The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 2

ભરૂચના નયનાચોક ખાતે સ્વાધ્યાય પરિવાર દ્વારા આયોજિત માતૃ-પિતૃ પૂજનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

ભરૂચ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા વેજલપુર-નયનાચોક વિસ્તારમાં તાજેતરમાં ભક્તિ અને સંસ્કારનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અખિલ વિશ્વ સ્વાધ્યાય પરિવાર માટે વર્ષ 2026 ‘ચિત્ર – પાવન- પર્વ’ તરીકે ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) દ્વારા સ્થાપિત ‘શ્રીમદ ભાગવદ ગીતા પાઠશાળા’ અને પૂજ્ય નિર્મલાતાઈના જન્મના 100 વર્ષ પૂર્ણ થતા આ શતાબ્દી પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
આ પાવન અવસરે ભરૂચના નયનાચોક ખાતે સ્વાધ્યાય પરિવાર અને નયનાચોક યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે માતૃ-પિતૃ પૂજનનો એક અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં આશરે 51 જેટલા સંતાનોએ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પોતાના માતા-પિતાનું પૂજન-અર્ચન કર્યું હતું, જેમાં સંતાનોએ માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવતા વાતાવરણ અત્યંત ભાવવિભોર બની ગયું હતું.

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને સાક્ષાત્ દેવતુલ્ય અને પ્રથમ ગુરુ માનવામાં આવે છે, તે ઉમદા ભાવના આ કાર્યક્રમ દ્વારા ચરિતાર્થ થતી જણાઈ હતી. બાળકોના હૃદયમાં નાનપણથી જ આવા સંસ્કારોનું સિંચન થાય અને તેઓ પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તેવા ઉમદા હેતુથી આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે.
નયનાચોક યુવક મંડળ દ્વારા આ વિસ્તારમાં સમયાનંતરે આવા પ્રેરણાદાયી આયોજનો કરીને સમાજને સંગઠિત રાખવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. સમાજની એ નૈતિક ફરજ છે,આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થઈ નવી પેઢીને યોગ્ય દિશા બતાવે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વાધ્યાય પરિવારના પ્રકાશભાઈ મિસ્ત્રી સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને તેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતા રહે છે. નયનાચોક યુવક મંડળના ઉત્સાહી સભ્યોએ દિવસ-રાત જહેમત ઉઠાવી આ આખા આયોજનને યાદગાર બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોના આંખમાં પણ હર્ષના આંસુ જોવા મળ્યા હતા, જે સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ આપણી પરંપરાઓ જીવંત છે. સ્થાનિક રહીશોએ પણ આ ભગીરથ કાર્યમાં ઉત્સાહપૂર્વક જોડાતા સમગ્ર નયનાચોક વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. અંતમાં ઉપસ્થિત તમામ લોકોએ સંસ્કૃતિના જતન માટે કટિબદ્ધ રહેવાના શપથ લીધા હતા.

ભરૂચના શુકલતીર્થની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) બેઠક ફાળવાની માંગ સાથે રજૂઆત

ચૂટણી પંચે જાહેર કરેલ જાહેરનામાંમાં ફેરફાર કરી ન્યાય મળે તે માટે ગ્રામજ્નોએ દ્વારા અપાયેલ અરજીમાં જનાવાયું છે કે, અગાઉ એટલે કે જે હાલમાં કાર્યરત ગ્રામ પંચાયતની બોડી વહીવટ કરી રહી છે તેના સરપંચ તરીકે મહિલા બિન અનામત ની બેઠક હતી, તેમાં બહુમતીથી ગામના મતદારોએ અનુસૂચિત આદિજાતિ મહિલા સરપંચ ને વિજયી બનાવી પાંચ વર્ષ માટે ગ્રામ પંચાયતનું સુકાન સોંપ્યું હતું. આમ બિન અનામત સ્ત્રી ની અગાઉની ટર્મમાં બેઠકની ફાળવણી થયેલ હતી તેમ છતાં ૨૦૨૧ માં જે જાહેરનામું બહાર પાડવામાં આવેલ ( જે હાલમાં સરપંચ / સભ્યોની ચુતાયેલી પાંખ છે તે બોડી )તેમાં પણ બિન અનામત કેટેગરીની ફાળવણી થયેલ છે ગામના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારો અને મતદારો માટે શંકા અને અન્યાયની બાબત સેવાય તે સ્વાભાવિક છે.


