રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દીલ્હીના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરૂચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ઈ.ચા. ચેરમેન અને ભરૂચનાં જિલ્લા ઈ.ચા. મુખ્ય ન્યાયાધિશ એમ.એસ.સોનીના માર્ગદર્શન હેઠળ તેમજ એ.એસ. પાંડે, ઈં.ચા. સેક્રેટરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ જિલ્લા ન્યાયલય સંકુલ, ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ ખાતે યોજાયેલ આ લોક અદાલતનું જિલ્લા ન્યાયાલયમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ.એચ.વોરાના વરદહસ્તે દિપ પ્રાગટય કરી આ લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી. આ પ્રસંગે નવનિયુક્ત ન્યાયીક અધિકારી રવીકુમાર પરમાર દ્વારા લોક અદાલતનાં મહત્વ અને તેના લાભ વિષે પોતાનું વકતવ્ય રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ.એચ.વોરાના ડીસ્ટ્રીકટ કોર્ટ, ભરૂચ મુખ્ય મથકમાં આવેલ તમામ કોર્ટો, પ્રિલીટીગેશન માટે આવેલ તમામ સંસ્થાઓ, લેબર કોર્ટ તથા ફેમીલી કોર્ટની મુલાકાત લઈ તેઓએ જાતે રસ લઈ એક ફેમીલી કોર્ટ કેસના પક્ષકારોને સમાધાનની વાતચીત કરી સમજાવેલ હતા. આ પ્રસંગે ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયીક અધિકારીઓ, સરકારી વકીલો સહિત ભરૂચ વકીલ બારનાં હોદ્દેદારો સહિત વકીલો અને ન્યાયીક કર્મચારી મિત્રોએ હાજર રહી આ લોક અદાલતને સફળ બનાવી હતી.

આ નેશનલ લોકઅદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ ના કેસો, નાણાં વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળત૨ના કેસો, લેબર તકરારના કૈસો, વિજળીના તથા પાણીને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન વળત૨ના કેસ, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તીના લાભોને લગતા કેસો, મહેસુલના કૈસો, ખોરાકીના કૈસો, અન્ય સીવીલ કેસો, પ્રિ–લીટીગેશન તથા સ્પેશીયલ સીટીગસ ઓફ મેજીસ્ટ્રેસ સહિત કુલ-૧૩૨૦૮ કેસોનો નિકાલ માટે મુકાયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here