અંકલેશ્વરની વાલિયા ચોકડી પર એક છકડાને પુરઝડપે આવતી અજાણી ટ્રકે ટકકર મારતા સર્જાયેલ અકસ્માતમાં ૪ ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ૧૦૮ મારફ્તે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા.
અકસ્માતની આ ઘટનામાં અંકલેશ્વર ના પાનોલી જીઆઇડીસી સ્થીત ટેગરોઝ કંપનીમાંથી આજે સાંજે ૬.૪૫ આસપાસ આનંદ પારસનાથ બિન્દે ઉ.વર્ષ ૨૮, મૂળ યુપીના અને હાલ નારાયણ નગર અંકલેશ્વર,બબલુ ક્રિષ્નાકુમાર સાઉજી ઉ.વર્ષ ૨૯ રહે. અંકલેશ્વ્ર મુળ રહે. બિહાર, નિતેષકુમાર ટુનટુન મંડલ ઉ.વર્ષ ૧૮, રહે.લક્ષમણ નગર અંકલેશ્વર અને એક અજાણ્યો ઇસમ પાનોલીથી છગડામાં બેસી અંકલેશ્વર તરફ આવતા હતા. દરમિયાન વાલિયા ચોકડી બ્રીજ ઉતરતી વેળા પુરઝડપે ધસી આવેલ એક અજાણ્ણ્યા ટ્રકે છકડાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેવને માથામાં અને અન્ય ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા. ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરાતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.