ગામમાં અનુસૂચિત આદિજાતિ (ST) વસ્તી બાદ સામાજિક શૈક્ષણિક રીતે પછાત (માછી પટેલ, નિઝામા, કોળી, રાવળ, વાળંદ, લુહાર, સુથાર, વણઝારા) (SEBC) બીજા ક્રમે બહુમતી વસ્તી હોવા છતાં ઘણા વર્ષોથી ગ્રામ પંચાયતની સરપંચની OBC ની બેઠક ફાળવવામાં આવતી જ નથી. જે પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની નિયમો મુજબ બક્ષીપંચના નાગરિકોને ગ્રામ પંચાયતમાં સરપંચના પદ માટે ઉમેદવારી કરવાને માટે અન્યાયકર્તા છે. આમ રોટેશન પદ્ધતિમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) નો નાગરીકો અને જન પ્રતિનિધિત્વ કરનાર ઉમેદવારોને તેનો લાભ મળતો નથી જે આશંકા ઉભી થાય એ વાસ્તવિક છે. આમ જોઈએ તો ગ્રામ પંચાયતમાં જે બોર્ડ બનાવેલ છે તેમાં ૧૯૨૪ થી આજ દિન સુધીમાં બિન અનામત (GENERAL)વર્ગના સરપંચ અને બીજા ક્રમે અનુસૂચિત જનજાતિ ST અનમાં વર્ગને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલ છે.
વધુમાં શ્રી વનરાજ સિંહ પઢારીયા, નાયબ સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ની સહી થી સમગ્ર કલેકટરોને જાણ કરતા પત્રાંક : ચુંટણી-૧૦૨૦૧૬ -૧૭૦૬-૫/૬૯ ગુજરાત સરકાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર, તા : ૦૮-૦૮-૨૦૧૬ અન્વયે .મુદ્દા (૬) મો નિયમ -૭ મુજબ સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) વર્ગો માટે સરપંચના હોદ્દા અનામત રાખવા અંગે જોગવાઈ કરવામાં આવી છે જે અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૫૧ ની પેટા કલમ- ૨ અન્વયે તાલુકાની કુલ ગ્રામ પંચાયતના ૧૦ ટકા સરપંચના હોદ્દા આ વર્ગ માટે અનામત રાખવાના છે જે અન્વયે જે ગ્રામ પંચાયતની આ વર્ગની વસ્તી ૫ % કરતા વધુ હોય તેવી ગ્રામ પંચાયતની યાદી ને અંગ્રેજીમાં ટકાવારી પ્રમાણે ગોઠવી તેને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC-1, SEBC-2 અને તે પ્રમાણે અનુક્રમાંન્કો આપવાના રહે છે તે પરિપત્રનો અમલ થયો નથી.
ભરૂચ તાલુકાના ૯૨ ગામો પૈકી કુલ ગામોનાં ૧૦ ટકા અને જે ગામમાં સદર વર્ગની વસ્તી ૫ ટકા કરતા વધુ હોય તે શુકલતીર્થ ગામને લાગુ પડે છે. જે બાબતે અમારા સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) વર્ગન ઉમેદવારી કરવામાંથી વંચિત રાખવામાં આવેલ છે જેથી પુનઃ આ બાબતે વિચારણા કરવા અને સરપંચની મા સંચયથી સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) બેઠક ફળવાયેલ ન હોય જાહેરનામામાં ફેરફાર કરી ફાળવણીકરી ન્યાય આપવા વિનંતી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાતમાં ફરીથી માવઠાનું સંકટ

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુ એકવાર વરસાદની આગાહી કરી
આજથી 10 દિવસ પહેલા અપર એર સર્ક્યુલેશનના કારણે ભરઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હતુ. રાજ્યના અનેક ભાગોમાં ચોમાસામાં પડે તેવો આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ખેતરમાં ઉભો પાક ઢળી પડતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. જે બાદ છેલ્લા એક સપ્તાહથી આકાશ ખુલ્લું જોવા મળી રહ્યું છે, પરંતુ જાણીતા હવામાન નિષ્ણાંતે વધુ એક વખત ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યાનુસાર, ઉત્તર ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જેનો ટ્રફ અત્યાર દક્ષિણ-પાકિસ્તાન અને કચ્છના ભાગ સુધી લંબાઈ ચૂક્યો છે. આ ટ્રફનો ભેજ એન્ટી સર્ક્યુલેશનમાં મર્જ થઈ ચૂક્યો છે. આ અસ્થિરતાના કારણે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં આગામી 30 માર્ચ સુધી ફરીથી વરસાદ વરસી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી જેવા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે. તેમજ કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાની સૌથી વધુ અસર રહેશે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં અસ્થિરતાની નહીવત અસર જોવા મળશે.

ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી અપાઇ

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ જવાનોએ ને નિયમિતતા પ્રમાણિકતા અને સદગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરાયો હતો અભિયાનના વક્તાઓએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ પ્રભાવશાળી બનશે.


રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદિદિ એ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માનવીય મૂલ્યોનો દુકાળ છે ત્યારે સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે કાર્યક્રમના અંતે રાજયોગ મેડીટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત તમામ કર્મચારીઓને જીવનને આધ્યાત્મિકતાથી સંપૂર્ણ બનાવવા માટે સાત દિવસનો રાજયોગ કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ભરૂચ ડીવાયએસપી સી.કે પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તાલીમાર્થીઓને બ્રહ્માકુમારીઝ સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમીનાથભાઈએ આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કમલભાઈ જયશ્રીબેન તથા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ પોલીસે ફિશિંગ કેપિટલ ઝારખંડના જામતાડાથી પોલીસે સાયબર ક્રાઇમના કુખ્યાત આરોપીની કરી ધરપકડ

ભરૂચ પોલીસને સાયબર ક્રાઈમના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતાડાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પાડવામાં આવ્યો છે. ડિસેમ્બર 2004માં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી સાયબર ક્રાઇમ દ્વારા બારોબાર લોન લઇ રૂપિયા 5.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે 2000થી વધુ કોલ ડીટેઇલ તપાસી હતી જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા અને આ સમગ્ર ઠગાઈના તાર ઝારખંડના જામતાડા સુધી જોડાયા હતા.પોલીસે એક ટીમ જામતાડા રવાના કરી હતી.સતત 3 દિવસ સુધી ભરૂચ અને ઝારખંડ પોલીસની ટીમે વોચ રાખી મુખ્ય આરોપી રાજેશ મંડલની ધરપકડ કરી છે. જેની પૂછતાછમાં બહાર આવ્યું છે કે આરોપી જામતાડામાં જંગલ વિસ્તારમાં બેસે ચોરીના ફોન તેમજ સીમકાર્ડ દ્વારા લોકોને ઠગાઈ માટે કોલ કરતો હતો સાથે તેણે સમગ્ર દેશમાં 2018 જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ઠગાઈ માટે 15 મોબાઈલ અને 7 સીમકાર્ડનો ઉપયોગ થયું હોવાનું પણ ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
ભરૂચ એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા ફોનમાં જો બેંક લોન કે KYC અપડેટનો ઉલ્લેખ કરવામાં આવે તો એ કોલ તરત જ બંધ કરી દેવા જોઈએ અને સત્તાવાર હેલ્પલાઈન દ્વારા જ માહિતી ચકાસવી જોઈએ.કોઈ અજાણી લીંક પર પણ ક્લિક ન કરવા તેઓએ લોકોને અપીલ કરી હતી.

થામ-દેરોલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બોઈલર ટ્રકની ટક્કરે પિક-અપ ટેમ્પોના બે ટુકડા!

ભરૂચ તાલુકાના થામ અને દેરોલ ગામની વચ્ચે ગત રાત્રે લગભગ ત્રણ વાગ્યે એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહાકાય બોઈલર લોડેડ ટ્રકે એક પિક-અપ ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે પિક-અપ ટેમ્પોના ચેસીસના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા હતા. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રિના અંધારામાં અને વહેલી સવારના સમયે આ ઘટના બની હતી. બોઇલર લોડ કરીને જઈ રહેલા ટ્રકના ચાલકે બેફામ ડ્રાઇવિંગના કારણે પિક-અપ ટેમ્પોને એવી જોરદાર ટક્કર મારી કે પિક-અપ ગાડીની હાલત અત્યંત ગંભીર બની ગઈ અને તેના મુખ્ય ભાગના બે ટુકડા થઈ ગયા હતા.


અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે સ્થાનિક લોકોની સતર્કતા અને કાર્યવાહીને કારણે આ ડ્રાઇવર દેરોલ ગામ નજીક એક પેટ્રોલ પંપ પાસેથી ઝડપાઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અકસ્માતની જાણ થતાં જ પિક-અપ ટેમ્પોના માલિકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. અને ટ્રક ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સદભાગ્યે જાનહાનિના કોઈ મોટા સમાચાર નથી. પરંતુ આ ગમખ્વાર અકસ્માતને કારણે માલ-સામાન અને વાહનને મોટું નુકસાન થયું છે. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના જીતાલી ગામે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમની કરી અટકાયત

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામથી સેંગપુર તરફ જતા જીતાલી ગામ તળાવની પાળ ઉપર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર લઇ ફરે છે.


