થતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
સ્થાનિકો દ્વારા કેનાલમાં મૃતદેહ દેખાતા ચાવજ ગામના સરપંચ પ્રવદિશ પટેલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જોકે પ્રાથમિક તબક્કે મૃતકની ઓળખ અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો ચાલુ છે. પોલીસે આ બનાવ અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બન્યો છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

