The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ગેરકાયદે ખનન મુદ્દે MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર!

ગેરકાયદે ખનન મુદ્દે MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર!

0
ગેરકાયદે ખનન મુદ્દે MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર!
  • હું વર્ષોથી નર્મદા નદીમાં થતા ગેરકાયદે ખનનને રોકવા સંઘર્ષ કરી રહ્યો છું

કેટલાક રાજકારણીઓ, ખાણ-ખનિજના અધિકારીઓ ભૂ માફિયા અને રેત માફિયા સાથે મળી મામલતદાર અમે રેવેન્યુ અધિકારીઓના આંદોલનને હવા આપી રાજ્ય સરકાર ઉપર દબાણ લાવી રહ્યાં હોવાનો પત્ર ભરૂચ MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલને લખ્યો છે.

વડોદરા જિલ્લાના નારેશ્વર પાસેની ઘટનાને લઇને ગુજરાતના મામલતદારો તથા તેમના રેવન્યુ કર્મચારીઓ અલગ – અલગ પ્રકારે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન પાછળ ગુજરાતભરના રેત માફિયાઓ તથા જમીન માફિયાઓ તથા કેટલાક ખાણ – ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા આ ધંધા સાથે જોડાયેલા કેટલાક રાજકિય આગેવાનો પડદા પાછળ કામ કરી રહ્યા છે. જે અંગે MP મનસુખ વસાવાએ CM ને લખેલા લેટરમાં ઘટસ્ફોટ કર્યો છે.

નારેશ્વરની ઘટના પછી આપ CM ને સમગ્ર ઘટના થી ભરૂચ MP એ વાકેફ કર્યા હતા. જે બાદ મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં ગેરકાનૂની રેતી , માટી ખનન કરનારાઓની સામે કડક હાથે કામ લીધું જેનાથી આ રેત માફિયાઓ જમીન માફિયાઓમાં ગભરાટ ફેલાયો. આજે આખા ગુજરાતમાં બે નંબરીયાઓ બધા મોટા ભાગે બંધ થઇ ગયા છે.

પરંતુ રેત માફિયા , ભુમાફિયા અને આ ધંધા સાથે જોડાયેલ ઉચ્ચ અધિકારીઓ સરકાર ઉપર દબાણ લાવી રહ્યા છે કે “ મનસુખ વસાવા માફી માંગે ” હકિકતમાં તો નારેશ્વરની ઘટનામાં હું મનસુખ વસાવા પ્રજા સાથે રહ્યો છું. ઘટનાના બીજા દિવસે નારેશ્વર પાસે 50 થી 60 ડમ્પર ભીની રેતી ભરેલા રોયલ્ટી વિનાના ઉભા હતા. પ્રજાની માંગણી હતી કે આ બેનંબરી વહાનોનું પંચનામું કરાવવાની અને તે માટે મે ઉપસ્થિત બધાજ અધિકારીઓને પંચનામું કરવા જણાવ્યું.

જોકે તેમના ઉપર સ્થાનીક રાજકિય આગેવાનો તથા ઉચ્ચ અધિકારી ( ખાણ ખનીજ ) ઓનું દબાણ હતું અને તેનો મને ખ્યાલ આવી જતાં પ્રજાનો આકૌશ શાંત પાડવા મેં ઉપસ્થિત બધાજ અધિકારીઓને ગુસ્સામાં ઉંચા અવાજ થી વાત કરી હતી. તેનો વિડીયો પ્રજામાં છુપાયેલા સંતાયેલા રેત માફિયાના માણસોએ રેકૉંડીંગ કરી વાયરલ કર્યો. મેં ફક્ત મામલતદાર કે તેમના સર્કલ ઓફિસર સાથે ઉગ્ર ભાષામાં વાત નથી કરી. મેં પ્રથમ તો આ વીસ્તારના રાજકિય આગેવાનો, ખાણ ખનીજ અધિકારી, રેત માફિયા મામલતદાર આ બધાની મિલીભગતથી બેરોકટોક ગેરકાનુની રેતીનું ખનન થઇ રહ્યું છે તે અધિકારીઓની બેદરકારીના કારણે આ માછી સમાજના ત્રણ વ્યકિતઓનું મૃત્યુ થયું છે.

આના જવાબદાર તમે લોકો છો. તમે લોકો સરકારને બદનામ કરો છો. તે મુજબ ભારપુર્વક હું બોલ્યો છું. પરંતુ ગુજરાતના મામલતદારો આખી ઘટનાને જાણ્યા વિના ખોટા એક તરફી વિડીયોનો આધાર લઇ રેત માફિયાઓ , જમીન માફિયાઓના કહ્યા મુજબ મને દબાવવા “ મનસુખ વસાવા માફિ માંગે ” તેવું આંદોલન કરી રહ્યા છે.

CM સાહેબ હું વર્ષોથી ગેરકાનુની રીતે નર્મદા નદીમાંથી રેતીનું ખનન થઇ રહ્યું છે. તે રોકવા માટે તથા માં નર્મદાને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. હું વિશ્વાસ સાથે આપ સાહેબને જણાવું છું કે સરકારના પારદર્શક વહિવટનો હું સાચા અર્થમાં અમલ કરી રહ્યો છું. જયારે કેટલાક સજ્જનો આડકતરી રીતે રેત માફિયાઓ , જમીન માફિયાઓને બચાવવા મેદાને પડયા છે. સાહેબ આપતો રાજ્યના વડા છો તેમ કહી MP મનસુખ વસાવાએ CM પાસે ન્યાયની આશા રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!