બાતમી આધારે તપાસ કરતા નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુતના નામના ઈસમ પાસેથી બીનઅધિકૃત રીતે આધાર પુરાવા કે પરવાના વગર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ અગ્નિશસ્ત્ર મળી આવ્યું હતું.જેથી પોલીસે નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુત, ઉ.વ.૪૫, રહે.હાલ. મીરાં નગર દુર્ગામાતાના મંદિર પાસે ઝુપડપટ્ટી અંકલેશ્વરની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હાલમાં તો હથિયાર સાથે ઝડપાયેલ ઈસમ હથિયાર ક્યાંથી લાવ્યો હતો એ સહિતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ, વેરહાઉસ બળીને ખાખ

ભરૂચના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વેરહાઉસમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી. કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
પ્રાથમિક માહિતી મુજબ આગ કંપનીના વેરહાઉસમાં કોઈ અગમ્ય કારણોસર લાગી હતી. અને જોતજોતામાં જ તેણે આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગની ભયાનકતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.વફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. જોકે આ ઘટનામાં વેરહાઉસમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. જેના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ કામદાર કે કર્મચારીને ઇજા થઈ હોવાના એહવાલ નથી. જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આગનું કારણ અને નુકસાનનો અંદાજ મેળવવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

ભરૂચમાં એસ.જી આંગડીયાના બે શખ્સો 74 લાખનું ફૂલેકું ફેરવી ફરાર!

અમદાવાદના ન્યુ નરોડા ખાતે રહેતાં અને મુળ પાટણના ચણાસ્મા તાલુકાના મંડલોપ ગામના વતની કિરણ દિલીપજી ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી એસ. જી. એન્ટરપ્રાઇઝના નામથી આંગડિયા પેઢી ચલાવે છે. તેમણે ગત 26મી મેના રોજ ભરૂચના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આવેલાં લક્ષ્મી કોમ્પલેક્ષ ખાતે નવી શાખા ચાલુ કરી હતી. જેમાં સ્ટાફ તરીકે પાટણની અંબાજીનગર સોસાયાટીમાં રહેતાં હાર્દિક ડાહ્યા પટેલ તેમજ ચાસણમાના ખારી ધારીયાલ ગામે રહેતાં અજય ડાહ્યા પટેલને રાખ્યાં હતાં. તેમની પેઢી ચાલુ થયાં બાદ દરરોજ સવારે ૧૧ વાગ્યે રાજકોટ ઓફિસેથી આગલા દિવસનો હિસાબ લેવામાં આવતો હતો.
ગત 26મી જૂનના રોજ સાંજે તેમની સુરત ઓફિસે જાણ કરી હતી કે, ભરૂચ ઓફિસમાંથી 40 લાખનું પેમેન્ટ થયું નથી. જેના પગલે તેમણે હાર્દિક અને અજય સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમના નંબર બંધ આવતાં હતાં. જેતી તે દિવસે જ રાત્રીના સમયે તેમણે ભરૂચ આવી તપાસ કરતાં ઓફિસ બંધ હોવાનું માલુમ પડ્યું હતું.
હાર્દિક અને અજયના કોઇ સગડ મળ્યાં ન હતાં. તેમણે શાખામાં લગાવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતાં હાર્દિક અને અજય સાંજે પાંચેક વાગ્યે બે બેગ લઇને જતાં દેખાયાં હતાં. તેમણે તમામ એકાઉન્ટની તપાસ કરતાં તેઓને કુલ 74 લાખથી વધુની રકમ સિલ્લક હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તપાસ કરાવતાં હાર્દિકે પોતાના ભાઇ નિકુલ તેમજ અજયે પોતાના ભાઇ નિતીન સાથે પોતાના અંગત આર્થિક લાભ માટે રૂપિયા લઇ ગયાં હોાવનું માલુમ પડતાં તેમણે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. જેની પ્રાથમિક તપાસ બાદ પોલીસે આખરે મામલામાં ફરિયાદ નોંધી આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચના શ્રવણ ચોકડીથી શક્તિનાથ માર્ગ પરથી દબાણો અને આડેધડ પાર્કિંગ દૂર કરાયા

ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદે દબાણો હટાવવાની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

આ અચાનક કાર્યવાહીથી દબાણકારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો, આડેધડ પાર્કિંગ અને રસ્તા પરના ખાડાઓને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે, જેનાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે, શુક્રવારે વહેલી સવારે ભરૂચ જિલ્લા પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલદાર માધવી મિસ્ત્રી, પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, અને બૌડા, આરએનબી, જીએસઆરડીસીના અધિકારીઓની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેદાનમાં ઉતરી હતી.

ટીમે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગ પર બંને બાજુના ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. દબાણો હટાવવાની સાથે, રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરેલા વાહનોને પણ પોલીસે જપ્ત કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલની આશા બંધાઈ છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. આ કામગીરીથી દબાણકારોમાં ગભરાટ ફેલાયો છે અને શહેરના ટ્રાફિકને સુચારુ બનાવવા માટે આ એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.

error: Content is protected !!